૧૦.૦૩

નરપતિજયચર્યા (1097)થી નવરોતિલોવા, માર્ટિના

નરપતિજયચર્યા

નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન…

વધુ વાંચો >

નરવર્ધન

નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ…

વધુ વાંચો >

નરવર્મા

નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ  ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને…

વધુ વાંચો >

નરસિંહ

નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ…

વધુ વાંચો >

નરસિંહગુપ્ત બાલાદિત્ય

નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો. માળવામાં…

વધુ વાંચો >

નરસિંહપુર

નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી…

વધુ વાંચો >

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (ચલચિત્ર : 1932) : ગુજરાતી ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર. નિર્માતા : સાગર મૂવીટોન, દિગ્દર્શક : નાનુભાઈ વકીલ, કથા : ચતુર્ભુજ દોશી, સંગીત : રાણે, છબીકલા : ફરેદૂન ઈરાની, મુખ્ય કલાકારો : મારુતિરાવ (નરસિંહ મહેતા), મોહન લાલા (રા’માંડલિક), ઉમાકાંત દેસાઈ, મનહર, બચુ, ત્રિકમદાસ, જમના, દેવી, મહેતાબ. 1931માં ભારતનું પ્રથમ…

વધુ વાંચો >

નરસિંહ મહેતો

નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે…

વધુ વાંચો >

નરસિંહાચાર, ડી. એલ.

નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં…

વધુ વાંચો >

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia)

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia) : પુરુષનું સ્તન મોટું થવું તે. સામાન્ય રીતે તેમાં પુરુષોના સ્તનની ગ્રંથિઓ મોટી થયેલી હોય છે. જો તે ઝડપથી થાય તો તેમાં દુખાવો થાય છે તથા તેને અડવાથી દુખે છે. જાડા છોકરાઓ તથા મોટી ઉંમરના પુરુષોમાં ઘણી વખતે ચરબી જામવાથી પણ નરસ્તનવૃદ્ધિ થયેલી લાગે છે. ડીંટડીના પરિવેશ(areola)ને આંગળીઓ…

વધુ વાંચો >

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર

Jan 3, 1998

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : પૂર્ણ રોજગારીમાં આર્થિક સમતુલા તથા આર્થિક વૃદ્ધિનું પૃથક્કરણ કરતી, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની પરંપરામાં વિકસેલી, આર્થિક વિશ્લેષણની એક આગવી પદ્ધતિ. ઓગણીસમી સદીમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે સીમાવર્તી વિશ્લેષણની પદ્ધતિ અપનાવીને એક વિશિષ્ટ અભિગમ કેટલાક અર્થશાસ્ત્રીઓએ અપનાવ્યો હતો. તેમને અનુસરીને ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના ક્ષેત્રે જે સિદ્ધાંતો વિકસાવ્યા તેમના સમૂહને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહેવામાં…

વધુ વાંચો >

નવપ્રશિષ્ટવાદ (neo-classicism)

Jan 3, 1998

નવપ્રશિષ્ટવાદ (neo-classicism) : અઢારમી સદીની મધ્યમાં રોમમાં ઉદ્ભવ પામીને સમસ્ત પશ્ચિમી જગતમાં પ્રસરેલો કલાવાદ. તેના ઉદ્ભવ, વિકાસ અને પ્રસાર માટે અતિ આલંકારિક તથા અતિ શણગારસજાવટવાળી બરોક અને રકોકો શૈલીઓનો અતિરેક અંશત: જવાબદાર ગણી શકાય. એ ઉપરાંત પ્રાચીન ગ્રીક અને રોમન કળાનું પુનરુત્થાન કરવાના એકનિષ્ઠ પ્રયાસો પણ આ વાદના ઉદ્ભવ માટે…

વધુ વાંચો >

નવભારત ટાઇમ્સ

Jan 3, 1998

નવભારત ટાઇમ્સ : ભારતનું હિંદી ભાષાનું નોંધપાત્ર દૈનિક વર્તમાનપત્ર. બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીના ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથનું પ્રકાશન. 1950માં દિલ્હીમાંથી તેનું પ્રકાશન શરૂ કરાયું. સમય જતાં સબળ સંસ્થાની વ્યવસ્થા તથા અદ્યતન મુદ્રણતંત્ર આદિનો તેને લાભ મળ્યો. જયપુર, પટણા, લખનૌ અને મુંબઈ જેવા દેશનાં અન્ય શહેરોમાંથી તેની આવૃત્તિઓ શરૂ કરાઈ.…

વધુ વાંચો >

નવમાનવવાદ (neo-humanism)

Jan 3, 1998

નવમાનવવાદ (neo-humanism) : માનવને કેન્દ્રમાં રાખીને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે વ્યવસ્થાઓ અને વ્યવહારોનું કેવી રીતે નિર્માણ કરવું એની વ્યવસ્થિત વિચારણા કરતી વિચારધારા. એથીય વિશેષ માનવવાદ જગતને જોવાનો, સમજવાનો એક પરિપ્રેક્ષ્ય અથવા અભિગમ પણ છે. આમ તો, માનવવાદ માનવઇતિહાસ જેટલો જૂનો છે પણ એની ખાસ અભિવ્યક્તિ પ્રાચીન ગ્રીક ચિંતક પ્રોટાગોરાસના…

વધુ વાંચો >

નવરથ દેઉલ

Jan 3, 1998

નવરથ દેઉલ : મંદિરનિર્માણના નકશાનો એક પ્રકાર. ઓરિસાની આગવી સ્થાપત્યશૈલી મૂળભૂત હિંદુ સ્થાપત્યની ધારામાં હોવા છતાં એક અલગ પ્રકારની પ્રતિભા ઊભી કરે છે. આ મંદિરોના બાંધકામમાં એક ચોક્કસ પ્રકારનો દેખીતો ફરક જણાય છે. ઓરિસાનાં મંદિરોના નકશા તથા ઇમારતી ઢાંચા સમગ્ર હિંદુ શૈલીથી જુદા પડે છે. મંદિરો માટે પણ પ્રચલિત શબ્દ…

વધુ વાંચો >

નવરસનામા

Jan 3, 1998

નવરસનામા : ભારતીય સંગીત વિશે સોળમા સૈકામાં પ્રાચીન ઉર્દૂ ભાષામાં રચાયેલો ગ્રંથ. તેનું મૂળ નામ ‘કિતાબે નવરસ’ હતું, પરંતુ તે ‘નવરસનામા’ના નામે વિશેષ ઓળખાય છે. તે દખ્ખણી કવિતામાં છે. તેની રચના 1598–99માં દક્ષિણ ભારતના બીજાપુર શહેરમાં થઈ હતી. તેના કર્તા બીજાપુરના આદિલશાહી વંશના સમ્રાટ ઇબ્રાહીમ આદિલશાહ બીજા (1580થી 1628) છે.…

વધુ વાંચો >

નવરંગ

Jan 3, 1998

નવરંગ : ચાલુક્ય અથવા હોયસળ શૈલીનાં મંદિરોમાં (1050થી 1300) સામાન્ય રીતે મંદિરના ગર્ભગૃહ સાથે સાંકળવામાં આવેલ મંડપ. તે સ્તંભો દ્વારા રચાયેલ હોય છે. સ્તંભોની ગોઠવણી ઘણી વખત અત્યંત નજીક રખાયેલ હોવાથી મંડપનો ખ્યાલ ન આવે. દરેક સ્તંભની રચના અલગ અલગ કારીગરોને સોંપવામાં આવતી અને તેની કોતરણી અને શિલ્પ દાતાની ઇચ્છા…

વધુ વાંચો >

નવરાત્રી

Jan 3, 1998

નવરાત્રી : હિંદુ તિથિપત્ર અનુસાર મુખ્યત્વે આસો માસના પ્રથમ નવ દિવસો દરમિયાન ચાલતો હિંદુઓનો શક્તિપૂજાનો તહેવાર. તાંત્રિકો અને શાક્ત સંપ્રદાયના લોકો હિંદુ 12 મહિનાઓમાં બેકી માસના પ્રથમ નવ દિવસો દરમિયાન પણ નવરાત્રી માને છે. નવરાત્રીમાં દેવી પાર્વતીના એક સ્વરૂપ દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે. પરિણામે બંગાળમાં તેને ‘દુર્ગાપૂજા’…

વધુ વાંચો >

નવરોઈન રાધા

Jan 3, 1998

નવરોઈન રાધા (જ. સત્તરમી સદી) : મધ્યકાલીન કાશ્મીરી સંત કવિ. એમના જીવન અને કાવ્ય વિશે ‘ઋષિનામા’ પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. તેમાં જણાવ્યા મુજબ નાનપણમાં જ એમનાં લગ્ન થયાં હતાં. ગૃહસ્થજીવનમાં નિરાશા સાંપડતાં એમણે એકાંત ગુફામાં જઈને યોગસાધના કરી અને કાશ્મીરનાં સાધ્વી કવયિત્રી લલ્લેશ્વરીના એ શિષ્ય બન્યા. એમનાં કાવ્યો ‘નુંદદ્રેશિ’ નામે…

વધુ વાંચો >

નવરોઝ

Jan 3, 1998

નવરોઝ : ગુજરાતી ભાષાનું પારસી વર્તમાનપત્ર. પૂર્વ ભારત – કૉલકાતાથી ઈ. સ. 1913માં એદલજી નવરોજી કાંગા નામના પારસી ગૃહસ્થે ‘નવરોઝ’ નામનું અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં સંયુક્ત રીતે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કર્યું. કૉલકાતાની ગુજરાતી પ્રજાનો સારો એવો સાથ અને સહકાર કાંગાને પ્રાપ્ત થયો. તેમને ‘નવરોઝ’ના સંપાદન અને સંચાલનમાં…

વધુ વાંચો >