શર્મા, ગ્યાનેશ્વર (. 29 એપ્રિલ 1947, પુરમંડલ, જિ. જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની પદવી મેળવી અને જમ્મુ અને કાશ્મીર સરકારમાં મદદનીશ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેઓ ડોગરી સંસ્થામાં ખજાનચી રહ્યા.

તેમણે ડોગરીમાં બે ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચૂગ સોચેં દી’ (1986) અને ‘બદ્દલી કલવે’ (1991) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. તેમને 1993માં જે ઍન્ડ કે એકૅડેમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર ઍવૉર્ડ અને 1996માં ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા