૨૦.૨૮

વેંકટચેલૈયા, એમ. એન.થી વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા

વૈદિક જાતિ

વૈદિક જાતિ : વેદમાં ઉલ્લેખાયેલી જાતિઓ. વેદકાલીન ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં ચોક્કસ કુળ અને કુટુંબના લોકોના વર્ગોને જાતિ કે ટોળીના નામે ઓળખવામાં આવે છે. ઋગ્વેદ વગેરેમાં તેમના કેટલાક ઉલ્લેખો મળે છે, તેથી તે ‘વૈદિક જાતિ’ એવી સંજ્ઞાથી ઓળખાય છે. પ્રાચીન ભારતીય સાહિત્યના કાળક્રમે ઉપલબ્ધ થતા સર્વપ્રથમ સ્મારક તરીકે વેદનું સ્થાન…

વધુ વાંચો >

વૈદિક ભૂગોળ

વૈદિક ભૂગોળ : વેદકાલીન ભૌગોલિક માહિતી. વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો છે. વેદનાં સ્વરૂપ, મહત્વ અને સિદ્ધાંતોની જાણકારી મેળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ લેખાય છે. વેદો ભારતીય સંસ્કૃતિના સ્રોત છે. વેદોમાં સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું વર્ણન જોવા મળે છે. વૈદિક યુગની ભૌગોલિક બાબતોથી સામાન્ય જનસમાજ…

વધુ વાંચો >

વૈદિક વેદ પ્રતાપ (ડૉ.)

વૈદિક વેદ પ્રતાપ (ડૉ.) (જ. 30 ડિસેમ્બર 1944, ઇન્દોર, મધ્ય પ્રદેશ) : હિંદી તથા અંગ્રેજીના પંડિત. તેમણે 1965માં ઇન્દોર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સ સાથે એમ.એ.; 1971માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ અફેર્સમાં પીએચ.ડી. તથા 1967માં રશિયન, 1968માં ફારસી અને સંસ્કૃત ભાષાઓમાં ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય વિદેશનીતિ અને ભારતીય ભાષા સંમેલન માટેની…

વધુ વાંચો >

વૈદિક સાહિત્ય

વૈદિક સાહિત્ય પ્રાચીન ભારતીય વેદગ્રંથો અને તેની સાથે સંકળાયેલું સાહિત્ય. જગતભરમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. ઋગ્વેદ ‘ઋચા’ કે ‘ઋચ્’ નામથી ઓળખાતા મંત્રોનો વેદ છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓની મુખ્યત્વે સ્તુતિ કરવામાં આવે છે. ‘ઋચ્’(ઋચ્-ઋક્)નો વેદ તે ઋગ્વેદ. સ્તુતિઓ ઉપરાંત, ઋગ્વેદમાં દાનસૂક્તો, અક્ષ-(જુગાર)સૂક્ત, વિવાહસૂક્ત, અંત્યેદૃષ્ટિસૂક્ત, દાર્શનિક સૂક્ત વગેરે વિવિધ…

વધુ વાંચો >

વૈદૂર્યમાણ

વૈદૂર્યમાણ : જુઓ બેરિલ તેમજ રત્નો.

વધુ વાંચો >

વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી)

વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી) (જ. 12 ફેબ્રુઆરી 1945, કુન્દાપુર, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ કવયિત્રી. તેમણે બી.કૉમ.ની પદવી મેળવ્યા પછી લેખનકાર્ય કર્યું. તેમણે કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે : ‘અંતરંગદા પુટગલુ’ (1984), ‘ગોલા’ (1986) અને ‘સમાજ શાસ્ત્રજ્ઞેય ટિપ્પણીગે’ (1991) તેમના વાર્તાસંગ્રહો છે. ‘બિંદુ બિંદીગે’ (1990) કાવ્યસંગ્રહ અને ‘અસ્પૃશ્યરુ’…

વધુ વાંચો >

વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી)

વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1944, લાતુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1964માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. પછી તેઓ મરાઠાવાડ સાહિત્ય પરિષદ અને મહિલા મંડળ, ઔરંગાબાદ સાથે સક્રિયપણે સંકળાયેલાં છે. તેમણે મરાઠીમાં 15 ગ્રંથો આપ્યા છે. ‘ઉત્તર રાત્ર’ (1985), ‘બાકી ક્ષેમ’ (1991), ‘જોગ્વા’ (1991), ‘મનુષ્યહાટ’…

વધુ વાંચો >

વૈદ્ય, અરવિંદ ગોપાળરાવ

વૈદ્ય, અરવિંદ ગોપાળરાવ (જ. 3 મે 1941) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં નાટ્યવિદ્યાનો ડિપ્લોમા મેળવી એચ. કે. આર્ટ્સ કૉલેજના નાટ્યવિભાગમાં છ વર્ષ વ્યાખ્યાતા તરીકે કામ કર્યા પછી બે વર્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં પ્રૉજેક્ટ ઑફિસર તરીકે, છ…

વધુ વાંચો >

વૈદ્ય, અરુણભાઈ મ.

વૈદ્ય, અરુણભાઈ મ. (જ. 14 ઑક્ટોબર, 1935, જામનગર) : જાણીતા ગણિતશાસ્ત્રી.  જામનગરના નાગરકુટુંબમાં જન્મ. પિતાશ્રી મધુસૂદનભાઈ વૈદ્યે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ ગણિતશાસ્ત્ર સાથે મેળવી હતી. તેમના કાકા ડૉ. પી. સી. વૈદ્ય ખ્યાતનામ ગણિતશાસ્ત્રી છે. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી અરુણભાઈએ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈથી 1956માં બી.એસસી.ની પદવી ગણિતશાસ્ત્ર સાથે…

વધુ વાંચો >

વૈદ્ય, એ. એસ., જનરલ

વૈદ્ય, એ. એસ., જનરલ (નિવૃત્ત) (જ. 27 જાન્યુઆરી 1926, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1986, પુણે) : ભારતીય લશ્કરના બાહોશ સેનાપતિ અને પૂર્વ સ્થલ-સેના-અધ્યક્ષ. આખું નામ અરુણ શ્રીધર વૈદ્ય. માતાનું નામ ઇન્દિરા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1944માં ભારતના લશ્કરના સૌથી નીચલી પાયરીના અધિકારી સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા સાથે સેનામાં જોડાયા અને બેતાલીસ વર્ષની…

વધુ વાંચો >

વેંકટચેલૈયા, એમ. એન.

Feb 28, 2005

વેંકટચેલૈયા, એમ. એન. (જ. 25 ઑક્ટોબર 1929) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓના સંકલનકાર. જૂના મૈસૂર રાજ્યના નિવાસી તરીકે શાલેય અને કૉલેજ-શિક્ષણ બૅંગાલુરુ ખાતે લીધું. બૅંગાલુરુની ફૉર્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી, વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતક…

વધુ વાંચો >

વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ

Feb 28, 2005

વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ : બલન્ત્રપુ વેંકટરાવ (1880-1971) અને વૉલેટી પાર્વતિસમ (1882-1955) નામના તેલુગુમાં ગદ્ય અને પદ્યના ઘણા ગ્રંથોના સંયુક્તપણે રચયિતા જોડિયા કવિઓ. તેમણે બંનેએ બંગાળી, હિંદી અને મરાઠી નવલકથાઓના તેમના અનુવાદ દ્વારા તેલુગુ નવલકથાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે નવલકથાઓ તેમણે આંધ્ર પ્રચારિણી ગ્રંથમાળાના અન્વયે પ્રસિદ્ધ કરી હતી. આ…

વધુ વાંચો >

વેંકટપ્પૈયા, વેલગા

Feb 28, 2005

વેંકટપ્પૈયા, વેલગા (જ. 12 જૂન 1932, તેનાલી, જિ. ગુન્તુર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આંધ્ર પ્રદેશ સરકારના જાહેર ગ્રંથાલયોના વિભાગમાં ગ્રંથપાલ તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા તે પહેલાં 1966-68 સુધી તેમણે વિજયવાડામાં સ્કૂલ ઑવ્ લાઇબ્રેરી સાયન્સના આચાર્ય તરીકે કામગીરી કરી. 1965થી તેઓ તેલુગુ…

વધુ વાંચો >

વેંકટમાધવ

Feb 28, 2005

વેંકટમાધવ : જગતના પ્રાચીનતમ ભારતીય ગ્રંથ ‘ઋગ્વેદ’ના ભાષ્યકાર. એક મત અનુસાર તેમણે ઋગ્વેદ પર બે ભાષ્યો લખ્યાં હતાં; પરંતુ હાલ માત્ર એક જ ભાષ્ય ઉપલબ્ધ છે. તેમના ઋગ્વેદભાષ્યના પ્રથમ અધ્યાયમાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે, તે મુજબ તેમના પિતાનું નામ વેંકટ અને પિતામહનું નામ માધવ છે. તેમની માતાનું નામ સુંદરી…

વધુ વાંચો >

વેંકટરત્નમ્, આદિગોપુલા

Feb 28, 2005

વેંકટરત્નમ્, આદિગોપુલા (જ. 1 જુલાઈ 1947, કોતાવંગલુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે નાગાર્જુન યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીની પદવી મેળવી અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેમણે તેલુગુમાં 11 કૃતિઓ આપી છે : ‘સૂર્યોદયમ્’ (1984); ‘એન્નાલ્લી ચરિત્ર’ (1985); ‘જીવન પોરટમ’ (1986); ‘વાણીસત્વમ્ અમ્માબદુનુ’ (1987); ‘મરણાનિકી રેન્ડુ મુખાલુ’ (1988), ‘વિપ્લવાનિકી…

વધુ વાંચો >

વેંકટ રમણય્યા, નેલતુરી

Feb 28, 2005

વેંકટ રમણય્યા, નેલતુરી (જ. 1893; અ. 1977) : આંધ્રના નિબંધકાર અને ઇતિહાસકાર. ગરીબ પણ વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે 1919માં ઇતિહાસમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. પછી બૅંગાલુરુ અને મદ્રાસ (ચેન્નાઈ) ખાતે તેલુગુ પંડિત તરીકે અને મદ્રાસની ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમના શોધ-પ્રબંધ ‘ધી ઓરિજિન ઑવ્ સાઉથ ઇન્ડિયન…

વધુ વાંચો >

વેંકટ રમણય્યા, બુલુસુ

Feb 28, 2005

વેંકટ રમણય્યા, બુલુસુ (જ. 1907, વિજયનગરમ્ પાસે, આંધ્ર પ્રદેશ; અ. ?) : વિખ્યાત તેલુગુ પંડિત, શિક્ષક અને લેખક. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી સંસ્કૃતની મહારાજા કૉલેજમાં જોડાયા અને કાવ્યશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર અને વ્યાકરણનો અભ્યાસ કર્યો. તેમણે 1934થી 1956 સુધી ચેન્નાઈ ખાતે કેલ્લેટ હાઈસ્કૂલમાં અને 1956થી 1968 સુધી હિંદુ થિયૉસૉફિકલ હાઈસ્કૂલમાં શિક્ષક…

વધુ વાંચો >

વેંકટરામન આચાર્ય, પડિગરુ

Feb 28, 2005

વેંકટરામન આચાર્ય, પડિગરુ (જ. 1915, ઉડુપી, દક્ષિણ કનરા, કન્નડ) : કન્નડ પત્રકાર, કવિ, વાર્તાકાર અને વિવેચક. તેઓ કન્નડ પત્રકારત્વમાં ‘પવેમ આચાર્ય’ના નામથી વધુ લોકપ્રિય હતા. તેમણે કટાર-લેખક તરીકે કન્નડમાં સર્જનાત્મક પત્રકારત્વના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ અનેકભાષાવિદ છે અને તુલુ, કન્નડ, હિંદી, બંગાળી, મરાઠી અને સંસ્કૃત ભાષા જાણે છે.…

વધુ વાંચો >

વેંકટરામન, આર.

Feb 28, 2005

વેંકટરામન, આર. (જ. 4 ડિસેમ્બર 1910, રાજમાદામ, જિ. તાંજોર, તમિલનાડુ) : જાણીતા રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા રામસ્વામી આયર અને માતા જાનકી અમ્મા. પ્રારંભિક શિક્ષણ વિનયન વિદ્યાશાખાનું મેળવ્યું અને અનુસ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક બન્યા. વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી ચેન્નાઈની વડી અદાલતમાં અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં કામગીરી બજાવી હતી.…

વધુ વાંચો >

વેંકટરામન, ક્રિશ્નાસ્વામી

Feb 28, 2005

વેંકટરામન, ક્રિશ્નાસ્વામી (જ. 7 જૂન 1901, ચેન્નાઈ, તામિલનાડુ; અ. 12 મે 1981) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અગ્રણી ભારતીય રસાયણવિદ. સિવિલ એન્જિનિયરના પુત્ર વેંકટરામને 1923માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એ. પદવી મેળવી. તે પછી મદ્રાસ ગવર્નમેન્ટની સ્કૉલરશિપ મળતાં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા; જ્યાં તેમણે એમ.એસસી. (ટેક.), પીએચ.ડી. તથા ડી.એસસી.ની પદવીઓ પ્રાપ્ત…

વધુ વાંચો >