૧૦.૦૬

નાઇટ્રોનિયમ આયનથી નાગાર્જુનસૂરિ

નાઇટ્રોનિયમ આયન

નાઇટ્રોનિયમ આયન : નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડનાં મિશ્રણોમાં તથા નાઇટ્રોજન ઑક્સાઇડોના નાઇટ્રિક ઍસિડમાંના દ્રાવણમાં જોવા મળતો NO2+ આયન. બેન્ઝિનનું સંકેન્દ્રિત સલ્ફ્યુરિક તથા નાઇટ્રિક ઍસિડના મિશ્રણ વડે નાઇટ્રેશન કરવા દરમિયાન એવું જણાયું છે કે બેન્ઝિન બંનેમાંથી કોઈ પણ એક ઍસિડ સાથે પ્રક્રિયા ન કરતાં એક જુદા જ મધ્યવર્તી NO2+ સાથે પ્રક્રિયા…

વધુ વાંચો >

નાઇટ્રોપૅરેફિન

નાઇટ્રોપૅરેફિન : ઍલિફૅટિક સંયોજનોમાં ઊંચા ઉ. બિં. તથા ઊંચી આણ્વીય ધ્રુવીયતા ધરાવતાં નાઇટ્રોસંયોજનોની શ્રેણી. પ્રોપેનનું 400° સે. તાપમાન તથા 1034 કિ. પાસ્કલ(kPa) (11 કિગ્રા. બ./સેમી.2) દબાણે પ્રત્યક્ષ નાઇટ્રેશન કરીને વ્યાપારી ધોરણે નાઇટ્રોપૅરેફિન મેળવાય છે. કેટલાંક નાઇટ્રોપૅરેફિનનાં ઉ. બિં. આ પ્રમાણે છે : નાઇટ્રોમિથેન, 101° સે. ; નાઇટ્રોઇથેન, 114° સે. ;…

વધુ વાંચો >

નાઇટ્રોબેન્ઝિન

નાઇટ્રોબેન્ઝિન : આછા પીળા રંગનું મધુર પણ કડવી સુગંધવાળું તૈલી પ્રવાહી. તેનું ઉ. બિં. 210.9° સે., ગ. બિં. 5.6° સે. તથા ઘનતા 1.1987 છે. બેન્ઝિનનું નાઇટ્રિક ઍસિડ તથા સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણ દ્વારા નાઇટ્રેશન કરવાથી તે મળે છે. તેનું અણુસૂત્ર C6H5NO2 તથા બંધારણીય સૂત્ર છે : નાઇટ્રોબેન્ઝિન વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે છે,…

વધુ વાંચો >

નાઇટ્રોસિલ ક્લોરાઇડ (NOCℓ)

નાઇટ્રોસિલ ક્લોરાઇડ (NOCℓ) : અમ્લરાજ(aqua ragia)માંનો એક ઉપચયનકારી ઘટક. વાયુરૂપમાં તે પીળો જ્યારે પ્રવાહી રૂપમાં રતાશ પડતા પીળા રંગનો હોય છે. પ્રવાહીનું ગ. બિં. –59.6° સે.અને ઉ. બિં. –6.4° સે. તથા ઘનતા 1.273 (20° સે.) છે. વાયુ સળગી ઊઠે તેવો કે સ્ફોટક પ્રકૃતિનો નથી; પરંતુ ખૂબ જ સંક્ષારક (corrosive) છે.…

વધુ વાંચો >

નાઇમેય (Niamey)

નાઇમેય (Niamey) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ નાઇજર પ્રજાસત્તાકનું પાટનગર, મુખ્ય શહેર તથા નદીબંદર. નાઇમેય તે જ નામ ધરાવતા પ્રાંતનું પણ પાટનગર છે. ભૌગોલિક સ્થાન : 13° 31´ ઉ. અ. અને 2° 07´ પૂ. રે.. તે નાઇજર નદી પર દેશના નૈર્ઋત્ય ખૂણામાં રણની સરહદ પર વસેલું છે. તેનું સરેરાશ તાપમાન 35°…

વધુ વાંચો >

નાઇલ

નાઇલ : આફ્રિકા ખંડમાં આવેલી દુનિયાની સૌથી લાંબી નદી. તેની કુલ લંબાઈ 6671 કિમી. છે, જે પૈકી 2700 કિમી. જેટલો પ્રવાહપથ રણવિસ્તારમાંથી પસાર થાય છે, જ્યારે 3200 કિમી. જેટલો પ્રવાહપથ નૌકાવ્યવહાર માટે અનુકૂળ બની રહે છે. મધ્યપૂર્વ આફ્રિકામાં વિષુવવૃત્ત નજીક આવેલું વિક્ટોરિયા સરોવર આ નદીનું ઉદગમસ્થાન ગણાય છે અને નદીને…

વધુ વાંચો >

નાઇસ

નાઇસ : વિકૃત ખડકનો એક પ્રકાર. એવો સ્થૂળદાણાદાર ખડક કે જેમાં દાણાદાર ખનિજઘટકોથી બનેલા પટ્ટા વારાફરતી શિસ્ટોઝ સંરચનાવાળા પટ્ટાઓ સાથે ગોઠવાયેલા જોવા મળે છે. આવી ગોઠવણી મોટેભાગે વ્યવસ્થિત હોય છે. આ પ્રકારની ગોઠવણીને કે દેખાવને નાઇસિક, નાઇસોઇડ કે નાઇસોઝ સંરચના કહેવાય છે. આ સંરચના મિશ્ર પ્રકારની હોવાથી તેના ખનિજીય બંધારણ…

વધુ વાંચો >

નાઇસ-સંરચના

નાઇસ-સંરચના : જુઓ, નાઇસ.

વધુ વાંચો >

નાઉરૂ

નાઉરૂ : મધ્ય પ્રશાંત મહાસાગરમાં વિષૃવવૃત્તની તદ્દન નજીક દક્ષિણે આવેલો નાનકડો ટાપુ તથા દુનિયાનું  સૌથી નાનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. દુનિયાના નાના દેશો પૈકી તે ત્રીજા ક્રમે આવે છે, માત્ર વેટિકન શહેર અને મોનેકો જ તેનાથી નાનાં છે. ભૌગોલિક સ્થાન : 0° 32´ દ. અ. અને 166° 55´ પૂ. રે. તેની…

વધુ વાંચો >

નાક-છીંકણી

નાક-છીંકણી : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centipeda minima (Linn.) A. Br. & Aschers. Syn. C. Orbicularis Lour (સં. છિક્કા, ચિક્કણી; હિં નાક-ચિકની : મ. નાક શિંકણી, ભૂતાકેશી; બં. મેચિત્તા; અં. સ્નીઝવર્ટ) છે. તે ભારત અને શ્રીલંકાનાં સપાટ મેદાનોમાં અને નીચી ટેકરીઓ પર ભેજવાળાં સ્થાનોએ…

વધુ વાંચો >

નાગાર્જુન

Jan 6, 1998

નાગાર્જુન (આશરે આઠમી સદી) : રસવિદ્યાના વિખ્યાત ભારતીય કીમિયાગર (alchemist). નાગાર્જુન વિશે ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. તેમણે તંત્રજ્ઞાનનો વિખ્યાત ગ્રંથ ‘રસરત્નાકર’ લખવા ઉપરાંત સુશ્રુતનું સંપાદન કર્યું છે. એક નાગાર્જુન બૌદ્ધ તત્વજ્ઞાનના માધ્યમિકા સંપ્રદાયના સ્થાપક તથા મહાયાન શાખાના સ્થાપક બીજી સદીના અંતથી ત્રીજી સદીની શરૂમાં થયા હોવાનું મનાય છે. કહેવાય છે…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડા

Jan 6, 1998

નાગાર્જુનકોંડા : આંધ્રપ્રદેશમાં આવેલ નૂતન પાષાણયુગની વસાહત. આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પલ્નડ તાલુકાના કૃષ્ણા નદીના દક્ષિણ કિનારા પર ‘નાગાર્જુનકોંડા’ એટલે કે નાગાર્જુનની ટેકરી આવેલ છે. આ પ્રાચીન વસાહતની ભાળ સને 1926માં મળી. ઇજિપ્તમાં આવેલ નાઈલ નદી પર આસ્વાન બંધ બાંધવાની યોજનાથી અબુ સિંબેલનાં સ્મારકો પર જે ભય ઊભો થયો હતો તેવો…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડાનો સ્તૂપ

Jan 6, 1998

નાગાર્જુનકોંડાનો સ્તૂપ : દક્ષિણ ભારતના વિશેષતઃ કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના પ્રદેશ(વેંગી પ્રદેશ)નું જાણીતું બૌદ્ધ સ્થાપત્ય. આ સ્થળ આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પાલનડ તાલુકામાં કૃષ્ણા નદીને કાંઠે આવેલું છે. 1927થી 1931 દરમિયાન અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી કેટલાક સ્તૂપો, વિહારો, મહેલ, કિલ્લાઓ વગેરેના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ સ્થળેથી 9…

વધુ વાંચો >

નાગાર્જુન સિદ્વ

Jan 6, 1998

નાગાર્જુન સિદ્વ (ઈ. સ. બીજી સદી) : ગુજરાતના રસાયણવિદ્યાના જાણકાર. જૈનશાસનના પ્રસિદ્ધ સિદ્ધયોગી. ઢંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ તથા એમની પત્ની સુવ્રતાના પુત્ર ઔષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા તથા સુવર્ણરસની સિદ્ધિ મેળવવા, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા તે જંગલોમાં ભમ્યા હતા. તે એક પ્રભાવક જૈન આચાર્ય પાદલિપ્તસૂરિને સૌરાષ્ટ્રમાં ઢંકાપુરીમાં મળ્યા. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા…

વધુ વાંચો >

નાગાર્જુનસૂરિ

Jan 6, 1998

નાગાર્જુનસૂરિ (ઈ. સ. ની ચોથી શતાબ્દીનો પૂર્વાર્ધ) : જૈન આગમોને વ્યવસ્થિત કરનાર, નાગાર્જુની વાચનાના પ્રવર્તક. એમના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. તેને કારણે જૈન શ્રમણોને અહીંતહીં છૂટા પડી નાના નાના સમૂહોમાં રહેવું પડ્યું. શ્રુતધર સ્થવિરો એકબીજાથી દૂર દૂર વિખૂટા પડી જવાને કારણે તેમજ ભિક્ષાની દુર્લભતાને કારણે જૈન શ્રમણોમાં અધ્યયન-સ્વાધ્યાય ઓછાં થઈ…

વધુ વાંચો >