ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

જઠરનિરીક્ષા (gastroscopy)

Jan 17, 1996

જઠરનિરીક્ષા (gastroscopy) : જઠરમાં પ્રકાશવાહી તંતુઓવાળી નળી વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પ્રક્રિયા કરવા માટે વિશેષ તાલીમ લીધેલી જરૂરી ગણાય છે. જઠર-આંતરડાંના માર્ગમાં અંદર નિરીક્ષણ કરવાની ક્રિયા સૌપ્રથમ 1880માં થઈ હતી. તે માટે વપરાતા સાધનને જઠર-અંત:દર્શક અથવા જઠરદર્શક (gastroscope) કહે છે. શરૂઆતમાં આ અંત:દર્શક કડક નળીના…

વધુ વાંચો >

જઠરશોથ (gastritis)

Jan 17, 1996

જઠરશોથ (gastritis) : જઠરનો શોથજન્ય (inflammatory) વિકાર થવો તે. જઠરની અંદરની દીવાલ(શ્લેષ્મકલા, mucosa)માં શોથને કારણે ટૂંકા સમયનો કે લાંબા ગાળાનો સોજો થાય તેને જઠરશોથ કહે છે. તેના વર્ગીકરણમાં મતમતાંતર છે. શસ્ત્રક્રિયા કે અંત:નિરીક્ષા (endoscopy) વડે કરાયેલા પેશીપરીક્ષણમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના જઠરમાં શોથજન્ય વિકાર નથી એવું જણાય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) :

Jan 17, 1996

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) : જઠરના નીચેના છેડે આવેલા સ્નાયુઓની અતિવૃદ્ધિને કારણે જઠરનું દ્વાર સાંકડું થવાનો વિકાર તે શિશુઓમાં તથા ક્યારેક પુખ્તવયે થતો વિકાર છે. દર 1000 શિશુએ 3થી 4 શિશુમાં તે થાય છે. તેનું કારણ નિશ્ચિત કરાયેલું નથી. તેને માટે વિવિધ સંકલ્પનાઓ (hypotheses) વિચારાયેલી છે. સૌથી વધુ…

વધુ વાંચો >

જઠરાંત્રશોથ

Jan 17, 1996

જઠરાંત્રશોથ : જુઓ : આહારજન્ય વિષાકતતા

વધુ વાંચો >

જડત્વની ચાકમાત્રા (moment of inertia)

Jan 17, 1996

જડત્વની ચાકમાત્રા (moment of inertia) : ચાકગતિ કરતા પદાર્થના દળ અથવા તેની સપાટીના ક્ષેત્રફળનો ભ્રમણાક્ષ(axis of rotation)ના સ્થાન સાથેનો સંબંધ. સ્થિતિકી(statics)માં અને ગતિકી(dynamics)માં કેટલાક કોયડાના ઉકેલ માટે અનુક્રમે ક્ષેત્રફળ અને દળની જડત્વની ચાકમાત્રાનો ઉપયોગ થાય છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થના જડત્વની ચાકમાત્રા એટલે પ્રત્યેક કણના દળ અને ભ્રમણાક્ષથી લીધેલા લંબઅંતરના વર્ગના…

વધુ વાંચો >

જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system)

Jan 17, 1996

જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system) : રૉકેટ, વિમાન, પનડૂબી (submarine) જેવાં વાહનોના નૌસંચાલન (navigation) માટેની માર્ગદર્શક પદ્ધતિ. નૌસંચાલનની અન્ય પદ્ધતિઓની જેમ જડત્વીય નિર્દેશક જમીન કે તારાનાં અવલોકનો ઉપર, રેડિયોસંકેતો ઉપર અથવા વાહનની બહારની કોઈ પણ માહિતી ઉપર આધારિત નથી; પરંતુ જડત્વીય માર્ગદર્શક (navigator) નામે ઓળખાતી પ્રયુક્તિ (device) દોરવણી માટેની…

વધુ વાંચો >

જત

Jan 17, 1996

જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ…

વધુ વાંચો >

જત દૂરેઇ જાઈ

Jan 17, 1996

જત દૂરેઇ જાઈ (1962) : સુભાષ મુખોપાધ્યાય(1919)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદેમી ઍવૉર્ડ એનાયત થયેલો. લેખક કૉલકાતા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ; રાજકીય પ્રવાહોથી પ્રભાવિત થયેલા; 1942માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયેલા. બંગાળના પ્રગતિશીલ લેખકોને પ્રોત્સાહિત કરતા. માર્ક્સિસ્ટ વલણ ધરાવતા મુખોપાધ્યાયની કવિતામાં કચડાયેલા, ગરીબ લોકો પ્રત્યેની ઊંડી સહાનુભૂતિ જોવા મળે છે. શીર્ષક-કાવ્ય ‘જત…

વધુ વાંચો >

જતૂકર્ણ

Jan 17, 1996

જતૂકર્ણ (ઈ. પૂ. 1000 આ.) : પુનર્વસુ આત્રેયના શિષ્યોમાંના એક. તેમણે જતૂકર્ણતંત્ર અથવા જતૂકર્ણસંહિતા લખી છે તેમ મનાય છે. આયુર્વેદમાં પ્રસિદ્ધ ટીકાકારો ચક્રપાણિ, જેજ્જટ, ડલ્હણ, અરુણ દત્ત, વિજય, રામેત, નિશ્ચલકર, શ્રીકંઠ દત્ત તથા શિવદાસ સેન બધાએ પોતપોતાની ટીકામાં જતૂકર્ણનાં ઉદાહરણો ટાંક્યાં છે. તથાપિ આજના આયુર્વેદ વાઙ્મયમાં જતૂકર્ણસંહિતા ઉપલબ્ધ નથી. જતૂકર્ણ…

વધુ વાંચો >

જત્તી, બસપ્પા દાનપ્પા

Jan 17, 1996

જત્તી, બસપ્પા દાનપ્પા (જ. 10 સપ્ટેમ્બર 1912 અ. 7/8 જૂન, 2002, સાવલગી, કર્ણાટક રાજ્ય) : 1977ના ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન, ફખરુદ્દીન અલી અહમદના નિધન અને સંજીવ રેડ્ડીની ચૂંટણીના વચગાળામાં, ઉપરાષ્ટ્રપતિને નાતે રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર બી. ડી. જત્તી હાલના કર્ણાટક રાજ્યના બિજાપુર જિલ્લામાં જમખંડી તાલુકાના એમના વતનવિસ્તારમાં પંચાયત સ્તરેથી પાયાના કાર્યકર તરીકે…

વધુ વાંચો >