ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
દસ્તાવેજી રૂપક
દસ્તાવેજી રૂપક : રેડિયો-કાર્યક્રમ અથવા ચલચિત્ર, જેમાં મનોરંજન તથા શિક્ષણના હેતુથી સત્ય ઘટનાના અંશોને આવરી લેવામાં આવે છે. દસ્તાવેજી રૂપકો લગભગ દરેક દેશમાં બને છે અને સમૂહ માધ્યમોને પ્રભાવિત કરે છે. વીસમી સદીનાં પ્રથમ 25 વર્ષના અંત આસપાસ જૉન ગ્રિયર્સન નામના સ્કૉટિશ કેળવણીકારે મૂળ ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજીમાં ‘ડૉક્યુમેન્ટરી’ શબ્દ પ્રયોજ્યો.…
વધુ વાંચો >દસ્તૂર-ઉલ્-અમલ
દસ્તૂર-ઉલ્-અમલ : મુઘલકાળનાં વહીવટી અને હિસાબી દફતરો. ફારસીમાં લખાયેલ દફતરોની સાધન-સામગ્રી 16મીથી 18મી સદીઓના ગાળાના દેશના સામાજિક-આર્થિક જીવન વિશેની આપણી જાણકારીને સમૃદ્ધ કરે છે. જોકે મુઘલ ફરમાનો, સનદો અને મદ્રદ્-ઇ. મઆશ(ધર્માદા જમીનનાં દાનો)ને લગતા દસ્તાવેજો સંખ્યાબંધ જગ્યાઓએ મળી આવ્યા છે, પરંતુ આ કીમતી સંગ્રહોનો જથ્થો ભારતમાં ત્રણ દફતર-કેન્દ્રો – બિકાનેરમાં…
વધુ વાંચો >દસ્યુ
દસ્યુ : એક પ્રાચીન આર્યવિરોધી પ્રજા. ઋગ્વેદ(1-51-8, 1-103-3, 1-117-21; 2-11-18 ને 19; 3-34-9, 6-18-3, 7-5-6, 10-83-6)માં દસ્યુઓને આર્ય (સંસ્કારી) ભારતીયોના શત્રુઓ કહેવામાં આવ્યા છે; અન્યત્ર (5-70-3, 10-83-6) એમને ચોક્કસ પ્રકારની પ્રજા કહેવામાં આવ્યા છે. આ દસ્યુઓને ‘અકર્મા’ (કર્મકાંડ ન કરનારા, 10-22-8), ‘અદેવયુ, (દેવોના વિષયમાં ઉપેક્ષાવૃત્તિવાળા, 8-70-11), ‘અબ્રહ્મન્ (બેવફા કે ભક્તિહીન,…
વધુ વાંચો >દહન
દહન (combustion) : વાયુમય, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં હોય એવા કોઈ પણ પદાર્થની બળવાની ક્રિયા. દહન દરમિયાન દહનશીલ પદાર્થ-(ઇંધન)નું ઉપચયન થાય છે અને ઉષ્મા તથા કોઈ વાર પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. આ ઉપચયનકારક પદાર્થ ઑક્સિજન જ હોય તે આવશ્યક નથી; ઑક્સિજન કોઈ રાસાયણિક સંયોજનનો એક ભાગ હોઈ શકે (દા.…
વધુ વાંચો >દહન-ઉષ્મા
દહન-ઉષ્મા : કોઈ એક દબાણે પદાર્થના એક મોલ જથ્થાનું વધુપડતા ઑક્સિજનમાં પૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા (સં., ΔH). જો આ દહન 25° સે. અને 1 વાતા. દબાણે થાય તો દહન-ઉષ્માને પ્રમાણભૂત દહન-ઉષ્મા કહેવામાં આવે છે અને તેને ΔH°298 એ રીતે દર્શાવવામાં આવે છે. દહનના ફળસ્વરૂપે પદાર્થ જે તત્વોનો બનેલો…
વધુ વાંચો >દહિયો
દહિયો : કપાસને Ramularia arila નામની ફૂગથી થતો રોગ. તેને છારિયો પણ કહે છે. ભારતમાં તે દર વર્ષે દેશી જાતોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી.કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ તે જોવા મળેલ છે. લાંબા ચોમાસાવાળાં ભેજવાળાં વર્ષોમાં તેમજ નીચાણવાળા પાણી ભરાઈ રહે તેવા વિસ્તારમાં આ રોગથી થતા…
વધુ વાંચો >દહીં
દહીં : જુઓ, દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરીઉદ્યોગ.
વધુ વાંચો >દહીંવાલા, ગની
દહીંવાલા, ગની (જ. 17 ઑગસ્ટ 1908, સૂરત; અ. 5 માર્ચ 1987, સૂરત) : ગુજરાતી ગઝલકાર. મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. પ્રાથમિક શાળાનું ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ લીધેલું. 1928ની આસપાસ થોડોક વખત અમદાવાદમાં રહેલા. ત્યારપછી કાયમ માટે સૂરતમાં જઈ વસ્યા. દરજીકામની દુકાન ચલાવતાં ચલાવતાં સારા ગઝલકાર બન્યા. એમણે ‘સ્વરસંગમ’ નામે સંગીતપ્રેમીઓની…
વધુ વાંચો >દહેજ
દહેજ : ભારતીય લગ્નવ્યવસ્થાના દૂષણ-સ્વરૂપે વિકસેલી સામાજિક પ્રથા. આ દેશવ્યાપી પ્રથાએ લગ્નસંસ્થા અને સ્ત્રીના સામાજિક દરજ્જા સંદર્ભે ગંભીર પ્રશ્નો અને પડકારો સર્જ્યા છે. હિન્દુઓ, મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓમાં દહેજની બદી ફેલાયેલી છે. હિન્દુઓમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ બંધન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તેમાં કન્યાદાન અપાયું હોય.…
વધુ વાંચો >દહેજ (બંદર)
દહેજ (બંદર) : ભરૂચ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : તે 21 41´ ઉ. અ. અને 72 30´ પૂ. રે. પર આવેલું છે. જે ખંભાતના અખાતની પૂર્વમાં બાનની ખાડી (Ban Creek) પાસે આવેલું છે. આ બંદર કુદરતી બંદર છે. તેની ઊંડાઈ 25 મીટર જેટલી છે. ભારતીય નૌકાદળના જળઆલેખન – 2082માં…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >