૧૪.૧૨
ભવનનિર્માણથી ભાન પુષ્કર
ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’)
ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’) (જ. 26 માર્ચ 1936, કંડિયારો, સિંધ) : સિંધી ભાષાના જાણીતા કવિ. કૉમર્સ ગ્રૅજ્યુએટ થઈને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યો અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ દૈનિકમાં જોડાયા અને ચીફ સબ-એડિટર તરીકે નિવૃત્ત થયા. લક્ષ્મણ ભાટિયાએ 12 વર્ષની ઉંમરમાં એક નાનકડી રચના લખી, જે તે વખતના સુપ્રસિદ્ધ બાલસામયિક ‘ગુલિસ્તાન’માં છપાઈ. તે પછી…
વધુ વાંચો >ભાટી, નારાયણસિંગ
ભાટી, નારાયણસિંગ (જ. 1930, માલૂંગા, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘બરસન રા દીગોરા ડુંગર લાગિયન’ નામના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે રાજસ્થાનીમાં એમ.એ.ની તથા પીએચ.ડી.ની તેમજ કાયદાની સ્નાતક ડિગ્રી મેળવી. રાજસ્થાની ભાષાના સંશોધન તથા સંદર્ભસાહિત્ય માટેની અગ્રણી સંસ્થા ‘રાજસ્થાની શોધ સંસ્થાન’ના…
વધુ વાંચો >ભાટે, રોહિણી
ભાટે, રોહિણી (જ. 14 જાન્યુઆરી 1924, પટણા) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાને સમર્પિત અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ ગણેશ તથા માતાનું નામ લીલા. પિતા વ્યવસાયે પ્રાધ્યાપક હતા. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. તેમણે ત્યાંની ફર્ગ્યૂસન કૉલેજમાંથી 1946માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. ઉપરાંત, 1966માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીત વિશારદ’ની ઉપાધિ પણ…
વધુ વાંચો >ભાડભુંજા
ભાડભુંજા : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ
વધુ વાંચો >ભાડભૂત
ભાડભૂત : ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલું હિંદુઓનું પ્રાચીન પૌરાણિક તીર્થસ્થાન. ભરૂચથી તે 20 કિમી. દૂર છે. ભાડભૂત ભરૂચ-દહેજ રાજ્યમાર્ગ ઉપર આવેલું છે. નજીકનું રેલવે-સ્ટેશન ભરૂચ છે. અહીં ગ્રામપંચાયત-સંચાલિત દવાખાનું, બૅંક, પ્રાથમિક શાળા, સાર્વજનિક પુસ્તકાલય તથા સેવા સહકારી મંડળી આવેલાં છે. નર્મદાની પરિક્રમા કરનારની સગવડ ખાતર…
વધુ વાંચો >ભાડાખરીદ પ્રથા
ભાડાખરીદ પ્રથા : મોંઘી વસ્તુ ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહક શરૂઆતમાં આંશિક કિંમત ચૂકવીને અને નિશ્ચિત રકમના હપતા ભરીને તે વસ્તુનો માલિક થાય તેવો વસ્તુના ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો કરાર. જ્યારે ચીજ-વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય, તે મોજશોખની હોય, તે ચીજવસ્તુ નહિ ખરીદવાથી સંભવિત ગ્રાહકોના પ્રવર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થતો ન…
વધુ વાંચો >ભાડા-ખરીદી
ભાડા-ખરીદી : માલ ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર. ભાડા-ખરીદીના કરારોને ભાડા-વેચાણના કરારો પણ કહે છે. ભાડા-વેચાણનો કરાર એ એક એવી સમજૂતી છે કે જે હેઠળ અમુક વસ્તુ કે માલને ભાડે આપવામાં આવે છે અને તે કરાર હેઠળ ભાડે રાખનાર(hirer)ને એની શરતો પ્રમાણે એ વસ્તુ ખરીદવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે.…
વધુ વાંચો >ભાડું
ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ…
વધુ વાંચો >ભાણ
ભાણ : સંસ્કૃત રૂપકના દસ પ્રકારોમાંનો એક. રૂપકનો તે વિલક્ષણ પ્રકાર છે. ભરતથી શરૂ કરીને (‘નાટ્યશાસ્ત્ર’) વિશ્વનાથ (‘સાહિત્યદર્પણ’) સુધીના નાટ્યશાસ્ત્રીઓએ તેની વ્યાખ્યા કરી છે. તેમાં એક જ પાત્ર હોય છે, જે નાયક અથવા વિટ હોય છે. આ એકોક્તિરૂપક પ્રકારમાં એક જ અંક હોય છે. નાયક આકાશભાષિત દ્વારા પોતાનો અને બીજાં…
વધુ વાંચો >ભાણદાસ
ભાણદાસ (સત્તરમી સદી) : અખાની પરંપરાના નોંધપાત્ર વેદાન્તી કવિ. મહામાયાની અનન્ય શક્તિના પ્રબળ આલેખક. ભીમના પુત્ર અને કૃષ્ણપુરીના આ શિષ્ય વિશેષ જાણીતા છે એમની ગરબીઓથી. ‘ગરબી’ સંજ્ઞા પ્રથમ વાર પ્રયોજાયેલી એમની કૃતિમાં મળે છે. ભાણદાસની સુખ્યાત ગરબી છે ‘ગગનમંડળની ગાગરડી’. એ રચના આરંભાય છે – ‘ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે…
વધુ વાંચો >ભવનનિર્માણ
ભવનનિર્માણ : માનવીના રહેણાક કે વ્યાવસાયિક કાર્ય માટે ઊભી કરાતી ઇમારતનું નિર્માણ. ભવનનિર્માણમાં તેનો કેવી પરિસ્થિતિમાં અને કયા પ્રકારનો ઉપયોગ કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભવનનિર્માણનો મુખ્ય આશય તેનો ઉપયોગ કરનારને ગરમી, ઠંડી, વરસાદ, ધૂળ-કચરો, અવાજ વગેરેથી રક્ષણ આપવું તે છે. કોઈ પણ ભવનનિર્માણમાં નીચેની બાબતો મહત્વની…
વધુ વાંચો >ભવનાગ
ભવનાગ : ભારશિવ વંશનો એક પ્રતાપી રાજા. ભારશિવો નાગકુલના હતા. તેઓ મહાભૈરવના ભક્ત હતા. તેઓ ખભા પર શિવલિંગ ધારણ કરતા. તેમણે પરાક્રમથી ભાગીરથી પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો. તેમણે દસ અશ્વમેધ કર્યા હતા. એ પરથી વારાણસીમાં દશાશ્વમેધ ઘાટનું નામ પડ્યું છે એવું જયસ્વાલે કલ્પ્યું છે. મહારાજ ભવનાગના દૌહિત્ર વાકાટક વંશના મહારાજ…
વધુ વાંચો >ભવનાણી રણવીરસિંહ
ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >ભવની ભવાઈ
ભવની ભવાઈ : નોંધપાત્ર ગુજરાતી ચલચિત્ર. સાડા છ દાયકાના ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘ભવની ભવાઈ’ વાસ્તવદર્શી અને કલાત્મક ચલચિત્ર તરીકે વિશિષ્ટ કક્ષાનું બની રહે છે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી. નિર્માતા પરેશ મહેતા અને દિગ્દર્શક કેતન મહેતાની આ ફિલ્મમાં…
વધુ વાંચો >ભવભાવના
ભવભાવના (ઈ. સ. 1114) : પ્રાકૃત કથાગ્રંથ. કર્તા મલધારી હેમચન્દ્રસૂરિ. 531 ગાથાઓ. મેડતા અને છત્રપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસ્તીમાં રહી ઈ. સ. 1114માં રચ્યો – 13,000 શ્લોકપ્રમાણની સ્વોપજ્ઞવૃત્તિ સાથે. ઋષભદેવ કેશરીમલજી જૈન શ્વેતામ્બર સંસ્થા, રતલામ દ્વારા બે ભાગમાં 1936માં પ્રકાશિત. 12 ભાવનાઓનું 12 દિવસમાં પઠન થાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…
વધુ વાંચો >ભવભૂતિ
ભવભૂતિ (જ. આશરે 675; અ. 760) : સંસ્કૃત સાહિત્યના જાણીતા નાટ્યકાર. પોતાનાં ત્રણ નાટકોની પ્રસ્તાવનામાં નાટકકાર ભવભૂતિએ પોતાના જીવન વિશે આપેલી માહિતી મુજબ તેમના પૂર્વજો સોમરસનું પાન કરનારા, પંચાગ્નિ વચ્ચે રહેવાનું વ્રત કરનારા, અગ્નિહોત્રમાં નિત્ય હોમ કરનારા, ભોજન કરનારાઓની પંગતને પવિત્ર કરનારા, બ્રહ્મના જ્ઞાની, કાશ્યપ ગોત્રમાં જન્મેલા, વાજપેય જેવા અનેક…
વધુ વાંચો >ભવસ્વામી
ભવસ્વામી (સાતમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદના ભાષ્યલેખક. વૈદિક ભાષ્યકારોમાં ભવસ્વામી ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એમનો સમય સાતમી સદીના ઉત્તરાર્ધનો ગણી શકાય. ભવસ્વામીએ ‘તૈત્તિરીય સંહિતા’, ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ અને ‘બૌધાયન-શ્રૌતસૂત્ર’ ઉપર ભાષ્ય રચ્યાં હતાં. તેમાંથી જુદા જુદા હસ્તપ્રતભંડારોમાં માત્ર ‘બૌધાયનસૂત્ર-વિવરણ’ના છૂટા છૂટા અંશો મળે છે. ‘નારદસ્મૃતિ’ ઉપરના એક ભાષ્યકાર પણ…
વધુ વાંચો >ભવાઈ
ભવાઈ : જુઓ પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો
વધુ વાંચો >ભવાની મ્યુઝિયમ ઔંધ
ભવાની મ્યુઝિયમ, ઔંધ (સતારા) (સ્થાપના 1938) : પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કેન્દ્રીય તથા પંદરમીથી વીસમી સદીનાં યુરોપીય ચિત્રોથી સમૃદ્ધ સંગ્રહસ્થાન. ઔંધ(સતારા)ના રાજા બાલા-સાહેબ પંત-પ્રતિનિધિએ તેની સ્થાપના કરીને વિકસાવેલું. તેમાં જયપુર, પંજાબ અને મુઘલ શૈલીનાં રાગ-રાગિણીઓનાં ચિત્રો, રાજપૂત શૈલીનાં 12 મહિનાનાં તથા કાંગરા શૈલીનાં અષ્ટનાયક ચિત્રો, હિમાલય શૈલીનાં સપ્તશતીનાં તેમજ ગઢવાલ…
વધુ વાંચો >ભવિષ્યનિધિ ધારો, 1952
ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો. વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક…
વધુ વાંચો >