૬(૧).૨૧

ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy)થી ગવર્નમેન્ટ મ્યુઝિયમ અલ્વર (રાજસ્થાન)

ગલગંડ

ગલગંડ (આયુર્વેદોક્ત – કંઠરોગ) (Goitre) : આયુર્વેદના રોગ-નિદાનના ખાસ ગ્રંથ ‘માધવ નિદાન’માં ગળાની આસપાસ થતા રોગોમાં ગલગંડ, ગંડમાળા (કંઠમાળા), અપચી તથા અર્બુદ રોગો-(ગાંઠ – tumour)નું વર્ણન એક જ પ્રકરણમાં આપેલ છે. તેમાં ગળા (ગ્રીવા) ઉપર અને નીચલા જડબાની નીચે ગળાના આગલા ભાગે અજમેરી બોરથી માંડીને સફરજન જેવડી મોટી, પોચા સોજાવાળી,…

વધુ વાંચો >

ગલગ્રંથિ

ગલગ્રંથિ (thyroid gland) ગળાના આગળના ભાગમાં સ્વરપેટીની નીચે આવેલી અંત:સ્રાવી ગ્રંથિ (endocrine gland). તે પતંગિયાના આકારની હોય છે. તેને બે ખંડો (lobes) હોય છે અને તે સ્વરપેટીની નીચે અને શ્વાસનળીની બંને બાજુએ આવેલા છે. તે બંને ખંડો એકબીજા સાથે સેતુ(isthmus)થી જોડાયેલા હોય છે. સેતુ શ્વાસનળીની આગળ આવેલો છે (આકૃતિ 1).…

વધુ વાંચો >

ગલગ્રંથિ અતિસ્રાવતા

ગલગ્રંથિ અતિસ્રાવતા : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >

ગલગ્રંથિ અલ્પસ્રાવી વામનતા

ગલગ્રંથિ અલ્પસ્રાવી વામનતા : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >

ગલગ્રંથિન્યૂનતા

ગલગ્રંથિન્યૂનતા : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >

ગલગ્રંથિશોથ

ગલગ્રંથિશોથ : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >

ગલત આંજિયો (ગલત અંગારિયો)

ગલત આંજિયો (ગલત અંગારિયો) : Ustilaginoidea virens નામની ફૂગથી ડાંગરના દાણાને થતો રોગ. જુદા જુદા પાકોમાં Telletia કે Sphacelotheca જાતિની ફૂગથી આંજિયાનો રોગ થાય છે, જ્યારે ગલત આંજિયો તે સિવાયની Ustilaginoidea ફૂગથી થાય છે. આ ફૂગનું આક્રમણ કંટીમાં છૂટાછવાયા દાણાને લીલા વેલ્વેટી કાબુલી ચણા જેવા દેખાવમાં ફેરવી નાખે છે. આ…

વધુ વાંચો >

ગલતોરો

ગલતોરો : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia pulcherrima Sw. (બં. કૃષ્ણચુર; ગુ. ગલતોરો, શંખેશ્વર; હિં. ગુલુતરા; સં. રત્નગંધી; મલા. માયિલ્કોન્ના; ત. માયિર્કોન્રાઈ, નાલાલ; અં. પીકૉક ફલાવર, બાર્બેડોસ પ્રાઇડ) છે. તે એક વિદેશી (exotic), સહિષ્ણુ (hardy), શુષ્કતા-રોધી (drought-resistant) ક્ષુપ કે 5 મી. સુધીની ઊંચાઈ ધારણ…

વધુ વાંચો >

ગલન

ગલન (melting) : ઘન પદાર્થની પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામવાની ક્રિયા. આ ઘટના સ્ફટિકીકરણથી ઊલટી છે. શુદ્ધ ઘન પદાર્થને ગરમી આપવામાં આવતાં તેની અંદરના કણોની સરેરાશ આંદોલનીય ઊર્જા વધતી જાય છે અને છેલ્લે એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જ્યારે સ્ફટિકમાંના કણો તેમનાં પરિરોધી (confining) બળોની ઉપરવટ જઈ શકે તેટલી ઊર્જા…

વધુ વાંચો >

ગલનબિંદુ

ગલનબિંદુ (melting point) : ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરે અને પ્રવાહીરૂપ ધારણ કરે તે તાપમાન. ઘન પદાર્થનું સમગ્રપણે પ્રવાહીમાં રૂપાંતર (transformation) થતું રહે ત્યાં સુધી આ તાપમાન અચળ રહેતું હોય છે અને પદાર્થને ઉષ્મા આપવા છતાં તે ઉષ્મા થરમૉમિટર ઉપર નોંધાતી નથી. આમ ગલનબિંદુ તાપમાને પીગળી રહેલા ઘન પદાર્થને આપવામાં…

વધુ વાંચો >

ગર્ભાશય-ઉચ્છેદન

Jan 21, 1994

ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy) : ગર્ભાશય(uterus)ને શસ્ત્રક્રિયા વડે દૂર કરવું તે. તે સ્ત્રીરોગની આધુનિક સારવારપદ્ધતિમાં મહત્વની શસ્ત્રક્રિયા ગણાય છે. સ્ત્રીઓનાં જનનાંગો પરની મહત્વની શસ્ત્રક્રિયાઓમાંની 60 %થી 70 % શસ્ત્રક્રિયામાં ગર્ભાશય-ઉચ્છેદન હોય છે. પ્રકારો (આકૃતિ 1) : (1) ગર્ભાશય-ગ્રીવા (cervix) વગર ગર્ભાશય કાઢી નાખવામાં આવે તો તેને અપૂર્ણ (subtotal) ગર્ભાશય-ઉચ્છેદન કહે છે. (2)…

વધુ વાંચો >

ગર્ભાશયકલાવિસ્થાન

Jan 21, 1994

ગર્ભાશયકલાવિસ્થાન (endometriosis) : ગર્ભાશયની અંદરની દીવાલ (શ્લેષ્મકલા, mucosa) અન્ય સ્થાને હોય તેવો વિકાર. ગર્ભાશયની અંદરની દીવાલને ગર્ભાશયકલા (endometrium) કહે છે અને તે અન્ય અવયવ પર કોઈ હોઈ શકે નહિ; પરંતુ ક્યારેક અજ્ઞાત કારણોસર તે અંડપિંડ, અંડનલિકા વગેરે જેવાં સ્થાને જોવા મળે છે. તેને ગર્ભાશયકલાવિસ્થાન અથવા ટૂંકમાં કલાવિસ્થાન કહે છે. તે…

વધુ વાંચો >

ગર્ભાશય-ગ્રીવાવ્રણ

Jan 21, 1994

ગર્ભાશય-ગ્રીવાવ્રણ (cervical erosion) : ગર્ભાશયના મુખની ચાંદીનો વિકાર. તેમાં ગર્ભાશય-ગ્રીવા(cervix)ની બહારની સપાટી પરના આવરણનું ઉપલું પડ (અધિચ્છદ, epithelium) બદલાય છે. ગર્ભાશય-ગ્રીવાના યોનિ(vagina)માંના ભાગની બહારની સપાટી પર લાદીસમ કોષો(squamous cells)નો સ્તર હોય છે. જ્યારે તે સ્તંભકોષો(columnar cell)નો બને ત્યારે તે ગ્રીવાકલા(endo-cervix)ના અધિચ્છદ જેવું બની જાય છે. તેને અંગ્રેજીમાં cervical ectopy પણ…

વધુ વાંચો >

ગર્ભાશય-ગ્રીવાશોથ

Jan 21, 1994

ગર્ભાશય-ગ્રીવાશોથ (cervicitis) : ગર્ભાશયના નીચલા છેડે આવેલી ગર્ભાશય-ગ્રીવામાં સોજો આવવો તે. તેને ટૂંકમાં ગ્રીવાશોથ પણ કહે છે. ગર્ભાશય(uterus)ના નીચલા છેડાને ગર્ભાશય-ગ્રીવા (uterine-cervix) કહે છે. તેના પોલાણની દીવાલને અંત:ગ્રીવાકલા (endocervix) અથવા ગ્રીવાકલા કહે છે. તેમાં ગ્રંથિઓ (glands) આવેલી હોય છે. તેમાં તથા તેની આસપાસની પેશીમાં ચેપ કે ઈજાને કારણે સોજો આવે…

વધુ વાંચો >

ગર્ભાશયભ્રંશ

Jan 21, 1994

ગર્ભાશયભ્રંશ (uterine prolapse) : ગર્ભાશય અને યોનિ(vagina)નું નીચે તરફ ખસવું તે. તેમાં સામાન્ય રીતે ગર્ભાશય અને યોનિનો ઉપલો ભાગ નીચે ખસે છે. ક્યારેક યોનિ એકલી પણ નીચે ખસે છે. જો અંડપિંડમાં ગાંઠ હોય અને ગર્ભાશય પાછળની બાજુ ખસેલું હોય તો અંડપિંડ ડગ્લાસની કોથળી(pouch)માં નીચે ખસે છે. તેને અંડપિંડભ્રંશ (ovarian prolapse)…

વધુ વાંચો >

ગર્ભાશયી તંતુસમાર્બુદ

Jan 21, 1994

ગર્ભાશયી તંતુસમાર્બુદ (uterine fibroid) : ગર્ભાશયના સ્નાયુ અને તંતુઓની ગાંઠ થવી તે. સગર્ભાવસ્થાને બાદ કરતાં, ગર્ભાશયનું સૌથી વધુ વખત મોટું થવાનું કારણ તંતુસમાર્બુદ છે. તે અરૈખિક સ્નાયુ (smooth muscle) અને તંતુપેશી(fibrous tissue)ની ગાંઠ છે માટે તેને સ્નાયુઅર્બુદ (myoma), તંતુ-સ્નાયુ અર્બુદ (fibromyoma), તંતુ-અરૈખિકસ્નાયુ-અર્બુદ (fibroleiomyoma) વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં…

વધુ વાંચો >

ગર્મ હવા

Jan 21, 1994

ગર્મ હવા : ભારતના મુસ્લિમ સમાજના જીવન અને માનસનું હૃદયદ્રાવક નિરૂપણ કરતી, પ્રેક્ષકો અને વિવેચકોની ખૂબ પ્રીતિપાત્ર બનેલી હિંદી ફિલ્મ. નિર્માણસંસ્થા : યુનિટ 3 એમ.એમ.; નિર્માણ વર્ષ : 1973; નિર્માતા : એમ. એસ. સથ્યુ, અબુ શિવાની, ઈશન આર્ય; દિગ્દર્શક : એમ. એસ. સથ્યુ; કથા : કૈફી આઝમી; પટકથા : કૈફી…

વધુ વાંચો >

ગર્વ

Jan 21, 1994

ગર્વ : તેત્રીસમાંથી એક સંસારી ભાવ. વાગ્ભટને મતે બીજાઓનો અનાદર તે ગર્વ છે. આ લક્ષણ વાસ્તવમાં ગર્વના ભાવથી વ્યક્તિગત સ્વાભિમાન અને બીજા પર તેની અભિવ્યક્તિનો સંક્ષેપ માત્ર છે. અગ્નિપુરાણ કહે છે કે ગર્વ એટલે પોતાના ઉત્કર્ષની ભાવનાથી અન્યોની અવજ્ઞા કરવી. વસ્તુતઃ ગર્વ એ એક પ્રકારનો મનોવિકાર છે. ગર્વની ભાવનાથી અભિભૂત…

વધુ વાંચો >

ગલકાં

Jan 21, 1994

ગલકાં : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa cylindrica (Linn.) M. J. Roem. syn. L. aegyptica Mill. (સં. હસ્તિકોશાતકી, ઘોશકી; હિં. નેનુઆ તોરઈ, ઘિયા તોરઈ; બં. ધુંધુલ; મ. ઘોશળે, ઘોશાળી, પારસી દોડકા; ક. અરહીરે, તુપ્પીરી; તે. પુછાબીરકાયા; ફા. ખિયાર; અં. સ્પોન્જ ગાર્ડ, વેજિટેબલ સ્પોન્જ) છે.…

વધુ વાંચો >

ગલગલી, પંઢરીનાથ આચાર્ય

Jan 21, 1994

ગલગલી, પંઢરીનાથાચાર્ય (જ. 10 જુલાઈ 1922, ગલગલી, કર્ણાટક; અ. 29 ઓગસ્ટ 2015, હુબલી, કર્ણાટક) : સંસ્કૃત ભાષાના કવિ, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના ચંપૂકાવ્ય ‘શ્રી શંભુલિંગેશ્વર વિજયચંપૂ’ માટે 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પરંપરાગત ગુરુકુળ-પદ્ધતિ અનુસાર શિક્ષણ લીધું હતું અને સાહિત્ય, ન્યાય, મીમાંસા તેમજ વેદાંત જેવા…

વધુ વાંચો >