૧૫.૦૨

મજમુદાર પરીક્ષિતલાલથી મડિયા ચુનીલાલ કાળિદાસ

મજમુદાર, પરીક્ષિતલાલ

મજમુદાર, પરીક્ષિતલાલ (જ. 8 જાન્યુઆરી 1901, પાલિતાણા, ગુજરાત; અ. 12 સપ્ટેમ્બર 1965, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને આજીવન હરિજનસેવક. તેમનો જન્મ મધ્યમવર્ગના કાયસ્થ પરિવારમાં થયો હતો. પિતા લલ્લુભાઈ પાલિતાણા દરબારની નોકરીમાં શિરસ્તેદાર હતા. પિતાની સાદાઈ અને નિર્મળ સ્નેહનો પ્રભાવ તેમના જીવન ઉપર પડ્યો હતો. બચપણથી એમનામાં હરિજનસેવા માટેની વૃત્તિ જાગ્રત થઈ…

વધુ વાંચો >

મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ

મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ (બી.કે.) (જ. 1902, મહુવા, જિ. સૂરત; અ. 21 મે 1981, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, પીઢ સમાજવાદી, ચિંતક અને બાહોશ વહીવટકર્તા. પિતાનું નામ કૃષ્ણલાલ અને માતાનું નામ ડાહીબહેન. બી. કે.ના હુલામણા નામથી ઓળખાતા બલ્લુભાઈનાં માતાપિતાનું 1906માં અવસાન થતાં એમણે ફોઈને ત્યાં સૂરતમાં બાળપણ વિતાવ્યું. સૂરતમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી,…

વધુ વાંચો >

મજમુદાર, મંજુલાલ રણછોડલાલ

મજમુદાર, મંજુલાલ રણછોડલાલ (જ. 18 સપ્ટેમ્બર 1897, પેટલાદ, જિ. ખેડા; અ. 11 નવેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના અગ્રણી સારસ્વત. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું અને તેમનું કાર્યક્ષેત્ર પણ વડોદરા રહ્યું. અભ્યાસ દરમિયાન 1914માં ‘વસન્ત’માં ‘નાનો વિહારી’ નામે બાલવાર્તા તથા 1915માં વડોદરા ‘કૉલેજ મિસેલેની’માં ‘નરસિંહ મહેતાની કવિતા’ પ્રગટ થયાં.…

વધુ વાંચો >

મજીઠ

મજીઠ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubia cordifolia Linn. sensu Hook. F. (स. मजिष्ठा; હિં. મજીઠ; મ. બં. ક. મંજિષ્ઠ; ગુ. મજીઠ; તે. તામરવલ્લી; ત. શેવેલ્લી, માંદીટ્ટી; અં. ઇંડિયન મેડર, બેંગૉલ મેડર, મેડરટ) છે. તે કાંટાળી વિસર્પી લતા (creeper) કે આરોહી (climber) જાતિ છે.…

વધુ વાંચો >

મજુમદાર, અમિયભૂષણ

મજુમદાર, અમિયભૂષણ (જ. 1918, કૂચબિહાર, પશ્ચિમ બંગાળ) : બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘રાજનગર’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1939માં અંગ્રેજીમાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેઓ ટપાલ અને તાર વિભાગમાં જોડાયા. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ શક્તિશાળી લેખક હોઈ…

વધુ વાંચો >

મજુમદાર, અંબિકાચરણ

મજુમદાર, અંબિકાચરણ (જ. 1850, સાંડિયા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 1922) : હિંદી રાષ્ટ્રીય મહાસભાના વરિષ્ઠ નેતા. એમના પિતા રાધામાધવ મજુમદાર જમીનદાર હતા. 1869માં તેઓ પ્રવેશ(entrance)ની પરીક્ષા પસાર કરીને વધુ અભ્યાસ માટે કલકત્તા ગયા. ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને એમણે 1875માં એમ.એ.ની અને 1878માં કાયદાની બી.એલ.ની ડિગ્રી મેળવી. એમનાં માતા સુભદ્રાદેવીએ…

વધુ વાંચો >

મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ

મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ (જ. 1891, નિમ્ટીટા, જિ. મુર્શિદાબાદ, બંગાળ; અ. –) : બંગાળ શૈલીના એક અગ્રણી ચિત્રકાર. બાળપણમાં યાત્રા અને કથા જેવા બંગાળી વાર્તાકથન અને લોકરંગમંચનનો આનંદ લૂંટ્યો. 1905માં 14 વરસની ઉંમરે પોતાનું ગામડું છોડી કોલકાતા આવ્યા અને 1909માં 18 વરસની ઉંમરે ખ્યાતનામ ચિત્રકાર ગગનેન્દ્રનાથ ટાગોરના શિષ્ય બન્યા. અહીં 6 વરસ…

વધુ વાંચો >

મજુમદાર, ધીરેન્દ્રનાથ

મજુમદાર, ધીરેન્દ્રનાથ (જ. 3 જૂન 1903, પટણા; અ. 31 મે 1960) : તાલીમ પામેલા પ્રથમ ભારતીય માનવશાસ્ત્રી. ભારતીય માનવશાસ્ત્રમાં શારીરિક માનવશાસ્ત્ર તથા સાંસ્કૃતિક માનવશાસ્ત્રના ક્ષેત્રે વિશાળ ક્ષેત્રકાર્ય કરીને સૈદ્ધાંતિક પાયો નાખવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. તેઓ 1922માં બી.એ. અને 1924માં એમ.એ. થયા. 1926માં ‘હો જાતિ’ પરના સંશોધનકાર્ય દરમિયાન શરત્ચંદ્ર રૉયનો…

વધુ વાંચો >

મજુમદાર, નગેન્દ્ર

મજુમદાર, નગેન્દ્ર (જ. 1894, વડોદરા; અ. –) : ગુજરાતી, હિંદી અને મરાઠી ચલચિત્રોના અભિનેતા, દિગ્દર્શક. વડોદરામાં જ શિક્ષણ મેળવ્યા બાદ પોલીસખાતામાં જોડાયા. 1923થી ’25ના ગાળામાં અવેતન રંગભૂમિ સાથે જોડાયેલા રહી કેટલાંક નાટકોનું દિગ્દર્શન કર્યા બાદ રૉયલ આર્ટ સ્ટુડિયોમાં જોડાયા. દરમિયાનમાં લક્ષ્મી ફિલ્મ્સ કંપનીમાં દિગ્દર્શક મણિલાલ જોષીનું અવસાન થતાં તેમનું અધૂરું…

વધુ વાંચો >

મજુમદાર, નીનુ

મજુમદાર, નીનુ (જ. 9 નવેમ્બર 1915, વડોદરા; અ. 3 માર્ચ 2000, મુંબઈ) : ગુજરાતી સુગમ સંગીતના મોભી. નીનુ મજુમદાર સંગીતકાર હોવા ઉપરાંત બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક અને સુગમ સંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. બાળપણમાં ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે તેમણે સંગીતની…

વધુ વાંચો >

મઝુમદાર, ચિત્રાવનુ

Jan 2, 2002

મઝુમદાર, ચિત્રાવનુ (જ. 1956, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. 1975માં કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં વિદ્યાર્થિની તરીકે જોડાયાં. 1981માં અહીંથી ચિત્રકલાનાં સ્નાતક થયાં. કૉલકાતાની એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સ (1985), કૉલકાતાની બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ એન્ડ કલ્ચર (1987), મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરી (1989) તથા નવી દિલ્હીની લલિત…

વધુ વાંચો >

મઠ

Jan 2, 2002

મઠ : સાધુ, સંન્યાસીઓ અને વૈરાગીઓનું ધાર્મિક નિયમાનુસારનું નિવાસસ્થાન. સાધુ-સંતોનાં રહેઠાણ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન રહેવા માટે વિભિન્ન સંપ્રદાયોના મઠ પ્રાચીન સમયથી બનાવવામાં આવે છે. આવા મઠોમાં કોઈ સંપ્રદાયનું મંદિર, દેવની મૂર્તિ, ધાર્મિક ગ્રંથાગાર વગેરે હોય છે તથા મહન્ત અને શિષ્યો ત્યાં રહેતા હોય છે. મઠની માલિકીની જમીન, સંપત્તિ, મકાનો…

વધુ વાંચો >

મઠ

Jan 2, 2002

મઠ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq. (હિં. મોઠ, ભ્રિંગા; બં. બેરી; મ. , ગુ. મઠ; તે. કુંકુમપેસાલુ; પં. ભિનોઇ; અં. મટબીન) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 20 સેમી. ઊંચી શાકીય જાતિ છે…

વધુ વાંચો >

મડિયા, કાન્તિલાલ મોહનલાલ

Jan 2, 2002

મડિયા, કાન્તિલાલ મોહનલાલ (જ. 3 જુલાઈ 1932, લાઠી) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને લેખક. લાઠીમાં  દેશી નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ જેવાં નાટકોમાંથી પ્રેરણા લઈ કાન્તિ મડિયા હાથમાં લાકડી લઈ ગામની શેરીમાં છોકરાં ભેગાં કરી ‘કાદુ મકરાણી’ જેવાં નાટકો ભજવતા. નાટકના એ પહેલ-વહેલા સંસ્કાર. 10–12…

વધુ વાંચો >

મડિયા, ચુનીલાલ કાળિદાસ

Jan 2, 2002

મડિયા, ચુનીલાલ કાળિદાસ (જ. 12 ઑગસ્ટ 1922, ધોરાજી, જિ. રાજકોટ; અ. 29 ડિસેમ્બર 1968, અમદાવાદ) : પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘અખો રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’. વતન : ધોરાજી (સૌરાષ્ટ્ર). પિતાજીનો વ્યવસાય ધીરધારનો. 1939માં ધોરાજીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. 1939થી 1944 સુધી અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં અભ્યાસ…

વધુ વાંચો >