૧૦.૩૮

પરવાળાંના ટાપુઓથી પરાગનયન (Pollination)

પરવાળાંના ટાપુઓ

પરવાળાંના ટાપુઓ : પરવાળાંના ખરાબાઓ(coral reefs)માંથી ઉદ્ભવેલા ટાપુઓ. સામાન્ય રીતે આવા પ્રવાળખડકોની શ્રેણીઓ ઉષ્ણ-ઉપોષ્ણ કટિબંધના પ્રાદેશિક વિભાગોના સમુદ્રોમાં, વિશેષે કરીને પ્રશાંત મહાસાગરમાં, વધુ પ્રમાણમાં જોવા મળે છે. બધી મળીને આવી શ્રેણીઓ લગભગ 8 લાખ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ પરના ખડકોમાંથી મોટે ભાગે નદીઓ દ્વારા થતા ધોવાણને કારણે તથા…

વધુ વાંચો >

પરવીઝ, નાતલ ખાનલરી

પરવીઝ, નાતલ ખાનલરી (જ. 1914, તહેરાન; અ. 23 ઑગસ્ટ 1990, તહેરાન) : આધુનિક ફારસી ભાષાના કવિ તથા લેખક. ભારતનાં સાહિત્યિક તથા સાંસ્કૃતિક વર્તુળો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. તેમણે ભારતમાં ફારસી ભાષાના શિક્ષણ તથા સંશોધનના વિકાસમાં ઊંડો રસ લઈને વિદ્વાનોને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં ઈરાનના દૂતાવાસ તરફથી દિલ્હીમાં…

વધુ વાંચો >

પરવેઝ, સલાહુદ્દીન

પરવેઝ, સલાહુદ્દીન (જ. 1950, અલ્લાહાબાદ) : ઉર્દૂ કવિ. તેમના ગ્રંથ ‘આઇડેન્ટિટી કાર્ડ’ને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતક ડિગ્રી. અમેરિકામાં વહીવટ તેમજ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કર્યો. અત્યારે કમ્પ્યૂટર-સલાહકાર તથા ફિલ્મ-સર્જક. 9 વર્ષની વયે લખવાનો પ્રારંભ. યુનિવર્સિટી છોડી તે પહેલાં જ તેમને સાહિત્યક્ષેત્રે સ્વીકૃતિ મળી…

વધુ વાંચો >

પરશુરામ

પરશુરામ : વિષ્ણુનો અવતાર ગણાયેલા વીર ઋષિ. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ(કુહાડી, ફરશી)ને કારણે ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દશ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના આ સુપુત્રની શાસ્ત્ર-શસ્ત્રાસ્ત્ર તથા તપશ્ચર્યાની સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે હિંદુ ધર્મની પૌરાણિક પરંપરાએ માન્ય કરેલા, ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં, રામના…

વધુ વાંચો >

પરશુરામ

પરશુરામ (જ. 16 માર્ચ 1880 કૉલકાતા; અ. 27 એપ્રિલ 1960) : બંગાળી લેખક. મૂળ નામ રાજશેખર બસુ. શિક્ષણ કૉલકાતા શહેરમાં. તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી રસાયણ-વિજ્ઞાનનો વિષય લઈને એમ.એસસી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કર્યા બાદ બૅંગૉલ કૅમિકલ્સ કંપનીમાં મૅનેજર તરીકે જોડાયા. એ પછી એમણે લેખન-પ્રવૃત્તિ શરૂ કરી. એમની પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ પ્રસિદ્ધ…

વધુ વાંચો >

પરસાઈ, હરિશંકર

પરસાઈ, હરિશંકર (જ. 22 ઑગસ્ટ 1924, જમાની, જિ. જબલપુર, મધ્યપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1995, જબલપુર, મધ્યપ્રદેશ) : જાણીતા હિંદી વ્યંગ્યકાર અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘વિકલાંગ શ્રદ્ધા કા દૌર’ (વ્યંગ્યિકા) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી વિવિધ શાળાઓ અને કૉલેજોમાં…

વધુ વાંચો >

પરસાણા, ધીરજ દેવશીભાઈ

પરસાણા, ધીરજ દેવશીભાઈ (જ. 2 ડિસેમ્બર 1947, રાજકોટ) : સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારત તરફથી, રેલવે તરફથી રમેલા ઑલરાઉન્ડર. ધીમા ડાબોડી ગોલંદાજ અને ડાબોડી બૅટ્સમૅન ધીરજ પરસાણા સૌરાષ્ટ્ર-ગુજરાત તરફથી અને રેલવે તરફથી રણજી ટ્રૉફી રમ્યા. તેમાં 37 મૅચમાં બે સદી અને નવ અડધી સદી સાથે 1,902 રન કર્યા તેમજ 1,112.1 ઓવર નાખી 2,266 રન…

વધુ વાંચો >

પરસેવો

પરસેવો : સસ્તન પ્રાણીઓની શરીરત્વચા પર પ્રસરેલ સ્વેદ-ગ્રંથિ(sweat-glands)માંથી સ્રવતું પ્રવાહી. આ પ્રવાહી મુખ્યત્વે પાણી, સોડિયમ ક્લોરાઇડ, પોટૅશિયમ, લવણ, લૅક્ટિક ઍસિડ અને યુરિયાનું બનેલું હોય છે. આમ તો રાત્રિ અને દિવસ દરમિયાન ગમે ત્યારે પરસેવો છૂટતો હોય છે. ભલે વાતાવરણ ગરમ હોય કે ઠંડું; પરંતુ સામાન્યપણે શિયાળામાં પરસેવાના ત્યાગનું પ્રમાણ નહિવત્…

વધુ વાંચો >

પરસ્તર

પરસ્તર : મંદિરમાં થાંભલાની ઉપરનો ભાગ. તેમાં શીર્ષ, પટ્ટ (પટા) અને છાજલીના ભાગો સમાયેલા હોય છે. થાંભલા ઉપરના પરસ્તરના આધારે ઉપલી ઇમારત રચાય છે. પાશ્ચાત્ય સ્થાપત્યમાં આ સુસંગત રચનાને entablature કહેવાય છે. મંદિરોના સ્થાપત્યમાં મુખમંડપ, સભામંડપ, રંગમંડપ વગેરેની રચના સ્તંભાવલિના આધારે કરાય છે અને સ્તંભો પર આધારિત ઉપલી ઇમારતની રચનાશૈલીને…

વધુ વાંચો >

પરસ્પરતા

પરસ્પરતા : સજીવોની વિવિધ જાતિઓ વચ્ચે થતી એક પ્રકારની ધનાત્મક આંતરપ્રક્રિયા. તે બે ભિન્ન જાતિઓનું એકબીજા પર પૂર્ણપણે અવલંબિત પરસ્પર લાભદાયી (સહકારાત્મક) સહજીવન છે અને ઉષ્ણ પ્રદેશોમાં અન્ય પ્રદેશો કરતાં વધારે સામાન્ય હોય છે. આ સહવાસ (association) ગાઢ, ઘણુંખરું સ્થાયી, અવિકલ્પી (obligatory) અને બંનેના અસ્તિત્વ માટે અનિવાર્ય હોય છે. પરસ્પરતા…

વધુ વાંચો >

પરંપરા

Feb 7, 1998

પરંપરા : કોઈ એક જૂથ કે સમુદાયના સભ્યોનાં એવાં સમાન વિચારો, વ્યવહારો, આદતો, પ્રથાઓ તથા સંસ્થાઓ જે મૌખિક સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢીમાં ઊતરે છે; એટલું જ નહિ, અનેક પેઢીઓ સુધી પોતાના મૂળ સ્વરૂપે સચવાઈ રહે છે. આવી પરંપરા જે તે જૂથ, સમુદાય કે પ્રજાની ઓળખ બને છે અને પ્રજા…

વધુ વાંચો >

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

Feb 7, 1998

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ ભારતીય સમાજના ઇતિહાસને તપાસીએ ત્યારે એક મહત્ત્વના પાસા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પાસું તે જ્ઞાતિ/ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ. આ સંબંધને જ્યારે ગ્રામ અને ગ્રામસમાજ સાથે સાંકળીએ ત્યારે વ્યવસાય કે હુન્નરઉદ્યોગની પરંપરા અને તેના સાતત્યને સમજી શકાય છે. કોટિક્રમિક હિંદુ સમાજનું સંચાલન કરતી…

વધુ વાંચો >

પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો

Feb 7, 1998

પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો ભૂમિજાત પરંપરા મુજબની નાટ્યપ્રણાલીઓ. દેશની મંચનકલાઓ – નૃત્ય, સંગીત, નાટ્ય, કઠપૂતળી વગેરેનું જે વૈવિધ્ય છે તે સંસ્કૃતિ, પ્રદેશ, ભાષા-બોલી, સંપ્રદાય, જાતિ વગેરેની પરંપરાઓનું પરિણામ હોય છે. એનાં રૂપો, પ્રકારો, પ્રસ્તુતિરીતિઓ અને પ્રણાલીઓ પણ નિરનિરાળાં હોય છે. ખાસ કરીને મંચનકલાઓના પાશ્ચાત્ય દેશોના જાણીતા પ્રકારો નાટક, ઑપેરા, બૅલે વગેરેની…

વધુ વાંચો >

પરંપરાવાદ

Feb 7, 1998

પરંપરાવાદ : રૂઢિવાદ, સનાતનપણું કે શાશ્વતવાદને નામે ચાલતો  મતવાદ. આનો આશ્રય લઈને અનેક ક્ષેત્રે આ મતવાદ પ્રગટતો જોવામાં આવે છે. સાહિત્યમાં એને ‘ટ્રેડિશનાલિઝમ’ કહે છે. જે લેખકો કે રચનાકારો પરંપરામાં માનતા હોય છે તે પરંપરાને વ્યક્ત કરનારાં શાસ્ત્રોને અનુસરતા હોય છે. ચર્ચામાં પણ તેઓ પ્રાચીન પરંપરિત શાસ્ત્રો અને સિદ્ધાંતોની જ…

વધુ વાંચો >

પરંપરિત અપૂર્ણાંક (continued fraction)

Feb 7, 1998

પરંપરિત અપૂર્ણાંક (continued fraction) : યુક્લિડની રીત પ્રમાણે  પગલાં લઈ સંમેય (rational) સંખ્યાનું વિશિષ્ટ અપૂર્ણાંકના સ્વરૂપમાં નિરૂપણ તે પરંપરિત-અપૂર્ણાંક. એક અપૂર્ણાંક કે જેનો છેદ, કોઈ પૂર્ણાંક સંખ્યા અને બીજી કોઈ અપૂર્ણાંકના સરવાળા બરાબર હોય વળી તેનો છેદ બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા અને અન્ય કોઈ અપૂર્ણાંકના સરવાળા બરાબર હોય અને આમ…

વધુ વાંચો >

પરાગનયન (Pollination)

Feb 7, 1998

પરાગનયન (Pollination) પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ. આવૃતબીજધારી વનસ્પતિઓમાં પ્રજનન-અંગ તરીકે પુષ્પનો વિકાસ થાય છે. આ પુષ્પમાં નર-પ્રજનન-અંગ તરીકે પુંકેસર અને માદા-પ્રજનન-અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પુંકેસર-તંતુ (filament), પરાગાશય (anther) અને યોજી(connective  પુંકેસર-તંતુ અને પરાગાશયને જોડતી પેશી)નું બનેલું હોય છે. જ્યારે સ્ત્રીકેસર…

વધુ વાંચો >