ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત
ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત (જ. 1846; અ. 1889) : જાણીતા અસમિયા કવિ અને નાટ્યકાર. 1870માં તેમણે કૉલીજિયેટ સ્કૂલમાંથી એફ.એ.ની પરીક્ષા પાસ કરી. પછી ગુવાહાટીમાં ડેપ્યુટી કમિશનરની ઑફિસમાં તેઓ કારકુન તરીકે જોડાયા. થોડો વખત ગોઆલપર અને ધુબ્રી ખાતે નોકરી કર્યા પછી ગુવાહાટીમાં શિરસ્તેદાર તરીકે સેવાઓ આપી. બ્લૅંક વર્સમાં રચેલ ‘અભિમન્યુવધ’ (1875) તેમની…
વધુ વાંચો >ચૌધરી, રમાપદ
ચૌધરી, રમાપદ (જ. 28 ડિસેમ્બર 1922, ખડકપુર, રેલવે કૉલોની, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 2018, કોલકાતા) : બંગાળી કથાસર્જક. તેમની ‘બાડિ બદલે જાય’ને 1988ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ‘આનંદ બજાર પત્રિકા’ના સંયુક્ત તંત્રી હતા. મુખ્યત્વે તેઓ નવલકથાકાર છે;…
વધુ વાંચો >ચૌધરી, શંખો
ચૌધરી, શંખો (જ. 25 ફેબ્રુઆરી 1916, દેવઘર, બિહાર, અ. 2007) : પ્રસિદ્ધ ભારતીય શિલ્પી. વીસમી સદીમાં ભારતીય ચિત્રશિલ્પક્ષેત્રે ભારે પરિવર્તન આવ્યું. પરદેશના વાદોની સાર્વત્રિક અસરો હતી. શાળાશિક્ષણ ઢાકામાં થયું. પછી શાંતિનિકેતનમાં જોડાયા. વિશેષ યોગ્યતા સાથે શાંતિનિકેતનમાંથી કલાનો ડિપ્લોમા લીધો. 1948માં મિનિસ્ટ્રી ઑવ્ એજ્યુકેશન દ્વારા યુવાનો માટેની સ્કૉલરશિપ મેળવી. 1949માં તેમણે…
વધુ વાંચો >ચૌધરી, શિશિર કોણાધર
ચૌધરી, શિશિર કોણાધર (જ. 27 ડિસેમ્બર 1937 શિલોંગ; અ. 9 માર્ચ 2021, ગુરગાંવ, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઊછરેલા તથા ધ્રુપદ શૈલીમાં વાયોલિન વગાડનારા જાણીતા વાયોલિનવાદક. તેઓ મૂળ આસામના વતની પરંતુ જીવનના મોટા ભાગનો સમયગાળો કૉલકાતામાં પસાર કર્યો. માત્ર સાત વર્ષની વયે તેમણે વાયોલિનવાદનની તાલીમ ઉસ્તાદ મોતીમિયાં પાસેથી…
વધુ વાંચો >ચૌધરી, સલિલ
ચૌધરી, સલિલ (જ. 19 નવેમ્બર, 1922; અ. 5 સપ્ટેમ્બર 1995, કૉલકાતા) : ચલચિત્રજગતના સંગીત-નિર્દેશક. કોઈ પણ જાતની સંગીતની તાલીમ વગર સ્વરરચનાની આગવી સૂઝ ધરાવતા આ સંગીતકારે બંગાળી તથા હિંદી ચલચિત્રો અને દૂરદર્શન પરની ધારાવાહિક શ્રેણીઓ ઉપરાંત અસમિયા, કન્નડ, તમિળ તથા તેલુગુ ચલચિત્રોમાં પણ સંગીતનિર્દેશન કર્યું છે. ‘પિંજરે કે પંછી’ (1966)…
વધુ વાંચો >ચૌધરી, સુધાંશુ ‘શેખર’
ચૌધરી, સુધાંશુ ‘શેખર’ (જ. 1922, દરભંગા અ. 1990) : મૈથિલીના નામી નવલકથાકાર અને નાટ્યકાર. તેમની નવલકથા ‘બતાહા સંસાર’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ વિધિસર શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ પ્રયાગના હિંદી વિશ્વવિદ્યાલયમાંથી 1951માં તેમણે વિશારદની ડિગ્રી મેળવી હતી. તેમણે પત્રકાર, અભિનેતા, ચલચિત્રોના સંવાદલેખક, પ્રૂફવાચક, પુસ્તક-પ્રકાશક…
વધુ વાંચો >ચૌબે, ચંદનજી
ચૌબે, ચંદનજી (જ. 1870 મથુરા; અ. 1955) : ધ્રુપદ અને ધમારના વિખ્યાત સંગીતકાર. પિતા અંબારામજી ચતુર્વેદી ધ્રુપદ સંગીતના ખ્યાતનામ કલાકાર હતા. તેમની પાસેથી અઢાર વર્ષની ઉંમરે તથા પોતાના પિતામહ પાસેથી ચંદનજીએ સંગીતની તાલીમ મેળવી હતી. થોડાક સમય માટે તેમણે વિખ્યાત સંગીતમર્મજ્ઞ પંડિત ગોપાલરાવજી તથા ઉસ્તાદ ગુલામ અબ્બાસ પાસેથી સંગીતની શિક્ષા…
વધુ વાંચો >ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ
ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ (જ. 1911 મથુરા; અ.?) : ધ્રુપદ અને ધમાર તથા વ્રજ-સંગીતની પરંપરાના વિખ્યાત ગાયક. તેર વર્ષની ઉંમરે તેમણે પંડિત લાલનજી ચૌબે પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી તેમણે સંગીતની સઘન તાલીમ પોતાના મામા પંડિત ચંદનજી ચૌબે પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી. ખયાલ ગાયકીની…
વધુ વાંચો >ચૌર પંચાશિકા
ચૌર પંચાશિકા : કાશ્મીરી કવિ બિલ્હણ(સમય ઈ. સ. 1050–1127)નું પ્રસિદ્ધ કાવ્ય. તે વસંતતિલકા છંદમાં રચેલા 50 શ્લોકોનું છે. એનાં ‘ચૌરપંચાશિકા’, ‘ચૌરસુરતપંચાશિકા’, ‘ચૌરીસુરત- પંચાશિકા’ અને ‘બિલ્હણકાવ્ય’ – એવાં ચાર નામો પ્રચલિત છે. એમાં યુવાન કવિના રાજકુમારી સાથેના છૂપા પ્રેમની વાર્તા ગૂંથેલી છે. પરંપરા મુજબ યુવાન અને રૂપાળો કવિ રાજકુમારીના પ્રેમમાં પડી…
વધુ વાંચો >ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ
ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ (જ. 1 જુલાઈ 1938, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ) : ભારતના અગ્રણી બંસરીવાદક. તેમના પિતા કુસ્તીબાજ હતા અને હરિપ્રસાદે પણ કુસ્તીબાજ થવું જોઈએ એવી પિતાની ઇચ્છા હતી. પરંતુ હરિપ્રસાદ કુસ્તીમાં નબળા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની શિક્ષા પંદર વર્ષની ઉંમરે પિતાની જાણ વગર તેમના એક મિત્રના નિવાસ પર લેવાની…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >