ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >

ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris)

Feb 18, 1994

ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris) : સૂર્ય, ગ્રહ, ચંદ્ર, ધૂમકેતુ અને કેટલાક પસંદ કરેલા લઘુગ્રહોની ભ્રમણકક્ષા નિર્ધારિત કરીને, તેની ઉપરથી કાલાનુક્રમ અનુસાર આવતાં ગાણિતિક સ્થાનો દર્શાવતું કોષ્ટક. તેની પ્રસિદ્ધિ લગભગ એક કે બે વર્ષ અગાઉથી કરવામાં આવે છે. ખગોલીય પંચાંગ(almanacs)માં આવી સૂચિ, સામાન્યપણે દિવસવાર આપવાનો રિવાજ છે. તેમાં મુખ્યત્વે કરીને ખગોલીય પિંડના…

વધુ વાંચો >

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water)

Feb 18, 1994

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water) : વાતાવરણમાં ભેજસ્વરૂપે સંગ્રહાયેલું જળ અથવા વાતાવરણમાંથી કોઈ પણ સ્વરૂપે પ્રાપ્ત થતું જળ. તે વર્ષાજળ, ઝાકળજળ, ધુમ્મસજળ, હિમજળ કે બરફસ્વરૂપે હોઈ શકે. આ તમામ સ્વરૂપોમાં સ્થિત જળ છેવટે નદીનાળાં મારફતે પોપડાનાં ખડકછિદ્રો દ્વારા પ્રવેશ પામી ભૂગર્ભજળ તરીકે એકત્રિત થઈને સચવાઈ રહે છે. સપાટી પરના જળનું બાષ્પીભવન…

વધુ વાંચો >

ગ્રહો અને જન્મકુંડળી

Feb 18, 1994

ગ્રહો અને જન્મકુંડળી : જાતકના જન્મસમયે ગ્રહોની સ્થિતિ દર્શાવતો આલેખ. ભવિષ્યની ગતિવિધિ જાણવાનું શાસ્ત્ર કે વિજ્ઞાન તે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિર્વિજ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર એ વેદાંગ છે. ગ્રહોની ગતિ પર આધારિત હોવાથી તે પ્રત્યક્ષ શાસ્ત્ર છે. આ શાસ્ત્રના ગણિત, સંહિતા અને હોરા એમ ત્રણ વિભાગ છે. તાજિક એ હોરાનો જ એક વિભાગ છે.…

વધુ વાંચો >

ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres)

Feb 18, 1994

ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres) : પ્રત્યેક ગ્રહને પોતાનું વિશિષ્ટ ગણાય તેવું વાતાવરણ. વાતાવરણની ઉત્પત્તિ એક જ સમયે થઈ અને આદિ વાતાવરણમાં મૂળ ઘટકો એકસરખા હોવા છતાં અત્યારે તેમાં દેખાતું વૈવિધ્ય નોંધપાત્ર છે. ગ્રહોની સપાટી ઠરતાં રચાયેલા ભૂપૃષ્ઠના નીચેના સ્તરોમાં રેડિયોઍક્ટિવિટીને લીધે તાપમાન વધતાં વેગવંત થયેલી રાસાયણિક પ્રક્રિયા અને વિઘટનને પરિણામે…

વધુ વાંચો >

ગ્રંથ (1964–1985)

Feb 18, 1994

ગ્રંથ (1964–1985) : વાચકોને પ્રતિમાસ પ્રસિદ્ધ થતાં વિવિધ વિષય અને સ્વરૂપનાં નવાં પ્રકાશનોથી વાકેફ કરવા, મહત્વની કૃતિની સવિગત સમીક્ષા કરવા તેમજ ભારતીય સાહિત્ય સાથે વિશ્વસાહિત્યથી પરિચિત કરવાના આશયથી પરિચય ટ્રસ્ટ્ર દ્વારા 1964ના જાન્યુઆરી માસથી શરૂ થયેલું ગુજરાતી માસિક. શરૂથી જ યશવંત દોશી એના તંત્રી હતા. વચ્ચેના વર્ષમાં નિરંજન ભગત પણ…

વધુ વાંચો >

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ

Feb 18, 1994

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને…

વધુ વાંચો >

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)

Feb 18, 1994

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ) : શીખ ધર્મનું મહામાન્ય પુસ્તક. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ ગ્રંથ ઈ. સ. 1604માં શરૂ કર્યો. રામસર (અમૃતસર) મુકામે પ્રથમ ચાર ગુરુસાહેબોની વાણી, પોતાની રચના અને ભક્તોની વાણી એકત્ર કરીને 1605માં ભાઈ ગુરુદાસજીના વરદ હસ્તે તે પૂર્ણ થયો. ગ્રંથની આ મૂળ પ્રત અત્યારે કરતારપુરના ગુરુદ્વારામાં છે. પછી…

વધુ વાંચો >

ગ્રંથાલય

Feb 18, 1994

ગ્રંથાલય લિખિત-મુદ્રિત ગ્રંથોના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા ધરાવતી સંસ્થા. સમાજનો વિકાસ વ્યક્તિગત જ્ઞાનને સમષ્ટિગત કરવાના વ્યવહાર અને વિનિમય પર આધારિત છે. જ્ઞાનના વ્યવહાર અને વિનિમય માટેનું મુખ્ય સાધન વાણી છે. તેના ઉપયોગથી તૈયાર થયેલાં સાધનો વર્તમાનયુગમાં અનેક છે. એમાં ‘ગ્રંથ’ મુખ્ય અને અસરકારક સાધન છે, જેમાં જ્ઞાન વિવિધ રૂપે નિહિત…

વધુ વાંચો >

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ

Feb 18, 1994

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ વાચનસામગ્રીના ઉપયોગ માટે ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ. ગ્રંથાલય માટે વાચનસામગ્રી મેળવવી; કાર્યક્ષમ અને વ્યવસ્થિત ગોઠવણી માટેની નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર જેવી પ્રક્રિયાઓ કરવી એને ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. વાચન, અધ્યયન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કેન્દ્ર તરીકે ગ્રંથાલયો ઘણા…

વધુ વાંચો >

ગ્રંથિઓ

Feb 19, 1994

ગ્રંથિઓ : શરીરની ચયાપચયની અને અન્ય વિવિધ પ્રક્રિયાઓમાં અગત્યના રાસાયણિક ઘટકોના સ્રાવ કરનાર પેશી અથવા અંગો. દાખલા તરીકે ત્વચા પર આવેલી કેટલીક ગ્રંથિઓ ત્વચાને ભીની રાખવામાં મદદરૂપ નીવડે છે. પચનાંગો સાથે સંકળાયેલી ગ્રંથિઓ ખોરાકના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. સસ્તનોમાં આવેલી સ્તનગ્રંથિઓ સંતાનોને પોષક દ્રવ્ય પૂરું પાડે છે. અંત:સ્રાવો શરીરમાં…

વધુ વાંચો >