ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

દૂરવાણી

દૂરવાણી દૂરવાણી (telephony) : દૂરનાં બે સ્થળો વચ્ચે સંદેશાવ્યવહાર સ્થાપવા માટેના વ્યાપક-દૂરસંચાર(telecommunication)ની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શાખા. આ પદ્ધતિમાં ટેલિફોન જેવા સાદા ઉપકરણનો ઉપયોગ કરીને, કોઈ પણ દેશની વ્યક્તિ, ગમે તે દેશની બીજી વ્યક્તિ સાથે સીધી જ વાતચીત કરી શકે છે. ટેલિફોનની શોધ, સ્કૉટલૅન્ડમાં જન્મેલા પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા, બોસ્ટન…

વધુ વાંચો >

દૂરસંવેદન

દૂરસંવેદન (remote sensing) : દૂરના પદાર્થ(object)નું સ્પર્શ કર્યા વગર સંવેદન. દૂરના પદાર્થ અંગેની માહિતી મેળવવાના સાધનને સંવેદક કહેવાય છે. ઉદાહરણ તરીકે કૅમેરા. આંખ, કાન, ચામડી અને નાક આપણા શરીરનાં સંવેદકો છે. તેમની મદદથી અનુક્રમે જોઈ, સાંભળી, તાપમાનનો અનુભવ અને ગંધ પારખી શકાય છે. આંખ દૂરના પદાર્થમાંથી નીકળતાં વિદ્યુતચંબકીય કિરણોને ગ્રહણ…

વધુ વાંચો >

દૂલનદાસી પંથ

દૂલનદાસી પંથ : સંત દૂલનદાસીએ સ્થાપેલો કૃષ્ણભક્તિમાં માનતો પંથ. તેઓ આશરે સત્તરમા સૈકામાં ઉત્તરપ્રદેશના સમસી(લખનૌ)ના નિવાસી હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને શ્રીકૃષ્ણની દાસીભાવે ભક્તિ કરી હતી. તેમણે ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરીને પોતાના પંથનો પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં તેમણે આ પંથના પ્રચાર માટે 14 ગાદીઓ સ્થાપી હતી અને પોતાના શિષ્યોને…

વધુ વાંચો >

દૂષિત જળનું સૂક્ષ્મજીવશાસ્ત્ર

દૂષિત જળનું સૂક્ષ્મજીવશાસ્ત્ર : મીઠા કે દરિયાઈ પાણીમાં સેંદ્રિય (કાર્બનિક) પ્રદૂષકો ભળવાથી સૂક્ષ્મજીવો વડે તેના પર થતી જૈવી ક્રિયાઓનો ખ્યાલ આપતું જીવવિજ્ઞાન. રાસાયણિક સ્રાવ (effluents), સુએજ, તેમજ દૂષિત જમીન પરથી વહેતું પાણી જળાશયોમાં પ્રવેશવાથી તેમજ માનવની બેદરકારીને લીધે પાણી દૂષિત બને છે. આવાં પાણીમાં ભળતાં ઘણાં કાર્બનિક સંયોજનો સૂક્ષ્મજીવો માટે…

વધુ વાંચો >

ર્દઢોતક

ર્દઢોતક (sclerenchyma) : સખત દીવાલ ધરાવતા કોષોની બનેલી વનસ્પતિપેશી. ગ્રીક શબ્દ ‘scleros’ = hard = સખત કે કઠણ ઉપરથી તેને sclerenchyma કે ર્દઢોતક કહે છે. આ પેશી જાડી દીવાલવાળા કોષોની બનેલી હોય છે. વૃદ્ધિ પૂર્ણ થયા પછી તેમની પ્રાથમિક દીવાલો પર દ્વિતીયિક દીવાલ બને છે. પ્રાથમિક અને દ્વિતીયિક દીવાલો મુખ્યત્વે…

વધુ વાંચો >

ર્દશ્ય જીવયુગ

ર્દશ્ય જીવયુગ : જુઓ, ભૂસ્તરીય કાળક્રમ.

વધુ વાંચો >

ર્દશ્ય વર્ણપટ

ર્દશ્ય વર્ણપટ : વીજચુંબકીય વિકિરણનો લગભગ 400થી 800 નેમી (1 નેમી = 10–9 મી.) તરંગલંબાઈ વચ્ચેનો ર્દશ્યમાન ભાગ. પ્રકાશ એક પ્રકારના વીજચુંબકીય તરંગો તરીકે વર્તે છે. આ તરંગો જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા હોવાથી જ્યારે સૂર્યપ્રકાશની એક કિરણાવલીને કાચના એક ત્રિપાર્શ્વમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ર્દશ્ય વર્ણપટ તરીકે ઓળખાતો રંગોનો…

વધુ વાંચો >

ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ

ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ : ર્દષ્ટિ-શ્રુતિગમ્ય સાધનોના ઉપયોગ દ્વારા અપાતું શિક્ષણ. જ્ઞાનેન્દ્રિયોને જાગ્રત અને પ્રવૃત્ત કરવાનાં સાધનો શ્રુતિ-ષ્ટિગમ્ય સાધનો તરીકે ઓળખાય છે. ઇન્દ્રિયો દ્વારા થતી સંવેદના (sensation) સાથે જ્ઞાનતંત્ર જોડાય છે ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન (perception) થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનના પાયા ઉપર વ્યક્તિ વિચાર કરે છે ત્યારે અધ્યયન (learning) શક્ય બને છે. આમ…

વધુ વાંચો >

ર્દષ્ટિચકતીની ક્ષીણતા

ર્દષ્ટિચકતીની ક્ષીણતા (optic atrophy) : આંખમાંથી ર્દષ્ટિની સંવેદના લઈ જતી ર્દષ્ટિચેતા(optic nerve)ની ચકતીના ક્ષીણ થવાનો અને અંધાપો લાવતો વિકાર. ર્દષ્ટિપટલ(retina)માંના ચેતાતંતુઓ એકઠા થઈને ર્દષ્ટિચકતી (optic disc) બનાવે છે અને ત્યાંથી તે ર્દષ્ટિચેતા રૂપે મગજ તરફ જાય છે. ર્દષ્ટિચેતા 1 મિમી. જેટલી આંખના ગોળાની દીવાલમાં, 25 મિમી. જેટલી આંખના ગોખલા અથવા…

વધુ વાંચો >

ર્દષ્ટિદોષ, વક્રીભવનીય

ર્દષ્ટિદોષ, વક્રીભવનીય (error of refraction) : આંખમાંનાં પારદર્શક માધ્યમોમાં થતા વિષમ વક્રીભવનને કારણે ઝાંખું દેખાવાનો વિકાર થવો તે. પ્રકાશનાં કિરણો જ્યારે પારદર્શક માધ્યમ બદલે ત્યારે તે વાંકાં વળે છે. તેને વક્રીભવન (refraction) કહે છે. તે સિદ્ધાંતનો આંખમાં ઉપયોગ કરાયેલો છે. બહારથી આવતા પ્રકાશનાં કિરણોને યોગ્ય રીતે વાંકાં વાળીને ર્દષ્ટિપટલના પીતબિંદુ…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >