૨૨.૨૧

સંગ્રાહક (સંચાયક) કોષ (storage cell)થી સંતુલન-ઉપકરણ (vestibular apparatus)

સંગ્રાહક (સંચાયક) કોષ (storage cell)

સંગ્રાહક (સંચાયક) કોષ (storage cell) : વપરાશ બાદ જેમાંથી વિદ્યુત-ઊર્જા મળતી બંધ થઈ જાય (વીજવિભારણ, discharge) ત્યારે તેમાં વિરુદ્ધ દિશામાં એકદિશ વીજપ્રવાહ (direct current) પસાર કરી તેને પુન: વીજભારિત કરી શકાય તેવો વિદ્યુતકોષ. એક અથવા વધુ આવા એકમો ધરાવતા સમુચ્ચયને સામાન્ય રીતે બૅટરી કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક…

વધુ વાંચો >

સંઘ

સંઘ : જૈન અને બૌદ્ધ ધર્મમાં પ્રચલિત શબ્દ. ‘સંઘ’ શબ્દના શબ્દ-કોશોમાં ત્રણ અર્થ જોવા મળે છે, જ્યાં (1) સમૂહ, ટોળું. (2) એકીસાથે રહેતો માનવસમૂહ. (3) સતત સંપર્ક. ‘ભૂતવિશેષસંઘ’, ‘ગંધર્વયક્ષાસુરસંઘ’, ‘મહર્ષિસિદ્ધસંઘ’, ‘સિદ્ધસંઘ’, ‘સુરસંઘ’ અને ‘અવનિપાલસંઘ’ જેવા શબ્દો અનુક્રમે ગીતાના 11, 15 22 22 36 21 26 શ્લોકોમાં આવે છે. આમાં ‘ભૂતવિશેષસંઘ’માં…

વધુ વાંચો >

સંઘ (વનસ્પતિશાસ્ત્ર)

સંઘ (વનસ્પતિશાસ્ત્ર, association) : વનસ્પતિસમાજના વર્ગીકરણ ક્લિમેંટ્સ(1916)ની પદ્ધતિનો એક એકમ. ક્લિમેંટ્સના મત પ્રમાણે, વનસ્પતિ-સામાજિક (phytosociological) દૃષ્ટિએ, વનસ્પતિ-સમાજમાં મુખ્યત્વે ચાર એકમો જોવા મળે છે : (1) વનસ્પતિ સમાસંઘ (plant formation), (2) સંઘ, (3) સંસંઘ (consociation) અને (4) સમાજ (society). આ પદ્ધતિમાં જાતિની પ્રભાવિતા અને અનુક્રમને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવેલ છે.…

વધુ વાંચો >

સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions)

સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions) : એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે અણુઓ સંયોજાઈ મોટો અણુ બનાવે અને તે દરમિયાન પાણી અથવા આલ્કોહૉલ જેવો નાનો અણુ દૂર થાય. આ વ્યાખ્યા બહુ સ્પષ્ટ નથી ગણાતી કારણ કે કેટલીક પ્રક્રિયાઓ યોગશીલન (addition) સોપાને જ અટકાવવી શક્ય હોય છે. અથવા જરૂર મુજબ આગળ પણ…

વધુ વાંચો >

સંઘમિત્રા

સંઘમિત્રા : મગધના મૌર્યવંશના રાજા અશોક(ઈ. પૂ. 273 – ઈ. પૂ. 232)ની પુત્રી. બૌદ્ધ સાહિત્યના જણાવ્યા મુજબ અશોક અવંતિનો સૂબો હતો ત્યારે તે એક શાક્ય શ્રેષ્ઠીની દેવી નામની પુત્રીને પરણ્યો હતો. તેનાથી તેને મહેન્દ્ર નામનો પુત્ર તથા સંઘમિત્રા નામની પુત્રી થયાં હતાં. કલિંગના યુદ્ધ પછી અશોકનો હૃદયપલટો થયો. તેણે બૌદ્ધ…

વધુ વાંચો >

સંઘરાજ્ય (confedaration)

સંઘરાજ્ય (confedaration) : જ્યારે બે અથવા વધુ રાજ્યો કોઈ ચોક્કસ હેતુ અથવા ધ્યેય (જેમ કે, સંરક્ષણ, આર્થિક-વેપારી સંબંધો) સિદ્ધ કરવા માટે અરસપરસ કરાર કરી ભેગાં થઈને કોઈ તંત્ર રચે ત્યારે તેને સામાન્ય રીતે, સંઘરાજ્ય અથવા સમૂહતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા તંત્રમાં જોડાતાં રાજ્યો પોતાની સાર્વભૌમ સત્તાનો સંપૂર્ણપણે ત્યાગ કરતા…

વધુ વાંચો >

સંઘર્ષ

સંઘર્ષ : કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ. વિવાદ બે વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે, બે જૂથો વચ્ચે હોઈ શકે, બે પ્રદેશો વચ્ચે હોઈ શકે, બે વિચારસરણીઓ વચ્ચે હોઈ શકે, બે આંતરિક અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે હોઈ શકે અથવા બે કે વધુ રાષ્ટ્રો…

વધુ વાંચો >

સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ

સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ (જ. 1864, અમદાવાદ; અ. 1942) : શ્રેયસ્સાધક અધિકારી વર્ગના ગુજરાતી લેખક. લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં જન્મ. માતાનું નામ મહાકોરબાઈ. બાલ નગીનદાસ આરંભમાં ભણવામાં મંદબુદ્ધિના હતા. પણ કહેવાય છે કે ઘંટાકરણના મંત્રની સાધના, નીલસરસ્વતીની ઉપાસના અને સદ્ગુરુ શ્રીમન્નૃસિંહાચાર્યજીના અનુગ્રહથી તેજસ્વી વિદ્યાર્થી બન્યા. માત્ર 14 વર્ષની નાની વયે તેઓ ‘નીતિવર્ધક…

વધુ વાંચો >

સંઘવી, વસંત ચુનીલાલ

સંઘવી, વસંત ચુનીલાલ (જ. 8 માર્ચ 1938, માંડવી, કચ્છ-ગુજરાત) : પક્ષી જગતના અચ્છા અને ચિત્રાત્મક (pictorial) શૈલીના તસવીરકાર. વેપારી પરિવારના પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માંડવીમાં. એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા પછી માંડવીમાં મહેસૂલ ખાતાની સેવામાં જોડાયા. બાળપણથી જ પેઇન્ટિંગનું આકર્ષણ. કાળક્રમે ફોટોગ્રાફી તરફ ઢળ્યા. પિતા ચુનીલાલની નિશ્રામાં પોતાના નિવાસસ્થાને ફોટોગ્રાફી…

વધુ વાંચો >

સંઘાત-સિદ્ધાંત (પ્રક્રિયા-દરનો) (collision theory of reaction rates)

સંઘાત–સિદ્ધાંત (પ્રક્રિયા–દરનો) (collision theory of reaction rates) : રાસાયણિક પ્રક્રિયાના દરની, ખાસ કરીને પ્રાથમિક (elementary) વાયુ-પ્રાવસ્થાકીય (gas phase) પ્રક્રિયાના દરને અણુઓ વચ્ચેના અસરકારક (effective) સંઘાત (collisions) સાથે સાંકળી લઈ, આગાહી કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત આર્હેનિયસ સમીકરણના ઉદ્ગમ (origin) માટેનું સૈદ્ધાંતિક માળખું પૂરું પાડે છે. સિદ્ધાંત એ અનુમાન પર આધારિત છે…

વધુ વાંચો >

સંજીવકુમાર

Jan 21, 2007

સંજીવકુમાર (જ. 9 જુલાઈ 1937, સૂરત; અ. 6 નવેમ્બર 1985, મુંબઈ) : હિંદી-ગુજરાતી ચિત્રો, રંગભૂમિના અભિનેતા. મૂળ નામ હરિહર જરીવાળા, હિંદી ચલચિત્રજગતમાં ઉત્કૃષ્ટ અને સંવેદનશીલ અભિનેતા તરીકે કાયમી છાપ છોડી જનારા સંજીવકુમારે હિંદી ચિત્રોમાં પ્રારંભ તો ‘નિશાન’ જેવા અતિ સામાન્ય ચિત્રથી કર્યો હતો, પણ સમયની સાથે તેમને મળતાં પાત્રોમાં તેઓ…

વધુ વાંચો >

સંજીવનશક્તિ (regeneration)

Jan 21, 2007

સંજીવનશક્તિ (regeneration) : સજીવોમાં ભાંગી ગયેલાં કે નુકસાન પામેલાં અંગો કે ઉપાંગોની પુન: સાજાં થવાની પ્રક્રિયા. વિવિધ સજીવ સમૂહોમાં આ સંજીવનશક્તિ ઓછાવત્તા પ્રમાણમાં હમેશાં થતી રહે છે. કેટલાક લેખકો આ ક્રિયાને પુન: સમગઠન (reconstruction) તરીકે ઓળખાવે છે. પૌરાણિક કથાઓમાં કપાઈ ગયેલાં અંગોમાંથી રાક્ષસ પુન: પેદા થાય એવી ઘટનાઓ સાંભળવામાં આવે…

વધુ વાંચો >

સંજીવૈયા, દામોદર

Jan 21, 2007

સંજીવૈયા, દામોદર (જ. 14 ફેબ્રુઆરી 1921, પડ્ડાપાપાડુ, કુર્નાલ જિલ્લો, આંધ્ર પ્રદેશ; અ. 7 મે 1972, દિલ્હી) : કેન્દ્રીય મંત્રી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને કૉંગ્રેસ-પ્રમુખ. આ જાણીતા રાજકારણી અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. તેમની ગણના તેલુગુ ભાષાની વિદ્વાન વ્યક્તિઓમાં થતી હતી. વિનયન વિદ્યાશાખાની અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરી 1948માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

સંજ્ઞા

Jan 21, 2007

સંજ્ઞા : ઈ. સ. 1966માં પ્રકટ થયેલું જ્યોતિષ જાનીનું ત્રૈમાસિક. ઈ. સ. 1969થી ઈ. સ. 1971 સુધી એનું પ્રકાશન અટકી પડ્યું હોવા છતાં તંત્રીની સંપાદનનીતિ-રીતિ અને સાહસિક અભિગમને કારણે એ જ્યારે પુન: આરંભાયું ત્યારે એટલા જ ઉમળકાથી વાચકોનો આવકાર પામ્યું હતું. ઈ. સ. 1977માં એ બંધ થયું. આ દરમિયાન એના…

વધુ વાંચો >

સંત

Jan 21, 2007

સંત : સારો ધાર્મિક માણસ. ‘સંત’ શબ્દના મૂળમાં સં. सत् શબ્દ છે, એ अस् (હોવું) બીજા ગણના ક્રિયાર્થક ધાતુનું વર્તમાન કૃદંત છે, જે ‘હોતું હોનાર’, ‘છેસ્થિતિ છે, વર્તમાન’ એવા અર્થ આપે છે. અતિ પ્રાચીન કાલથી ‘સદા વર્તમાન સત્ત્વ’ને માટે એ રૂઢ છે. ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ એ વેદવાક્ય ઘણું…

વધુ વાંચો >

સંત, ઇન્દિરા (શ્રીમતી)

Jan 21, 2007

સંત, ઇન્દિરા (શ્રીમતી) (જ. 1914, બીજાપુર, કર્ણાટક) : મરાઠી લેખિકા. તેમના કાવ્યસંગ્રહ ‘ગર્ભરેશીમ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે બી.એ., બી.ટી.ડી. તથા બી.એડ.ની ડિગ્રી મેળવી, શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને બેલગામના વડગાંવ ખાતેની મરાઠી ટ્રેનિંગ કૉલેજના આચાર્યાપદેથી નિવૃત્ત થયાં. તેમણે ‘સહવાસ’ કાવ્યસંગ્રહના પ્રકાશન સાથે તેમની કવિ…

વધુ વાંચો >

સંતતિઓનું એકાંતરણ

Jan 21, 2007

સંતતિઓનું એકાંતરણ : વનસ્પતિઓના જીવનક્રમ દરમિયાન બીજાણુજનક (sporophyte) અને જન્યુજનક (gametophyte) અવસ્થાઓ(સંતતિઓ)નું એકાંતરણ. યુગ્મનજ (zygote) અવસ્થાથી શરૂ થઈ અર્ધસૂત્રીભાજન (meiosis) સુધીની વનસ્પતિની અલિંગી અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહે છે. આ અવસ્થામાં દ્વિગુણિત (diploid) કોષોમાં રંગસૂત્રોની સંખ્યા બેગણી હોય છે અને પ્રજનન સમયે તેઓ અર્ધસૂત્રીભાજન દ્વારા એકગુણિત (haploid, કોષમાં રંગસૂત્રોની સંખ્યા એકગણી)…

વધુ વાંચો >

સંત દેવચંદ્રજી

Jan 21, 2007

સંત દેવચંદ્રજી (જ. ઈ. સ. 1582, ઉમરકોટ, સિંધ, હાલ પાકિસ્તાન; અ. 1655) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક. યુવાન વયે તેઓ આત્મજ્ઞાનની ખોજમાં સિંધ છોડીને કચ્છમાં આવ્યા. કચ્છમાં આશરે દસ વર્ષ સુધી નિવાસ કર્યા બાદ ત્યાંથી તેઓ જામનગર આવ્યા. જામનગરમાં કાનજી ભટ્ટ નામના પંડિત પાસેથી ભાગવતનું જ્ઞાન મેળવ્યું તથા નિજાનંદ…

વધુ વાંચો >

સંત પ્રાણનાથજી

Jan 21, 2007

સંત પ્રાણનાથજી (જ. 1618, જામનગર; અ. 1695, પન્ના, બુંદેલખંડ) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સંત દેવચંદ્રજીના પટ્ટ શિષ્ય. પિતા કેશવ ઠક્કર, માતા ધનબાઈ, જ્ઞાતિ લોહાણા. તેમનું બાળપણનું નામ મહેરાજ હતું. ઈ. સ. 1631માં દીક્ષા લઈ ‘પ્રાણનાથ’ નામ ધારણ કર્યું. તેઓ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા. ઉત્તર ભારતમાં આ સંપ્રદાયનો…

વધુ વાંચો >

સંત મલૂકદાસ

Jan 21, 2007

સંત મલૂકદાસ (જ. 1574, કડા, અલાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 1682) : મધ્યયુગીન હિંદી સંત કવિ. તેમના પિતાનું નામ સુંદરદાસ ખત્રી હતું. બાળપણથી જ તેમનામાં દૈવી પ્રેમ અને સંન્યાસ માટેની ઇચ્છાનાં લક્ષણો જોવા મળતાં હતાં. તેઓ કાવ્યની ‘નિર્ગુણ શાખા’ના મુખ્ય સંત છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્ય, અહિંસા, કરુણા અને ક્ષમા તેમના કાવ્યના…

વધુ વાંચો >