૯.૩૦

ધ્યાનચંદથી ધ્વન્યાલોક (નવમી સદી)

ધ્વનિશાસ્ત્ર

ધ્વનિશાસ્ત્ર : જુઓ, ભાષા અને ભાષાવિજ્ઞાન.

વધુ વાંચો >

ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય

ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય : ધ્વનિસિદ્ધાંત : ધ્વનિ એટલે વ્યંજના દ્વારા વાચકના ચિત્તમાં પ્રતીત થતો કાવ્યનો અંતર્હિત અર્થ. શબ્દનો ઉચ્ચાર કરતાં સીધેસીધો સમજાતો અર્થ એ વાચ્યાર્થ, જે અભિધા શક્તિથી મળે છે; દા. ત., ‘કમળ’ એ શબ્દનો એ નામનું ફૂલ એવો અર્થ, વાચ્યાર્થ છે. વાચ્યાર્થ બંધ બેસે નહિ ત્યારે લક્ષણાશક્તિથી મળતો અર્થ…

વધુ વાંચો >

ધ્વન્યાલોક (નવમી સદી)

ધ્વન્યાલોક (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિનું નિરૂપણ કરતો શકવર્તી ગ્રંથ. તેના લેખક આનંદવર્ધન કાશ્મીરનરેશ અવન્તિવર્મા (ઈસુની નવમી સદી)ની સભામાં વિદ્વાન કવિ હતા. એમની પૂર્વે અને પછી પણ કાવ્યમાં આત્મા અથવા પ્રધાન તત્ત્વ કયું છે એ પ્રશ્નની ચર્ચાવિચારણા થયા કરતી હતી. આનંદવર્ધન પૂર્વે કાવ્યમાં ગુણ, અલંકાર, રીતિ કે રસમાંથી કોઈ…

વધુ વાંચો >

ધ્યાનચંદ

Mar 30, 1997

ધ્યાનચંદ (જ. 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ; અ. 3 ડિસેમ્બર 1979, દિલ્હી) : ભારતીય હૉકીના વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને સુકાની. પંદર વર્ષની ઉમરથી તેમણે હૉકી રમવાની શરૂઆત કરી હતી જેમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને કારણે 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. હૉકીના…

વધુ વાંચો >

ધ્યેયલક્ષી સંચાલન

Mar 30, 1997

ધ્યેયલક્ષી સંચાલન : પૂર્વનિર્ણીત ધ્યેયો અને હેતુઓને સિદ્ધ કરવા માટે સંગઠનના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પરસ્પર સમજૂતીથી નિર્ધારિત કરવામાં આવતી સંચાલનની યોજનાબદ્ધ પદ્ધતિ. તેનાં બે મુખ્ય પાસાં હોય છે. સંગઠનનાં ધ્યેયો નક્કી કરવાં તથા તે ધ્યેયો કાર્યાન્વિત કરવા માટેની વ્યૂહરચના ઘડવી. આ અર્થમાં ધ્યેયલક્ષી સંચાલન એ ધ્યેયસિદ્ધિ માટેની વ્યૂહરચનાને…

વધુ વાંચો >

ધ્રાંગધ્રા

Mar 30, 1997

ધ્રાંગધ્રા : સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્યનું પાટનગર. ધ્રાંગધ્રા તાલુકો 22° 45´થી 23° 15´ ઉ. અ. અને 71° 15´થી 71° 30´ પૂ. રે. વચ્ચે આવેલો છે, જ્યારે ધ્રાંગધ્રા શહેર ફલ્કુ નદી પર, 22° 59´ ઉ. અ. અને 71° 28´ પૂ. રે. પર આવેલું છે. આ…

વધુ વાંચો >

ધ્રાંગધ્રા સત્યાગ્રહ

Mar 30, 1997

ધ્રાંગધ્રા સત્યાગ્રહ : હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્ય આવેલું હતું. ત્યાં લોકોને નાગરિકસ્વાતંત્ર્ય ન હતું. 1931માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન ધ્રાંગધ્રામાં ભરવા માટે ધ્રાંગધ્રા તથા હળવદના લોકોએ નિમંત્રણ પાઠવ્યું. તે જાણીને રાજ્યના સત્તાધીશોએ પરિષદ ભરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો. પરિષદના મંત્રી દેવચંદ પારેખે દીવાન માનસિંહજી સમક્ષ કરેલી માગણીનો અસ્વીકાર થયો.…

વધુ વાંચો >

ધ્રુ, ગટુલાલ ગોપીલાલ

Mar 30, 1997

ધ્રુ, ગટુલાલ ગોપીલાલ (જ. 10 મે 1881, અમદાવાદ; અ. 24 મે 1968, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સમાજસુધારક, લેખક અને પત્રકાર. નાજર ગોપીલાલ મણિલાલને ત્યાં માતા બાળાબહેન ભોળાનાથની કૂખે વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. નરસિંહરાવ દિવેટિયાના ભાણેજ તથા વિદ્યાગૌરી નીલકંઠના નાના ભાઈ થાય. વતન ઉમરેઠ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ તથા અમદાવાદમાં અને…

વધુ વાંચો >

ધ્રુપદ

Mar 30, 1997

ધ્રુપદ : ઉત્તર હિંદુસ્તાની ગાયકીનો પ્રાચીન પ્રકાર. શાસ્ત્રીય સંગીતના વિકાસનો ઇતિહાસ તપાસતાં ગાયનનું આદ્ય સ્વરૂપ ધ્રુવપદ મળે છે. પંડિત ભાવભટ્ટના ‘અનુપસંગીતરત્નાકર’માં વ્યાખ્યાનની રીતનું તેનું વર્ણન મળે છે. ગીર્વાણ ભાષા, સાહિત્યનો ઉચ્ચ પ્રકાર અને સમાજજીવનના ઉન્નત અનુભવો પર રચાયેલું કાવ્ય તે ધ્રુવપદ. આ કાવ્યો મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલાં હતાં પણ તે…

વધુ વાંચો >

ધ્રુવ

Mar 30, 1997

ધ્રુવ (સને 780 થી 793) : દક્ષિણ ભારતનો પરાક્રમી રાષ્ટ્રકૂટ રાજવી. રાષ્ટ્રકૂટો પ્રથમ દખ્ખણના ચાલુક્ય શાસકોના સામંતો હતા; પરંતુ દંતિદુર્ગે અંતિમ ચાલુક્ય રાજા કીર્તિવર્મનને હરાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના કરી (સને 753). તેણે માન્યખેટ કે નાસિકને પોતાની રાજધાની બનાવી. તેના અવસાન (સને 758) બાદ તેનો કાકો કૃષ્ણ પહેલો શાસક…

વધુ વાંચો >

ધ્રુવ અને ધ્રુવી

Mar 30, 1997

ધ્રુવ અને ધ્રુવી (Pole and Polar) : સમતલ (plane) પરનાં બિંદુ અને રેખાઓનું સાયુજ્ય (correlation) દર્શાવતો ખ્યાલ. સમતલમાં આવેલા આધાર વર્તુળ (base circle) C નું કેન્દ્ર O છે. P સમતલ પરનું બિંદુ છે અને વર્તુળ C ના સંદર્ભમાં P બિંદુને સાપેક્ષ બિંદુ Q  આવેલું છે, જેથી OP.OQ = r2 થાય…

વધુ વાંચો >

ધ્રુવ, આનંદશંકર

Mar 30, 1997

ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના…

વધુ વાંચો >

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’

Mar 30, 1997

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (જ. 17 ઑક્ટોબર 1859, બહિયેલ, દહેગામ; અ. 13 માર્ચ 1938) : અગ્રણી ગુજરાતી સાક્ષર. 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા. 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા. 1934માં નિવૃત્ત થયા. 1920થી 1938 સુધી…

વધુ વાંચો >