ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
જગજીવનરામ
જગજીવનરામ (જ. 5 એપ્રિલ 1908, ચંદવા, જિ. શહાબાદ, બિહાર; અ. 6 જુલાઈ 1986) : ભારતના અગ્રગણ્ય રાજનીતિજ્ઞ, સમાજસુધારક, સ્વાતંત્ર્યસેનાની તથા દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન. તેઓ અંત્યજ ગણાતી ચમાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમના કાકા લશ્કરમાં હતા. પિતા શોભીરામ લશ્કરની હૉસ્પિટલમાં સામાન્ય નોકરી કરતા હતા. ગામ બહાર પચરંગી માહોલમાં કામ કરવાથી કુટુંબને…
વધુ વાંચો >જગડૂશાહ
જગડૂશાહ (આશરે ઈ. સ. 1195થી 1265) : કચ્છનો અતિ શ્રીમંત જૈન વેપારી અને દાનવીર. તે ભદ્રેશ્વરમાં રહેતો હતો. તેનો જન્મ અને અવસાન કઈ સાલમાં થયાં એ જાણવા મળતું નથી. એ લવણપ્રસાદ વાઘેલા, વીરધવલ, વીસલદેવ અને જૈન મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલનો સમકાલીન હતો. તેના પૂર્વજો શ્રીમાળના વતની હતા અને કંથકોટમાં થોડો સમય રહીને…
વધુ વાંચો >જગત
જગત : ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયામાંથી અવિરતપણે પસાર થતી ચેતનઅચેતન ભૌતિક સૃષ્ટિ. ભારતીય દર્શનો જે ત્રણ મૂળભૂત તત્વોનો વિચાર કરે છે તે જીવ, જગત અને ઈશ્વરમાંનું તે એક તત્વ છે. જગત એટલે पुन:पुन: — अतिशयेन वा गच्छति — વારંવાર કે અવિરત ચાલ્યા કરે છે તે. ઉત્પત્તિ-વિનાશ પામ્યા કરે છે…
વધુ વાંચો >જગતશેઠ
જગતશેઠ : અઢારમી સદીમાં થઈ ગયેલા ધનકુબેર શરાફ હીરાનંદના વંશજ ફતેહચંદને મુઘલ બાદશાહ મુહમ્મદશાહે આપેલું બિરુદ. મરકત મણિ ઉપર ‘જગતશેઠ’ કોતરાવી તે ભેટ આપેલો. મુઘલકાળ અને તે પૂર્વે મુસ્લિમ બાદશાહો તથા અન્ય રજપૂત, મરાઠા વગેરે રાજવીઓને નાણાભીડના પ્રસંગે આવા શરાફો અંગ ઉધાર કે મહેસૂલ, જકાત વગેરે ઉઘરાવવાનો ઇજારો મેળવી નાણાં…
વધુ વાંચો >જગતારસિંગ, ડૉ.
જગતારસિંગ, ડૉ. (જ. 6 જૂન, 1935, રાજગોમલ, જિ. જલંધર, પંજાબ; અ. 31 માર્ચ, 2010) : પંજાબી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જુગનૂ દીવા તે દરિયા’ બદલ 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી, ઉર્દૂ તથા પર્શિયન ભાષામાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. 1942થી…
વધુ વાંચો >જગતી
જગતી : જુઓ છંદ
વધુ વાંચો >જગત્તુંગ
જગત્તુંગ : જુઓ ગોવિંદ 3જો
વધુ વાંચો >જગદાલપુર
જગદાલપુર : ભારતના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલું શહેર. 19° 04’ ઉત્તર અક્ષાંશ, 82° 02’ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. બસ્તરના મહારાજાએ આ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર ઇન્દ્રાવતી નદીની દક્ષિણે આવેલું છે. આ શહેર ચારે બાજુ ગીચ જંગલોથી ઘેરાયેલ છે. આ શહેરથી 104 કિમી. દૂર સિંગભૂમનાં લોહઅયસ્ક ક્ષેત્રો…
વધુ વાંચો >જગદીશ ફિલ્મ કંપની (1928)
જગદીશ ફિલ્મ કંપની (1928) : મૂક ચલચિત્રોના ગાળામાં ગુજરાતીઓએ સ્થાપેલી મુંબઈ ચલચિત્ર ઉદ્યોગની એક મહત્વની નિર્માણ કંપની. તેના સ્થાપકો અને સંચાલકો હતા માધવદાસ પાસ્તા અને ચંદુલાલ શાહ. પટકથાલેખન અને દિગ્દર્શનક્ષેત્રે સ્વતંત્ર પ્રતિભા ધરાવતા ચંદુલાલ શાહને ભાગીદાર બનાવી રૂ બજારના વેપારી માધવદાસ પાસ્તાએ આ ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. મિસ ગોહર…
વધુ વાંચો >જગન, ચેડ્ડી
જગન, ચેડ્ડી (જ. 22 માર્ચ 1918, જ્યૉર્જટાઉન, ગુયાના; અ. 6 માર્ચ 1997, વૉશિંગ્ટન ડી. સી., યુનાઇટેડ સ્ટેટ્સ) : દક્ષિણ અમેરિકાના ઈશાન કિનારે આવેલા ગુએના(બ્રિટિશ ગિયાના)ના 1992માં ચૂંટાઈ આવેલા પ્રમુખ અને રાષ્ટ્રવાદી નેતા. ચેડ્ડી જગન મૂળ હિન્દી કુળના છે. તેમણે યુ.એસ.એ.ની હાર્વર્ડ અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. ડાબેરી વલણોવાળી પીપલ્સ…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >