શબ્દાર આકાશ

શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે. પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

શબ્દેન્દુશેખર

શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે.…

વધુ વાંચો >

શમશાદ બેગમ

શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ…

વધુ વાંચો >

શમશેર સિંઘ (શેર)

શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

શમા

શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’…

વધુ વાંચો >

શમિમ નિખાત

શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં. તેમણે ઉર્દૂમાં 5…

વધુ વાંચો >

શમીક

શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…

વધુ વાંચો >

શમ્વે, નૉર્મન એડવર્ડ

શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શમ્સુદ્દીન ‘બુલબુલ’

શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત…

વધુ વાંચો >

શર્મા, ઓગેટી પરીક્ષિત

Jan 7, 2006

શર્મા, ઓગેટી પરીક્ષિત (જ. 1930) : સંસ્કૃત ભાષાશાસ્ત્રી, કવિ અને પંડિત. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાશાસ્ત્ર અને અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઘણી ભારતીય ભાષાઓના જ્ઞાતા છે. દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં 20 વર્ષ સુધી તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને મહારાષ્ટ્ર સરકારના ડિવિઝનલ…

વધુ વાંચો >

શર્મા, કેદાર

Jan 7, 2006

શર્મા, કેદાર (જ. 12 એપ્રિલ 1910, નારોવાલ, સિયાલકોટ (હાલ પાકિસ્તાન); અ. 20 એપ્રિલ 1999) : અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, ગીતકાર, કથા-પટકથા-લેખક. હિંદી ચિત્રઉદ્યોગમાં પોસ્ટર અને પડદા ચીતરનાર તરીકે કારકિર્દી શરૂ કરીને લેખનથી માંડીને દિગ્દર્શનની જવાબદારી સંભાળી યાદગાર ચિત્રો આપનાર કેદાર શર્મા, રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી જેવાં કલાકારો અને રોશન તથા…

વધુ વાંચો >

શર્મા, કે. વી.

Jan 7, 2006

શર્મા, કે. વી. (જ. 22 ડિસેમ્બર 1919, ચેગાન્નૂર, જિ. કોલ્લમ, કેરળ) : સંસ્કૃત અને મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન ફ્રેન્ચ ઍન્ડ જર્મન, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ડી.લિટ્.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1962-65 દરમિયાન વી. વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હોશિયારપુરમાં ક્યુરેટર; 1965-1979 દરમિયાન વી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સંસ્કૃત…

વધુ વાંચો >

શર્મા, ગિરધર આર.

Jan 7, 2006

શર્મા, ગિરધર આર. (જ. ?) : અલ્લાહાબાદની આસપાસનાં સ્થળોનો પુરાતત્વીય ઇતિહાસ પ્રકાશમાં લાવનાર પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. ડૉ. શર્મા ગિરધરે અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ-પુરાતત્વ ભવનના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. અધ્યાપન દરમિયાન સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી ડૉ. શર્માએ અલ્લાહાબાદની આસપાસનાં ઘણાં પુરાતત્વીય સ્થળોનું નિરીક્ષણ અને તેમની તપાસ કરેલાં અને કેટલાંકનું તો પ્રારંભિક…

વધુ વાંચો >

શર્મા, ગોવર્ધન

Jan 7, 2006

શર્મા, ગોવર્ધન (જ. 1 જુલાઈ 1927, જોધપુર, રાજસ્થાન) : હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીના લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી., અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવી મેળવી. હિંદીના પ્રાધ્યાપક અને ગુજરાતમાં વિવિધ સરકારી કૉલેજોના પ્રાધ્યાપક તથા તેઓ પ્રિન્સિપાલ રહીને સેવાનિવૃત્ત થયા. તેઓ 1950-52 દરમિયાન ઑલ ઇન્ડિયા કુમાર હિંદી સાહિત્ય સંમેલનના જનરલ સેક્રેટરી…

વધુ વાંચો >

શર્મા, ગૌતમ ‘વ્યથિત’

Jan 7, 2006

શર્મા, ગૌતમ ‘વ્યથિત’ (જ. 15 ઑગસ્ટ 1938, રાજમંદિર નેર્તિ, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : પહાડી કવિ અને લોકસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., બી.એડ. તથા ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ સરકારી પી. જી. કૉલેજ, ધરમશાલામાંથી સિનિયર પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી બારોહ ખાતે એસ.ડી. કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા. તેઓ…

વધુ વાંચો >

શર્મા, ગ્યાનેશ્વર

Jan 7, 2006

શર્મા, ગ્યાનેશ્વર (જ. 29 એપ્રિલ 1947, પુરમંડલ, જિ. જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની પદવી મેળવી અને જમ્મુ અને કાશ્મીર સરકારમાં મદદનીશ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેઓ ડોગરી સંસ્થામાં ખજાનચી રહ્યા. તેમણે ડોગરીમાં બે ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચૂગ સોચેં દી’ (1986) અને ‘બદ્દલી…

વધુ વાંચો >

શર્મા, ચંદ્રધર

Jan 7, 2006

શર્મા, ચંદ્રધર (જ. 31 જાન્યુઆરી 1920, કોટા, રાજસ્થાન) : હિંદી તથા સંસ્કૃત પંડિત. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી તેમણે 1942માં એમ.એ.; 1944માં એલએલ.બી.; 1947માં ડી.ફિલ.; 1951માં ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1960-80 દરમિયાન જબલપુર યુનિવર્સિટીમાંથી ફિલસૂફી વિભાગના પ્રાધ્યાપક તથા વડા; 1963-64 અમેરિકામાં વ્હિટની ખાતે મુલાકાતી પ્રાધ્યાપક; 1980માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી મુલાકાતી પ્રાધ્યાપક…

વધુ વાંચો >

શર્મા, ચંદ્રિકાપ્રસાદ

Jan 7, 2006

શર્મા, ચંદ્રિકાપ્રસાદ (જ. 5 જાન્યુઆરી 1934, મંગત ખેરા, જિ. ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી. તેઓ યુનિવર્સિટી રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ રામકુમાર વર્મા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી; નિખિલ હિંદી પરિષદના જનરલ સેક્રેટરી અને ‘નવ પરિમલ’ના સાહિત્યમંત્રી રહેલા. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં સંપાદિત ગ્રંથો…

વધુ વાંચો >

શર્મા, ચંપા

Jan 7, 2006

શર્મા, ચંપા (જ. 9 જૂન 1941, સામ્બા, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી લેખિકા. તેમણે સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે એમ.એ.; સંસ્કૃત-ડોગરીમાં પીએચ.ડી. તથા બી.એડ.ની ડિગ્રી મેળવી. 1969-1975 સુધી તેઓ સરકારી મહિલા કૉલેજ, ગાંધીનગર ખાતે સંસ્કૃતમાં પ્રાધ્યાપક; 1975માં જમ્મુ યુનિવર્સિટીના સંસ્કૃત અનુસ્નાતક વિભાગમાં તેઓ જોડાયાં. 1980માં સિનિયર ફેલો તથા ડોગરી રિસર્ચ…

વધુ વાંચો >