૧૯.૧૨

વજાહત, અસ્ઘરથી વનપલાંઠું

વજાહત, અસ્ઘર

વજાહત, અસ્ઘર (જ. 5 જુલાઈ 1946, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી નાટ્યકાર અને કથાસાહિત્યના લેખક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ. એ. અને તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે નવી દિલ્હીની  જામિયા મિલિયા ઇસ્માલિયા અને જે. એન. યુનિવર્સિટીમાં હિંદીના સહાયક પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. 1980-83 દરમિયાન જે. એન. યુનિવર્સિટી ખાતે…

વધુ વાંચો >

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ)

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ) : પ્રાકૃત મુક્તકકાવ્યસંગ્રહ. તેમાં અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ છે. શ્ર્વેતાંબર પરંપરાના જયવલ્લભમુનિએ આ ગ્રંથનું સંકલન કર્યું છે. રત્નદેવગણિએ સં. 1393માં આના પર સંસ્કૃત ટીકા લખી છે. આમાં 795 ગાથાઓ આર્યા છંદમાં છે. તેમાં ધર્મ, અર્થ અને કામનું સુંદર નિરૂપણ છે. આ ગાથાઓ કાવ્ય, સજ્જન, દુર્જન, દૈવ,…

વધુ વાંચો >

વજ્જિસંઘ

વજ્જિસંઘ : વૈશાલીના લિચ્છવીઓના નેતૃત્વ હેઠળનો 36 ગણરાજ્યોનો સંઘ. તેનો આગેવાન પુષ્કળ રાજકીય વગ ધરાવતો ચેતક હતો. આ સંઘ ઘણો શક્તિશાળી હતો. ગૌતમ બુદ્ધના જીવન દરમિયાન (ઈ. પૂ. છઠ્ઠી સદી) લિચ્છવીઓ વૈશાલીના ગણરાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. બૌદ્ધ સાહિત્યમાં અનેક જાતિના લોકોનાં ગણરાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈશાલીનું શાસન સર્વોચ્ચ…

વધુ વાંચો >

વજ્રચક્ર (calyx)

વજ્રચક્ર (calyx) : પુષ્પનું સૌથી નીચેનું ચક્ર. વજ્રચક્ર બનાવતાં વજ્રપત્રો (sepals) સામાન્યત: લીલાં હોય છે. તે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે. તે કેટલીક વાર ખૂબ જાડું અને સખત હોય છે અને સામાન્ય પર્ણોની જેમ શિરાઓ અને રંધ્ર ધરાવે છે. તે નિયમિત કે અનિયમિત, મુક્ત વજ્રપત્રી (polysepalous)…

વધુ વાંચો >

વજ્રમિત્ર

વજ્રમિત્ર : મગધનો શુંગ વંશનો રાજા. તે રાજા ઘોષ પછી ગાદીએ આવ્યો. તેણે આશરે ઈ. પૂ. 118થી 109, એટલે નવ વર્ષ રાજ્ય કર્યું. તેના વિષે વધુ માહિતી ઉપલબ્ધ નથી. રામજીભાઈ ઠા. સાવલિયા

વધુ વાંચો >

વજ્રયાન

વજ્રયાન : બૌદ્ધ ધર્મનો તાન્ત્રિક સંપ્રદાય. તાન્ત્રિક બૌદ્ધ સાધનાનું ઉદભવસ્થાન ધાન્યકટક યા શ્રીપર્વત મનાય છે. તે દક્ષિણમાંથી બંગાળ-બિહારમાં પ્રસરી અને પાલ રાજાઓના સમયમાં ઈસવી સનની આઠમીથી તેરમી શતાબ્દી સુધી ત્યાં વિકસી અને અસ્તિત્વ ધરાવતી રહી. બૌદ્ધ તાન્ત્રિક સાધનાના ત્રણ સંપ્રદાયો છે : વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. વજ્રયાનના બે મહત્વના ગ્રન્થો…

વધુ વાંચો >

વજ્રસત્વ

વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં…

વધુ વાંચો >

વઝીર સિંઘ

વઝીર સિંઘ (જ. 8 ઑક્ટોબર 1927, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે 1950માં ફિલસૂફીમાં એમ.એ. અને 1970માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1981-86 દરમિયાન પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાં રિલિજસ સ્ટડિઝ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે અધ્યાપન-કાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. 1982-92 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં ‘ધ જર્નલ ઑવ્ રિલિજસ સ્ટડિઝ’ના સંપાદક…

વધુ વાંચો >

વઝીરાબાદ

વઝીરાબાદ : પાકિસ્તાનના લાહોર પ્રાંતના ગુજરાનવાલા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. તે 32° 27´ ઉ. અ. અને 74° 07´ પૂ. રે. પર આવેલો છે. આ શહેર ચિનાબ નદીની પૂર્વે, લાહોરથી ઉત્તરે 105 કિમી.ને અંતરે આવેલું છે. તે સિયાલકોટ અને ફૈઝલાબાદને સાંકળતા ઉત્તર-પશ્ચિમ રેલમાર્ગ પરનું જંક્શન છે. 1876માં નિર્માણ કરવામાં આવેલો…

વધુ વાંચો >

વઝીરિસ્તાન

વઝીરિસ્તાન : પાકિસ્તાનના વાયવ્ય સરહદી પ્રાંતના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 33° 00´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે.ની આજુબાજુનો 11,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્રમ નદી, પૂર્વે ડેરા ઇસ્માઇલખાન, કોહાટ અને બન્નુ જિલ્લા, દક્ષિણે આંતરિક સીમા રચતી ગુમાલ નદી, જ્યારે પશ્ચિમે…

વધુ વાંચો >

વડવાનલ (1963)

Jan 12, 2005

વડવાનલ (1963) : ગુજરાતી સાહિત્યના સ્વાતંત્ર્યોત્તર યુગનાં એક ઉત્તમ નવલકથાસર્જક ધીરુબહેન પટેલની નવલકથા. આ નવલકથા એક સ્ત્રીની નોંધપોથી રૂપે – આત્મકથનાત્મક રીતે લખાયેલી છે. તેમાં આવતું રેખાનું પાત્ર વિધિનું શાપિત પાત્ર લાગે છે. બાલ્યાવસ્થાથી જ એની અત્યંત ઉપેક્ષા થતી રહે છે. સ્ત્રી જ સ્ત્રીની સૌથી ભયંકર દુશ્મન કેવી રીતે બને…

વધુ વાંચો >

વડાપ્રધાન

Jan 12, 2005

વડાપ્રધાન : સંસદીય પદ્ધતિની લોકશાહીમાં સરકાર, મંત્રીમંડળના અને વહીવટી શાખાના વડા. ગ્રેટ બ્રિટનની સંસદીય લોકશાહી સૌપ્રથમ અને સૌથી પ્રાચીન ગણાતી હોવાથી તેને મૉડેલ – આદર્શ નમૂના રૂપે સ્વીકારવામાં આવે છે. રાષ્ટ્રસમૂહના દેશોએ બ્રિટિશ સંસદીય પદ્ધતિને મૉડેલ તરીકે સ્વીકારી છે, આથી વડાપ્રધાનના હોદ્દાનું સ્થાન પણ બ્રિટિશ સંસદીય પદ્ધતિના મૉડેલ પર રચવાનો…

વધુ વાંચો >

વડીલોના વાંકે

Jan 12, 2005

વડીલોના વાંકે : વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિનું પ્રસિદ્ધ ત્રિઅંકી નાટક. તે મુંબઈ  ભાંગવાડી થિયેટરમાં તા. 2-4-1938ની રાત્રિએ સૌપ્રથમ વાર ભજવાયું હતું. શ્રી દેશી નાટક સમાજના ઇતિહાસમાં શુકનવંતા લેખાતા આ નાટકના લેખક પ્રભુલાલ દયારામ દ્વિવેદી હતા. ગુજરાતી રંગમંચ પર પૂર્ણપણે નાયિકાનું વર્ચસ્ હોય એવું આ પ્રથમ નાટક છે. નાટકની સફળતામાં એની સામાજિક…

વધુ વાંચો >

વડોદરા

Jan 12, 2005

વડોદરા મધ્ય ગુજરાતના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 21° 49´થી 22° 49´  ઉ. અ. અને 72° 31થી 74° 17´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, અર્થાત્ તે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 3.8 % ભૂમિભાગ ધરાવે છે.…

વધુ વાંચો >

વડોદરા રાજ્યના સિક્કા

Jan 12, 2005

વડોદરા રાજ્યના સિક્કા : વડોદરાના ગાયકવાડી રાજ્ય માટે ચલણમાં મૂકેલા બાબાશાહી (ગાયકવાડી) સિક્કા. વડોદરાનું રાજ્ય ઈ. સ. 1732માં દમાજીરાવ ગાયકવાડે સ્થાપેલું. સયાજીરાવ -1લાના મુતાલિક ફતેહસિંહરાવ ગાયકવાડે સર્વપ્રથમ વાર વડોદરા રાજ્ય માટે સિક્કા પડાવ્યા. તેઓ ‘બાબાસાહેબ’ને નામે ઓળખાતા. આથી તેમના નામ પરથી વડોદરાનો રૂપિયો ‘બાબાશાહી રૂપિયો’ નામે પ્રખ્યાત થયો. કંપની સરકારના…

વધુ વાંચો >

વડોદરા રાજ્ય પ્રજામંડળ

Jan 12, 2005

વડોદરા રાજ્ય પ્રજામંડળ : વડોદરા રાજ્યના આગેવાનોએ પ્રજાને રાજકીય દૃષ્ટિએ જાગ્રત કરવા, નીડર કાર્યકરો તૈયાર કરવા તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સયાજીરાવની રાહબરી હેઠળ જવાબદાર રાજ્યતંત્રની રચના કરવા માટે સ્થાપેલું મંડળ. 31મી ડિસેમ્બર 1916ના રોજ નવસારીમાં હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપદે પ્રથમ સંમેલન યોજીને તેમાં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના કરવાનો ઐતિહાસિક ઠરાવ થયો.…

વધુ વાંચો >

વડોદરિયા, ભૂપત

Jan 12, 2005

વડોદરિયા, ભૂપત (જ. 19 ફેબ્રુઆરી 1929, ધ્રાંગધ્રા) : ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે પાંચ દસકાથી પ્રવૃત્ત તંત્રી, પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર. પાળિયાદ(જિ. ભાવનગર)ના વતની આ લેખકનો જન્મ શ્રી સૌરાષ્ટ્ર દશા મોઢ વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. તેઓ ત્રણેક વર્ષના હતા ત્યારે જ પિતા છોટાલાલનું અવસાન થયું. માતા ચતુરાબહેને તેમનો ઉછેર…

વધુ વાંચો >

વડ્ડાવેલા (1958)

Jan 12, 2005

વડ્ડાવેલા (1958) : પંજાબી સાહિત્યકાર મોહનસિંગનો કાવ્યસંગ્રહ. આ કૃતિને 1959ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહમાં 14 કાવ્યો, 12 ગઝલ તથા એક કથાકાવ્ય(ballad)નો સમાવેશ છે. ઓછી સંખ્યા હોવા છતાં આ કાવ્યસંગ્રહનો પંજાબી કાવ્યજગતમાં ખાસ્સો પ્રભાવ રહ્યો છે. મોહનસિંગની મોટી મૂડી તે ભાષાની તેમની ઊંડી જાણકારી અને…

વધુ વાંચો >

વઢવાણ

Jan 12, 2005

વઢવાણ : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 22° 30´ અને 23° ઉ. અ. તથા 71° 15´થી 72° પૂ. રે. પર. તે ભોગાવો નદીને કાંઠે આવેલું છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 794 ચોકિમી. છે. તેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ નામનાં ત્રણ શહેરો તથા…

વધુ વાંચો >

વણઝરાબેદી, એસ. એસ.

Jan 12, 2005

વણઝરાબેદી, એસ. એસ. (જ. 1924, સિયાલકોટ [હાલ પાકિસ્તાનમાં]) : આ પંજાબી લેખકની કૃતિ ‘ગલિયે ચિકડ દૂરિ ઘર’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.ની ડિગ્રી તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી છે. કારકિર્દીના પ્રારંભમાં બૅંકમાં નોકરીમાં જોડાયા પછી તેઓ દિલ્હીની દયાલસિંગ કૉલેજમાં સિનિયર અધ્યાપક બન્યા.…

વધુ વાંચો >