૧૩.૦૪

બરસીમના રોગોથી બર્ગસાં હેન્રી

બરુવા, ગુણાભિરામ

બરુવા, ગુણાભિરામ (જ. 1837, ગૌહત્તી; અ. 1894) : અસમિયા સાહિત્યના પ્રથમ નાટકકાર, જીવનચરિત્રકાર, ઇતિહાસકાર તથા હાસ્યલેખક. એમનું શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમણે એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. આસામના વધારાના નાયબ કમિશનર તરીકે એમની નિમણૂક થઈ. તેઓ બ્રાહ્મણ હતા, પણ પછી બ્રહ્મો સંપ્રદાયમાં જોડાયા અને 1870માં 33 વર્ષની વયે પ્રથમ…

વધુ વાંચો >

બરુવા, ચંદ્રધર

બરુવા, ચંદ્રધર (જ. 1878; અ. 1961) : અસમિયા નાટ્યકાર અને કવિ. રંગદર્શી સાહિત્યના પ્રણેતા. ‘રંજન’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમાં પ્રણય અને પ્રકૃતિ ઉપરાંત હળવી શૈલીમાં લખાયેલાં હાસ્યપ્રધાન કાવ્યો પણ છે. ‘સ્મૃતિ’માં પ્રાકૃતિક પશ્ચાદભૂમાં પ્રણયભાવો રજૂ થયા છે. વિખૂટી પડી ગયેલી પ્રેયસીનો અમૃત-સ્પર્શ હવે કવિને પ્રકૃતિમાં ઠેર ઠેર ર્દષ્ટિગોચર થાય છે.…

વધુ વાંચો >

બરુવા, દેવકાન્ત

બરુવા, દેવકાન્ત (જ. 22 ફેબ્રુઆરી 1914; અ. દિબ્રુગઢ, આસામ; અ. 28 જાન્યુઆરી 1996, નવી દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને દેશના અગ્રણી રાજપુરુષ. પિતા નિશિકાન્ત અને માતા પ્રિયલતા. બી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ કર્યા બાદ પત્રકાર તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. ભારતની સ્વાતંત્ર્યલડતમાં જોડાઈને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો. સાહિત્ય…

વધુ વાંચો >

બરુવા, પ્રમથેશ

બરુવા, પ્રમથેશ (જ. 24 ઑક્ટોબર 1903, ગૌરીપુર, આસામ; અ. 29 નવેમ્બર 1951) : ભારતીય ચલચિત્રોમાં સીમાચિહ્નરૂપ ગણાયેલા ચિત્ર ‘દેવદાસ’ના અભિનેતા-દિગ્દર્શક. ગૌરીપુરના રાજવી પરિવારમાં જન્મ. 1924માં કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એસસી. થયા બાદ ચલચિત્ર-નિર્માણનો અભ્યાસ કરવા યુરોપ ગયા. 1928માં આસામ વિધાન પરિષદના સભ્ય નિમાયા. એ જ વર્ષે ચિત્તરંજન દાસના સ્વરાજ્ય પક્ષના સભ્ય…

વધુ વાંચો >

બરુવા, બિરંચિકુમાર

બરુવા, બિરંચિકુમાર (જ. 1910, ગૌહત્તી; અ. 1964) : અસમિયા લેખક. તેઓ ‘બીના બરુવા’ના તખલ્લુસથી પણ લખતા હતા. માધ્યમિક શિક્ષણ ગૌહત્તીમાં તથા ઉચ્ચ શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ આવતાં જ ગૌહત્તી વિશ્વવિદ્યાલયમાં અસમિયાના અધ્યાપક તરીકે નિયુક્ત થયા અને મૃત્યુ સુધી અધ્યાપન કર્યું. એમની 2 નવલકથાઓ, 2 નવલિકાસંગ્રહો અને 5…

વધુ વાંચો >

બરુવા, બીરેશ્વર

બરુવા, બીરેશ્વર (જ. 1933, સુંદરિદિયા, જિ. બરપેટા, આસામ) : અસમિયા કવિ, વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અનેક માનુહ અનેક ઠાઈ આરુ નિર્જનતા’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કૉટન કૉલેજ, ગુવાહાટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અસમિયા ઉપરાંત અંગ્રેજી, બંગાળી અને હિંદી…

વધુ વાંચો >

બરુવા, ભાવેન

બરુવા, ભાવેન (જ. 1940) : જાણીતા અસમિયા કવિ અને વિવેચક. કલકત્તાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી અંગ્રેજીમાં ઑનર્સ સાથે સ્નાતક થયા. 1960–61 દરમિયાન જોરહટ ખાતે શાળા-શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1961–62 દરમિયાન દિલ્હી ખાતે આકાશવાણીના સમાચાર-વિભાગમાં અનુભવ મેળવ્યો. 1963માં અંગ્રેજી સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ પંજાબ યુનિવર્સિટીના અંગ્રેજી…

વધુ વાંચો >

બરુવા, વેણીમાધવ

બરુવા, વેણીમાધવ (જ. 31 ડિસેમ્બર 1888, પહારતલી, જિ. ચિત્તાગૉંગ, બાંગ્લાદેશ; અ. 24 માર્ચ 1948, કલકત્તા) : ભારતીય વિદ્યાના વિદ્વાન. વેણીમાધવ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. એમણે 1911માં બરહામપુરની કૃષ્ણનાથ કૉલેજમાં અભ્યાસ કરીને પાલિ મુખ્ય વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ ક્રમે પસાર કરી.  1913માં કલકત્તા યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં પાલિ મુખ્ય વિષય સાથે…

વધુ વાંચો >

બરુવા, હેમ

બરુવા, હેમ (જ. 1915; અ. 1977) : સાહિત્ય, શિક્ષણ અને રાજકારણ ત્રણે ક્ષેત્રના ખ્યાતનામ અસમિયા સાહિત્યકાર. તેઓ અંગ્રેજી વિષય લઈને કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા અને પ્રથમ આવ્યા. તેથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. એમ.એ. થતાવેંત જ ગૌહત્તીની બી. બરુવા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને પછી આગળ વધતાં વધતાં એ કૉલેજના આચાર્ય…

વધુ વાંચો >

બરેલી

બરેલી : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 28° 01´થી 28° 54´ ઉ. અ. અને 78° 58´થી 79° 47´ પૂ.રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો કુલ વિસ્તાર 4,120 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે નૈનીતાલ, પૂર્વમાં પીલીભીત, અગ્નિમાં શાહજહાનપુર, દક્ષિણ, નૈર્ઋત્ય…

વધુ વાંચો >

બરસીમના રોગો

Jan 4, 2000

બરસીમના રોગો : પ્રતિકૂળ જમીન અને વાતાવરણને અધીન બરસીમ વનસ્પતિને થતા જાતજાતના રોગો. બરસીમ કઠોળવર્ગનો ઘાસચારાનો મુખ્ય પાક છે. બરસીમને અનેક વ્યાધિજનથી 70 પ્રકારના રોગ થાય છે. તેમાં જીવાણુ, ફૂગ, વિષાણુ, કૃમિ, માઇકોપ્લાઝમા અને સપુષ્પ પરોપજીવી વનસ્પતિના આક્રમણથી થતા રોગોનો સમાવેશ થાય છે. તે પૈકીના નીચે જણાવેલા રોગ દર વર્ષે…

વધુ વાંચો >

બરહમન, ચંદ્રભાણ

Jan 4, 2000

બરહમન, ચંદ્રભાણ (જ. આશરે 1574–75, લાહોર) : ભારતના ફારસી સાહિત્યના લેખકોમાંના સૌપ્રથમ હિંદુ લેખક. તેમની કામગીરી મુખ્યત્વે શાહજહાંના સમયમાં જોવા મળે છે. તેમનું પૂરું નામ રાયચંદ્રભાણ લાહોરી હતું. લાહોર તેમનું વતન હતું. તેમના પિતા ધરમદાસ, મુલ્લા અબ્દુલ હકીમ સિયાલકોટીના શિષ્ય હતા. બ્રાહ્મણ કુટુંબની પરંપરા મુજબ સંસ્કૃત અને હિન્દીનો તેમણે અભ્યાસ…

વધુ વાંચો >

બરહાનપુર

Jan 4, 2000

બરહાનપુર : મધ્ય પ્રદેશના પૂર્વ નિમાડ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન 21° 15´ ઉ. અ. અને 76° 19´ પૂ. રે. તે તાપી નદીને ઉત્તરકાંઠે વસેલું છે. ખાનદેશના મલેક રાજા નાસિરખાન ફારૂકી(1380–1437)એ આ નગર વસાવી ત્યાંના સૂફી સંત બુરહાનુદ્દીનના નામ પરથી તેને નામ અપાયું. સુલતાન મલેક નાસિરખાન ફારૂકી પછીના બરહાનપુરના શાસકો ખાસ…

વધુ વાંચો >

બરાક, એહુદ

Jan 4, 2000

બરાક, એહુદ (જ. 1942, મિશમાર હાશરોન કૃષિ વસાહત) : ઇઝરાયલના બાહોશ લશ્કરી અધિકારી, પૂર્વ સેનાધ્યક્ષ તથા રાજકીય મુત્સદ્દી. ફરજિયાત લશ્કરી કાયદા (conscription) હેઠળ 1959માં દેશના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયા ત્યારથી 1994 સુધીની કારકિર્દી દરમિયાન અનેક મહત્વનાં પદો પર કામ કર્યું, દા.ત., ટૅન્ક બ્રિગેડ કમાન્ડર, બખ્તરબંધ પાંખના ડિવિઝન કમાન્ડર, દેશની ખુફિયા…

વધુ વાંચો >

બરાબર ગુફાઓ

Jan 4, 2000

બરાબર ગુફાઓ (ઈ. પૂ. ત્રીજી સદી) : મૌર્ય સમ્રાટ અશોકે આજીવિક સંપ્રદાયના સાધુઓ માટે બિહારના ગયા જિલ્લાના બરાબર પહાડમાં કંડારાવેલ ગુહાશ્રયો. ગયાથી 25 કિમી. ઉત્તરે આવેલી બરાબર ટેકરીમાંથી ચાર અને તેની સમીપની નાગાર્જુની ટેકરીમાંથી સમ્રાટ અશોકના પૌત્ર દશરથે કંડારાવેલી ત્રણ ગુફાઓ મળીને એમને ‘સાતઘર’ને નામે ઓળખવામાં આવે છે. આજે આ…

વધુ વાંચો >

બરામિકા

Jan 4, 2000

બરામિકા : એક ઈરાની ખાનદાન (વંશ). ‘બરમક’ શબ્દનું અરબી બહુવચન. જોકે બરમક મૂળ ફારસી શબ્દ છે. તેનું મૂળ સ્વરૂપ ‘બરમુગ’ યા ‘પીરમુગ’ છે. તેનો અર્થ ‘અગિયારીનો મોટો પૂજારી’ એવો થાય છે. ‘નવબહાર’ના પૂજારીઓને ‘બરમક’ કહેવામાં આવતા. આમ ‘બરમક’ કોઈ એક વ્યક્તિનું નામ નહોતું, પરંતુ તે ‘નૌ બહાર’ના વંશ-પરંપરાગત મુખ્ય પૂજારીનો…

વધુ વાંચો >

બરાસ-કસ્તૂરી

Jan 4, 2000

બરાસ-કસ્તૂરી : મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાકાર શામળે (વાર્તાસર્જનકાળ : ઈ. સ. 1718થી ઈ. સ. 1765 નિશ્ચિત) લખેલી પદ્યવાર્તા. તેની  કથા આવી છે : કોસાંબી નગરીના રાજા ચિત્રસેનને તિલોત્તમા અપ્સરાએ 14 વર્ષના કુટુંબવિયોગનો શાપ આપ્યો. ચિત્રસેનની રાણી સગર્ભા બની. એને લોહીના સરોવરમાં સ્નાન કરવાની ઇચ્છા થતાં રાજાએ સરોવરમાં ગુલાલ અને બરાસ-કસ્તૂરી જેવાં…

વધુ વાંચો >

બરી, જે. બી.

Jan 4, 2000

બરી, જે. બી. (જ. 16 ઑક્ટોબર 1861, મોનાઘન, આયર્લૅન્ડ; અ. 1 જૂન 1927, રોમ) : પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસકાર. આઇરિશ પાદરીના પરિવારમાં તેમનો જન્મ. માતાપિતા પાસે પ્રારંભિક શિક્ષણ મેળવીને તેઓ લંડનની ફૉઇલ કૉલેજ અને ત્યારબાદ ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને 1882માં સ્નાતક થયા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1885માં ફેલો તરીકે નિમાયા. ત્યારબાદ…

વધુ વાંચો >

બરુવા, અજિત

Jan 4, 2000

બરુવા, અજિત (જ. 1928) : અસમિયા કવિ. કૉટન કૉલેજ ગુવાહાટીમાંથી અંગ્રેજી ઑનર્સ સાથે બી.એ. થઈ કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. પરીક્ષા 1947માં પસાર કરી. એ પછી થોડો સમય કૉટન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કરી આસામ સરકારની સિવિલ સર્વિસમાં 1952થી જોડાયા. પૅરિસમાં બે વર્ષ વહીવટ વિશેનું પ્રશિક્ષણ લીધા પછી સરકારમાં જુદા જુદા ઉચ્ચ…

વધુ વાંચો >

બરુવા, આનંદચંદ્ર

Jan 4, 2000

બરુવા, આનંદચંદ્ર (જ. 1907, ખુમ્તાઈ ટી એસ્ટેટ, મોરાન, આસામ અ. 1983) : ખ્યાતનામ અસમિયા કવિ તથા નાટ્યલેખક. 1926માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કાશી વિશ્વવિદ્યાલયમાં જોડાયા, પણ આઝાદીની ચળવળ શરૂ થવાની સાથે તેમાં તેમણે ઝંપલાવ્યું અને અભ્યાસને તિલાંજલિ આપી દીધી. તેમની કારકિર્દીનો પ્રારંભ તેમણે પત્રકારત્વથી કર્યો. પછી રૉયલ ઍર ફૉર્સના…

વધુ વાંચો >