ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ
દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ (જ. 18 સપ્ટેમ્બર 1909, સૂરત; અ. 8 ઑક્ટોબર 1998, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, ગાંધીવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક. કુટુંબનો પરંપરાગત વ્યવસાય હાથીદાંતની વસ્તુઓ વેચવાનો હોવાથી કુટુંબની અટક દાંતવાલા પડી. પિતા મહારાષ્ટ્રના ધુળે ખાતે એક જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીના મૅનેજર. તેથી મૅટ્રિક સુધીનું તેમનું શિક્ષણ તે…
વધુ વાંચો >દાંતોં, ઝોર્ઝ ઝાક
દાંતોં, ઝોર્ઝ ઝાક (જ. 21 ઑક્ટોબર 1759, આર્સી સ્યુર ઓબ; અ. 5 એપ્રિલ 1794) : ફ્રાન્સની ક્રાંતિના અગ્રણી નેતા અને પ્રતિભાશાળી વક્તા. તેમણે 1784માં કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને કાનૂની વ્યવસાય માટે પૅરિસ આવ્યા. 1789માં દાંતોં એસ્ટેટ્સ-જનરલમાં ચૂંટાયા. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સશક્ત નેતૃત્વ અને વાક્છટાને લીધે થોડા સમયમાં તે પૅરિસની ક્રાંતિકારી…
વધુ વાંચો >દિકામારી
દિકામારી : દ્વિદળી વર્ગના રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia gummifera Linn. F. (સં. નાડી હિંગુ, હિંગુનાડિકા; હિં.બં.મ. ડિકામાલી; ગુ. દિકામારી, ક. કલહત્તિ, તા. ડિક્કેમલ્લી, તે ચિભહિંગ્વા, અ. કનખામ) છે. તે ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ લગભગ 1.5થી 1.8 મી. અને ઘેરાવો 30 સેમી.…
વધુ વાંચો >દિક્પાલ
દિક્પાલ : દિશાનો રક્ષક. ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં છ દિશા અને તેના અધિપતિનો ઉલ્લેખ છે. આ અધિપતિમાં દેવત્વનું આરોપણ કરીને એનું અર્ચન શરૂ થયું. વાસ્તુશાસ્ત્રમાં દિક્પાલને દેવ ગણીને દેવાલયના મંડોવરમાં દિક્પાલની સેવ્યપ્રતિમા મૂકવાની પ્રથા આરંભાઈ જે પ્રકારાન્તરે આજે પણ અસ્તિત્વમાં છે. રામાયણ, મહાભારતમાં ચાર દિક્પાલોનો ઉલ્લેખ મળે છે. પાલિસાહિત્યમાં દિક્પાલ ‘મહારાજ’નું નામાભિધાન…
વધુ વાંચો >દિગંબર કવિતા
દિગંબર કવિતા : આધુનિક ક્રાંતિકારી તેલુગુ કવિતા. પૂર્વનિશ્ચિત જીવનમૂલ્યોનો અસ્વીકાર કરીને સમગ્ર પ્રાચીનતાને ફગાવીને, નવા જીવનબોધનું મૂલ્યાંકન, દિગંબરપણે કશાય મુખવટા સિવાય કરવાના આશયથી આંધ્રના કેટલાક કવિઓએ દિગંબર પંથની સ્થાપના કરી. એ કવિઓમાં મુખ્ય હતા નગ્નમુનિ નિખિલેશ્વર, જ્વાલામુખી, ચેરખંડ રાજુ, ભૈરવપ્પા તથા મહાસ્વપ્ન. એમણે એમના નામથી નવો સંવત્સર ચલાવ્યો. ઋતુઓ અને…
વધુ વાંચો >દિગંબર જૈન સંપ્રદાય
દિગંબર જૈન સંપ્રદાય : જૈન ધર્મનો એક સંપ્રદાય. જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છે : (1) દિગંબર અને (2) શ્વેતાંબર. જૈન ધર્મના 24 તીર્થંકરોને બંને સ્વીકારે છે અને બંનેમાં ભક્તિ કે ઉપાસનામાં કશો ભેદ નથી; પરંતુ મુખ્ય ભેદ તેમનાં નામોમાંથી જ સ્પષ્ટ થાય છે. દિશારૂપી વસ્ત્ર પહેરનારા સાધુઓવાળો એ દિગંબર…
વધુ વાંચો >દિગ્દર્શક
દિગ્દર્શક : દિશા ચીંધનાર એટલે કે નાટ્યમંચન માટે નાટકના લેખ(script)નું કલાશાસ્ત્રીય અર્થઘટન કરી, સમગ્ર નાટ્યમંડળી દ્વારા એની પ્રસ્તુતિનો આયોજક. લેખની પસંદગી, પાત્રવરણી, પાત્રસર્જન, રિયાઝ, સન્નિવેશ, રંગવેશભૂષા, પ્રકાશ અને સંગીતના આયોજનની સઘળી પ્રવૃત્તિમાં કેન્દ્રે રહી ભાવક-સંપર્ક અને સંબંધ માટે નિર્ણાયક નાટ્ય-અભિવ્યક્તિ અને અનુભાવનનાં સર્વ સૂત્રો સંભાળે તે દિગ્દર્શક. નાટ્ય-પ્રસ્તુતિના પ્રલંબ ઇતિહાસમાં…
વધુ વાંચો >દિગ્બોઈ
દિગ્બોઈ : આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23’ ઉ. અ. અને 95° 38’ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ…
વધુ વાંચો >દિદ્દા
દિદ્દા (દશમી સદીનો ઉત્તરાર્ધ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન અભિનવગુપ્તના પૌત્ર પર્વગુપ્તથી શરૂ થયેલા કાશ્મીરના એક રાજવંશની રાજમાતા અને ક્ષેમગુપ્ત(950)ની પત્ની. લોહર પ્રદેશના રાજા ખશ સિંહરાજની આ કુંવરી મહત્વાકાંક્ષી, ખટપટી, મેધાવી અને પ્રતિભાવંત હતી. ક્ષેમગુપ્ત આઠ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો ત્યારે તેનો પુત્ર અભિમન્યુ સગીર હતો. આથી રાજમાતા દિદ્દાએ વાલી…
વધુ વાંચો >દિનકર
દિનકર (જ. 23 સપ્ટેમ્બર 1908, સિમરિયા મુંગેર જિલ્લો, બિહાર; અ. 24 એપ્રિલ 1974) : હિંદી ભાષાના અગ્રણી કવિ. મૂળ નામ રામધારી સિંહ. રાષ્ટ્રકવિનું બિરુદ પામેલા. ‘દિનકર’ તખલ્લુસ. ‘પદ્મભૂષણ’ (1959)ના સન્માન ઉપરાંત સાહિત્ય અકાદમી, દિલ્હી (1960) અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (1972)ના વિજેતા. ભાગલપુર યુનિવર્સિટીએ 1961માં ડિ.લિટ્ની માનદ ઉપાધિ આપેલી. ગરીબ ખેડૂત…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >