૧૦.૦૪

નવલકથાથી નહેરુ (નેહરુ) ટ્રૉફી

નવાબ, સારાભાઈ મણિલાલ

નવાબ, સારાભાઈ મણિલાલ (જ. 29 જુલાઈ 1907, ગોધાવી, જિ. અમદાવાદ; અ. 14 જૂન 1983, અમદાવાદ) : જૈનાશ્રિત મંત્રશાસ્ત્ર, વાસ્તુકલા તેમજ ચિત્રકલાના પ્રખર વિદ્વાન. જ્ઞાતિએ અમદાવાદના વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વણિક. પિતા મણિલાલ ચુનીલાલ નવાબ અમદાવાદમાં વેપાર કરતા હતા. માતા સમરથબહેન તેમને ચાર વર્ષના મૂકીને ગુજરી ગયાં. સારાભાઈનો જન્મ તેમના…

વધુ વાંચો >

નવાયસ લોહ

નવાયસ લોહ : આયુર્વેદિક ઔષધ. શરીરમાં લોહી ઘટી જવાથી જે ફીકાશ–પાંડુતા આવી જાય છે તેને દૂર કરનાર આ ઔષધિ છે. હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી પીપર, વાવડિંગ, નાગરમોથ અને ચિત્રક એ દરેક ઔષધિનું બારીક ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈ તેમાં તેટલા જ પ્રમાણમાં શાસ્ત્રીય વિધિથી તૈયાર કરેલ લોહભસ્મ ભેળવી ખરલમાં ઘૂંટીને…

વધુ વાંચો >

નવીન ડી. (ડોંગરી મલ્લાહ)

નવીન ડી. (ડોંગરી મલ્લાહ) (જ. 24 ડિસેમ્બર 1941, વાવિલાલા, જિ. વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલરેખલુ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી તેમજ હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ અર્થશાસ્ત્રના…

વધુ વાંચો >

નવું ભારતીય સંસદ ભવન

નવું ભારતીય સંસદ ભવન :  આત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત. આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની…

વધુ વાંચો >

નવ્યન્યાય

નવ્યન્યાય : ભારતના ન્યાયશાસ્ત્ર એટલે કે તર્કશાસ્ત્રની એક શાખા. ભારતીય તર્કશાસ્ત્રની બે મુખ્ય શાખાઓ છે : (1) પ્રાચીન ન્યાય અને (2) નવ્યન્યાય. પ્રાચીન ન્યાયમાં અક્ષપાદમુનિનો ન્યાયસૂત્રગ્રંથ, તેના ઉપર વાત્સ્યાયનનું ન્યાયભાષ્ય, ભાષ્ય ઉપર ઉદદ્યોતકરનું વાર્ત્તિક, વાર્ત્તિક ઉપર વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા, તેના ઉપર ઉદયનની પરિશુદ્ધિ ટીકા વગેરે ગ્રંથોનો તેમજ જયન્ત ભટ્ટની ન્યાયમંજરી…

વધુ વાંચો >

નશાખોરી

નશાખોરી : કેફી કે માદક પદાર્થનો વારંવાર નશો કરવાની વૃત્તિ. કેફી પદાર્થ લેવાથી વ્યક્તિના ચેતાતંત્ર ઉપર અસર થાય છે અને તેની અસર વ્યક્તિની મનોદૈહિક પ્રક્રિયા ઉપર પડે છે. આને કારણે કાં તો પ્રક્રિયા ઉત્તેજિત થાય છે અને શિથિલ પડે છે. આ ઉત્તેજના અથવા શિથિલતાના વિશિષ્ટ અનુભવને નશો કહેવામાં આવે છે.…

વધુ વાંચો >

નશીલા પાકો

નશીલા પાકો : જેની મુખ્ય કે ગૌણ પેદાશો નશો કે કેફ પેદા કરે તેવા પાકો. કેફી દ્રવ્યો(કેફ ચડાવે તેવાં)ને આયુર્વેદમાં મદકારી કહ્યાં છે. પ્રવૃત્તિશીલ ન હોય ત્યારે પણ માનવીનું મન સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતું હોવાથી તેને શારીરિક તેમજ માનસિક થાક લાગે છે. આ પરિસ્થિતિમાં શરીર અને મનનો થાક…

વધુ વાંચો >

નસકોરી ફૂટવી (epistaxis)

નસકોરી ફૂટવી (epistaxis) : નાકમાંથી લોહી પડવું તે. નાકના આગળના કે પાછળના ભાગમાંથી લોહી વહે છે. ક્યારેક નાકમાંથી લોહી આપોઆપ વહેવા માંડે છે તો ક્યારેક તે કોઈક ચોક્કસ કારણે થાય છે. નસકોરી ફૂટવાનાં અનેક કારણો છે. કારણવિદ્યા અને નિદાન : નસકોરી ફૂટવાનું કારણ સ્થાનિક એટલે કે નાકમાં જ હોય અથવા…

વધુ વાંચો >

નસબનામ-એ-જાડેજા

નસબનામ-એ-જાડેજા : આ ફારસી ગ્રંથ કચ્છના જાડેજા વંશના રાજવીઓનો ઈ. સ. 1819 સુધીનો ઇતિહાસ ધરાવે છે. આ ગ્રંથ ઈ. સ. 1878માં ભુજ પરગણાના વેરાગામના વતની કુંવરજી જાદવજી ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં મૌખિક લખાવ્યો હતો. આ મહત્ત્વના ઇતિહાસનો કચ્છના એ વખતના આસિસ્ટંટ રેસિડન્ટ વૉલ્ટેરના આદેશથી ફારસીમાં તરજુમો કરવામાં આવેલો. આ પુસ્તકની એકમાત્ર…

વધુ વાંચો >

નસાઉ (જર્મની)

નસાઉ (જર્મની) : જર્મનીનો ઐતિહાસિક વિસ્તાર. રહાઈન નદી અને ઐતિહાસિક હેસ પ્રદેશની વચ્ચેના વિસ્તારમાં બારમી સદીમાં ડ્યૂકના તાબા હેઠળ સ્થાપવામાં આવેલ સ્વતંત્ર એકમ/ઘટક. કાઉન્ટ ઑવ્ લૉરેન્બરીએ તે સ્થળ પર એક કિલ્લો બાંધ્યો હતો, જેના અનુવંશજ વાલરૅમે કાઉન્ટ ઑવ્ નસાઉનો ખિતાબ ધારણ કર્યો હતો. ત્યારપછી નસાઉ પર શાસન કરતું કુટુંબ બે…

વધુ વાંચો >

નવલકથા

Jan 4, 1998

નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં…

વધુ વાંચો >

નવલખા મંદિર

Jan 4, 1998

નવલખા મંદિર (ઈ. સ. અગિયારમી કે બારમી સદી) : નમૂનેદાર સ્થાપત્યનું પંચાંગી મંદિર. ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 45.72  30.48 મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી…

વધુ વાંચો >

નવલખી

Jan 4, 1998

નવલખી : સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિમી. અને મોરબીથી 43.3 કિમી. દૂર આવેલું છે. નવલખીની નાળ (channel) હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિમી. પહોળી…

વધુ વાંચો >

નવલશા હીરજી

Jan 4, 1998

નવલશા હીરજી : જૂની-નવી રંગભૂમિ પર ભજવાયેલું હાસ્યપ્રધાન નાટક. બાપુલાલ નાયકે તે 1909માં લખ્યું અને એ જ સાલમાં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ભજવ્યું. સળંગ હાસ્યપ્રધાન નાટકના પ્રથમ અંકમાં આપકમાઈ કરવા નીકળેલો નવલશા મોકામા નામના બંદરે આવે છે. ત્યાં રંગીલી અને શાણી નામની બે ધુતારી સ્ત્રીઓના પ્રપંચમાં ફસાઈને બધી મિલકત…

વધુ વાંચો >

નવસર્જન (regeneration)

Jan 4, 1998

નવસર્જન (regeneration) : જુઓ પુનર્જનન

વધુ વાંચો >

નવસાર (Sal ammoniac)

Jan 4, 1998

નવસાર (Sal ammoniac) : રાસાયણિક રીતે એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાતો અકાર્બનિક ઘન પદાર્થ. સૂત્ર NH4Cl. એમોનિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ અથવા એમોનિયા કાર્બોનેટ અને કૅલ્શિયમ ક્લોરાઇડનાં દ્રાવણો વચ્ચેની પ્રક્રિયામાં આંશિક સ્ફટિકીકરણ દ્વારા તે મેળવી શકાય છે : (NH4)2SO4 + 2NaCl → 2NH4Cl + Na2SO4 એમોનિયા-સોડા (સોલ્વે સોડા) પ્રવિધિમાં તે આડપેદાશ રૂપે…

વધુ વાંચો >

નવસારી (જિલ્લો)

Jan 4, 1998

નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને…

વધુ વાંચો >

નવસાહસાંકચરિત

Jan 4, 1998

નવસાહસાંકચરિત (1000 આસપાસ) : પરમાર વંશના રાજા સિંધુરાજ વિશે લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય. મૃગાંકદત્તના પુત્ર પદ્મગુપ્ત કે પરિમલ નામના કવિએ સિંધુરાજના ઐતિહાસિક પાત્ર વિશે આ મહાકાવ્ય રચ્યું છે. 18 સર્ગના બનેલા આ મહાકાવ્યમાં રાજા સિંધુરાજ નાગકન્યા શશિપ્રભા સાથે પરાક્રમ અને સાહસ બતાવી પરણ્યો તેનું કલ્પનાથી વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં નાયક…

વધુ વાંચો >

નવસોરી, હબીબુલ્લાહ

Jan 4, 1998

નવસોરી, હબીબુલ્લાહ (જ. 1555; અ. 1617) : કાશ્મીરી કવિ. મધ્યકાલીન યુગના આ અગ્રગણ્ય સૂફી કવિની કવિતા પર સૂફી સંત-કવિઓના પ્રભાવની સાથોસાથ કાશ્મીરનાં ભક્તકવયિત્રી લલ્લેશ્વરીનો પ્રભાવ હતો. આથી એમની કવિતામાં હિંદુ અને મુસ્લિમ બંનેના અધ્યાત્મવાદનો સમન્વય જોવા મળે છે. એમાં પ્રેમભક્તિનાં અને ઇશ્કે મિજાજીનાં કાવ્યો છે. એમાં પ્રભુ પોતાના પ્રેમની આરજૂનો…

વધુ વાંચો >

નવાબ, શેફતા મુસ્તફાખાન

Jan 4, 1998

નવાબ, શેફતા મુસ્તફાખાન (જ. 1806, દિલ્હી; અ. 1869) : ઉર્દૂના વિદ્વાન અને કવિ. ‘શેફતા’ તખલ્લુસ. તેમના પિતા નવાબ મુર્તુઝાખાન, નવાબ મુઝફ્ફરજંગના દીકરા હતા જે ફરેજાસિયરના શાસનકાળ દરમિયાન દિલ્હી આવ્યા હતા. નવાબ મુર્તુઝાખાને મહારાજા જસવંતરાવ હોલકરના લશ્કરમાં પદ પ્રાપ્ત કરી વફાદારીપૂર્વક ફરજ બજાવી હતી. તે વખતે મરાઠાઓ અને લૉર્ડ લેકની ફોજો…

વધુ વાંચો >