૧૪.૨૮

ભોસલેથી ભ્રૂણપોષ

ભોસલે

ભોસલે : છત્રપતિ શિવાજીનું કુળ. મરાઠાઓમાં ભોંસલે કુળના સરદારો ચિતોડ અને ઉદયપુરના સિસોદિયા રાણાઓના વંશજો હોવાનો દાવો કરે છે. ચૌદમી સદીના આરંભમાં અલાઉદ્દીન ખલજીએ ચિતોડનું રાજ્ય ઉજ્જડ કરી દીધા પછી તેમના કુટુંબના કેટલાક સભ્યો દક્ષિણમાં ગયા. અહમદનગરના નિઝામશાહી સુલતાનની સેવામાં રહેલા મલિક અંબરે યુદ્ધો અને વહીવટમાં હિંદુઓનો સહકાર મેળવીને મુઘલોની…

વધુ વાંચો >

ભોસલે, આશા

ભોસલે, આશા (જ. 8 સપ્ટેમ્બર 1932, સાતારા, મહારાષ્ટ્ર) : ભારતીય ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. મોટી બહેન લતા મંગેશકર સાથે તેમણે પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસે લીધું. આ સિવાય પિતા દીનાનાથ મંગેશકરનાં ગીતોની રેકર્ડ સાંભળીને પોતે જ ગાવાની તાલીમ લીધી. 1944માં…

વધુ વાંચો >

ભોસલે, માધુરી

ભોસલે, માધુરી (જ. 1972, ઉજ્જૈન, મધ્યપ્રદેશ) : જાણીતાં ચિત્રકાર. તેમણે ડ્રૉઇંગ અને પેઇન્ટિંગમાં એમ.એ.ની ડિગ્રી સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારબાદ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી તેમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વવિદ્યામાં પણ એમ.એ.ની ડિગ્રી મેળવી. વળી ખૂબ ઓછી જાણીતી છતાં મહત્વપૂર્ણ લઘુશૈલી (રાજસ્થાની) ‘રાઘવગઢ સ્કૂલ ઑવ્ પેઇન્ટિંગ’ પર વિવેચનાત્મક અભ્યાસ તૈયાર કરીને પીએચ.ડી.…

વધુ વાંચો >

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ : ગુજરાતની આદ્ય અને બહુલક્ષી વિદ્યાસંસ્થાનો પુરાવસ્તુસંગ્રહ. અલેકઝાંડર કિન્લૉક ફાર્બસે અમદાવાદમાં 26 ડિસેમ્બર, 1848ના રોજ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી. તેથી ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો અભ્યાસ અને તેને લગતી સામગ્રી એકઠી કરવાનું શરૂ થયું. તેમાં કવિ દલપતરામે પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત સાહિત્યને લગતી હસ્તપ્રતો એકઠી કરવા…

વધુ વાંચો >

ભોળે, જ્યોત્સ્ના

ભોળે, જ્યોત્સ્ના (જ. 1913) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં આગ્રા ઘરાનાનાં જાણીતાં કલાકાર. મૂળ નામ દુર્ગા કેળેકર. તેમનો જન્મ ગોવાના એક નાના ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મુંબઈમાં લેતાં હતાં તે દરમિયાન શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ પેદા થઈ. બાલ્યાવસ્થામાં પંડિત સુખદેવપ્રસાદ પાસેથી કથક નૃત્યની શિક્ષા લીધી…

વધુ વાંચો >

ભોંયઆમલી

ભોંયઆમલી : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phyllanthus fraternus Webster. syn. P. niruri Hook f. છે. તે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી શાકીય જાતિ છે અને ભારતના ગરમ પ્રદેશોમાં ખાસ કરીને ખેડાયેલી ભૂમિમાં હંમેશાં શિયાળુ-અપતૃણ તરીકે થાય છે. તે સંભવત: બાંગ્લાદેશ અને પશ્ચિમ ભારતની મૂલનિવાસી…

વધુ વાંચો >

ભૌતિક રસાયણશાસ્ત્ર

ભૌતિક રસાયણશાસ્ત્ર (physical chemistry) : રાસાયણિક સંયોજનોની સંરચના, તેમના ભૌતિક ગુણધર્મો, તેમની પ્રક્રિયા કરવાની ક્રિયાવિધિ (mechanism) તથા રાસાયણિક સંયોજનોની વિવિધ જાતો (species) વચ્ચે પ્રક્રિયા થવાથી જોવા મળતા ઊર્જાના ફેરફારો સાથે સંકળાયેલ રસાયણશાસ્ત્રની શાખા. તેમાં ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતોનો રાસાયણિક ઘટનાઓ અંગે મોટી સંખ્યામાં પ્રાપ્ય અવલોકનાત્મક અથવા ગુણાત્મક (qualitative) માહિતીને માત્રાત્મક…

વધુ વાંચો >

ભૌતિકવાદ

ભૌતિકવાદ : અધ્યાત્મવાદનો વિરોધી એવો તત્વમીમાંસાનો એક સિદ્ધાન્ત. જીવ, જગત અને ઈશ્વર એ તત્વત્રયના અંતિમ સ્વરૂપની મીમાંસા કરનારી તત્વજ્ઞાનની શાખાને તત્વમીમાંસા કહે છે. તત્વમીમાંસકો તરીકે ભૌતિકવાદીઓનું મૂળભૂત પ્રતિપાદન એ છે કે જીવ, જગત અને ઈશ્વર એ કહેવાતાં ત્રણ તત્વોમાં જીવ કે આત્મા અને ઈશ્વર કે પરમાત્માને વાસ્તવિક અસ્તિત્વ છે જ…

વધુ વાંચો >

ભૌતિકવિજ્ઞાન

ભૌતિકવિજ્ઞાન (Physics) નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટેનું એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન (natural science). આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે. ભૌતિકવિજ્ઞાન એ ભૌતિકીય વિજ્ઞાનો(physical sciences)નું એક પાયાનું અંગ ગણાય છે. સામાન્યપણે આ વિષયનો થોડોઘણો…

વધુ વાંચો >

ભૌતિક સંકેન્દ્રણ

ભૌતિક સંકેન્દ્રણ (placers) : ભૌતિક ક્રિયાઓ દ્વારા એકઠા થયેલા ખનિજકણજથ્થા. ભૌતિક સંકેન્દ્રણ એ કીમતી રેતીકણો કે ગ્રૅવલથી બનેલો એવા પ્રકારનો સંકેન્દ્રિત નિક્ષેપ છે, જેને માટે માત્ર ભૌતિક પરિબળો જવાબદાર હોય છે. આ પ્રકારનો પર્યાપ્ત જથ્થો મળી રહે તો તેનું ખનનકાર્ય ફાયદાકારક નીવડે છે. ભૌતિક સંકેન્દ્રણો એ સુવર્ણ, પ્લૅટિનમ, હીરા, કલાઈ…

વધુ વાંચો >

ભૌમકર સંવત

Jan 28, 2001

ભૌમકર સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

ભૌમિતિક રચનાઓ

Jan 28, 2001

ભૌમિતિક રચનાઓ અમુક નિશ્ચિત સાધનોના ઉપયોગ વડે ચોક્કસપણે ભૂમિતિની આકૃતિ દોરવાની વિધિ. નગરરચના, નહેરોનું બાંધકામ, ખેતીલાયક જમીનના જુદા જુદા આકારના ટુકડાઓનું માપન, શિલ્પકળા તથા ચિત્રકળા જેવાં માનવજીવન સાથે ગાઢ રીતે સંકળાયેલ કાર્યોમાં મુખ્યત્વે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે ભૂમિતિનો વિકાસ થયો છે. ગ્રીક સંસ્કૃતિના ઉદય…

વધુ વાંચો >

ભ્રમરકાવ્ય

Jan 28, 2001

ભ્રમરકાવ્ય : શ્રીમદભાગવતનો દશમ સ્કંધ કેટલાંક સુંદર સંસ્કૃત ગીતો આપે છે; જેવાં કે, ‘વેણુગીત’, ‘ગોપીગીત’, ‘યુગલગીત’, ‘ભ્રમરગીત’ અને ‘મહિષીગીત’. આ ગીતો છેલ્લા ગીત સિવાય વાસ્તવમાં વિરહગીતો છે. આમાંનું ‘ભ્રમરગીત’ એ વિરહગીત તો છે જ, ઉપરાંત એ ‘દૂતકાવ્ય’ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ અક્રૂર સાથે મથુરા ગયા અને ત્યાં કંસવધ…

વધુ વાંચો >

ભ્રમરોગ

Jan 28, 2001

ભ્રમરોગ : દરેક પદાર્થ ફરતો હોય એવું સંવેદન થવું તે. ભ્રમને આયુર્વેદમાં સ્વતંત્ર વ્યાધિ માનવામાં આવતો નથી, પણ ‘મૂર્ચ્છા’ વ્યાધિની અન્તર્ગત માનવામાં આવે છે. પહેલાં ભ્રમ થાય પછી મૂર્ચ્છા કે ‘સંન્યાસ’ થઈ શકે. ભ્રમ કેટલાક વ્યાધિમાં લક્ષણ કે ઉપદ્રવ-સ્વરૂપે થાય છે એટલે રોગીના પરીક્ષણમાં અન્ય વ્યાધિનું પરીક્ષણ કરવું આવશ્યક બને…

વધુ વાંચો >

ભ્રમિલ

Jan 28, 2001

ભ્રમિલ (vortex) : પ્રવાહીમાં ઉદભવતી ગતિનો એક પ્રકાર. ધારારેખીય ગતિ કરતાં પ્રવાહી કે વાયુમાં જ્યારે અણી વિનાનો પદાર્થ અવરોધક તરીકે રાખવામાં આવે ત્યારે આવો અવરોધક પદાર્થ પસાર કર્યા બાદ પ્રવાહીમાં ભ્રમિલ આકારો જોવા મળે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે : જ્યારે પ્રવાહ-ધારા કોઈ અવરોધક દ્વારા અવરોધાય ત્યારે તેની બહારની…

વધુ વાંચો >

ભ્રષ્ટાચાર

Jan 28, 2001

ભ્રષ્ટાચાર : નિયમ બહાર કે નિયમ વિરુદ્ધ હોદ્દા, સ્થાન કે પદનો વૈયક્તિક કે સામૂહિક ધોરણે ગેરલાભ લેવો તે. ઈ. પૂ. ચોથી સદીમાં પ્લેટોએ ‘રિપબ્લિક’માં જણાવ્યું કે જાહેર નીતિનો વ્યક્તિગત લાભ ન ઉઠાવે તેઓ જ શાસન કરવા લાયક છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં રાજાઓ કે અન્ય શાસકોએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યાનાં…

વધુ વાંચો >

ભ્રાંતિ (delusion)

Jan 28, 2001

ભ્રાંતિ (delusion) : માનસિક વિકારોમાં જોવા મળતી પોતાના વિશેની ખોટી માન્યતા, છાપ કે મનોભ્રમ (hallucination), જે સત્યની જાણ થતાં દૂર થાય છે. તે ક્યારેક ઉપદંશના, મગજને અસર કરતા છેલ્લા તબક્કામાં પણ જોવા મળે છે. આવી ભ્રાંતિમાં વ્યક્તિ જો પોતાને બિનઉપયોગી કે વ્યર્થ માને તો તેને ખિન્નતાજન્ય ભ્રાંતિ (depressive delusion) કહે…

વધુ વાંચો >

ભ્રૂણધારી વનસ્પતિ

Jan 28, 2001

ભ્રૂણધારી વનસ્પતિ (Embryophyta) : બે પૈકીમાંની એક વનસ્પતિ-ઉપસૃષ્ટિ (subkingdom). બીજી વનસ્પતિ-ઉપસૃષ્ટિ એકાંગી (Thallophyta) છે. ભ્રૂણધારી વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયાથી ઉદભવતો એકકોષી દ્વિગુણિત (diploid) યુગ્મનજ સમસૂત્રીભાજનો (mitosis) અને વિભેદનો પામી બહુકોષી ભ્રૂણમાં પરિણમે છે. એકાંગી વનસ્પતિઓમાં ભ્રૂણની ઉત્પત્તિ થતી નથી. ભ્રૂણધારી વનસ્પતિ-સમૂહ બાહ્યાકારકીય (morophological), અંત:સ્થ રચનાકીય (anatomical) અને દેહધર્મવિદ્યાકીય (physiological) ઘણાં સામાન્ય…

વધુ વાંચો >

ભ્રૂણપુટ

Jan 28, 2001

ભ્રૂણપુટ (embryo sac) : આવૃત બીજધારી વનસ્પતિઓનો માદા જન્યુજનક (female gametophyte). નીચલી કક્ષાની વિષમ બીજાણુક (heterosporic) વનસ્પતિઓ જેવી કે સેલોજિનેલા અને અનાવૃત બીજધારીઓમાં એકગુણિત (haploid) મહાબીજાણુ (megaspore) અંકુરણ પામી માદા જન્યુજનક ઉત્પન્ન કરે છે. પી. મહેશ્વરીના મંતવ્ય અનુસાર 70 % આવૃતબીજધારીઓમાં ભ્રૂણપુટનો વિકાસ એકબીજાણુક (monosporic) હોય છે. મહાબીજાણુજનન (mega-sporogenesis) દરમિયાન…

વધુ વાંચો >

ભ્રૂણપોષ

Jan 28, 2001

ભ્રૂણપોષ : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણના વિકાસ માટેની મુખ્ય પોષક પેશી. તે ભ્રૂણ માટે ખોરાકનો મુખ્ય સ્રોત છે. આવૃત-બીજધારીનો ભ્રૂણપોષ અનાવૃતબીજધારીના માદા જન્યુજનક સાથે સરખાવી શકાય છે. અનાવૃતબીજધારીમાં માદા જન્યુજનક ફલન પહેલાં ઉદભવે છે, જે એકગુણિત (haploid) હોય છે અને એકગુણિત ભ્રૂણપોષમાં પરિણમે છે; પરંતુ આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ ફલનને અંતે ઉત્પન્ન થાય…

વધુ વાંચો >