ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ)
દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ) (જ. 1 ઑક્ટોબર 1924, અમદાવાદ; અ. 30 જુલાઈ 2009, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી સ્વરકાર તથા ગાયક કલાકાર. અંગત વર્તુળમાં ‘ક્ષેમુ’ નામથી લોકપ્રિય. પિતા અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ગુજરાત સંગીત મંડળના આદ્યસ્થાપક હતા. માતાનું નામ સરયૂબા. ગુજરાત કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે…
વધુ વાંચો >દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ
દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ (જ. 3 સપ્ટેમ્બર 1859, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 1937) : ગુજરાતી ભાષાના સાક્ષર અને કવિ. ‘જ્ઞાનબાલ’, ‘નરકેસરી’, ‘મુસાફર’, ‘પથિક’, ‘દૂરબીન’, ‘શંભુનાથ’, ‘વનવિહારી’ વગેરે ઉપનામોથી પણ લેખન કરેલું છે. મુખ્યત્વે કાવ્ય, વિવેચન, ભાષાશાસ્ત્ર અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રાથમિક-માધ્યમિક કેળવણી અમદાવાદમાં. 1880માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા સંસ્કૃત વિષય સાથે…
વધુ વાંચો >દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ
દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ (જ. 2 ઑક્ટોબર 1851, અમદાવાદ; અ. 13 ઑક્ટોબર 1890, અમદાવાદ) : ગુજરાતી કવિ. જન્મ અમદાવાદમાં. તેમણે 1870માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પરીક્ષા પછી એમને ક્ષય લાગુ પડ્યો એટલે આગળ ઉચ્ચ અભ્યાસની તેમની મહેચ્છા ફળી નહિ. 1880માં નોકરી અર્થે વડોદરા ગયા. દસેક વર્ષ તેમણે વડોદરામાં વિતાવ્યાં, પણ…
વધુ વાંચો >દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ
દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ (જ. 31 માર્ચ 1875, અમદાવાદ; અ. 27 નવેમ્બર 1917, મુંબઈ) : તખલ્લુસ ‘સુબંધુ’ અને ‘સાર્જન્ટ રાવ’. ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ રાધનપુરમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં, 1895માં મૅટ્રિક. 1902–1903માં, કાલોલ, રાજકોટ, ધોલેરામાં નોકરી. 1903માં ‘સુંદરીસુબોધ’નું પ્રકાશન. 1904–1906 દરમિયાન ‘સુમતિ’, ‘મેઘનાદ’, ‘નાગર’ પત્રોનું પ્રકાશન. 1905માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ., 1906–1907માં અમદાવાદમાં…
વધુ વાંચો >દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર)
દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર) (જ. 17 ફેબ્રુઆરી 1886, વડોદરા; અ. 3 ઑગસ્ટ 1968, મુંબઈ) : ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તથા મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ. તેમણે મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રથમ અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ, ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષ – એમ અનેક હોદ્દા શોભાવ્યા હતા. અમદાવાદના વડનગરા…
વધુ વાંચો >દિવેલાની વૈજ્ઞાનિક ખેતી
દિવેલાની વૈજ્ઞાનિક ખેતી : ભારતના અખાદ્ય તેલીબિયાંના પાકોમાં દિવેલાનું સ્થાન પ્રથમ છે. દિવેલનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં થાય છે. દિવેલા : વાવેતર અને ઉત્પાદન પ્રદેશ વાવેતરવિસ્તાર ઉત્પાદન મુખ્યત્વે વવાય છે. લાખ હેક્ટર ટકા લાખ ટન ટકા દુનિયા 22થી 25 – 15થી 18 – ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, રશિયા, આફ્રિકા, ચીન…
વધુ વાંચો >દિવોદાસ અતિથિગ્વ
દિવોદાસ અતિથિગ્વ : પૂર્વના વૈદિક સમયનો એક આગળપડતો રાજવી. એના પિતાનું નામ વધ્ય્ર (ઋ 6–61–1) હતું અને ભરતવંશમાંના તૃત્સુ કુટુંબના સુપ્રસિદ્ધ રાજવી સુદાસનો પિતામહ થતો હતો. સુદાસનો પિતા પિજવન દિવોદાસનો પુત્ર થતો હતો. દિવોદાસ તુર્વશો અને યદુઓનો વિરોધી હતો. એનો મોટો શત્રુ તો ‘દાસ’ વર્ગનો જાણીતો શંબર હતો. આ શંબર…
વધુ વાંચો >દિવ્યચક્ષુ
દિવ્યચક્ષુ (1932) : ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈની લોકપ્રિય સામાજિક–રાજકીય નવલકથા. 1930માં દાંડીકૂચ દ્વારા મીઠાના સત્યાગ્રહે સમગ્ર દેશમાં ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચાર અને કાર્યક્રમોનો પડઘો પાડેલો તેનું તાર્દશ ચિત્ર ‘દિવ્યચક્ષુ’માં રજૂ થયું છે. ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પણ દેશને માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની ભાવના શતમુખ પ્રગટેલી. તત્કાલીન લોકજીવનમાં સ્વાતંત્ર્ય માટેની કુરબાની અને સામાજિક…
વધુ વાંચો >દિશાકોણ
દિશાકોણ (bearing) : દિશાકીય સ્થિતિ દર્શાવતો કોણ. કોઈ એક જગાએથી ઉત્તર દિશાના સંદર્ભમાં લેવાતું, ભૂમિચિહન(landmark, object)નું ક્ષૈતિજ સમતલમાં કોણીય અંતર. આ કોણીય અંતરનાં મૂલ્ય પૂર્ણ અંશ(0°થી 360°)માં દર્શાવાય છે, પરંતુ આવશ્યકતા મુજબ તે 30 મિનિટ કે 15 મિનિટના વિભાજન સુધી પણ દર્શાવી શકાય છે. જેમ કે કોઈ ત્રણ ભૂમિચિહનોના દિશાકોણ…
વધુ વાંચો >દિશાનિર્ધારણ
દિશાનિર્ધારણ (direction-finding) હવાઈ કે દરિયાઈ જહાજ તેની મુસાફરી દરમિયાન તેના માર્ગમાં કયે સ્થળે આવેલું છે તેમ જ આગળ કઈ દિશામાં જઈ રહ્યું છે તે નિશ્ચિત કરતી એક સંરચના. દિશાનિર્ધારણ ત્રણ જુદી જુદી રીતે થઈ શકે છે. (1) દિગ્ધર્મી ઍન્ટેના, (2) ઉપગ્રહ અને (3) રડાર વડે. કાર કે બસના કિસ્સામાં દિશાનિર્ધારણ…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >