૧૬.૦૨

મિત્ર અરુણથી મિર્ઝા અઝીઝ કોકા

મિયાં ઇફ્તિકારુદ્દીન

મિયાં ઇફ્તિકારુદ્દીન (જ. 1907, લાહોર, પાકિસ્તાન; અ. 6 જૂન 1962) : ભારતના સ્વાતંત્ર્ય-સૈનિક અને પાછળથી કટ્ટર લીગવાદી તથા પાકિસ્તાનના પુનર્વસવાટ મંત્રી. તેમના પિતા જમાલુદ્દીન શ્રીમંત જમીનદાર અને પંજાબની ધારાસભાના સંસદીય સચિવ હતા. ઇફ્તિકારુદ્દીન લાહોરની અચિસન કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાંથી સ્નાતક થયા. ઇંગ્લૅડથી 1935માં પાછા ફર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મિયાં દાદખાન ‘સય્યાહ’

મિયાં દાદખાન ‘સય્યાહ’ (જ. 1829; અ. 1907, સૂરત) : ગુજરાતના ઉર્દૂ કવિ તથા લેખક. ઉર્દૂના વિખ્યાત કવિ મિર્ઝા ગાલિબના શિષ્ય. તેમનું તખલ્લુસ ‘સય્યાહ’ હતું. મિર્ઝા ગાલિબે તેમને ‘સય્ફુલ હક’ (સત્યની તલવાર)નું બિરુદ આપ્યું હતું. ‘સય્યાહ’ના પિતા મુનશી અબ્દુલ્લાખાન ઔરંગાબાદના રઈસ હતા. ‘સય્યાહ’ 1840–45ના ગાળામાં સૂરત આવ્યા અને મીર ગુલામબાબાના મિત્ર-વર્તુલમાં…

વધુ વાંચો >

મિયાં ‘દિલગીર’ ઝુન્નુલાલ

મિયાં દિલગીર ઝુન્નુલાલ (જ. 1781, લખનઉ; અ. 1846) : ઉર્દૂ કાવ્ય-પ્રકાર મરસિયાના અગ્રણી કવિ. મરસિયા શોક કે માતમ-કાવ્ય તરીકે ઓળખાય છે. મરસિયા સામાન્ય રીતે ઇરાકમાં આવેલ કરબલા મુકામે હક અને અશકન માટે સહકુટુંબ પ્રાણની કુરબાની આપનાર ઇમામહુસેનની મહાન શહાદતની યાદમાં લખવામાં આવેલ. પછી વ્યક્તિવિશેષના અવસાન પ્રસંગે પણ લખાતા થયા. મરસિયાની…

વધુ વાંચો >

મિયાં ફૂસકી

મિયાં ફૂસકી : જીવરામ ભ. જોષીરચિત બાલભોગ્ય કથાશ્રેણી ‘મિયાં ફૂસકી’નું મુખ્ય પાત્ર. જીવરામ જોષીએ બીજું કશું ન રચ્યું હોત અને કેવળ ‘મિયાં ફૂસકી’ની ગ્રંથમાળાના સંદર્ભમાં આ પાત્ર જ આપ્યું હોત તોપણ ગુજરાતી બાલકથાસાહિત્યમાં તેઓ સારી એવી પ્રસિદ્ધિ પામ્યા હોત. તેમણે આપેલાં યાદગાર પાત્રોમાં ‘મિયાં ફૂસકી’ અનેક રીતે અનન્ય છે. ‘ઝગમગ’ના…

વધુ વાંચો >

મિયાં મુમતાઝ દોલતાના

મિયાં મુમતાઝ દોલતાના (જ. 23 ફેબ્રુઆરી 1916, લાહોર, પાકિસ્તાન; અ. 30 જાન્યુઆરી 1995) : સ્વાતંત્ર્ય પૂર્વે અવિભાજિત પંજાબમાં મુસ્લિમ લીગના આગેવાન. પાકિસ્તાનમાં પંજાબના મુખ્ય પ્રધાન. તેમના પિતા અહમદયાર દોલતાના અવિભાજિત પંજાબમાં મુલતાન જિલ્લાના શ્રીમંત જમીનદાર હતા. તેમના પુત્ર મિયાં મુમતાઝે લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી 1933માં સ્નાતક થયા બાદ, ઇંગ્લડ જઈને ઑક્સફર્ડની…

વધુ વાંચો >

મિયાં સમઝૂ ગુલામ મુહમ્મદ

મિયાં સમઝૂ ગુલામ મુહમ્મદ (જ. સૂરત, હયાત ઓગણીસમા સૈકામાં) : ગુજરાતના ઉર્દૂ કવિ. તેમના દીવાન(કાવ્યસંગ્રહ)માં ઉર્દૂના પ્રચલિત કાવ્યપ્રકારો – ગઝલ, કસીદા, મસ્નવી, મુક્તક ઉપર આધારિત કાવ્યકૃતિઓ જોવા મળે છે. મિયાં સમઝૂએ પોતાનાં કાવ્યોમાં પ્રેમ, મિલન, વિરહ જેવા રૂઢિગત વિષયો ઉપરાંત પોતાના સમકાલીન રાજકીય તથા સામાજિક પ્રવાહોનો પણ ઉલ્લેખ કર્યો છે,…

વધુ વાંચો >

મિરઝાપુર (જિલ્લો)

મિરઝાપુર (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના છેક અગ્નિ છેડે વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 52´થી 25° 15´ ઉ. અ. અને 82° 07´થી 83° 33´ પૂ. રે. વચ્ચેનો 4,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પૂર્વ તરફ વારાણસી જિલ્લો,…

વધુ વાંચો >

મિરલીઝ, જેમ્સ

મિરલીઝ, જેમ્સ (જ. 5 જુલાઈ 1936, મિનિગૅફ, સ્કૉટલૅન્ડ) : અસમમિતીય માહિતીના સંજોગોમાં નિર્ણયો લેવાની પ્રક્રિયાને તાર્કિક રીતે સમજાવતા સિદ્ધાંતનું નિરૂપણ કરનાર અર્થશાસ્ત્રી અને 1996ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1995થી અર્થશાસ્ત્રનું અધ્યાપન કરી રહ્યા છે. તે પૂર્વે 1969–95 દરમિયાન તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવાઓ…

વધુ વાંચો >

મિરાબો

મિરાબો (જ. 9 માર્ચ 1749, બિગ્નન, ફ્રાંસ; અ. 2 એપ્રિલ 1791, પૅરિસ) : ફ્રાંસનો મુત્સદ્દી, પ્રખર વક્તા અને ક્રાંતિકારી નેતા. બંધારણીય રાજાશાહીનો હિમાયતી. તેના પિતા વિક્ટર રિક્વેટી, માર્કવિસ ડી મિરાબો જાણીતા અર્થશાસ્ત્રી હતા. તેનું નામ હોનોર ગેબ્રિયલ રિક્વેટી કોમ્ટે ડી હતું. 1767માં તે પૅરિસની લશ્કરી શાળામાં દાખલ થયો. એ જ…

વધુ વાંચો >

મિરાશીબુવા

મિરાશીબુવા (જ. 1883, ઇચલકરંજી; અ. 5 જાન્યુઆરી 1966, પુણે) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. આખું નામ યશવંત સદાશિવ મિરાશી. પિતા ઇચલકરંજી રિયાસતની નોકરીમાં હતા. બાલ્યાવસ્થા દરમિયાન શાસ્ત્રીય સંગીત પ્રત્યે તેમને અણગમો હતો, પરંતુ વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકરની આબેહૂબ નકલ કરતાં કરતાં બાળકૃષ્ણબુવાના જ પ્રોત્સાહનથી તેઓ શાસ્ત્રીય સંગીત…

વધુ વાંચો >

મિત્ર, અરુણ

Feb 2, 2002

મિત્ર, અરુણ [જ. 1909, જેસોર, બંગાળ (હવે બાંગ્લાદેશમાં); અ. ઑગસ્ટ 2000, કૉલકાતા] : બંગાળી સાહિત્યકાર. તેમના ‘ખુઁજતે ખુઁજતે એત દૂર’ નામના કાવ્યગ્રંથને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તેમણે થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે કૉલકાતાના એલાયન્સ ફ્રાંસેમાં ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

મિત્ર, અશોક

Feb 2, 2002

મિત્ર, અશોક [(જ. 10 એપ્રિલ 1928, ઢાકા, (હવે બાંગ્લાદેશ)] : બંગાળના વિશિષ્ટ ગદ્યકાર, અર્થશાસ્ત્રી તથા સમાજશાસ્ત્રી. તેમને નિબંધસંગ્રહ ‘તાલ બેતાલ’ (1994) માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે કાશી હિંદુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની તથા નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે વર્ષો સુધી યુનિવર્સિટીમાં અધ્યાપનની…

વધુ વાંચો >

મિત્ર, ગજેન્દ્રકુમાર

Feb 2, 2002

મિત્ર, ગજેન્દ્રકુમાર (જ. 1 જાન્યુઆરી 1908, કૉલકાતા; અ. 1 જાન્યુઆરી 1994) : અગ્રણી બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમને તેમની નવલકથા ‘કૉલકાતાર કાછેઇ’ (1957) માટે 1959ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. વારાણસી અને કૉલકાતામાં શિક્ષણ લીધા પછી તેઓ પુસ્તકના ધંધામાં પ્રચારક તરીકે જોડાયા. તે કારણે તેમણે બંગાળ,…

વધુ વાંચો >

મિત્ર, તૃપ્તિ

Feb 2, 2002

મિત્ર, તૃપ્તિ (જ. 25 ઑક્ટોબર 1925, દિનાજપુર, બંગાળ, બ્રિટિશ ઇન્ડિયા; અ. 24 મે 1989, કૉલકાતા) : બંગાળી રંગભૂમિનાં અગ્રેસર નટી અને શંભુ મિત્રનાં પત્ની. તેમણે પણ શંભુ મિત્રની જેમ જ બંગાળના નવનાટ્ય-આંદોલનમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. પ્રારંભમાં શંભુ મિત્ર સાથે વિશ્વરૂપ નાટ્યસંસ્થામાં કામ કર્યું અને પછી ‘બહુરૂપી’ સંસ્થા સાથે સંકળાયાં.…

વધુ વાંચો >

મિત્રદત્ત બીજો

Feb 2, 2002

મિત્રદત્ત બીજો (શાસનકાળ – ઈ. સ. પૂ. 123–88) : પૂર્વ ઈરાનનો પહલવ (પાર્થિયન) જાતિનો સમ્રાટ. પહલવ સમ્રાટ મિત્રદત્ત બીજા(Mithradates II)એ શકોને પાર્થિયામાંથી હાંકી કાઢ્યા તે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. તેના સિક્કા પરથી જાણવા મળે છે કે તેણે ‘ગ્રેટ કિંગ ઑવ્ કિંગ્ઝ’(મહારાજાધિરાજ)નો ખિતાબ ધારણ કર્યો હતો. શક-પહલવોએ પ્રથમ ઈરાનમાં અને…

વધુ વાંચો >

મિત્ર, દીનબંધુ

Feb 2, 2002

મિત્ર, દીનબંધુ (જ. 1829, ચૌબેરિયા પી.એસ. નૉર્થ 24 પરગણા; અ. 1 નવેમ્બર 1873) : નાટકકાર. હેર સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાં 1850માં જુનિયર સ્કૉલરશિપ મેળવી. ત્યારપછી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. 1855માં તેમણે કૉલેજ છોડી અને પટનામાં પોસ્ટમાસ્ટર તરીકે તેઓ નિમાયા. શાળાના વિદ્યાર્થી હતા ત્યારથી જ તેઓ લખતા હતા. તે…

વધુ વાંચો >

મિત્ર, પ્યારીચાંદ

Feb 2, 2002

મિત્ર, પ્યારીચાંદ (જ. 24 જુલાઈ 1814, કૉલકાતા; અ. 23 નવેમ્બર 1883, કૉલકાતા) : બંગાળીની પ્રથમ નવલકથા ‘આલાલેર ઘરેર દુલાલ’(1858)ના લેખક. બચપણમાં ગુરુ પાસેથી બંગાળી અને મુનશી પાસેથી ફારસી ભણ્યા હતા. 1827માં ઉચ્ચશિક્ષણ લેવા તે વખતે સ્થપાયેલી પ્રસિદ્ધ હિન્દુ કૉલેજમાં દાખલ થયા હતા અને ડેરોઝિયોના શિષ્ય થવા સદભાગી થયા હતા. તેજસ્વી…

વધુ વાંચો >

મિત્ર, પ્રેમેન્દ્ર

Feb 2, 2002

મિત્ર, પ્રેમેન્દ્ર (જ. 1904, બનારસ; અ. 3 મે 1988, કૉલકાતા) : કવિ, વાર્તાકાર. તેમણે ઢાકા અને કૉલકાતામાં શિક્ષણ લીધું અને તે પછી શ્રીનિકેતનમાં કૃષિવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેમણે આજીવિકા માટે પત્રકારત્વનો વ્યવસાય અપનાવ્યો હતો. થોડા વખત પછી ફિલ્મનિર્માણના ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો અને છેવટે લેખક તરીકે સ્થિર થયા. બુદ્ધદેવ બસુએ…

વધુ વાંચો >

મિત્ર, રાજા રાજેન્દ્રલાલ

Feb 2, 2002

મિત્ર, રાજા રાજેન્દ્રલાલ (જ. 15 ફેબ્રુઆરી 1824, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1891, કૉલકાતા) : બંગાળાના જાણીતા પુરાતત્વવિદ તથા બંગાળી સાહિત્યના લેખક અને વિવેચક. કૉલકાતામાં ખેમ બૉઝની શાળામાં અંગ્રેજી શિક્ષણ મેળવીને દાક્તરીનો અભ્યાસ કર્યો (1937–41). પિતા જનમેજય મિત્ર સંસ્કૃત, પર્શિયન અને બંગાળીના સારા પંડિત હતા; તેમ છતાં ધર્મચુસ્ત હોવાથી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

મિત્ર, રાધારમણ

Feb 2, 2002

મિત્ર, રાધારમણ (જ. 1897, શ્યામબજાર, કૉલકાતા; અ. 1992) : બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર. તેમના ‘કાલિકાતા દર્પણ’ નામક સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કલકતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી ઉત્તરપ્રદેશમાં ઇટાવા ખાતે શિક્ષક તરીકે કામગીરી કરી. ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા, તેમાં…

વધુ વાંચો >