૧૯.૧૭

વર્ણ-વિપથન (chromatic aberration)થી વર્મા, નિર્મલ

વર્તનવાદ (Behaviourism)

વર્તનવાદ (Behaviourism) : એક મનોવૈજ્ઞાનિક ચળવળ જે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનની વિચારધારાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેણે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક શકવર્તી પગલું ભર્યું છે. વીસમી સદીના પ્રથમ બે દસકા મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક મહત્વનો સમયગાળો છે. વિલિયમ મેકડુગલનું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાઇકૉલોજી’ 1908માં, સિગમંડ ફ્રૉઇડનું ‘ઇન્ટર્પ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’…

વધુ વાંચો >

વર્તોવ, ઝિગા

વર્તોવ, ઝિગા (જ. 2 જાન્યુઆરી 1896, પોલૅન્ડ; અ. 17 ફેબ્રુઆરી 1954, મૉસ્કો) : ચલચિત્ર-દિગ્દર્શક અને ચલચિત્રકળા-મીમાંસક. ઝિગા વર્તોવનું મૂળ નામ ડેનિસ આર્કાડિવિચ કોફમૅન હતું. માત્ર દસ વર્ષની ઉંમરે તેઓ કાવ્યો લખવા માંડ્યા હતા અને સોળ વર્ષની ઉંમરે બાયાલિસ્ટોક મ્યૂઝિક કન્ઝર્વેટરી સાથે જોડાયા હતા. 1915માં જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું તેના…

વધુ વાંચો >

વર્થેમા, લુડોવિકો દિ

વર્થેમા, લુડોવિકો દિ (જ. 1465-70, બોલોગ્ના; ઇટાલી, અ. જૂન 1517 રોમ) : નીડર ઇટાલિયન પ્રવાસી અને સાહસવીર. મધ્યપૂર્વ તથા એશિયાના દેશોનાં તેનાં પ્રવાસવર્ણનોનો યુરોપના દેશોમાં ઘણો ફેલાવો થયો હતો અને તેના જીવન દરમિયાન તે પ્રખ્યાત થયો હતો. તેણે મુલાકાત લીધી તે પ્રદેશોના લોકો વિશે મહત્વનાં અવલોકનો કર્યાં હતાં. મુશ્કેલ પરિસ્થિતિમાંથી…

વધુ વાંચો >

વર્દનયૅન યુરિક

વર્દનયૅન યુરિક (જ. 13 જૂન 1956, લેનિનકન, જૂનું સોવિયેત સંઘ) : વેઇટ લિફ્ટિંગના રશિયાના ખેલાડી. તેઓ 1980ના ઑલિમ્પિક રમતોત્સવમાં માત્ર એક જ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા હતા; પણ 1970ના ઉત્તરાર્ધના અને 1980ના પૂર્વાર્ધના દાયકાના વિશ્વના અગ્રણી વેઇટલિફ્ટર બની રહ્યા. તેઓ પ્રથમ વિજયપદક 1977માં 75 કિગ્રા.ના વર્ગમાં જીત્યા. ત્યારબાદ 82.5 કિગ્રા.ના આગળના…

વધુ વાંચો >

વર્દી, ગ્વીસેપે ફોર્તુનિનો ફ્રાન્ચેસ્કો

વર્દી, ગ્વીસેપે ફોર્તુનિનો ફ્રાન્ચેસ્કો (જ. 10 ઑક્ટોબર 1813, લે રોન્ચોલે, ઇટાલી; અ. 27 જાન્યુઆરી 1901, મિલાન, ઇટાલી) : ઓગણીસમી સદીના ઇટાલિયન ઑપેરા સ્વરનિયોજકોમાં અગ્રણી સંગીતકાર. પિતા કાર્લો ગ્વીસેપે શાકભાજીની દુકાન ચલાવતા. નાનપણથી જ વર્દીએ સંગીતની પ્રતિભાના ચમકારા પ્રદર્શિત કર્યા. ઍન્તોનિયો બારેત્ઝી નામના એક સંગીત-શોખીન વેપારીએ વર્દીના સંગીતશિક્ષણમાં રસ લેવો શરૂ…

વધુ વાંચો >

વર્દે, વામનરાવ પુંડલિક

વર્દે, વામનરાવ પુંડલિક (જ. 2 ડિસેમ્બર 1895, વેંગુર્લા, મહારાષ્ટ્ર; અ. 30 સપ્ટેમ્બર 1977, મુંબઈ) : ભારતીય નાગરિક સહકારી બૅંકિંગ ક્ષેત્રના ઘડતર અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને તેથી ‘સહકાર અગ્રણી’નું બિરુદ પ્રાપ્ત કરનાર સહકારી બૅંકિંગ ક્ષેત્રના નિષ્ણાત. સમગ્ર ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ત્યાંની સિડનહામ કૉલેજમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કર્યા…

વધુ વાંચો >

વર્ધન વંશ

વર્ધન વંશ : જુઓ પુષ્યભૂતિ વંશ.

વધુ વાંચો >

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ)

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) : જૈન ધર્મનું મહાવીર વિશેનું એક પુરાણ. વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) એક પૌરાણિક મહાકાવ્ય છે. તેમાં પુરાણ-પુરુષ મહાવીરના ચરિતનું આલેખન થયું છે. મહત્વનાં જૈન પુરાણોમાં તેની ગણના થાય છે. આ પુરાણો-મહાકાવ્યોમાં અનેક ચમત્કારો અને અલૌકિક તેમજ અતિપ્રાકૃતિક ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, દાર્શનિક, સૈદ્ધાન્તિક તેમજ આચારવિષયક માન્યતાઓ તથા ધર્મોપદેશ આદિનો સમાવેશ…

વધુ વાંચો >

વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ

વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ : આયુર્વેદનો વ્યક્તિના આરોગ્ય, બળ અને રોગપ્રતિકારશક્તિની વૃદ્ધિ કરી, તેની યુવાનીને ટકાવી રાખે (વૃદ્ધત્વ આવવા ન દે) તેવો એક રસાયણ-પ્રયોગ. ગળો, ગોખરુ અને આમળાં ત્રણેય સરખે ભાગે લઈ, બનાવેલ ચૂર્ણ ‘રસાયણ’ ઔષધ તરીકે ભારતમાં સર્વાધિક પ્રચલિત છે. વૈદકમાં રસાયણ ગુણ ધરાવતાં અનેક ઔષધો છે, તેના અનેક પ્રયોગો…

વધુ વાંચો >

વર્ધમાનપુર

વર્ધમાનપુર : આજનું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું વડું મથક વઢવાણ. જૈન અનુશ્રુતિ મુજબ વર્ધમાન મહાવીરની મૂર્તિની અહીં સ્થાપના કરવામાં આવેલી હોવાથી, આ નામ પ્રચલિત થયું હતું. ઈ. સ. 783-84માં જયવરાહ નામના રાજાના શાસનકાલ દરમિયાન જયસેનસૂરિએ ‘હરિવંશપુરાણ’ની રચના વર્ધમાનપુરમાં કરી હતી. ચાપ વંશનો ધરણીવરાહ ઈ. સ. 917-18માં વર્ધમાનપુરમાં શાસન કરતો હતો,…

વધુ વાંચો >

વર્ણ-વિપથન (chromatic aberration)

Jan 17, 2005

વર્ણ-વિપથન (chromatic aberration) : શ્ર્વેત વસ્તુનું એવા લેન્સ વડે મળતું ઓછેવત્તે અંશે રંગોની ત્રુટિ ધરાવતું પ્રતિબિંબ. લેન્સની કેન્દ્રલંબાઈ તેની બે બાજુઓની વક્રત્રિજ્યા અને તેના દ્રવ્યના વક્રીભવનાંક ઉપર આધાર રાખે છે. પ્રકાશના જુદા જુદા રંગો માટે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. જાંબલી રંગના પ્રકાશ માટે વક્રીભવનાંક મહત્તમ અને લાલ…

વધુ વાંચો >

વર્ણાનુસારી પ્રકાર (spectral class)

Jan 17, 2005

વર્ણાનુસારી પ્રકાર (spectral class) : તારાઓનું તેમના વર્ણપટ (spectra) અનુસાર વર્ગીકરણ. તેને વર્ણાનુસારી પ્રકાર (spectral class) પણ કહેવાય છે. વર્ણપટમાપક સાધન દ્વારા તારાના પ્રકાશનું વિશ્લેષણ કરતાં તેમના વર્ણપટમાં વિવિધ રેખાઓ (મુખ્યત્વે શોષણ-રેખાઓ અને કેટલાક વિશિષ્ટ પ્રકારના તારાઓમાં થોડી ઉત્સર્જન- રેખાઓ) જણાય છે, જે ફ્રૉનહૉફર(Fraunhaufer)-રેખાઓ માટે ઓળખાય છે. આ પ્રકારની રેખાઓ…

વધુ વાંચો >

વર્ણાશ્રમ

Jan 17, 2005

વર્ણાશ્રમ : પ્રાચીન હિંદુ સમાજની વિશિષ્ટ જીવનવ્યવસ્થા. ભારતીય ઉપખંડમાં એનો પ્રસાર-પ્રચાર ક્યારે શરૂ થયો એ કહી શકીએ એમ નથી. જેમ ભારતીય તત્વજ્ઞાનનાં બીજ ‘ઋગ્વેદ’ના ‘નાસદીય સૂક્ત’ અને ‘પુરુષસૂક્ત’માં છે તેમ ‘વર્ણ’નાં બીજ ‘ઋગ્વેદ’ના ‘પુરુષસૂક્ત’માં જોવા મળે છે, જ્યાં સહસ્રશીર્ષા પુરુષ-પરમાત્મા-પરમેશ્વરના મુખમાંથી બ્રાહ્મણ, બેઉ બાહુઓમાંથી ક્ષત્રિય, બેઉ સાથળોમાંથી વૈદૃશ્ય અને બંને…

વધુ વાંચો >

વર્ણાંક (Colour Index)

Jan 17, 2005

વર્ણાંક (Colour Index) : દીપ્તિમાપક અભ્યાસ (photometery) દ્વારા તારાઓનું ભૌતિક સ્વરૂપ તારવવા માટે વપરાતો મહત્વનો અંક. વર્ણાંક, તારાની તેજસ્વિતામાં, વર્ણપટના જુદા જુદા વિસ્તારોમાં તેજસ્વિતામાં જણાતો તફાવત દર્શાવે છે. સપાટીના તાપમાન અનુસાર, વિકિરણોના ઉત્સર્જનનું પ્રમાણ વર્ણપટના વિવિધ વિસ્તારોમાં બદલાતું હોવાથી વર્ણાંક તારાની સપાટીના તાપમાનનો સૂચક છે. વર્ણાંકની વ્યાખ્યા સમજવા માટે પહેલાં…

વધુ વાંચો >

વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.)

Jan 17, 2005

વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.) (જ. 27 જુલાઈ 1930, મહાડ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959થી 1990 દરમિયાન તેમણે કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં મરાઠીનું અધ્યાપનકાર્ય કર્યું. નિવૃત્તિ પછી તેમણે કે. એસ. વાણી સંશોધન સંસ્થા, ધૂળેમાં મુલાકાતી પ્રાધ્યાપક (માનાર્હ) તરીકે સેવાઓ આપી.…

વધુ વાંચો >

વર્તન અને વ્યવહાર (પ્રાણીશાસ્ત્ર)

Jan 17, 2005

વર્તન અને વ્યવહાર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીઓ દ્વારા આદરવામાં આવતી કોઈ પણ પ્રકારની સક્રિયતા. બધાં પ્રાણીઓ એક યા બીજી રીતે સતત સક્રિય રહે છે. તેમનું આ વર્તન ફરજિયાત, મરજિયાત અથવા સ્વયંસ્ફુરિત હોઈ શકે છે. ભક્ષકોથી સાવધ રહેવું તે એક ફરજિયાત પ્રક્રિયા રહે છે; જ્યારે કોઈ એકાદ ઘટના કે વ્યક્તિ પ્રત્યે અણગમો…

વધુ વાંચો >

વર્તન-ચિકિત્સા (behaviour therapy)

Jan 17, 2005

વર્તન-ચિકિત્સા (behaviour therapy) : વ્યક્તિના કુસમાયોજિત વર્તનને ઓળખીને, શિક્ષણ-સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એ વર્તનને બદલનારી ચિકિત્સા. અભિસંધિત પ્રતિક્રિયા તેમજ વર્તનવાદના બીજા ખ્યાલો ઉપર આધાર રાખતી, માનસિક સમસ્યાઓ અને રોગીની એવી ચિકિત્સા, જેનું મુખ્ય ધ્યેય વ્યક્તિની અનિષ્ટ ટેવોને બદલવાનું છે. આ ચિકિત્સાનો ઉદભવ પાવલૉવના પ્રશિષ્ટ અભિસંધાનનાં અને સ્કિનરના કારક અભિસંધાનનાં સંશોધનોનાં પરિણામોમાંથી…

વધુ વાંચો >

વર્તન-ચિકિત્સા

Jan 17, 2005

વર્તન-ચિકિત્સા : જુઓ મનશ્ચિકિત્સા.

વધુ વાંચો >

વર્તન-જનીનવિજ્ઞાન (Human Behavioural Genetics)

Jan 17, 2005

વર્તન-જનીનવિજ્ઞાન (Human Behavioural Genetics) : માનસિક વલણો તથા વર્તણૂક અંગેની સમજૂતી આપતું જનીનવિજ્ઞાન. આ વિજ્ઞાન સૌપ્રથમ ‘સુપ્રજનનવાદ’ની ચળવળ સાથે સંકળાયેલું ગણાતું, જેનો પાયો ઓગણીસમી સદીમાં ફ્રાન્સિસ ગાલ્ટને નાંખેલો. સુપ્રજનનવાદ માનવીની સુધારેલી ઉત્તમ પ્રકારની નસ્લ(સંતતિ)ના પ્રજનન માટેની આવદૃશ્યકતા ઉપર ભાર મૂકતો. શારીરિક-માનસિક અસાધ્ય રોગ કે ખોડખાંપણવાળી વ્યક્તિઓને સંતતિનિર્માણ કરતાં રોકવી તથા…

વધુ વાંચો >

વર્તનલક્ષીવાદ અને ઉત્તર વર્તનલક્ષીવાદ

Jan 17, 2005

વર્તનલક્ષીવાદ અને ઉત્તર વર્તનલક્ષીવાદ : રાજકીય હકીકતોનાં વર્ણન, વિશ્લેષણ અને અધ્યયનનો એક વિશિષ્ટ અભિગમ. આ અભિગમ રાજકીય વર્તનના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ રાજ્યશાસ્ત્રને કાનૂની, ઔપચારિક અને ચિંતનાત્મક પરિમાણમાંથી મુક્ત કરી તેને ‘વિજ્ઞાન’ બનાવવા પર વિશેષ ભાર મૂકે છે. સમાજમાં રહેતા અને પરસ્પર આંતરક્રિયા કરતા મનુષ્યો અને તેમનાં…

વધુ વાંચો >