૧૯.૧૨

વજાહત, અસ્ઘરથી વનપલાંઠું

વણીકર, વિ. એ.

વણીકર, વિ. એ. (જ. 16 ડિસેમ્બર 1915, પેટલાદ, જિ. આણંદ; અ. 31 ઑક્ટોબર 1988, ડાંગ પ્રદેશ) : નિષ્ઠાવાન હિંદુત્વવાદી સામાજિક કાર્યકર અને જાણીતા રોગનિદાનશાસ્ત્રજ્ઞ. આખું નામ વિશ્વનાથ અનંત વણીકર. મૂળ વતન નાશિક (મહારાષ્ટ્ર). એમના પિતા મિકૅનિકલ એન્જિનિયર હતા. નાશિકથી અમદાવાદ તેઓ પરિવાર સાથે આવ્યા. વિશ્વનાથનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં…

વધુ વાંચો >

વતનબે ઓસામુ

વતનબે ઓસામુ (જ. 21 ઑક્ટોબર 1940; હોકાપડો, જાપાન) : જાપાનના કુસ્તીબાજ. કદાચ સર્વકાલીન સૌથી મહાન કુસ્તીબાજ. તેમની કારકિર્દી અત્યંત ટૂંકી રહી પરંતુ એ ટૂંકી કારકિર્દી દરમિયાન પણ તેમનો કદી પરાજય થયો ન હતો અથવા તેમના કરતાં કોઈનો વધારે સ્કોર પણ થયો ન હતો. 1996ની ટૉકિયો ઑલિમ્પિકમાં તેમનો વિજય થયો તે…

વધુ વાંચો >

વત્સદેશ

વત્સદેશ : ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનું એક મહત્વનું રાજ્ય. બૌદ્ધ ધર્મના ગ્રંથ ‘અંગુત્તર નિકાય’ તથા જૈન ધર્મના ગ્રંથ ‘ભગવતી- સૂત્ર’માં સોલ મહાજનપદોમાંના એક તરીકે તેનો ઉલ્લેખ મળે છે. વત્સનું રાજ્ય ઘણું સમૃદ્ધ અને ઉચ્ચ કક્ષાના સુતરાઉ કાપડ માટે જાણીતું હતું. તેનું પાટનગર કોસામ્બી યમુના નદીના ક્ધિાારે આવેલું હતું.…

વધુ વાંચો >

વત્સ, માધવસ્વરૂપ

વત્સ, માધવસ્વરૂપ : સિંધુ સંસ્કૃતિના પ્રખ્યાત નગર મોહેં-જો-દડોના ખોદકામ દરમિયાન (1923-1926) જૉન માર્ટાલના પ્રમુખ સહાયક. આ પછીથી હડપ્પાના ખોદકામના એક વિભાગનું સ્વતંત્ર સંચાલન પણ તેમણે કરેલું. 1926થી 1934 દરમિયાન એમણે કરેલ ખોદકામમાં અનેક મહત્વની બાબતો પ્રકાશમાં આવી. હડપ્પાના ટીંબા-Fનું લગભગ સંપૂર્ણ અને સ્વતંત્ર ઉત્ખનન વત્સનું રહ્યું છે. લે આઉટ ઑવ્…

વધુ વાંચો >

વત્સ, રાકેશ

વત્સ, રાકેશ (જ. 13 ઑક્ટોબર 1941, નાભા, જિ. પતિયાળા, પંજાબ) : હિંદી લેખક. તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપન તેમજ લેખનકાર્ય કર્યું. તેમણે તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જંગલ કે આસપાસ’ (1982); ‘સપનરાગ’ (1987); ‘નારદંશ’ (1994) એ લોકપ્રિય નવલકથાઓ છે. ‘અતિરિક્ત’ (1972);…

વધુ વાંચો >

વત્સરાજ

વત્સરાજ (શાસનકાળ : લગભગ ઈ. સ. 778805) : પ્રતીહાર વંશનો શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી રાજા. તે રાજા દેવરાજનો પુત્ર હતો. તેના રાજ્યમાં માલવા અને પૂર્વ રજપૂતાનાનો સમાવેશ થતો હતો. મધ્ય રજપૂતાના ઉપર પણ તેનું શાસન ફેલાયું હતું. વત્સરાજ ઉત્તર ભારતમાં તેનું રાજ્ય વિસ્તારવા ઉત્સુક હતો અને તેમાં ઘણુંખરું સફળ થયો હતો.…

વધુ વાંચો >

વત્સ, શ્રીનિવાસ

વત્સ, શ્રીનિવાસ (જ. 23 ડિસેમ્બર 1959, રિંધના [રોહતક] હરિયાણા) : હિંદી બાળસાહિત્યકાર. તેમણે એમ.એ., બી.એડ., પી.જી. જે.ડી. તથા શાસ્ત્રીની પદવીઓ મેળવી. તેમણે ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હિંદી અધિકારી તરીકે સેવા આપેલી. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રાત મેં પૂજા’ (1991); ‘લાલ ફૂલ’ (1991); ‘શંકવાલા રાજકુમાર’ (1992) તથા બાળકો…

વધુ વાંચો >

વધરાવળ (hydrocele)

વધરાવળ (hydrocele) : શુક્રગ્રંથિની આસપાસ પ્રવાહી ભરેલી પોટલી બનવી તે. તેને જલગુહિકા પણ કહે છે. શુક્રગ્રંથિઓ પેટની બહાર જે કોથળી જેવી રચનામાં ગોઠવાયેલી હોય છે, તેને સંવૃષણ (scrotum) કહે છે. ગર્ભાશયકાળમાં ગર્ભશિશુની શુક્રગ્રંથિનો વિકાસ થાય છે અને તે સમયે તે ખસીને પેટના પાછળના ભાગમાંથી સંવૃષણમાં આવે છે. તે સમયે નસો…

વધુ વાંચો >

વદ્ધમાણદેસણા (1495)

વદ્ધમાણદેસણા (1495) : ગયાસુદ્દીન ખિલજીના કોશાધિકારી જાવડની વિનંતીથી, સાધુવિજયગણિના શિષ્ય શુભવર્ધનગણિએ રચેલો ગ્રંથ. વર્ધમાનસ્વામી અર્થાત્ મહાવીર સ્વામીએ ‘ઉવાસગદસા’ નામના સાતમા અંગમાં આપેલા ઉપદેશનો આમાં સમાવેશ હોવાથી તેનું નામ ‘વદ્ધમાણદેસણા’ છે. દસ ઉલ્લાસોમાં ગ્રંથ વિભાજિત છે. કુલ પદ્યસંખ્યા 3,173 છે. તેમાં 3,163 પદ્ય જૈનમહારાષ્ટ્રીમાં તથા દસ સંસ્કૃતમાં છે. આનન્દ આદિ દશ…

વધુ વાંચો >

વનપલાંઠું

વનપલાંઠું : જુઓ પાણકંદો.

વધુ વાંચો >

વજાહત, અસ્ઘર

Jan 12, 2005

વજાહત, અસ્ઘર (જ. 5 જુલાઈ 1946, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી નાટ્યકાર અને કથાસાહિત્યના લેખક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ. એ. અને તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે નવી દિલ્હીની  જામિયા મિલિયા ઇસ્માલિયા અને જે. એન. યુનિવર્સિટીમાં હિંદીના સહાયક પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. 1980-83 દરમિયાન જે. એન. યુનિવર્સિટી ખાતે…

વધુ વાંચો >

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ)

Jan 12, 2005

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ) : પ્રાકૃત મુક્તકકાવ્યસંગ્રહ. તેમાં અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ છે. શ્ર્વેતાંબર પરંપરાના જયવલ્લભમુનિએ આ ગ્રંથનું સંકલન કર્યું છે. રત્નદેવગણિએ સં. 1393માં આના પર સંસ્કૃત ટીકા લખી છે. આમાં 795 ગાથાઓ આર્યા છંદમાં છે. તેમાં ધર્મ, અર્થ અને કામનું સુંદર નિરૂપણ છે. આ ગાથાઓ કાવ્ય, સજ્જન, દુર્જન, દૈવ,…

વધુ વાંચો >

વજ્જિસંઘ

Jan 12, 2005

વજ્જિસંઘ : વૈશાલીના લિચ્છવીઓના નેતૃત્વ હેઠળનો 36 ગણરાજ્યોનો સંઘ. તેનો આગેવાન પુષ્કળ રાજકીય વગ ધરાવતો ચેતક હતો. આ સંઘ ઘણો શક્તિશાળી હતો. ગૌતમ બુદ્ધના જીવન દરમિયાન (ઈ. પૂ. છઠ્ઠી સદી) લિચ્છવીઓ વૈશાલીના ગણરાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. બૌદ્ધ સાહિત્યમાં અનેક જાતિના લોકોનાં ગણરાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈશાલીનું શાસન સર્વોચ્ચ…

વધુ વાંચો >

વજ્રચક્ર (calyx)

Jan 12, 2005

વજ્રચક્ર (calyx) : પુષ્પનું સૌથી નીચેનું ચક્ર. વજ્રચક્ર બનાવતાં વજ્રપત્રો (sepals) સામાન્યત: લીલાં હોય છે. તે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે. તે કેટલીક વાર ખૂબ જાડું અને સખત હોય છે અને સામાન્ય પર્ણોની જેમ શિરાઓ અને રંધ્ર ધરાવે છે. તે નિયમિત કે અનિયમિત, મુક્ત વજ્રપત્રી (polysepalous)…

વધુ વાંચો >

વજ્રયાન

Jan 12, 2005

વજ્રયાન : બૌદ્ધ ધર્મનો તાન્ત્રિક સંપ્રદાય. તાન્ત્રિક બૌદ્ધ સાધનાનું ઉદભવસ્થાન ધાન્યકટક યા શ્રીપર્વત મનાય છે. તે દક્ષિણમાંથી બંગાળ-બિહારમાં પ્રસરી અને પાલ રાજાઓના સમયમાં ઈસવી સનની આઠમીથી તેરમી શતાબ્દી સુધી ત્યાં વિકસી અને અસ્તિત્વ ધરાવતી રહી. બૌદ્ધ તાન્ત્રિક સાધનાના ત્રણ સંપ્રદાયો છે : વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. વજ્રયાનના બે મહત્વના ગ્રન્થો…

વધુ વાંચો >

વજ્રસત્વ

Jan 12, 2005

વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં…

વધુ વાંચો >

વઝીર સિંઘ

Jan 12, 2005

વઝીર સિંઘ (જ. 8 ઑક્ટોબર 1927, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે 1950માં ફિલસૂફીમાં એમ.એ. અને 1970માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1981-86 દરમિયાન પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાં રિલિજસ સ્ટડિઝ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે અધ્યાપન-કાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. 1982-92 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં ‘ધ જર્નલ ઑવ્ રિલિજસ સ્ટડિઝ’ના સંપાદક…

વધુ વાંચો >

વઝીરાબાદ

Jan 12, 2005

વઝીરાબાદ : પાકિસ્તાનના લાહોર પ્રાંતના ગુજરાનવાલા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. તે 32° 27´ ઉ. અ. અને 74° 07´ પૂ. રે. પર આવેલો છે. આ શહેર ચિનાબ નદીની પૂર્વે, લાહોરથી ઉત્તરે 105 કિમી.ને અંતરે આવેલું છે. તે સિયાલકોટ અને ફૈઝલાબાદને સાંકળતા ઉત્તર-પશ્ચિમ રેલમાર્ગ પરનું જંક્શન છે. 1876માં નિર્માણ કરવામાં આવેલો…

વધુ વાંચો >

વઝીરિસ્તાન

Jan 12, 2005

વઝીરિસ્તાન : પાકિસ્તાનના વાયવ્ય સરહદી પ્રાંતના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 33° 00´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે.ની આજુબાજુનો 11,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્રમ નદી, પૂર્વે ડેરા ઇસ્માઇલખાન, કોહાટ અને બન્નુ જિલ્લા, દક્ષિણે આંતરિક સીમા રચતી ગુમાલ નદી, જ્યારે પશ્ચિમે…

વધુ વાંચો >

વટગમની (ગીતપ્રકાર)

Jan 12, 2005

વટગમની (ગીતપ્રકાર) : મૈથિલી લોકગીતોનો એક પ્રકાર, જેનો અર્થ છે વાટ (પંથ) પર ગમન કરતી વખતે ગવાતાં ગીતો. મિથિલા વિસ્તારમાં મેળા અને ઉત્સવોના અવસર પર ગ્રામીણ સ્ત્રીઓનો સમુદાય એને ખૂબ આનંદ ઉમંગથી ગાતો હોય છે. વર્ષાઋતુમાં બગીચાઓમાં હીંચકાઓ પર બેસીને ઝૂલતાં ઝૂલતાં પણ વટગમની ગવાતી જેને સાંભળવા રસિક શ્રોતાઓની ભીડ…

વધુ વાંચો >