૯.૩૦

ધ્યાનચંદથી ધ્વન્યાલોક (નવમી સદી)

ધ્રુવદેવી

ધ્રુવદેવી : ધ્રુવદેવી ઉર્ફે ધ્રુવસ્વામિનીદેવી ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત બીજા(વિક્રમાદિત્ય : 381 થી 412)ની મહારાજ્ઞી હતી. વિશાખદત્ત-કૃત ‘દેવીચંદ્રગુપ્તમ્’ નાટકના ત્રુટિત અંશમાંથી તેમજ બીજાં કેટલાંક સાધનોમાંથી તેની વિગત મળે છે. તે પરથી જણાય છે કે પ્રથમ એ ગુપ્તસમ્રાટ રામગુપ્ત(ઈ. સ. 380 થી 81)ની રાણી હતી. રામગુપ્ત પર શક રાજાનું આક્રમણ થતાં તેનો સામનો…

વધુ વાંચો >

ધ્રુવનો તારો

ધ્રુવનો તારો (North Star) : ઉત્તર ધ્રુવ ઉપર બરાબર મથાળે આવેલો સ્થિર અને ર્દશ્ય તારો. તેને ધ્રુવતારો (Polaris) પણ કહે છે. ધ્રુવતારાની પાસે આવેલ આ ધ્રુવબિંદુ આકાશના બધા જ્યોતિઓનું ચકરાવા-કેન્દ્ર (center of rotation) છે. ધ્રુવ મત્સ્ય તારકમંડળ(ursa minor constellation)નો સૌથી વધારે તેજસ્વી તારો છે. ધ્રુવતારો ભૌગોલિક ધ્રુવ છે જ્યાં બધાં…

વધુ વાંચો >

ધ્રુવ, હરિલાલ હર્ષદરાય

ધ્રુવ, હરિલાલ હર્ષદરાય (જ. 10 મે 1856, બહિયેલ, સાબરકાંઠા; અ. 29 જૂન 1896) : ગુજરાતના એક સમર્થ વિદ્વાન. તેઓ કવિ, અનુવાદક, સંશોધક, પુરાતત્વવિદ અને સંપાદક હતા. 1870માં મૅટ્રિક, 1873માં બી.એ. થયા. 1880માં એલએલ.બી. 1881થી ’84 સુધી શિક્ષક. 1884થી સૂરતમાં વકીલાત. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ. પુરાતત્વવિષયક સંશોધનલેખોને લીધે 1889માં સ્ટૉકહોમની…

વધુ વાંચો >

ધ્રુવીકરણ

ધ્રુવીકરણ (વૈદ્યુત) (polarisation-electric) : પરાવૈદ્યુત (અવાહક) (dielectric) પદાર્થના દ્વિધ્રુવની વિદ્યુતક્ષેત્રને સમાંતર બનવાની ઘટના. માઇકલ ફૅરેડેએ પ્રાયોગિક રીતે સિદ્ધ કર્યું કે સમાંતર પ્લેટ-સંગ્રાહકની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં જ્યારે પરાવૈદ્યુત પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે તેના વિદ્યુત-ધ્રુવીકરણને કારણે સંગ્રાહકની ધારિતામાં ઘણો વધારો થાય છે. સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રૉન હોવાને કારણે વિદ્યુતક્ષેત્રની હાજરીમાં વિદ્યુતપ્રવાહવહનની…

વધુ વાંચો >

ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન

ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન (Polar Satellite Launch Vehicle–PSLV) : ભારતના ઉપગ્રહ પ્રમોચક વાહનની ત્રીજી પેઢીનું વાહન. પહેલી અને બીજી પેઢીમાં અનુક્રમે ઉપગ્રહ પ્રમોચક વાહન (SLV-3) અને સંવર્ધિત (augmented) અંતરીક્ષયાન પ્રમોચક વાહન(ASLV)નો સમાવેશ થાય છે. ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહનની મદદથી, તેના નામને અનુરૂપ 1,000 કિગ્રા. વજનના ઉપગ્રહને 900 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય…

વધુ વાંચો >

ધ્રુવીય જ્યોતિ

ધ્રુવીય જ્યોતિ (Aurora) : પૃથ્વીના ધ્રુવ-પ્રદેશના આકાશમાં દેખાતો પ્રકાશ. અધિક સૌર-પ્રક્રિયા (solar activity) તથા ભૂ-ચુંબકીય તોફાનો દરમિયાન ધ્રુવીય જ્યોતિની ઘટના બને છે. સૌર તેજ-વિસ્ફોટ (solar flare) દરમિયાન સૂર્યમાંથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રૉન ભૂ-ચુંબકીય ક્ષેત્રની અસરથી તેના માર્ગમાંથી વિચલિત થઈને પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના…

વધુ વાંચો >

ધ્રોળ

ધ્રોળ : જામનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ધ્રોળનું જૂનું નામ ‘ધમાલપુર’ હતું. પણ જામ રાવળના નાનાભાઈ હરધોળજીના નામ ઉપરથી તેનું ‘ધ્રોળ’ નામ પડ્યું છે. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.. ધ્રોળ તાલુકાની ઉત્તરે અને પશ્ચિમે જોડિયા તાલુકો, પૂર્વ દિશામાં રાજકોટ જિલ્લાનો પડધરી તાલુકો…

વધુ વાંચો >

ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ

ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ (ઈ. સ. 1931) : રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ. સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(1914–1939)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી. ત્યાંના રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ 1931માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધી-ઇર્વિન…

વધુ વાંચો >

ધ્વજ-સ્તંભ

ધ્વજ-સ્તંભ : સામાન્ય રીતે શિવ-મંદિરમાં ધજા માટે બનાવાતો અલાયદો સ્તંભ. દક્ષિણ ભારતના સ્થાપત્યમાં આ સ્તંભનું આગવું મહત્વ છે. શરૂઆતના તબક્કામાં લાકડામાંથી જ બનાવાતા આ સ્તંભને કાયમી બનાવવા પાછળથી પથ્થર જેવી વધુ આવરદાવાળી બાંધકામની સામગ્રીમાંથી બનાવાતો. જેમ મદુરાના રચનામૂલક મંદિરમાં ધ્વજ-સ્તંભનું સ્થાન તથા તેની રચના નોંધપાત્ર છે તેમ ઇલોરાના ગુફા-સ્થાપત્યના ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >

ધ્વનિ

ધ્વનિ (sound) : સામાન્ય રીતે કાન દ્વારા સાંભળી શકાય તે આવૃત્તિ અને તીવ્રતાથી સ્થિતિસ્થાપક દ્રવ્ય (material) માધ્યમમાં થતું કંપન; વ્યાપક અર્થમાં સ્થિતિસ્થાપક માધ્યમની સંતુલિત અવસ્થામાં થતો યાંત્રિક વિક્ષોભ. ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થને સ્પર્શ કરવાથી પદાર્થની આ દોલનસ્થિતિનો અનુભવ કરી શકાય છે. પદાર્થનાં દોલન મંદ પડતાં ધ્વનિની તીવ્રતા પણ મંદ પડે…

વધુ વાંચો >

ધ્યાનચંદ

Mar 30, 1997

ધ્યાનચંદ (જ. 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ; અ. 3 ડિસેમ્બર 1979, દિલ્હી) : ભારતીય હૉકીના વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને સુકાની. પંદર વર્ષની ઉમરથી તેમણે હૉકી રમવાની શરૂઆત કરી હતી જેમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને કારણે 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. હૉકીના…

વધુ વાંચો >

ધ્યેયલક્ષી સંચાલન

Mar 30, 1997

ધ્યેયલક્ષી સંચાલન : પૂર્વનિર્ણીત ધ્યેયો અને હેતુઓને સિદ્ધ કરવા માટે સંગઠનના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પરસ્પર સમજૂતીથી નિર્ધારિત કરવામાં આવતી સંચાલનની યોજનાબદ્ધ પદ્ધતિ. તેનાં બે મુખ્ય પાસાં હોય છે. સંગઠનનાં ધ્યેયો નક્કી કરવાં તથા તે ધ્યેયો કાર્યાન્વિત કરવા માટેની વ્યૂહરચના ઘડવી. આ અર્થમાં ધ્યેયલક્ષી સંચાલન એ ધ્યેયસિદ્ધિ માટેની વ્યૂહરચનાને…

વધુ વાંચો >

ધ્રાંગધ્રા

Mar 30, 1997

ધ્રાંગધ્રા : સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્યનું પાટનગર. ધ્રાંગધ્રા તાલુકો 22° 45´થી 23° 15´ ઉ. અ. અને 71° 15´થી 71° 30´ પૂ. રે. વચ્ચે આવેલો છે, જ્યારે ધ્રાંગધ્રા શહેર ફલ્કુ નદી પર, 22° 59´ ઉ. અ. અને 71° 28´ પૂ. રે. પર આવેલું છે. આ…

વધુ વાંચો >

ધ્રાંગધ્રા સત્યાગ્રહ

Mar 30, 1997

ધ્રાંગધ્રા સત્યાગ્રહ : હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્ય આવેલું હતું. ત્યાં લોકોને નાગરિકસ્વાતંત્ર્ય ન હતું. 1931માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન ધ્રાંગધ્રામાં ભરવા માટે ધ્રાંગધ્રા તથા હળવદના લોકોએ નિમંત્રણ પાઠવ્યું. તે જાણીને રાજ્યના સત્તાધીશોએ પરિષદ ભરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો. પરિષદના મંત્રી દેવચંદ પારેખે દીવાન માનસિંહજી સમક્ષ કરેલી માગણીનો અસ્વીકાર થયો.…

વધુ વાંચો >

ધ્રુ, ગટુલાલ ગોપીલાલ

Mar 30, 1997

ધ્રુ, ગટુલાલ ગોપીલાલ (જ. 10 મે 1881, અમદાવાદ; અ. 24 મે 1968, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સમાજસુધારક, લેખક અને પત્રકાર. નાજર ગોપીલાલ મણિલાલને ત્યાં માતા બાળાબહેન ભોળાનાથની કૂખે વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. નરસિંહરાવ દિવેટિયાના ભાણેજ તથા વિદ્યાગૌરી નીલકંઠના નાના ભાઈ થાય. વતન ઉમરેઠ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ તથા અમદાવાદમાં અને…

વધુ વાંચો >

ધ્રુપદ

Mar 30, 1997

ધ્રુપદ : ઉત્તર હિંદુસ્તાની ગાયકીનો પ્રાચીન પ્રકાર. શાસ્ત્રીય સંગીતના વિકાસનો ઇતિહાસ તપાસતાં ગાયનનું આદ્ય સ્વરૂપ ધ્રુવપદ મળે છે. પંડિત ભાવભટ્ટના ‘અનુપસંગીતરત્નાકર’માં વ્યાખ્યાનની રીતનું તેનું વર્ણન મળે છે. ગીર્વાણ ભાષા, સાહિત્યનો ઉચ્ચ પ્રકાર અને સમાજજીવનના ઉન્નત અનુભવો પર રચાયેલું કાવ્ય તે ધ્રુવપદ. આ કાવ્યો મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલાં હતાં પણ તે…

વધુ વાંચો >

ધ્રુવ

Mar 30, 1997

ધ્રુવ (સને 780 થી 793) : દક્ષિણ ભારતનો પરાક્રમી રાષ્ટ્રકૂટ રાજવી. રાષ્ટ્રકૂટો પ્રથમ દખ્ખણના ચાલુક્ય શાસકોના સામંતો હતા; પરંતુ દંતિદુર્ગે અંતિમ ચાલુક્ય રાજા કીર્તિવર્મનને હરાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના કરી (સને 753). તેણે માન્યખેટ કે નાસિકને પોતાની રાજધાની બનાવી. તેના અવસાન (સને 758) બાદ તેનો કાકો કૃષ્ણ પહેલો શાસક…

વધુ વાંચો >

ધ્રુવ અને ધ્રુવી

Mar 30, 1997

ધ્રુવ અને ધ્રુવી (Pole and Polar) : સમતલ (plane) પરનાં બિંદુ અને રેખાઓનું સાયુજ્ય (correlation) દર્શાવતો ખ્યાલ. સમતલમાં આવેલા આધાર વર્તુળ (base circle) C નું કેન્દ્ર O છે. P સમતલ પરનું બિંદુ છે અને વર્તુળ C ના સંદર્ભમાં P બિંદુને સાપેક્ષ બિંદુ Q  આવેલું છે, જેથી OP.OQ = r2 થાય…

વધુ વાંચો >

ધ્રુવ, આનંદશંકર

Mar 30, 1997

ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના…

વધુ વાંચો >

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’

Mar 30, 1997

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (જ. 17 ઑક્ટોબર 1859, બહિયેલ, દહેગામ; અ. 13 માર્ચ 1938) : અગ્રણી ગુજરાતી સાક્ષર. 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા. 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા. 1934માં નિવૃત્ત થયા. 1920થી 1938 સુધી…

વધુ વાંચો >