શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી)

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી) : વૈષ્ણવોમાં પૂજાતું ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ (ઈ.સ. 1473-1531) 15મી-16મી સદીઓના સંધિકાલમાં જીવન જીવી ભક્તિમાર્ગમાંથી ‘પુષ્ટિમાર્ગ’ એવી સંજ્ઞા આપી જે માર્ગ વિકસાવ્યો તેના પરમ ઇષ્ટદેવ, ગોવર્ધનગિરિ ડાબી ટચલી આંગળી ઉપર હોય એવા સ્વરૂપના અભીષ્ટદેવ સ્થાપ્યા એ શ્રી ગોવર્ધનનાથજી  શ્રી ગિરિરાજધરણ. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’…

વધુ વાંચો >

શ્રીનિવાસ આયંગર, કે. આર.

શ્રીનિવાસ આયંગર, કે. આર. (જ. 17 એપ્રિલ 1908, સત્તુર, જિ. કામરાજ્ય, તામિલનાડુ) : અંગ્રેજીમાં લખતા ભારતના નામાંકિત લેખક, કવિ અને વિવેચક. તેમની કૃતિ ‘ઑન ધ મધર’ નામની જીવનકથાને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અંગ્રેજી ભાષામાં એમ.એ. અને ડી.લિટ્.ની ડિગ્રી મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેળવી. તેમણે શ્રીલંકા, બેલગામ, બાગલકોટ…

વધુ વાંચો >

શ્રીનિવાસ, એમ. એન.

શ્રીનિવાસ, એમ. એન. (જ. 16 નવેમ્બર 1916, મૈસૂર; અ. 30 નવેમ્બર 1999) : ભારતના અગ્રણી નૃવંશશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી. એમ. નરસિમ્હાચાર શ્રીનિવાસે શાળા-કૉલેજનું શિક્ષણ મૈસૂરથી લીધું હતું. એમણે ઈ. સ. 1936માં સ્નાતકની પદવી સામાજિક તત્વજ્ઞાનના વિષયમાં મેળવી. 1939માં અનુસ્નાતકની પદવી મેળવી, જેમાં તેમણે જી. એસ. ઘૂર્યેના સાંનિધ્યમાં શોધનિબંધ ‘મૅરેજ ઍન્ડ ફૅમિલી…

વધુ વાંચો >

શ્રીપુર (શરભપુર)

શ્રીપુર (શરભપુર) : હાલના મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલ પ્રાચીન નગર, જે પાછળથી શરભપુરિયા વંશના રાજાઓનું પાટનગર હતું. તે રાજાઓ પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવતા હતા. જુદા જુદા લેખકોએ તેને માટે સંબલપુર, સરનગઢ, સરપગઢ વગેરે નામ આપ્યાં છે. રાજા શરભ અને તેનો પુત્ર નરેન્દ્ર પાંચમી સદીનાં છેલ્લાં વરસોમાં થઈ ગયા. છઠ્ઠી સદીનાં…

વધુ વાંચો >

શ્રીપ્રકાશ

શ્રીપ્રકાશ (જ. 3 ઑગસ્ટ 1890, વારાણસી; અ. 23 જૂન 1971, વારાણસી) : મુંબઈ રાજ્ય (પાછળથી મહારાષ્ટ્ર), તામિલનાડુ તથા આસામના ગવર્નર, પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર (1947-49) અને કેન્દ્ર સરકારમાં વાણિજ્યમંત્રી (1950-51) તથા કુદરતી સંસાધનો તથા વૈજ્ઞાનિક સંશોધનના મંત્રી (1951-52). તેમનો જન્મ વારાણસીના અગ્રવાલ (વૈશ્ય) કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ પરોપકાર, સમૃદ્ધિ…

વધુ વાંચો >

શ્રીફર, જ્હૉન રૉબર્ટ

શ્રીફર, જ્હૉન રૉબર્ટ (જ. 31 મે 1931, ઓકપાર્ક, ઇલિનૉઇ) : અતિવાહકતા(super conductivity)નો સિદ્ધાંત વિકસાવવા બદલ જ્હૉન બાર્ડિન અને કૂપરની ભાગીદારીમાં 1972ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ BCS (Bardeen, Cooper અને Schrieffer) સિદ્ધાંત તરીકે ઓળખાય છે. 1940માં શ્રીફર પરિવાર ન્યૂયૉર્કમાં અને ત્યારબાદ 1947માં ફ્લોરિડા ખાતે સ્થાયી થયા. ત્યાં આ…

વધુ વાંચો >

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ : 19મી સદીમાં સ્ત્રીજીવન-સુધારાના હિમાયતી ‘ભારતરત્ન’ મહર્ષિ ધોંડો કેશવ કર્વે દ્વારા સ્થાપિત વિદ્યાપીઠ. કર્વેના માટે સ્ત્રીઓને શિક્ષણ આપવાની પ્રવૃત્તિ એક અગત્યનું સેવાકાર્ય હતું. તેઓ સ્ત્રીશિક્ષણ-પ્રવૃત્તિને ‘દેશકાર્ય’, ‘ધર્મકાર્ય’ માનતા હતા. ઈ. સ. 1896માં પૂના નજીકના હિંગણેમાં પ્રો. કર્વેએ વિધવા અને અસહાય સ્ત્રીઓ માટે હિન્દુ વિડોઝ…

વધુ વાંચો >

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ : મહિલાઓને શારીરિક શિક્ષણ આપતી ગુજરાતની એક મહત્વની સંસ્થા. અમદાવાદની ખ્યાતનામ શેઠ ચી. ન. વિદ્યાવિહાર સંકુલના પગલે પગલે પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના પ્રયત્નોથી ઈ. સ. 1959માં અમદાવાદથી 22 કિમી. દૂર અમદાવાદ-મહેસાણાના રાજમાર્ગ પર આવેલા અડાલજ મુકામે ગ્રામજનો તથા રાજ્ય સરકારના સહયોગથી બહેનોના શિક્ષણ…

વધુ વાંચો >

શ્રીમદ્ ભગવદગીતા

શ્રીમદ્ ભગવદગીતા : જુઓ ગીતા.

વધુ વાંચો >

શ્રીમન્નૃસિંહાચાર્ય

શ્રીમન્નૃસિંહાચાર્ય (જ. 28 નવેમ્બર 1853, કડોદ, જિ. સૂરત; અ. 3 ઑગસ્ટ 1897) : તત્વદર્શી સંત, કવિ, ગદ્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. જન્મ વિસનગરા જ્ઞાતિમાં થયો હતો. પિતા દુર્લભરામ યાજ્ઞિક, માતા મહાલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ કડોદમાં, પછીનો અભ્યાસ સૂરતની મિશનરી સ્કૂલમાં. પણ બાલ્યવયથી પ્રકૃતિએ નિજાનંદી વૈરાગ્યોન્મુખી. 1873માં સૂરતમાં તેઓ ‘પ્રાર્થનાસમાજ’ના ઉપદેશક આચાર્યપદે. 1874માં…

વધુ વાંચો >

શ્રીમાલ પુરાણ

Jan 25, 2006

શ્રીમાલ પુરાણ : શ્રીમાલભિલ્લમાલ વિશે રચાયેલું એક પુરાણ. તેનું નામ ‘શ્રીમાલ પુરાણ’ કે ‘શ્રીમાલ માહાત્મ્ય’ છે. ‘શ્રીમાલ’ નામ કેવી રીતે પડ્યું એની કથા આ પુરાણમાં આપેલી છે. શ્રીમાલ નામે જે નગરી જાણીતી થઈ તેનું પ્રારંભનું નામ ગૌતમાશ્રમ હતું. ભૃગુઋષિને ઘેર દીકરી તરીકે લક્ષ્મીજી જન્મ્યાં. તેમને વિષ્ણુ સાથે પરણાવવામાં આવ્યાં. આ…

વધુ વાંચો >

શ્રીમાળી, રામેશ્વર દયાળ

Jan 25, 2006

શ્રીમાળી, રામેશ્વર દયાળ (જ. 1938, કરાંચી [હાલ પાકિસ્તાનમાં]) : જાણીતા રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મહારો ગાંવ’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1963માં બી.એ. અને 1966માં બી.એડ.ની ડિગ્રી મેળવી; ત્યારબાદ જયપુર ખાતેની રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ખાનગી વિદ્યાર્થી તરીકે હિંદી સાહિત્યમાં (1968) અને અર્થશાસ્ત્રમાં (1973) અનુસ્નાતક કક્ષાની ડિગ્રીઓ મેળવી. તેમણે…

વધુ વાંચો >

શ્રીરંગપટ્ટનમ્

Jan 25, 2006

શ્રીરંગપટ્ટનમ્ : દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યના મૈસૂર નજીક આવેલું, ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12o 25’ ઉ. અ. અને 76o 42’ પૂ. રે.. યુદ્ધકાળમાં નિપુણ પ્રસિદ્ધ શાસક હૈદરઅલી તથા મૈસૂરના વાઘ તરીકે જાણીતા બનેલા તેના પુત્ર ટીપુ સુલતાનની રાજધાનીનું સ્થળ. શ્રીરંગપટ્ટનમનો દ્વીપદુર્ગ મૈસૂરથી ઉત્તરે 16…

વધુ વાંચો >

શ્રીરંગમ્

Jan 25, 2006

શ્રીરંગમ્ : ભારતના તામિલનાડુ રાજ્યના ત્રિચિનાપલ્લી જિલ્લાનું એક નગર. તે કાવેરી નદીની શાખાઓ અને કોલ્લિટમની વચ્ચે એક ટાપુ પર આવેલું છે. ચેન્નાઈ અને ત્રિચિનાપલ્લી નગરને જોડતો માર્ગ અહીંથી પસાર થાય છે. ત્યાં રેલવે-સ્ટેશન પણ છે. મુખ્યત્વે આ ધાર્મિક નગર છે. અહીંનું વિષ્ણુમંદિર તેની વિશાળતા, ભવ્યતા અને મૂર્તિકલાને માટે પ્રસિદ્ધ છે.…

વધુ વાંચો >

શ્રીરંગમ્, નારાયણ બાબુ

Jan 25, 2006

શ્રીરંગમ્, નારાયણ બાબુ (જ. 1906, વિઝિયાનગરમ્, આંધ્રપ્રદેશ; અ. 1960) : તેલુગુ ભાષાના કવિ. શ્રીમંત પરિવારમાં જન્મ. મૅટ્રિક થયા પછી પશુચિકિત્સાવિજ્ઞાનના અભ્યાસમાં જોડાયા, પરંતુ તે અધવચ્ચે છોડી દઈને તેમણે સાહિત્ય અને સંગીત પ્રત્યે રુચિ વિકસાવી. તેમણે તેમનું સમગ્ર જીવન કાવ્યરચના અને સંગીતને સમર્પિત કર્યું. તેમના સંગીતના જ્ઞાનની અસર તેમની કાવ્યશૈલીમાં વરતાતી…

વધુ વાંચો >

શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર

Jan 25, 2006

શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર (1956) : શ્રી ચિરંતનાનંદ સ્વામી(જ. 1906)એ તેલુગુમાં રચેલ શ્રી રામકૃષ્ણ પરમહંસનું ચરિત્ર. આ કૃતિ માટે ચરિત્રલેખકને 1957ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ગ્રંથ શ્રી રામકૃષ્ણલીલાપ્રસંગ અને શ્રી રામકૃષ્ણકથામૃત જેવા મૂળ બંગાળી સ્રોત પર તથા વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણના અન્ય શિષ્યોનાં લખાણો પર આધારિત…

વધુ વાંચો >

શ્રીલંકા

Jan 25, 2006

શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ ખંડીય છાજલી પર આશરે 35 કિમી. દૂર આવેલો નાનો ટાપુમય દેશ. તે દ્વીપકલ્પીય ભારતનું એક અંગ હોવાનું ભૂસ્તરવેત્તાઓ દ્વારા સમર્થન મળે છે. વિશાળ ભારતીય ઉપખંડને અડીને આવેલો આ દેશ એક વિશિષ્ટ ભૌગોલિક પ્રતિભા ધરાવે છે અને આજે દુનિયામાં એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે તેણે…

વધુ વાંચો >

શ્રીવર પેમ

Jan 25, 2006

શ્રીવર પેમ (જ. 4 જુલાઈ 1962; બાલ્ટીમોર, મૅરીલૅન્ડ, યુ.એસ.) : અમેરિકાનાં મહિલા ટેનિસખેલાડી. 1978માં 16 વર્ષની વયે યુ.એસ. ઓપનમાં ફાઇનાલિસ્ટ બનનાર સૌથી નાની વયનાં ખેલાડી તરીકે તેમણે વિક્રમ સ્થાપ્યો. કારકિર્દીના આવા છટાદાર પ્રારંભ છતાં તેઓ ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સની ફાઇનલ સુધી પહોંચી શક્યાં નથી. જોકે ડબલ્સની રમતનાં તેઓ અગ્રણી ખેલાડી નીવડ્યાં…

વધુ વાંચો >

શ્રી શિવ છત્રપતિ

Jan 25, 2006

શ્રી શિવ છત્રપતિ (1964) : મહાન મરાઠી ઇતિહાસકાર, વિદ્વાન અને લેખક ટી. એસ. સેજવળકર(1885-1963)ની શિવાજી અંગેની ચિરસ્મરણીય કૃતિ. આ કૃતિને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 98 પાનાંની શ્રેષ્ઠ પ્રસ્તાવના આ કૃતિનું મહત્વનું લક્ષણ છે. શિવાજી વિષયના તેમના આ અભ્યાસમાં નવો અભિગમ અપનાવવા ઉપરાંત નવી પદ્ધતિઓ અને…

વધુ વાંચો >

શ્રીશિવરાજ્યોદયમ્

Jan 25, 2006

શ્રીશિવરાજ્યોદયમ્ (1972) : સંસ્કૃત કવિ શ્રીધર ભાસ્કર વર્ણેકર (1919) રચિત કાવ્યગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. વર્ણેકરે નાગપુરમાં શિક્ષણ લીધા પછી નાગપુર યુનિવર્સિટીના સંસ્કૃત ભાષા સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. શ્રી શિવરાજ્યોદયમ્ કૃતિ ઐતિહાસિક કાવ્ય છે. તેના નાયક તરીકે છત્રપતિ શિવાજી…

વધુ વાંચો >