ખંડ ૬(૧)
ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન
ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન : લાખો વર્ષના સમયગાળા દરમિયાન થયેલી પર્વતરચના. ગિરિનિર્માણ ભૂસંચલન એ પર્વતરચનાની એવા પ્રકારની તબક્કાવાર ઘટના છે, જેમાં વિવિધતાવાળાં વિરૂપક બળોની અસર હેઠળ પર્વત-હારમાળાઓનું ઉત્થાન થાય છે અને તેના પરિણામસ્વરૂપ ઘનિષ્ઠ રીતે વિરૂપતા પામેલા જાતજાતની ગેડવાળા, સ્તરભંગ તેમજ ધસારા રચનાવાળા ખડકપટ્ટાઓની રચના થાય છે. પૃથ્વીના પટ પર જોવા…
વધુ વાંચો >ગિરિપ્રવચન
ગિરિપ્રવચન : બાઇબલના ઉત્તરાર્ધ, નવા કરારમાં પહેલા પુસ્તક માથ્થીના શુભસંદેશમાંનાં પાંચથી સાત સુધીના ત્રણ અધ્યાયો. ગિરિપ્રવચન બાઇબલના ધર્મસંદેશનો અર્ક અને સાર છે. તેમાં માનવજીવન વિશેની સર્વોત્કૃષ્ટ ભાવના, ઉચ્ચ આદર્શો તથા પ્રભુમય જીવન વિશે પ્રેરક ઉપદેશ આપવામાં આવ્યો છે. સાદી, સચોટ અને મર્મવેધક ભાષામાં અપાયેલો આ સંદેશ નીતિમત્તા, ધર્મ અને આધ્યાત્મિકતાનો…
વધુ વાંચો >ગિરિરાજ કિશોર
ગિરિરાજ કિશોર (જ. 8 જુલાઈ 1937, મુઝફ્ફરપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ફેબ્રુઆરી 2020, ન્યૂદિલ્હી ) : હિંદીના જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક તથા નવલકથાકાર. તેમની ઉત્તમ નાટ્યકૃતિ ‘ઢાઈ ઘર’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં…
વધુ વાંચો >ગિરિ, રામચંદ્ર
ગિરિ, રામચંદ્ર (જ. 1905, તુરા, ગારો હિલ્સ) : નેપાળી સાહિત્યકાર. તેમના ‘સમાજદર્પણ’ નામના મહાકાવ્યને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ નાના હતા ત્યારથી જ આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. રાષ્ટ્રીય નવચેતનાના પગલે શાળાકીય અભ્યાસ છોડી દઈ તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવી વસ્યા હતા. અહીં તેઓ સંસ્કૃત તથા કાંતણ…
વધુ વાંચો >ગિરિ, વી. વી.
ગિરિ, વી. વી. [જ. 10 ઑગસ્ટ 1894, બેહરામપુર; અ. 23 જૂન 1980, બેંગલોર (બેંગાલૂરુ)] : ભારતના વિખ્યાત મજૂર નેતા તથા દેશના ચોથા રાષ્ટ્રપતિ (1969–’74). આખું નામ વરાહગિરિ વેંકટગિરિ. પિતા તે વખતના મદ્રાસ પ્રાંતના બેહરામપુર ખાતે વકીલાત કરતા. ઉપરાંત સ્થાનિક વકીલ મંડળના નેતા હતા. આઝાદીની લડત દરમિયાન તેઓ સ્વરાજ પાર્ટીના, કેન્દ્રીય…
વધુ વાંચો >ગિરિવ્યાધિ
ગિરિવ્યાધિ (mountain sickness) : ઊંચાઈ પર હવાના દબાણમાં તથા ઑક્સિજનના પ્રમાણમાં થતા ઘટાડાને કારણે થતો વિકાર. વ્યક્તિ 2000 મીટર કે વધુ ઊંચાઈ પર ઝડપથી પહોંચી હોય તો તેની દેહધાર્મિક ક્રિયાઓમાં હવાના દબાણ અને ઑક્સિજનના ઘટાડાની સ્થિતિને અનુરૂપ જરૂરી ફેરફાર કરવાનો સમય ઉપલબ્ધ હોતો નથી. આવા સંજોગોમાં વધુ કામ કરવાથી કે…
વધુ વાંચો >ગિરિવ્રજ
ગિરિવ્રજ : પટણાથી 97 કિમી. દૂર મગધની પ્રાચીન રાજધાની. ઉપરિચરવસુએ આ નગરની સ્થાપના કરી હોવાથી તેને વસુમતી નામ મળ્યું હતું. બૃહદ્રથ કુળના રાજાઓની તે રાજધાની હતી એવો મહાભારતનો બાર્હદ્પુર તરીકે આ સ્થાનનો ઉલ્લેખ મળે છે. બુદ્ધના સમયથી તેનું રાજગૃહ નામ મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં કુશાગ્રપુરી એવું નામ પણ મળે છે.…
વધુ વાંચો >ગિલ, એમ. એસ.
ગિલ, એમ. એસ. (જ. 14 જૂન 1936, પંજાબ; અ. 15 ઑક્ટોબર 2023, દિલ્હી) : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. પિતા કર્નલ પ્રતાપસીંગ ગિલ અને માતા નિરંજન કૌર ગિલ. પંજાબના અમૃતસર જિલ્લાનું અલ્દીનપુર ગામ તેમનું વતન. સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની ડિગ્રીઓ ધરાવવા સાથે તેઓ ડેવલપમેન્ટ સ્ટડીઝનો ડિપ્લોમા ધરાવતા હતા. યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાંથી…
વધુ વાંચો >ગિલ, કે. પી. એસ.
ગિલ, કે. પી. એસ. (જ. 29 ડિસેમ્બર 1934, લુધિયાના; અ. 26 મે 2017, દિલ્હી) : પંજાબ રાજ્યના પૂર્વ પોલીસ વડા તથા ઇન્ડિયન હૉકી ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ. આખું નામ કંવરપાલ સિંગ ગિલ. ઇન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં તેમણે તેમની કારકિર્દી આસામ રાજ્યમાંથી શરૂ કરી અને પ્રારંભથી જ એક ચુસ્ત અને કડક અધિકારી તરીકે…
વધુ વાંચો >ગિલગિટ
ગિલગિટ : કાશ્મીર રાજ્યનો પણ હાલ પાકિસ્તાન હસ્તકનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 35° 55´ અને 74° 18´ પૂ. રે.. તે કહેવાતા આઝાદ કાશ્મીરનો ભાગ છે. તેના ગિલગિટ એજન્સી અને ગિલગિટનું દેશી રાજ્ય (વજીરાત) એવા બે ભાગ છે. એજન્સીનો વિસ્તાર 39,326 ચોકિમી. છે. વસ્તી આશરે 2.1 મિલિયન (2023). ગિલગિટની દક્ષિણે સિંધુ…
વધુ વાંચો >ક્રિયા
ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રિયા-વિભવ (action potential)
ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિયેટિનીન, સીરમ-સપાટી
ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રિસૅન્થમમ પ્રજાતિ
ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >