૧૦.૧૧

નાયક, અમૃત કેશવથી નારંગ, ગોપીચંદ

નાયક, અમૃત કેશવ

નાયક, અમૃત કેશવ (જ. 1877, અમદાવાદ; અ. 18 જુલાઈ 1907, મુંબઈ) : વ્યવસાયી રંગભૂમિના તેજસ્વી યુવા-અભિનેતા, દિગ્દર્શક તથા નાટ્યકાર. અમૃતભાઈએ ગુજરાતી બે ધોરણ અને ઉર્દૂ બે ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં અનુક્રમે દરિયાપુર અને કાલુપુરની શાળામાં કર્યો હતો. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી દેવાની ફરજ પડી અને 11…

વધુ વાંચો >

નાયક, કનુ ચુનીલાલ

નાયક, કનુ ચુનીલાલ : (જ. 9 ડિસેમ્બર, 1930, પાનસર, જિલ્લો મહેસાણા) : ગુજરાતી ચિત્રકાર, કલાશિક્ષક, કલાવિષયક લેખો આપનાર, પત્રકાર. ઉપનામ : ‘અંકન’.  પિતા ચુનીલાલ નાયક દેશી નાટકમંડળીઓમાં ખલનાયકની ભૂમિકા ભજવવામાં નિષ્ણાત હતા. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1954માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1956માં આર્ટ-માસ્ટરનો…

વધુ વાંચો >

નાયક, કે. જી.

નાયક, કે. જી. (જ. 1 ઑગસ્ટ 1885, કતારગામ, જિ. સૂરત; અ. 19 નવેમ્બર 1974, વડોદરા) : ગુજરાતના અગ્રણી વૈજ્ઞાનિક. આખું નામ કુંવરજી ગોસાંઈજી નાયક. સામાન્ય ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કતારગામમાં, માધ્યમિક શિક્ષણ સૂરત ખાતે મિશન સ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કૉલેજમાં. 1901માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા અઢારમા નંબરે, 1905માં…

વધુ વાંચો >

નાયક, ચુનીલાલ જીવરામ

નાયક, ચુનીલાલ જીવરામ (જ. 23 સપ્ટેમ્બર 1903, અમદાવાદ; અ. 1977) : રંગભૂમિ-ક્ષેત્રના અભિનેતા. તેમણે અમૃત કેશવ નાયકે સ્થાપેલી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. પછી તેઓ સંગીતવર્ગમાં જોડાયા. અવાજની મીઠાશ અને એકનિષ્ઠ લગનને કારણે સંગીતશિક્ષકની પ્રશંસા પામ્યા. તેમના પિતાએ જરૂર પૂરતું શિક્ષણ આપી કરિયાણાની દુકાને તેમને બેસાડ્યા; પરંતુ કાવ્યરસને કારણે 11 વર્ષની…

વધુ વાંચો >

નાયક, છોટુભાઈ રણછોડજી

નાયક, છોટુભાઈ રણછોડજી (જ. 18 જુલાઈ 1913, ભગોદ, જિ. વલસાડ; અ. 9 જાન્યુઆરી 1976, અમદાવાદ) : ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં લીધું. સન 1931માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ કરવા તે બરોડા કૉલેજમાં દાખલ થયા અને સન 1935માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ…

વધુ વાંચો >

નાયક, ડાહ્યાભાઈ જીવણજી

નાયક, ડાહ્યાભાઈ જીવણજી (જ. 26 મે 1901, ભાંડુત, જિ. સૂરત; અ. 29 મે 1994, દાહોદ) : સ્વાતંત્ર્યસૈનિક અને પંચમહાલના આદિવાસીઓના નિ:સ્પૃહી મૂક સેવક. મધ્યમ વર્ગના અનાવિલ પરિવારમાં જન્મ. પિતા ડુમ્મસની પ્રાથમિક શાળાના આચાર્ય. ડાહ્યાભાઈએ ડુમ્મસ અને ધરમપુરમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન આદિવાસીઓ પરના અત્યાચારો જોઈ તેમનું હૃદય દ્રવી જતું. મૅટ્રિકની…

વધુ વાંચો >

નાયક, પન્ના ધીરજલાલ

નાયક, પન્ના ધીરજલાલ (જ. 28 ડિસેમ્બર 1933, મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય) : અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવયિત્રી. જ્ઞાતિએ દશાદિશાવળ વાણિયા. વતન સૂરત. પિતા ધીરજલાલ અને માતા રતનબહેન. માતાએ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય કવિતાઓમાં રસ લેતાં કર્યાં હતાં. પતિનું નામ નિકુલભાઈ. તેમણે 1954માં મુખ્ય વિષય ગુજરાતી સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ…

વધુ વાંચો >

નાયક, પુંડલિક નારાયણ

નાયક, પુંડલિક નારાયણ (જ. 21 એપ્રિલ 1952, વળવઈ, તા. પોન્ડા, ગોવા) : કોંકણીના કવિ, નાટકકાર. માછીમાર કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષકની નોકરી કરતાં કરતાં સ્નાતક સુધીનું શિક્ષણ લીધું. પણજી ખાતે ઑલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યું. 1984માં પૂર્ણ સમયના લેખક બન્યા. એમનાં પત્ની હેમા નાયક પણ લેખિકા છે. ‘રાનસુંદરી’ નામની ગીતકથાને ગોવા…

વધુ વાંચો >

નાયકપ્રભેદો

નાયકપ્રભેદો : રૂપકનું ફળ લઈ જનારા, અર્થાત્ નાયક તરીકે ઓળખાતા મુખ્ય પાત્રના પ્રકારો. તે નીચે પ્રમાણે છે : (1) સ્વભાવભેદથી નાયકના ચાર પ્રકાર છે : ધીરોદ્ધત : શૂરવીર, ગર્વિષ્ઠ, કૂટનીતિકુશળ અને આત્મશ્લાઘી. ધીરોદાત્ત : ગંભીર, ન્યાયી, ક્ષમાશીલ અને સ્થિરપ્રકૃતિયુક્ત. ધીરલલિત : વિલાસપ્રિય, નિશ્ચિંત અને મૃદુ સ્વભાવનો. ધીરશાન્ત : વિનમ્ર, નિરહંકારી…

વધુ વાંચો >

નાયક, પ્રાણસુખ મણિલાલ

નાયક, પ્રાણસુખ મણિલાલ (જ. 23 એપ્રિલ 1910, જગુદણ, જિ. મહેસાણા; અ. 12 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતની રંગભૂમિ પર પ્રાણસુખ ‘તેતર’ના નામે પ્રસિદ્ધ હાસ્યરસિક અભિનેતા. નટમંડળ દ્વારા ભજવાયેલા ‘મિથ્યાભિમાન’ નાટકમાં તેમની જીવરામ ભટ્ટની સફળ ભૂમિકા પરથી તેઓ જીવરામ ભટ્ટ તરીકે પણ ઘણા પ્રસિદ્ધ થયા હતા. જીવરામ ભટ્ટનો અભિનય તેમણે એવો…

વધુ વાંચો >

નાયિકાપ્રભેદો

Jan 11, 1998

નાયિકાપ્રભેદો : સંસ્કૃત રૂપકની નાયિકાના પ્રકારો. સંસ્કૃત ‘નાટક’ વગેરે રૂપકોમાં નાયકની સાથે નાયિકા પણ મહત્વનું સ્થાન ધરાવે છે. વિશેષત: શૃંગારરસપ્રધાન રૂપકમાં તો તે લગભગ કેન્દ્રસ્થાને રહે છે.. સાહિત્યાચાર્યોએ વિવિધ દૃષ્ટિએ તેના અનેક પ્રકારો પાડ્યા છે. (1) આચાર્ય ભરતે કુલીનતાની દૃષ્ટિએ ચાર ભેદ પાડ્યા : દિવ્યા, રાજરાણી, કુલસ્ત્રી અને ગણિકા. ‘નાટ્યદર્પણ’માં…

વધુ વાંચો >

નારણ, દુરૈક્કણ્ણન

Jan 11, 1998

નારણ, દુરૈક્કણ્ણન (જ. 1906, મયિલાનુર, ચેન્નાઈ; અ. 1990) : તમિળ લેખક. તખલ્લુસ ‘જીવા’. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચેન્નાઈમાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઉચ્ચ શિક્ષણ લઈ શક્યા નહિ અને મૅટ્રિક થઈને છાપખાનામાં પ્રૂફરીડર તરીકેનું કામ લીધું. પછી ધીમે ધીમે લેખન કરવા માંડ્યું. ઉત્તરોત્તર ‘આનંદબોધિની’, ‘પ્રચંડ વિકટન’ જેવી પત્રિકાઓ એમના…

વધુ વાંચો >

નારદ

Jan 11, 1998

નારદ : પ્રાચીન ભારતીય પરંપરામાં ઉલ્લેખ પામતા દેવર્ષિ. બ્રહ્માના માનસપુત્ર નારદ દશ પ્રજાપતિઓમાંના પણ એક છે. વિષ્ણુના પરમભક્ત તરીકે, દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક તરીકે અને સમર્પિત વિશ્વહિતચિંતક તરીકે, પૌરાણિક સાહિત્યમાં, નારદ ત્રિલોકમાં નિત્યપ્રવાસી બન્યા છે. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે ભગવન્નામરટણ. નારદનું આ લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ જ…

વધુ વાંચો >

નારદપુરાણ (નારદીય પુરાણ)

Jan 11, 1998

નારદપુરાણ (નારદીય પુરાણ) : 18 પુરાણોમાં છઠ્ઠું પુરાણ. વિવિધ પુરાણોની પુરાણાનુક્રમણિકાનુસાર નારદ કે નારદીય પુરાણ છઠ્ઠું કે સાતમું પુરાણ છે. એક મત મુજબ તેમાં 25,000 શ્લોકો છે. ભાગવતના મતે 15,000 શ્લોકો છે, પરંતુ ઘણું કરીને 22,000 શ્લોકો સર્વમાન્ય છે. સ્કંદપુરાણ અનુસાર નારદ અને નારદીય પુરાણ એક જ પુરાણનાં નામ છે.…

વધુ વાંચો >

નારદસંહિતા

Jan 11, 1998

નારદસંહિતા : નારદોક્ત ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. આ સંહિતાગ્રંથ જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત, સંહિતા અને હોરા – એ ત્રણેય સ્કંધોને સમાવી લે છે. ‘નારદસંહિતા’ માત્ર સંહિતા નથી, પણ ત્રિસ્કંધ જ્યોતિષસંહિતા છે. મૂળ ગ્રંથ ‘નારદપુરાણ’માં પુરાણના વિષયો સાથે જ્યોતિષશાસ્ત્રનું નિરૂપણ પણ કેટલાક અધ્યાયોમાં જોવા મળે છે. તેમાં ખાસ કરીને અ. 54, અ. 55, અ.…

વધુ વાંચો >

નારનોલ

Jan 11, 1998

નારનોલ :  વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાનું શહેર અને વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 28° 03’ ઉ.અ. અને 76° 07’ પૂ.રે.. રાજ્યની છેક દક્ષિણ સરહદ નજીક છલક નદી પર તે આવેલું છે. નારનોલથી 25 કિમી. દૂર ઉત્તર તરફ મહેન્દ્રગઢ આવેલું છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આજુબાજુના…

વધુ વાંચો >

નારલા, વી. આર.

Jan 11, 1998

નારલા, વી. આર. (જ. 1 ડિસેમ્બર 1908, જબલપુર, મધ્યપ્રદેશ; અ. 13 માર્ચ 1985) : તેલુગુ ભાષાના નાટ્યકાર, કવિ અને નિબંધકાર. તેમની નાટ્યકૃતિ ‘સીતાજોસ્યમ્’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1934માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ વ્યવસાયે પત્રકાર હતા અને અનેક વર્ષો સુધી ‘આંધ્રપ્રભા’ તથા ‘આંધ્રજ્યોતિ’ના…

વધુ વાંચો >

નારવેલ (Morning Glory  Railway Creeper)

Jan 11, 1998

નારવેલ (Morning Glory  Railway Creeper) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea cairica (Linn.) sweet syn. I. palmata Forsk; Convolvulus cairia (ગુ. નારવેલ, પાંચ પત્તી) છે. તે વળવેલ (twiner) હોવાથી અત્યંત ઝડપથી વૃદ્ધિ પામે છે. મંડપ અગર ટ્રેલિસ ઉપર એ ખૂબ જલદી વધીને એને ભરી…

વધુ વાંચો >

નારળીકર, જયન્ત વિષ્ણુ

Jan 11, 1998

નારળીકર, જયન્ત વિષ્ણુ (જ. 19 જુલાઈ 1938, કોલ્હાપુર) : ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ. વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને તેઓ ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી…

વધુ વાંચો >

નારળીકર, વિષ્ણુ વાસુદેવ

Jan 11, 1998

નારળીકર, વિષ્ણુ વાસુદેવ (જ. 26, સપ્ટેમ્બર 1908, કોલ્હાપુર; અ. 1 એપ્રિલ 1991, પુણે) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક. જન્મ એક સંસ્કારી કુટુંબમાં. મૂળ વતન કોલ્હાપુર પાસેનું પાટગાંવ. પિતા વાસુદેવ શાસ્ત્રી સંસ્કૃતના પંડિત હતા. ભાગવત પુરાણ ઉપર તેમનાં વ્યાખ્યાનો સાંભળવા મોટી મેદની ભેગી થતી. આ સંસ્કારની વિષ્ણુ નારળીકર ઉપર ઘણી અસર હતી…

વધુ વાંચો >