શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી)

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી) : વૈષ્ણવોમાં પૂજાતું ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ (ઈ.સ. 1473-1531) 15મી-16મી સદીઓના સંધિકાલમાં જીવન જીવી ભક્તિમાર્ગમાંથી ‘પુષ્ટિમાર્ગ’ એવી સંજ્ઞા આપી જે માર્ગ વિકસાવ્યો તેના પરમ ઇષ્ટદેવ, ગોવર્ધનગિરિ ડાબી ટચલી આંગળી ઉપર હોય એવા સ્વરૂપના અભીષ્ટદેવ સ્થાપ્યા એ શ્રી ગોવર્ધનનાથજી  શ્રી ગિરિરાજધરણ. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’…

વધુ વાંચો >

શ્રીનિવાસ આયંગર, કે. આર.

શ્રીનિવાસ આયંગર, કે. આર. (જ. 17 એપ્રિલ 1908, સત્તુર, જિ. કામરાજ્ય, તામિલનાડુ) : અંગ્રેજીમાં લખતા ભારતના નામાંકિત લેખક, કવિ અને વિવેચક. તેમની કૃતિ ‘ઑન ધ મધર’ નામની જીવનકથાને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અંગ્રેજી ભાષામાં એમ.એ. અને ડી.લિટ્.ની ડિગ્રી મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેળવી. તેમણે શ્રીલંકા, બેલગામ, બાગલકોટ…

વધુ વાંચો >

શ્રીનિવાસ, એમ. એન.

શ્રીનિવાસ, એમ. એન. (જ. 16 નવેમ્બર 1916, મૈસૂર; અ. 30 નવેમ્બર 1999) : ભારતના અગ્રણી નૃવંશશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી. એમ. નરસિમ્હાચાર શ્રીનિવાસે શાળા-કૉલેજનું શિક્ષણ મૈસૂરથી લીધું હતું. એમણે ઈ. સ. 1936માં સ્નાતકની પદવી સામાજિક તત્વજ્ઞાનના વિષયમાં મેળવી. 1939માં અનુસ્નાતકની પદવી મેળવી, જેમાં તેમણે જી. એસ. ઘૂર્યેના સાંનિધ્યમાં શોધનિબંધ ‘મૅરેજ ઍન્ડ ફૅમિલી…

વધુ વાંચો >

શ્રીપુર (શરભપુર)

શ્રીપુર (શરભપુર) : હાલના મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલ પ્રાચીન નગર, જે પાછળથી શરભપુરિયા વંશના રાજાઓનું પાટનગર હતું. તે રાજાઓ પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવતા હતા. જુદા જુદા લેખકોએ તેને માટે સંબલપુર, સરનગઢ, સરપગઢ વગેરે નામ આપ્યાં છે. રાજા શરભ અને તેનો પુત્ર નરેન્દ્ર પાંચમી સદીનાં છેલ્લાં વરસોમાં થઈ ગયા. છઠ્ઠી સદીનાં…

વધુ વાંચો >

શ્રીપ્રકાશ

શ્રીપ્રકાશ (જ. 3 ઑગસ્ટ 1890, વારાણસી; અ. 23 જૂન 1971, વારાણસી) : મુંબઈ રાજ્ય (પાછળથી મહારાષ્ટ્ર), તામિલનાડુ તથા આસામના ગવર્નર, પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર (1947-49) અને કેન્દ્ર સરકારમાં વાણિજ્યમંત્રી (1950-51) તથા કુદરતી સંસાધનો તથા વૈજ્ઞાનિક સંશોધનના મંત્રી (1951-52). તેમનો જન્મ વારાણસીના અગ્રવાલ (વૈશ્ય) કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ પરોપકાર, સમૃદ્ધિ…

વધુ વાંચો >

શ્રીફર, જ્હૉન રૉબર્ટ

શ્રીફર, જ્હૉન રૉબર્ટ (જ. 31 મે 1931, ઓકપાર્ક, ઇલિનૉઇ) : અતિવાહકતા(super conductivity)નો સિદ્ધાંત વિકસાવવા બદલ જ્હૉન બાર્ડિન અને કૂપરની ભાગીદારીમાં 1972ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ BCS (Bardeen, Cooper અને Schrieffer) સિદ્ધાંત તરીકે ઓળખાય છે. 1940માં શ્રીફર પરિવાર ન્યૂયૉર્કમાં અને ત્યારબાદ 1947માં ફ્લોરિડા ખાતે સ્થાયી થયા. ત્યાં આ…

વધુ વાંચો >

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ : 19મી સદીમાં સ્ત્રીજીવન-સુધારાના હિમાયતી ‘ભારતરત્ન’ મહર્ષિ ધોંડો કેશવ કર્વે દ્વારા સ્થાપિત વિદ્યાપીઠ. કર્વેના માટે સ્ત્રીઓને શિક્ષણ આપવાની પ્રવૃત્તિ એક અગત્યનું સેવાકાર્ય હતું. તેઓ સ્ત્રીશિક્ષણ-પ્રવૃત્તિને ‘દેશકાર્ય’, ‘ધર્મકાર્ય’ માનતા હતા. ઈ. સ. 1896માં પૂના નજીકના હિંગણેમાં પ્રો. કર્વેએ વિધવા અને અસહાય સ્ત્રીઓ માટે હિન્દુ વિડોઝ…

વધુ વાંચો >

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ : મહિલાઓને શારીરિક શિક્ષણ આપતી ગુજરાતની એક મહત્વની સંસ્થા. અમદાવાદની ખ્યાતનામ શેઠ ચી. ન. વિદ્યાવિહાર સંકુલના પગલે પગલે પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના પ્રયત્નોથી ઈ. સ. 1959માં અમદાવાદથી 22 કિમી. દૂર અમદાવાદ-મહેસાણાના રાજમાર્ગ પર આવેલા અડાલજ મુકામે ગ્રામજનો તથા રાજ્ય સરકારના સહયોગથી બહેનોના શિક્ષણ…

વધુ વાંચો >

શ્રીમદ્ ભગવદગીતા

શ્રીમદ્ ભગવદગીતા : જુઓ ગીતા.

વધુ વાંચો >

શ્રીમન્નૃસિંહાચાર્ય

શ્રીમન્નૃસિંહાચાર્ય (જ. 28 નવેમ્બર 1853, કડોદ, જિ. સૂરત; અ. 3 ઑગસ્ટ 1897) : તત્વદર્શી સંત, કવિ, ગદ્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. જન્મ વિસનગરા જ્ઞાતિમાં થયો હતો. પિતા દુર્લભરામ યાજ્ઞિક, માતા મહાલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ કડોદમાં, પછીનો અભ્યાસ સૂરતની મિશનરી સ્કૂલમાં. પણ બાલ્યવયથી પ્રકૃતિએ નિજાનંદી વૈરાગ્યોન્મુખી. 1873માં સૂરતમાં તેઓ ‘પ્રાર્થનાસમાજ’ના ઉપદેશક આચાર્યપદે. 1874માં…

વધુ વાંચો >

શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ)

Jan 25, 2006

શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ) (જ. ?, વિશાખાપટણમ; અ. ?) : તેલુગુ કવિ અને નાટ્યકાર. તેમને તેમના ગ્રંથ ‘શ્રી શ્રી સાહિત્યમુ’ માટે 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્ર સાથે બી.એ.ની પદવી મેળવી હતી. પછી કેટલોક વખત તેમણે પત્રકાર તરીકે કામગીરી કરી. 1940થી 1950ના દસકા…

વધુ વાંચો >

શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ

Jan 25, 2006

શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ (સંસ્થાપક : શ્રીમન્નૃસિંહાચાર્યજી, 1882) : 19મી સદીના અંતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે સ્વધર્મસંરક્ષણાર્થે જે અનેક ધર્મશોધન-સંસ્થાઓનો પ્રાદુર્ભાવ થયો તેમાંની એક. નિ:સ્પૃહવૃત્તિના, યોગૈશ્વર્ય ધરાવતા શ્રીનૃસિંહાચાર્યજીની આસપાસ તેજસ્વી તારકવૃંદ સમું શિક્ષિત શિષ્યમંડળ હતું. તેમાંના અગ્રણીઓ પૈકી છોટાલાલ જીવનલાલ માસ્તર સાહેબ, નર્મદાશંકર મહેતા, નગીનદાસ  સંઘવી, જેકિશનદાસ કણિયા વગેરેએ સાધકોના…

વધુ વાંચો >

શ્રી સાઉન્ડ સ્ટુડિયો

Jan 25, 2006

શ્રી સાઉન્ડ સ્ટુડિયો : મુંબઈના દાદર રેલવે-સ્ટેશન પાસે આવેલા એક તબેલાની જગ્યા પર ઊભો થયેલો ચલચિત્રનિર્માણ એકમ. તેના માલિક હતા શેઠ ગોકુલદાસ પાસ્તા. એક વાર એ સમયના પ્રતિષ્ઠિત નિર્માતા સરદાર ચંદુલાલ શાહે આ જગ્યા પર તેમના એક ચિત્રનું શૂટિંગ કરવા દેવાની રજા માંગી હતી. તે પછી આ જગ્યાએ નિયમિતપણે ફિલ્મોનાં…

વધુ વાંચો >

શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR)

Jan 25, 2006

શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં 100 કિમી. દૂર આવેલા શ્રીહરિકોટા ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું એક માત્ર ઉપગ્રહ-પ્રક્ષેપણ-કેન્દ્ર. અહીંથી પૂર્વ દિશામાં ઉપગ્રહ પ્રક્ષેપિત કરી શકાય છે તેથી તેનું મહત્વ વિશેષ છે. ઉપગ્રહના પ્રક્ષેપણ અંગે જરૂરી બધી તકનીકી સુવિધા ઉપરાંત પ્રક્ષેપણ-રૉકેટમાં વપરાતા ઘન પ્રોપેલન્ટ બનાવવાનું એક કારખાનું અને પ્રવાહી…

વધુ વાંચો >

શ્રીહર્ષ

Jan 25, 2006

શ્રીહર્ષ : સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીય ચરિત’ના રચયિતા. મહાકવિ શ્રીહર્ષે પોતાના મહાકાવ્યમાં જે માહિતી આપી છે તે મુજબ તેમના પિતાનું નામ હીર પંડિત અને માતાનું નામ મામલ્લદેવી હતું. તેમના પિતા હીર પંડિત તરીકે કનોજના દરબારમાં બેસતા હતા. કનોજના રાઠોડ વંશના રાજા વિજયચંદ્ર અને તેના પુત્ર રાજા જયચંદ્રનો 1156થી 1193 સુધીનો રાજ્યઅમલ…

વધુ વાંચો >

શ્રુસબરી આર્થર

Jan 25, 2006

શ્રુસબરી આર્થર (જ. 11 એપ્રિલ 1856, ન્યૂ લેન્ટન, નૉટિંગહૅમશાયર; અ. 19 મે 1903, ગૅડિંગ નૉટિંગહૅમશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. ડબ્લ્યૂ. જ ગ્રૅસ જેવા મહાન ક્રિકેટરે તેમને તેમના સમકાલીનોમાં સૌથી ઉત્તમ લેખ્યા હતા. તેમની મોટાભાગની કારકિર્દી દરમિયાન, તેઓ દેશના સૌથી આકર્ષક વ્યવસાયી બૅટધર બની રહ્યા. ટર્નિંગ થતા દડાના તેઓ સમર્થ ખેલાડી…

વધુ વાંચો >

શ્રેણિક

Jan 25, 2006

શ્રેણિક : જુઓ બિંબિસાર.

વધુ વાંચો >

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

Jan 25, 2006

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (જ. 28 ડિસેમ્બર 1925, અમદાવાદ) : બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી ધર્મિષ્ઠ સજ્જન. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ નવી ગુજરાતી શાળા અને આર. સી. હાઈસ્કૂલ, અમદાવાદમાં લીધું હતું. ગુજરાત કૉલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી અમેરિકાની મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(M.I.T.)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય…

વધુ વાંચો >

શ્રેણિકો

Jan 25, 2006

શ્રેણિકો : લંબચોરસ કે ચોરસ આકારમાં ગોઠવેલી સંખ્યાઓની સારણી. શ્રેણિકો ગણિતમાં અને વ્યવહારમાં ખૂબ ઉપયોગી સાબિત થયા છે. ધારો કે mn સંખ્યાઓ aij, 1 < i < m, 1 < j < n m હાર તથા n સ્તંભોવાળા લંબચોરસમાં નીચે પ્રમાણે ગોઠવેલી છે : આ ગોઠવણી એક m x n…

વધુ વાંચો >