૧૧.૧૫

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)થી પુંડલિક

પુષ્કરણી

પુષ્કરણી : મંદિરો સાથે સંકળાયેલ કુંડ. મંદિરોના સંકુલમાં તેની પવિત્રતાને કારણે તેનું સ્થાન ઘણું જ અગત્યનું છે. ઉત્તર અને દક્ષિણ તેમજ મધ્ય ભારતીય સ્થાપત્યમાં ખાસ કરીને મંદિરોનાં સંકુલોમાં દરેક સ્થળે મુખ્ય મંદિરની સાથે કુંડની વ્યવસ્થા સંકળાયેલી હોય છે. ગુજરાતમાં પણ મોઢેરા, વડનગર, સિદ્ધપુર વગેરે સ્થળે આવેલા કુંડોની રચના પ્રસિદ્ધ છે.…

વધુ વાંચો >

પુષ્કરમૂળ

પુષ્કરમૂળ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (ભૃંગરાજાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Inula racemosa Hook. f. (સં. પુષ્કરમૂલ, પદ્મપત્ર, કાશ્મીરા, કુષ્ઠભેદ; હિં. પોહકરમૂલ; મ. બાળવેખંડ; ગુ. પુષ્કરમૂળ; મલ. ચન્નાકૂવા; તે. પુષ્કર મૂલામુ; ક્ધન. પુષ્કરમૂળ; કા. પાતાલપદ્મિની; અં. ઇંડિયન એલિકેમ્પેન) છે. વિતરણ : તે ભારત, ચીન અને યુરોપમાં વિપુલ…

વધુ વાંચો >

પુષ્કરસારી

પુષ્કરસારી : પશ્ચિમ ગાંધારની પ્રાચીન લિપિ. પશ્ચિમ ગાંધારની રાજધાની પુષ્કરાવતી હતી. ભારતીય અનુશ્રુતિઓમાં પ્રાચીન લિપિઓનાં અનેક નામો ગણાવેલાં છે. જૈન આગમ ગ્રંથ ‘પન્નવણાસૂત્ર – પ્રજ્ઞાપનાસૂત્ર’ (સૂત્ર 107, ઈ. સ. પૂ. બીજી સદી) અને ‘સમવાયાંગ સૂત્ર’(સમવાય 18, ઈ. પૂ. ત્રીજી સદી)માં 18 લિપિઓની સૂચિ આપેલી છે, જેમાં ‘પુષ્કરસારીય’ લિપિનો સમાવેશ કરેલો…

વધુ વાંચો >

પુષ્કલાવતી

પુષ્કલાવતી : ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ ભરતના પુત્ર પુષ્કરે પોતાના નામ પરથી પુષ્કલાવતી કે પુષ્કરાવતી નામે નગર વસાવેલું. ગ્રીક વર્ણનોમાં એનો ‘પ્યૂકેલૉટિસ’ નામથી ઉલ્લેખ થયેલો છે. સિકંદરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે પુષ્કલાવતી એક સ્વતંત્ર રાજ્ય હતું અને તે કાબુલથી સિંધુ નદી સુધીના માર્ગ પર આવેલું હતું.…

વધુ વાંચો >

પુષ્ટિમાર્ગ

પુષ્ટિમાર્ગ : ભારતીય દર્શન શુદ્ધાદ્વૈતવાદના આધાર પર શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો ભક્તિનો સંપ્રદાય. ‘પુષ્ટિ’ એટલે ‘પોષણ’ અને ‘પોષણ’ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા (ભાગવત પુરાણ 2-10-4). ભારતીય ભક્તિમાર્ગ-ભાગવતમાર્ગ (મુખ્ય નામ ‘પાંચરાત્ર સંપ્રદાય’ તેમ ‘સાત્વત સંપ્રદાય’) ઈ. સ. પૂ. એક હજાર વર્ષ ઉપર વૈદિક હિંસામય યજ્ઞોની સામે ઊભો થયો અને વિષ્ણુનારાયણ તેમજ…

વધુ વાંચો >

પુષ્પગુપ્ત

પુષ્પગુપ્ત : ઈ. સ. પૂ. ચોથી સદીમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો સૌરાષ્ટ્રનો રાજ્યપાલ. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ-શૈલલેખમાં ગિરિનગરના ‘સુદર્શન’ નામે જળાશયના સેતુ(બંધ)ના સમારકામની સમકાલીન ઘટના નિમિત્તે એ જળાશયના નિર્માણનો પૂર્વવૃત્તાંત પણ આપવામાં આવ્યો છે. એ અનુસાર આ જળાશયનું નિર્માણ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્તે કરાવ્યું હતું. પુષ્પગુપ્ત વૈશ્ય હતો ને સુરાષ્ટ્રના…

વધુ વાંચો >

પુષ્પદંત

પુષ્પદંત : આશરે દસમા શતકમાં થઈ ગયેલા અપભ્રંશ ભાષાના મહાન જૈન કવિ. એમના પિતાનું નામ કેશવ અને માતાનું મુગ્ધાદેવી હતું. તેઓ વિદર્ભ પ્રદેશના હતા. જન્મે કાશ્યપ ગોત્રના શૈવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા, પરંતુ પાછળથી જૈન ધર્મના દિગંબર સંપ્રદાયની દીક્ષા લીધેલી. આથી તેમના પર બ્રાહ્મણ પરંપરાનાં સાંખ્ય, વેદાંત, મીમાંસા, બૌદ્ધ વગેરે દર્શનો…

વધુ વાંચો >

પુષ્પદંત ગંધર્વ

પુષ્પદંત ગંધર્વ : ખૂબ જાણીતા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ના લેખક. એ સ્તોત્રના અંતે આપેલી માહિતી મુજબ તેઓ દેવોના સંગીતકારો અર્થાત્ ગંધર્વોના રાજા હતા. તેઓ શિવના ભક્ત હતા. શિવનો ક્રોધ થતાં પુષ્પદંતનો ગંધર્વ તરીકેનો મહિમા ખતમ થવાથી શિવનો મહિમા ગાતું સ્તોત્ર તેમણે રચેલું. શિવનો રોષ પુષ્પદંત પર કયા કારણે થયો એ વિશે એવી…

વધુ વાંચો >

પુષ્પબંધ

પુષ્પબંધ : દ્રવિડ શૈલીના સ્થાપત્યમાં સ્તંભશીર્ષના ભાગરૂપ રચના. તેને પુષ્પબોધિકા પણ કહેવામાં આવે છે. આ રચનાનો ઘાટ ખાસ પુષ્પમાળાના રૂપમાં થતો હોય છે. આ ભાગ ખાસ કરીને સ્તંભશીર્ષથી આગળ રખાય છે, જેથી તે લટકતો દેખાય અને ઊઘડતા ફૂલનો આભાસ આપે. બાંધકામની દૃષ્ટિએ તેનું સ્વરૂપ ભરણી જેવું લાગે. તે ઉપરના પાટડાને…

વધુ વાંચો >

પુષ્પભૂતિ વંશ

પુષ્પભૂતિ વંશ : ઉત્તર ભારતનો છઠ્ઠી અને સાતમી સદી દરમિયાનનો રાજવંશ. પૂર્વ પંજાબમાં શ્રીકંઠ નામે દેશ હતો. એનું પાટનગર સ્થાણ્વીશ્વર (કે થાનેશ્વર – થાનેસર) સરસ્વતી નદીના તીરે આવ્યું હતું. ત્યાં પુષ્પભૂતિ રાજાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું. એ વૈશ્ય હતો. શંકરનો ઉપાસક હતો. ભૈરવાચાર્ય નામે શૈવ આચાર્યની કૃપાથી મળેલ ‘અટ્ટહાસ’ નામે ખડ્ગ…

વધુ વાંચો >

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)

Jan 15, 1999

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.) (જ. 1879; અ. 1961) : રૂના અગ્રગણ્ય વેપારી, રાજનીતિજ્ઞ અને દાનવીર. તેમનો જન્મ મુંબઈમાં સ્થાયી થયેલા સૂરતના વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઠાકુરદાસ જાણીતા સૉલિસિટર હતા અને માતા દિવાળીબાઈ ઘરરખ્ખુ ગૃહિણી હતાં. 4 વર્ષની વયે પિતાનું અને 6 વર્ષની વયે માતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં…

વધુ વાંચો >

પુરુષ્ણી

Jan 15, 1999

પુરુષ્ણી : પંજાબની 5 નદીઓમાંની એકનું પ્રાચીન નામ. વેદકાલીન સપ્તસિંધુમાં પંજાબની 5 નદીઓનો સમાવેશ થાય છે. તેમાંની એક નદીનું નામ ‘પુરુષ્ણી’ હતું. ગ્રીક લેખક આરિસ્તે એને ‘Hydraotes’ નામે નિર્દેશે છે. આરંભિક ઐતિહાસિક કાળમાં ‘પુરુષ્ણી’ નામ લુપ્ત થયું ને એના સ્થાને ‘ઇરાવતી’ નામ પ્રચલિત થયું. શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં જેને ‘ઇરાવતી’ કહે…

વધુ વાંચો >

પુરુસ (નદી)

Jan 15, 1999

પુરુસ (નદી) : દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી ઍમેઝોન નદીની મુખ્ય શાખાનદીઓ પૈકીની એક નદી. ખંડના પશ્ચિમ છેડા પર આવેલા પેરુ(દેશ)ના લૉરેટો વિભાગમાંથી પસાર થતી ઓરિયેન્ટલ ઍન્ડિઝ પર્વતમાળામાંથી તે નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ વહે છે, ત્યાંથી પેરુનાં વરસાદી જંગલોવાળા વિસ્તારમાં થઈને પસાર થાય છે. તે પછીથી બ્રાઝિલના ઍક્ર (Acre)…

વધુ વાંચો >

પુરોડાશ

Jan 15, 1999

પુરોડાશ : વૈદિક યજ્ઞોમાં દેવની આગળ મૂકવામાં આવતો હવિ. પોતાના પર કૃપા કરવા નિમંત્રાયેલા દેવને ખુશ કરવા તેમની સામે આ હવિ મૂકવામાં આવતો હોવાથી તેને ‘પુરોડાશ’ કહેવામાં આવે છે. મુખ્યત્વે પુરોડાશ જવ કે ચોખા ખાંડીને બનાવેલા લોટને બાંધીને બે હાથ વડે દબાવી રોટલો બનાવવામાં આવે છે. આ રોટલો આકારમાં લંબગોળ…

વધુ વાંચો >

પુરોહિત

Jan 15, 1999

પુરોહિત : યજમાનને શ્રૌત યજ્ઞયાગાદિ અને સ્માર્ત ગૃહ્યકર્મ, 16 સંસ્કારો, શાંતિપુષ્ટિનાં કર્મો અને આભિચારિક અનુષ્ઠાનો કરાવનાર બ્રાહ્મણ. યજમાન વતી પોતે દેવપૂજન કરનારો બ્રાહ્મણ નિમ્ન કક્ષાનો ગણાય છે ‘કાલિકાપુરાણ’ મુજબ કાણો, અંગે ખોડવાળો, અપુત્ર, અનભિજ્ઞ, ઇન્દ્રિયો પર કાબૂ વગરનો, રોગી અને ઠીંગણો માણસ પુરોહિત બની શકે નહીં. ચાણક્ય અને `કવિકલ્પલતાકાર’ને મતે…

વધુ વાંચો >

પુરોહિત દેવશંકર નાનાભાઈ

Jan 15, 1999

પુરોહિત, દેવશંકર નાનાભાઈ (જ. 1765 આસપાસ, રાંદેર; અ.-) : દક્ષિણ ગુજરાતના એક આલંકારિક. સંસ્કૃત અલંકારગ્રંથ ‘અલંકારમંજૂષા’ના કર્તા. એ કાળનાં ગુજરાતનાં બ્રાહ્મણ ઘરાનાંઓની પરંપરા અનુસાર રામ અને દેવી તારાના ઉપાસક. ‘મંજૂષા’ ઉપરાંત તેમણે મરાઠા સેનાપતિ વિશ્વાસરાયે સિંદખેડ, ઉદગીર તથા પાણિપતનાં યુદ્ધોમાં દાખવેલા શૌર્યને વર્ણવતું ‘વિશ્વાસરાયયુદ્ધવિવરણ’  નામે મહાકાવ્ય તથા પ્રસિદ્ધ ‘અમરુશતક’ ઉપર…

વધુ વાંચો >

પુરોહિત યશવંત

Jan 15, 1999

પુરોહિત, યશવંત (જ. 27 ડિસેમ્બર 1916, ઘરશાળા, ભાવનગર; અ. 3 જાન્યુઆરી 1964, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રસંગોપાત્ત, ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમને માસિક…

વધુ વાંચો >

પુરોહિત વેણીભાઈ જમનાદાસ

Jan 15, 1999

પુરોહિત, વેણીભાઈ જમનાદાસ (જ. 1 ડિસેમ્બર 1916, જામખંભાળિયા; અ. 3 જાન્યુઆરી 1980, મુંબઈ) : ઉપનામ ‘સંત ખુરશીદાસ’. ગુજરાતી કવિ તથા વાર્તાકાર. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અનુક્રમે મુંબઈ અને જામખંભાળિયામાં. વ્યવસાય માટે મુંબઈ ગયા અને ‘બે ઘડી મોજ’માં જોડાયા. ત્યારબાદ 1932થી 1942 દરમિયાન અમદાવાદના દૈનિક ‘પ્રભાત’, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય…

વધુ વાંચો >

પુલ (bridge)

Jan 15, 1999

પુલ (bridge) : નદી, નહેર, ખાડી કે રેલવેલાઇનને ઓળંગવા માટે તૈયાર કરાતું બાંધકામ. પુલને લીધે એ ઓળંગવું સહેલું બને છે અને વાહનવ્યવહાર ઝડપી બને છે. પુલનો મહિમા માનવજાતના ઇતિહાસ સાથે ઘણા લાંબા-પુરાણા કાળથી સંકળાયેલો છે. રામાયણમાં શ્રીરામ વાનરસેનાની મદદથી રામેશ્વર પાસે પુલ બાંધી ખાડી ઓળંગીને લંકા પહોંચે છે તે વાત…

વધુ વાંચો >

પુલકેશી (અવનિજનાશ્રય)

Jan 15, 1999

પુલકેશી (અવનિજનાશ્રય) : નવસારીના ચાલુક્ય વંશનો રાજા. તે ધરાશ્રય-જયસિંહ પછી ઈ. સ. 700ના અરસામાં સત્તા પર આવેલો જણાય છે. એનું કલચુરી સંવત 490(ઈ. સ. 740)નું દાનપત્ર મળ્યું છે. તે પરથી એણે લાંબું રાજ્ય ભોગવ્યું હોવાનું જણાય છે. દાનપત્રમાં ‘પરમ માહેશ્વર’ અને ‘પરમ-ભટ્ટારક’ ગણાતા આ રાજાએ દક્ષિણી બ્રાહ્મણને કાર્મણેય આહાર વિષયમાં…

વધુ વાંચો >