ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
જુલિયન કાલાવધિ
જુલિયન કાલાવધિ : રોમન ગણરાજ્યના જુલિયન અને ગ્રેગરિયન તિથિપત્ર અનુસારના ત્રણે વર્ષમાનના લઘુતમ સમાન ગુણક (least common multiple) મુજબ 7980 વર્ષની અવધિ. રોમન ગણરાજ્યના તિથિપત્રમાં સામાન્ય વર્ષ 355 સૌરદિનનું ગણાતું અને દર ત્રીજા વર્ષે એક અધિક માસ 23 ફેબ્રુઆરી પછી ઉમેરવાનો રિવાજ હતો. એટલે તેની સરેરાશ વર્ષમાન 365 સૌર દિનની…
વધુ વાંચો >જુલિયન તિથિપત્ર (calendar)
જુલિયન તિથિપત્ર (calendar) : રોમન ગણરાજ્ય-તિથિપત્રનું સુધારેલું અને ગ્રેગરિયન તિથિપત્રનું પુરોગામી સ્વરૂપ. રોમન તિથિપત્રમાં 2થી 4 વર્ષને સમયગાળે એક અધિક માસ ઉમેરવાની પ્રથા હતી; પરંતુ અધિક માસ કયે વર્ષે ઉમેરવો તે નિર્ણય કરવા માટેના સુનિશ્ચિત નિયમને અભાવે, જેમને હસ્તક આ કામગીરી સોંપવામાં આવી હતી તેવા સ્થાનિક ધર્મગુરુઓ પોતાને મન ફાવે…
વધુ વાંચો >જુલિયન દિનાંક
જુલિયન દિનાંક (Julian day number, JD) : ઈ. પૂ. 4713ના 1 જાન્યુઆરીની બપોરે 12 UTથી પ્રચલિત થયેલ સૌર દિનની અસ્ખલિત શ્રેણીમાં ઇષ્ટ સમયને દર્શાવતો દિનાંક. ગ્રેગરિયન તિથિપત્રની શરૂઆત થઈ તે વર્ષે, 1582માં જૉસેફ જે. સ્કૅલિજરે આ દિનાંકપદ્ધતિ સૂચવી હતી. રોમન પ્રમુખસત્તાધીશ જુલિયસ સીઝરના માનમાં રોમન સેનેટે જુલિયન તિથિપત્રને એ નામ…
વધુ વાંચો >જુલિયસ સીઝર
જુલિયસ સીઝર : રોમન સામ્રાજ્યના સમ્રાટ સીઝર વિશેનાં ચલચિત્રો. વિશ્વવિખ્યાત આંગ્લ નાટ્યકાર શેક્સપિયરે લખેલા નાટકના આધારે 2 વિખ્યાત ફિલ્મો સર્જાઈ છે. અમેરિકાની ચિત્રસંસ્થા મેટ્રો ગોલ્ડવિન મેયરે 1953માં સર્જેલા શ્વેતશ્યામ ચિત્રપટમાં કુશળ અભિનેતા માર્લોન બ્રાન્ડોએ સીઝરની ભૂમિકા કરી હતી. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ સંગીત માટે ઑસ્કાર પુરસ્કાર…
વધુ વાંચો >જુલે રીમે કપ
જુલે રીમે કપ : દુનિયાની સૌથી લોકપ્રિય લેખાતી રમત ફૂટબૉલ માટેનો વિશ્વકપ. શરૂઆત 1930માં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વકપ યોજવાનું તેમજ જીતવાનું શ્રેય ઉરુગ્વેને જાય છે. આ વિશ્વકપ શરૂ કરવાનો મુખ્ય યશ ફ્રાન્સના 2 ફૂટબૉલપ્રેમી જુલે રીમે તથા હેન્રી ડિલોનેના ફાળે જાય છે. જુલે રીમે 30…
વધુ વાંચો >જુવાર
જુવાર : એકદળી વર્ગના પોએસી (ગ્રેમિની) કુળની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sorghum bicohor (Linn.) Moench (સં. યાવનાલ, હિં. જવાર, મ. જવારી, અં. ગ્રેટ મિલેટ) છે. રંગસૂત્રો : 2 એન 20. જુવારના છોડને ‘પોએસી’ કુળના અન્ય છોડની જેમ તંતુમૂળ હોય છે. છોડ જમીનથી એકલ દાંડીમાં…
વધુ વાંચો >જુવાર સંશોધન કેન્દ્ર
જુવાર સંશોધન કેન્દ્ર : જુવાર અંગેના સંશોધન માટેનું મુખ્ય કેન્દ્ર. રાજ્યનું મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સૂરત ખાતે આવેલું છે. આ કેન્દ્ર ખાતે સંવર્ધનથી વહેલી પાકતી, કીટકો અને રોગો સામે પ્રતિકારકતા ધરાવતી, સૂકા અને અર્ધસૂકા વિસ્તારને માફક આવતી તથા વધુ ઉત્પાદન આપતી દાણા અને દાણા-ચારાની જાતો વિકસાવવાની કામગીરી હાથ ધરાય છે.…
વધુ વાંચો >જુવાળ-ઊર્જા (tidal energy)
જુવાળ-ઊર્જા (tidal energy) : દરિયાઈ મોજાં દ્વારા પ્રાપ્ત થતી ઊર્જા. સમુદ્રકિનારે અવિરત અફળાતા તરંગો તથા ભરતી-ઓટમાં પ્રચંડ શક્તિ રહેલી છે. મહાસાગરમાં ઊછળતાં મોજાંમાં સમાયેલી આ પ્રચંડ ઊર્જાને નાથવાનું કામ કઠિન છે. ભરતીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આર્થિક ર્દષ્ટિએ પરવડે તેવું સ્થળ મળવું મુશ્કેલ છે. વિદ્યુત-ઉત્પાદન માટે ભરતીનો ઉપયોગ કરવો હોય…
વધુ વાંચો >જુવે, લુઈ
જુવે, લુઈ (જ. 24 ડિસેમ્બર 1887 ક્રોઝોન, ફ્રાંસ; અ. 16 ઓગસ્ટ 1951, પેરિસ, ફ્રાંસ) : ફ્રાંસિસી નટ અને દિગ્દર્શક; નાટ્યકાર ગિરોદો(Giraudoux)ના સહકાર્યકર-દિગ્દર્શક તરીકે કીર્તિપ્રાપ્ત. 1913માં દિગ્દર્શક કોપો(Copeau)ની નટમંડળીમાં જોડાયા; 1922માં થિયેટર શૅપ્સ ઍલિસીસમાં પોતાની મંડળી સ્થાપી. એમાં જુલે રોમાંનાં નાટકો ‘મશ્યું ટ્રૉબેડસ’ અને ‘નૉક’ ખૂબ સફળ થયાં; વિશેષે ‘નૉક’ નાટક…
વધુ વાંચો >જુહૂ બ્રહ્મજાયા
જુહૂ બ્રહ્મજાયા : ઋગ્વેદની એક ઋષિકા. તેણે દસમા મંડળના 107મા સૂક્તનું દર્શન કર્યું છે. સૂક્તના નિર્દેશ અનુસાર તે બૃહસ્પતિની પત્ની હતી. આ સૂક્તના આરંભમાં કહ્યું છે કે સૃષ્ટિના આરંભમાં સર્જનહારે ઉગ્ર તપ કરી ઋતનું દર્શન કર્યું અને તદનુસાર સર્વપ્રથમ જલનું સર્જન કર્યું. સૂક્તમાં એક અનુશ્રુતિનો પણ નિર્દેશ છે કે ‘‘સહુથી…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >