ગુજરાતદર્પણ : દક્ષિણ ગુજરાતનું લોકભોગ્ય અખબારી પ્રકાશન. 1888માં જેકિશનદાસ લલ્લુભાઈ અઠ્ઠાવાળા અને હરિલાલ હર્ષદ ધ્રુવે સૂરતમાંથી ‘ગુજરાતદર્પણ’ નામનું અર્ધસાપ્તાહિક પત્ર શરૂ કર્યું હતું જે 1889માં ‘ગુજરાતમિત્ર’ સાથે જોડાઈ ગયું. ત્યારથી તે ‘ગુજરાતમિત્ર’ અને ‘ગુજરાતદર્પણ’ના સંયુક્ત નામથી પ્રગટ થાય છે.

ભગવતીકુમાર શર્મા