૧.૧૬

અમાનઅલીખાંથી અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન

અમાનઅલીખાં

અમાનઅલીખાં (જ. 1888; અ. 11 ફેબ્રુઆરી 1953) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક. બિજનૌર(જિલ્લો મુરાદાબાદ)ના નિવાસી. પિતાનું નામ છજ્જૂખાં ઉર્ફે અમરશા સાહેબ હતું. તેઓ બાળપણમાં રમતિયાળ હતા. પિતાની એક શિષ્યાના હળવા ઠપકાને લીધે કંઠ્ય સંગીતનું શિક્ષણ લેવા તરફ વળ્યા. કાકા નજીરખાં અને ખાદિમહુસેનખાં પાસેથી તાલીમ મેળવીને ટૂંકસમયમાં જ તેઓ…

વધુ વાંચો >

અમાનત લખનવી

અમાનત લખનવી (જ. 1 જાન્યુઆરી 1815, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 1 જાન્યુઆરી 1858, લખનૌ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ સાહિત્યકાર. મૂળ નામ આગા હસન અમાનત. પિતા મીર આગા રિઝવી. બાળપણથી કાવ્ય રચવાનો શોખ હતો. ‘અમાનત’ તખલ્લુસ રાખેલું. લખનૌના નવાબી વાતાવરણમાં તેમણે મરસિયા કહેવાનું શરૂ કર્યું. ઝુન્નુલાલ ‘મિયાંદિલગીર’ની પાસેથી કવિતાની બાબતમાં માર્ગદર્શન મેળવ્યું. મરસિયા…

વધુ વાંચો >

અમાનો, હિરોશી (Amano, Hiroshi)

અમાનો, હિરોશી (Amano, Hiroshi) (જ. 11 સપ્ટેમ્બર 1960, હમામાત્સુ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઇસામુ આકાસાકી તથા શૂજી નાકામુરા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. શાળાકીય દિવસોમાં અમાનોને અભ્યાસ પ્રત્યે અણગમો હતો, પરંતુ તેઓ ગણિતના વિષયમાં કુશળ…

વધુ વાંચો >

અમાસના તારા

અમાસના તારા (1953) : ગુજરાતી લેખક કિશનસિંહ ચાવડાનાં સ્મૃતિચિત્રોનો સંગ્રહ. એમાં સ્વાનુભવના ચિરસ્મરણીય પ્રસંગો તથા વ્યક્તિચિત્રો છે. એ પ્રસંગો એમણે ‘જિપ્સી’ તખલ્લુસથી સામયિકોમાં લખેલા. વિષય અને નિરૂપણરીતિ બંનેને કારણે આ પુસ્તકે વાચકોનું અનન્ય આકર્ષણ કરેલું. એમની શૈલી પ્રાણવાન તથા ચિત્રાત્મક છે. ‘હાજી ગુલામ મહમદ’ અને ‘સાઇકલ’ જેવા લેખો તો નન્નુ…

વધુ વાંચો >

અમિત અંબાલાલ

અમિત અંબાલાલ (જ. 26 જુલાઈ 1943, ભાવનગર) : આધુનિક ગુજરાતના અગ્રણી ચિત્રકાર. અમદાવાદસ્થિત અંબાલાલ શેઠના ધનાઢ્ય કુટુંબમાં અમિતનો જન્મ થયો હતો. વિનયન, વાણિજ્ય અને કાયદામાં સ્નાતકની પદવીઓ હાંસલ કર્યા પછી કૌટુંબિક ધંધા-વ્યવસાયમાં જોડાઈ ગયા; પરંતુ આ વરસો દરમિયાન છગનલાલ જાદવ પાસે અવૈધિક રીતે ચિત્રકળાની તાલીમ લેવી શરૂ કરી. અમદાવાદમાં રવિશંકર…

વધુ વાંચો >

અમિતાક્ષર

અમિતાક્ષર : ‘બ્લૅંક વર્સ’ને માટે બંગાળીમાં થતો શબ્દપ્રયોગ. આ છંદનો પ્રથમ પ્રયોગ માઇકલ મધુસૂદન દત્તે કર્યો. એ છંદમાં અંત્યપ્રાસ નથી હોતો. ચૌદ અક્ષરના પયાર છંદની સાથે પ્રાસરહિત અમિતાક્ષરના મિશ્રણથી આ છંદ બન્યો છે. એમાં પ્રાસ કે યતિ અર્થાનુસારી યોજવામાં આવે છે. એટલે કે જ્યાં વિચારનો કે ભાવનો વળાંક આવતો હોય…

વધુ વાંચો >

અમિતાભ

અમિતાભ : બૌદ્ધ ધર્મના પાંચ ધ્યાની બુદ્ધોમાંના બૌદ્ધ સાધનમાલા અનુસાર ત્રીજા કે નેપાળમાંની પ્રચલિત માન્યતા પ્રમાણે ચોથા ધ્યાની બુદ્ધ. નેપાળના બૌદ્ધ સંપ્રદાયમાં તે ઘણા પ્રાચીન મનાય છે. પરંપરા અનુસાર તે સુખાવતી સ્વર્ગમાં ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે ને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા મનાય છે. વર્તમાન કલ્પને બૌદ્ધ સંપ્રદાયમાં ભદ્રકલ્પ કહે છે. સ્તૂપમાં…

વધુ વાંચો >

અમિસ કિંગ્ઝલી

અમિસ, કિંગ્ઝલી (જ. 16 એપ્રિલ 1922, ક્લેફામ, લંડન; અ. 22 ઑક્ટોબર 1995, લંડન, યુ.કે.) :  અંગ્રેજ કવિ અને નવલકથાકાર. શિક્ષણ સિટી ઑવ્ લંડન સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. પત્ની એલિઝાબેથ જેન હાવર્ડ અને પુત્ર માર્ટિન બંને નવલકથાકાર. સ્વાનસી, કૅમ્બ્રિજ(1948–61)માં અધ્યાપક અને પીટરહાઉસ, કૅમ્બ્રિજ(1961–63)ના ફેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘રૉયલ કોર…

વધુ વાંચો >

અમીચંદ

અમીચંદ (જ. ?; અ. 1767) : ધનને ખાતર દેશદ્રોહ કરનાર શરાફ, મૂળ નામ અમીરચંદ. અમૃતસરનો આ શીખ વેપારી કલકત્તામાં વસીને શરાફીનો ધંધો કરતો હતો. બંગાળમાં નવાબ સિરાજુદ્દૌલા સામે જીતવું અશક્ય હોવાથી ક્લાઇવે કાવતરું કરી નવાબના સરસેનાપતિ મીરજાફર, શ્રીમંત શ્રૉફ જગતશેઠ અને રાય દુર્લભને નવાબ વિરુદ્ધ બળવો કરવા લલચાવ્યા. કાવતરાની વિગતો…

વધુ વાંચો >

અમીન આર. કે.

અમીન, આર. કે. (જ. 24 જૂન 1923, બાવળા, જિ. અમદાવાદ; અ. 30 નવેમ્બર 2004) : ગુજરાતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા લોકસભાના પૂર્વ સભ્ય. પૂરું નામ રામદાસ કિશોરદાસ અમીન. માતાનું નામ નાથીબહેન. પિતા કપાસના વેપારી. પ્રાથમિક શિક્ષણ વતન બાવળામાં. માધ્યમિક શિક્ષણ ધોળકા તથા અમદાવાદ ખાતે. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ આઝાદીની…

વધુ વાંચો >

અમીન ઈદી

Jan 16, 1989

અમીન, ઈદી (જ. 17 મે 1925, કોબોકો, યુગાન્ડા; અ. 16 ઑગસ્ટ 2003, રિયાધ, સાઉદી અરોબિયા) : આખું નામ અહ્મીન દાદા ઈદી. વતન : કોબોકો. યુગાન્ડાના કાકવા જાતિના મુસ્લિમ. યુગાન્ડાના ભૂતપૂર્વ લશ્કરી વડા તેમજ રાષ્ટ્રપ્રમુખ. ખાસ શિક્ષણનો અભાવ. શરૂઆતની કારકિર્દીમાં બ્રિટિશ સૈન્યમાં જોડાયેલા અને તેની સાથે બીજા વિશ્વયુદ્ધમાં પહેલાં બ્રહ્મદેશમાં અને…

વધુ વાંચો >

અમીન ગોવિંદભાઈ

Jan 16, 1989

અમીન, ગોવિંદભાઈ (જ. 7 જુલાઈ 1909, વસો, ખેડા; અ. 1980) : ગુજરાતી લેખક. જન્મ ખેડા જિલ્લાના વસો ગામમાં. મુંબઈમાં બી.કૉમ. સુધીનો અભ્યાસ કરી, પછી શેરદલાલના ધંધામાં પડેલા. એમણે નાટક, એકાંકી, નવલિકા તથા નવલકથાનાં ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. એમના 19 ગ્રંથો પ્રગટ થયા છે. એમની નવલકથાઓમાં જાણીતી ‘બે મિત્રો’ (1944), ‘માડીજાયો’…

વધુ વાંચો >

અમીન નાનુભાઈ

Jan 16, 1989

અમીન, નાનુભાઈ (જ. 27 નવેમ્બર 1919, વડોદરા; અ. 27 માર્ચ 1999, વડોદરા) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તથા બિનપરંપરાગત ઊર્જાક્ષેત્રે અને પર્યાવરણક્ષેત્રે તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. પિતા ભાઈલાલભાઈ અને માતા ચંચળબા. પિતા વડોદરા રાજ્યના અગ્રગણ્ય ઉદ્યોગપતિ હતા. નાનુભાઈ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી…

વધુ વાંચો >

અમીન, મોતીભાઈ

Jan 16, 1989

અમીન, મોતીભાઈ (જ. 29 નવેમ્બર, 1873, અલિંદ્રા; અ. 1 ફેબ્રુઆરી 1939, વસો) : ગુજરાતની પુસ્તકાલય અને છાત્રાલયની પ્રવૃત્તિના પ્રણેતા. પિતા નરસિંહભાઈ પેટલાદની વહીવટદારની કચેરીમાં કારકુન. 1881માં મોતીભાઈએ વસોની પ્રાથમિક શાળામાં અભ્યાસ શરૂ કર્યો. 6 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યા પછી 1887માં વસોમાં નવી શરૂ થયેલી અંગ્રેજી શાળામાં ધોરણ-1માં પ્રવેશ લીધો.…

વધુ વાંચો >

અમીન રમણભાઈ

Jan 16, 1989

અમીન, રમણભાઈ (જ. 13 મે 1913, વડોદરા; અ. 8 એપ્રિલ, 2000) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. ખાનદાન પરિવારમાં જન્મ. પિતાનું નામ ભાઈલાલભાઈ અને માતાનું નામ ચંચળબા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ત્યારબાદ મિકૅનિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ પશ્ચિમ જર્મની ગયા અને ત્યાંની દાર્મસ્ટૅડ (Darmstadt) યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

અમીના

Jan 16, 1989

અમીના : તેલુગુ નવલકથા. લેખક વેંકટચલમ, ગુડીપટી(ચલમ) (1894-1978). ‘અમીના’ તેલુગુની પ્રથમ મનોવૈજ્ઞાનિક પાત્રપ્રધાન નવલકથા છે. ‘અમીના’ પ્રસિદ્ધ થઈ ત્યારે એ ફ્રૉઇડના મનોવિજ્ઞાનના પ્રભાવથી લખાઈ હોવાથી, એમાં યૌનસંબંધોનું યથાર્થ ચિત્રણ થયેલું, પણ તે સ્થૂલ રૂપે નહિ. અમીના જે આ કથાની નાયિકા છે, તેના મનનાં સંવેદનો એમાં નિરૂપિત થયાં છે; પણ નવલકથાને…

વધુ વાંચો >

અમીબા

Jan 16, 1989

અમીબા : સમુદાય : પ્રજીવ (protozoa) વર્ગ મૂળપદી (Rhizopoda), શ્રેણી : લોબોઝા(lobosa)ની એક પ્રજાતિ  અમીબા (Amoeba). ભારતમાં સામાન્યપણે મળી આવતું અમીબા A. proteusના નામે ઓળખાય છે. રંગ વગરનું, સ્વચ્છ, જેલી જેવું અને સતત આકાર બદલતું તે એકકોષી સૂક્ષ્મ પ્રાણી છે. અમીબા 0.2 મિમી.થી 0.6 મિમી. લંબાઈ ધરાવે છે. મીઠા પાણીનાં…

વધુ વાંચો >

અમીબાજન્ય રોગ

Jan 16, 1989

અમીબાજન્ય રોગ (amoebiasis) : અમીબા (amoeba, અરૂપી) નામના એકકોષી (unicellular) પરજીવીથી થતો રોગ. તે મોટા આંતરડા અને યકૃતને નુકસાન કરે છે. તેના ઉગ્ર સ્વરૂપને મરડો કહે છે. અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ સારણી 1માં આપી છે. સારણી 1 : અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ  જૂથ  નામકરણ  વૈજ્ઞાનિક સંઘ (phyllum) પ્રોટોઝોઆ (protozoa) ફોન સીબોલ્ડ (1845)…

વધુ વાંચો >

અમીરખાં

Jan 16, 1989

અમીરખાં (જ. ?, રામપુર; અ. 1870, રામપુર, ઉત્તરપ્રદેશ) : તાનસેન વંશની પરંપરાના ભારતીય સંગીતકાર. આ વંશની વિશિષ્ટ પરંપરા મુજબ સંગીતકારને કંઠ્ય સંગીત અને વાદ્યસંગીત બંનેની એક સાથે તાલીમ આપવામાં આવતી. ઓગણીસમી સદીના આવા અગ્રણી સંગીતકારોમાં અમીરખાં (રામપુર) નામથી જાણીતા બનેલા સંગીતકારનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમનો કંઠ મીઠો હોવાથી…

વધુ વાંચો >

અમીરખાં (2)

Jan 16, 1989

અમીરખાં (2) (જ. 15 ઑગસ્ટ 1912, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 13 ફેબ્રુઆરી 1974, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ઇન્દોર ઘરાનાના અગ્રણી ગાયક. પિતા શાહમીરખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમની ઇચ્છા પુત્ર અમીરખાંને સારંગીવાદક બનાવવાની હતી, પરંતુ અમીરખાંએ સંજોગોવશાત્ કંઠ્ય સંગીત શીખવાનું પસંદ કર્યું. શાસ્ત્રીય સંગીતજગતમાં પિતાની ખ્યાતિને લીધે ઇન્દોરના તેમના નિવાસ…

વધુ વાંચો >