૧૪.૨૭

ભૃગુથી ભોરિંગણી

ભૈષજ્ય-કલ્પના

ભૈષજ્ય-કલ્પના : વિવિધ પ્રકારનાં ઔષધો(દવાઓ) બનાવવા માટેનું આયોજન. ‘ભૈષજ્ય’ અને ‘કલ્પના’ શબ્દોથી બનેલા આ શબ્દનો અર્થ ‘રોગોના ભયને જીતવા માટે રચવામાં આવેલી વિવિધ ઔષધ-કલ્પનાઓ’ –  એવો થાય છે. ભૈષજ્યકલ્પના માટે વપરાતો શબ્દ ‘ઔષધિ’ છે. ‘ઔષધિ’માંના ઔષનો અર્થ છે આરોગ્યકારક, શક્તિશાળી રસ (અંશ). તે ધરાવતું દ્રવ્ય અથવા તેની કલ્પના તે ભૈષજ્યકલ્પના.…

વધુ વાંચો >

ભોઈ, ભીમા

ભોઈ, ભીમા (સંભવત: જ. 1855, જોરંડા, ઢેન્કાનાલ; અ. 1895, ખલિયાપલી, સોનપુર) : ઓગણીસમી સદીના પ્રાચીન ઊડિયાના અંધ ભક્ત-કવિ. જન્મ કાંધા જનજાતિમાં. ભીમસેન ભોઈએ જન્મથી કે યુવાવસ્થામાં ર્દષ્ટિ ગુમાવી હતી. જીવનની શરૂઆતનાં 12 વર્ષ સુધી શ્રીમંત પરિવારનાં પશુઓને ચરાવવાનું કામ તેમણે કર્યું હતું. ભીમા ભોઈની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું. તેમને બં…

વધુ વાંચો >

ભોગમંડપ

ભોગમંડપ : ઓરિસાનાં મંદિરોમાં ઇષ્ટદેવને નૈવેદ્ય સમર્પિત કરવા માટે ગર્ભગૃહ અને મંડપની હરોળમાં રચાતો સ્વતંત્ર મંડપ. ઓરિસાની મંદિરશૈલીના પ્રારંભમાં ઇષ્ટદેવની મૂર્તિની પ્રતિષ્ઠા માટેનું ગર્ભગૃહ (દેઉલ) અને તેની આગળ રંગમંડપ (જગમોહન) નામે બે કક્ષ કરવામાં આવતા. સમય જતાં તેરમી–ચૌદમી સદીથી મોટાં મંદિરોમાં રંગમંડપની આગળ નૃત્યસંગીતાદિ માટે નાટ-મંડપ અને દેવને નૈવેદ્ય ધરાવવા…

વધુ વાંચો >

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ (જ. 1872, વડનગર; અ. 1932, ભાવનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનાર કુશળ કલાકાર. બાલ્ય વયમાં જ પિતાનું અવસાન થયું. વ્યવસાયી રંગભૂમિ અંગે તાલીમ મેળવ્યા પછી વાઘજી આશારામ ઓઝાની ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’માં જોડાયા. વાઘજી આશારામ- રચિત‘ત્રિવિક્રમ’(1893)માં સૂરજબા તથા ‘ચંદ્રહાસ’(1894)માં વિષયાની ભૂમિકાથી તેમણે સ્ત્રી-પાઠ ભજવવાનો પ્રારંભ…

વધુ વાંચો >

ભોજક, જયશંકર ‘સુંદરી’

ભોજક, જયશંકર ‘સુંદરી’ (જ. 30 જાન્યુઆરી 1889, ઊંઢાઈ; અ. 22 જાન્યુઆરી 1975, વિસનગર) : જૂની ગુજરાતી રંગભૂમિમાં નારીપાત્ર ભજવતા વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક. માતાનું નામ કૃષ્ણા. વિસનગરના શ્રીમાળી ભોજકોમાં પ્રસિદ્ધ ગાયક ત્રિભોવનદાસ એમના દાદા હતા. નાની વયમાં દાદાની સાથે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને તેની ઘેરી અસર પડી. પછી નાટકનું ઘેલું…

વધુ વાંચો >

ભોજક, દલસુખરામ વસ્તારામ

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન…

વધુ વાંચો >

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’)

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’) (જ. વડનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર કુશળ રીતે રજૂ કરનારા અભિનેતા. અક્ષરજ્ઞાન અલ્પ. વિવિધ નાટ્યસંસ્થાઓમાં નાટ્યકળાની તાલીમ પ્રાપ્ત કર્યા પછી 1914માં પ્યારેલાલ વિઠ્ઠલદાસ મહેતાની સંસ્થા ‘શ્રી વિદ્યાવિનોદ નાટક સમાજ’માં જોડાયા. કવિ-ચિત્રકાર-સંગીતકાર ફૂલચંદ ઝવેરચંદ શાહરચિત ‘માલતીમાધવ’ નાટકમાં ‘માલતી’ની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવા બદલ નાટ્યજગતમાં તેઓ ‘માલતી’…

વધુ વાંચો >

ભોજક, રસિકલાલ ચીમનલાલ

ભોજક, રસિકલાલ ચીમનલાલ (જ. 29 ડિસેમ્બર 1926, ભાવનગર; અ. 17 સપ્ટેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સ્વરકાર. પિતા ભાવનગર રાજ્યના રેવન્યૂ કમિશનર અને સંગીતના ભારે શોખીન હતા. ભોજક તરીકે સંગીત સંસ્કારનો જ્ઞાતિગત વારસો રસિકલાલને સાંપડ્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ કિશોરાવસ્થાથી જ પ્રથમ સ્થાન મેળવતા…

વધુ વાંચો >

ભોજ-પરમાર

ભોજ-પરમાર (શાસનકાળ : 1000થી 1055) : માળવાના રાજા સિંધુરાજનો પુત્ર અને પરમાર વંશનો બહુશ્રુત વિદ્વાન કવિ તથા સર્વશ્રેષ્ઠ રાજા. તેના રાજ્યઅમલના ઈ. સ. 1020થી 1047 સુધીના શિલાલેખો મળે છે. તેનું રાજ્ય ચિતોડ, વાંસવાડા, ડુંગરપુર, ભિલસા, ખાનદેશ, કોંકણ અને ગોદાવરીના ઉપલા પ્રદેશો સુધી વિસ્તર્યું હતું. તેના અમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેના…

વધુ વાંચો >

ભોજપુર

ભોજપુર : મધ્યપ્રદેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલા રાયસેન જિલ્લાના ગોહરગંજ તાલુકાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ. તે ગોહરગંજથી ઉત્તરે 13 કિમી. અંતરે બેટવા નદી નજીક પૂર્વ તરફ આવેલું છે. આ ગામ તેના અદભુત કોતરણીવાળા, ભવ્ય શિવમંદિર અને એક વખતના વિશાળ બંધ માટે જાણીતું બનેલું છે. પરમાર વંશના રાજા ભોજે અગિયારમી સદીમાં આ…

વધુ વાંચો >

ભૃગુ

Jan 27, 2001

ભૃગુ : પ્રાચીન ભારતના પ્રભાવશાળી ઋષિ. ભાગવત વગેરે પુરાણો મુજબ તેઓ મહર્ષિ હતા અને મંત્રદ્રષ્ટા લેખક હતા. તેઓ શિવના પુત્ર હોવાની એક માન્યતા છે. તેમની પત્ની ખ્યાતિ કર્દમ ઋષિની દીકરી હતી. ભૃગુ ઋષિની પ્રથમ પત્ની ખ્યાતિ બે પુત્રો અને એક પુત્રીની માતા હતી. આ પુત્રીનું નામ ભાર્ગવી લક્ષ્મી હતું. તેને…

વધુ વાંચો >

ભૃગુઓ–ભૃગુક્ષેત્ર

Jan 27, 2001

ભૃગુઓ–ભૃગુક્ષેત્ર : એક અતિપ્રાચીન ઋષિકુળ. અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમના વિશે માહિતી પ્રાપ્ય છે. તેમના આદ્યપુરુષ ભૃગુ હતા અને તેમના નામે ભાર્ગવવંશ ઓળખાયો. બ્રહ્માના આઠ પુત્રોમાં ભૃગુ, અંગિરસ, મરીચિ, અત્રિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુનો ઉલ્લેખ છે. જ્યારે વિષ્ણુપુરાણના જણાવ્યા પ્રમાણે ભૃગુ બ્રહ્માના માનસપુત્ર હતા અને દસ…

વધુ વાંચો >

ભૃગુસંહિતા

Jan 27, 2001

ભૃગુસંહિતા : ભૃગુ ઋષિએ રચેલો મનુષ્યોનાં ભૂત-ભવિષ્ય ભાખતો જ્યોતિષ વિશેનો ગ્રંથ. રચના વર્ષ કે સમય અપ્રાપ્ય છે. મૂળ હસ્તપ્રતો બહુધા અપ્રાપ્ય છે. પ્રથમ તો તેના શીર્ષક પ્રમાણે જોતાં આ ગ્રંથ સંહિતાગ્રંથના વિષયોને નિરૂપતો નથી. તેથી તેને સંહિતાગ્રંથ કહી શકાય નહિ. દક્ષિણ ભારતમાં એકાદ હસ્તપ્રત હોવાની સંભાવના પંડિતો દર્શાવે છે. પં.…

વધુ વાંચો >

ભૃંગસંદેશ

Jan 27, 2001

ભૃંગસંદેશ : કાલિદાસના ‘મેઘદૂત’ જેવું પ્રાકૃતમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક દૂતકાવ્ય. ‘સાહિત્યદર્પણ’માં ઉલ્લેખ પામેલાં પ્રાકૃત દૂતકાવ્યો ‘હંસસંદેશ’ અને ‘કુવલયાશ્વચરિત’ મળતાં નથી. આની પણ એક જ સાવ અધૂરી મલયાળમ લિપિમાં 17.78 સેમી. x 45.75 સેમી. (7´´ x 1½´)નાં તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત ત્રિવેન્દ્રમ અર્થાત્ તિરુવનન્તપુરમની ‘ક્યૂરેટર્સ ઑફિસ લાઇબ્રેરી’માં ક્રમાંક 1471 अ ધરાવતી સચવાઈ…

વધુ વાંચો >

ભેખડ

Jan 27, 2001

ભેખડ (cliff) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. પર્વત કે ટેકરીની ઊભી કે સીધી કરાડ જેવી બાજુને ભેખડ કહે છે. આ ભૂમિસ્વરૂપની ઓળખ તેના આકારના લક્ષણ પરથી થતી હોય છે. જો તે સમુદ્રકિનારે હોય તો તે સમુદ્રભેખડ (sea cliff) તરીકે ઓળખાય છે. ‘ભેખડ’, ‘કરાડ’, ‘સમુત્પ્રપાત’ સમાનાર્થી શબ્દો છે; પરંતુ ‘ભેખડ’ શબ્દ વધુ…

વધુ વાંચો >

ભેજ

Jan 27, 2001

ભેજ (humidity) : વાતાવરણમાં પાણીના બાષ્પની સાંદ્રતા. વાતાવરણનો ભેજ વાતાવરણમાં રહેલ જલબાષ્પ સાથે સંબંધ ધરાવે છે. વાતાવરણમાં જલબાષ્પનું પ્રમાણ અત્યંત પરિવર્તનીય હોય છે. અને હવામાનની જુદી જુદી પરિસ્થિતિ માટે તે કારણભૂત હોય છે. સૂર્ય અને પૃથ્વી દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્માકીય પાર-રક્ત વિકિરણ- (thermal infra-red radiation)નું શોષણ કરીને જલબાષ્પ હવાનું તાપમાન…

વધુ વાંચો >

ભેજદ્રવન

Jan 27, 2001

ભેજદ્રવન (deliquescence) : કેટલાક સ્ફટિકીય ઘન પદાર્થો દ્વારા હવામાંના ભેજને શોષી લઈ અંતે (સંતૃપ્ત) દ્રાવણ બનાવવાનો ગુણધર્મ. કેટલાક ઘન પદાર્થો આ અસર તુરત જ દર્શાવે છે. જ્યારે કેટલાક આ પ્રકારની અસર બિલકુલ દર્શાવતા નથી. કૅલ્શિયમ ક્લોરાઇડ (CaCl2), ફેરિક ક્લોરાઇડ (FeCl3), કૅલ્શિયમ નાઇટ્રેટ [Ca(NO3)2], મૅગ્નેશિયમ ક્લોરાઇડ (MgCl2), સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (NaOH) અને…

વધુ વાંચો >

ભેજમાપકો

Jan 27, 2001

ભેજમાપકો (hygrometers) : હવામાં રહેલા ભેજનું પ્રમાણ માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. હવામાં રહેલી વરાળ કે પાણીની બાષ્પને ભેજ (humidity) કહે છે. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્ર-મહાસાગરોમાંથી કે ભૂમિ પરના જળ-જથ્થાઓમાંથી બાષ્પીભવન થવાને કારણે અથવા વનસ્પતિમાંથી પાણીનું બાષ્પ-નિષ્કાસન થવાને કારણે હવામાં ભેજ ઉમેરાતો રહે છે. અમુક તાપમાને હવામાં રહેલી પાણીની…

વધુ વાંચો >

ભેજસ્રવન

Jan 27, 2001

ભેજસ્રવન (efflorescence) : હવામાં ખુલ્લા રખાતા જલયોજિત (hydrated) ઘન પદાર્થો દ્વારા તેમાં સંયોજિત પાણીના અણુઓને બાષ્પ રૂપે ગુમાવવાનો ગુણધર્મ. જ્યારે ઘન-પદાર્થની સપાટી ઉપરની જળબાષ્પનું આંશિક દબાણ (પદાર્થનું વિયોજન દબાણ) હવામાં રહેલી જળ-બાષ્પના આંશિક દબાણ કરતાં વધુ હોય ત્યારે આ ઘટના જોવા મળે છે. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) અને ગ્લોબર-ક્ષાર (Na2SO4·10H2O)…

વધુ વાંચો >

ભેડાઘાટ

Jan 27, 2001

ભેડાઘાટ : નર્મદા નદીના કાંઠા પર આવેલું નયનરમ્ય સ્થળ. તે મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર શહેરથી આશરે 21 કિમી. અંતરે આવેલું છે. જે સ્થળે નર્મદા નદી આશરે દસ મીટર ઊંચાઈથી નીચે ખીણમાં પડે છે તે સ્થળ ધુંવાધાર નામથી ઓળખાય છે. ધોધની તળેટી પછીનો નર્મદાનો પ્રવાહ ક્રમશ: સંકોચાય છે. તેની બંને બાજુએ આરસપહાણના…

વધુ વાંચો >