ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

કાઝી મુહિબ્બુલ્લા બિહારી

Jan 19, 1992

કાઝી મુહિબ્બુલ્લા બિહારી : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં લખનૌ અને હૈદરાબાદ(દક્ષિણ)ના કાઝી. તે પટના(બિહાર)ના વતની હતા. તેમણે પોતાના સમયના પંડિતો પાસેથી ઇસ્લામી કાયદાશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. ઔરંગઝેબે તેમને પોતાના પૌત્ર રફીઉલકદર બિન શાહઆલમના શિક્ષક બનાવ્યા હતા. શાહઆલમના કાળમાં તેમને મુખ્ય ન્યાયાધીશના પદે નિયુક્ત કરાયા હતા અને ‘ફાઝિલખાન’ ખિતાબથી નવાજવામાં આવ્યા…

વધુ વાંચો >

કાઝી શાસકો

Jan 19, 1992

કાઝી શાસકો (માંગરોળ સોરઠના) : માંગરોળ અને તેની આસપાસના પ્રદેશના કાઝી કુળના રાજકર્તાઓ. ફીરોઝ તઘલખે ગુજરાતના સરનશીન તરીકે ઝફરખાન ગુજરાતીની 1371માં નિયુક્તિ કરી. 1375માં ઇઝ્-ઉદ્-દીન અને સૈયદ સિકંદરની રાહદારી નીચે સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગનો કબજો મેળવવા લશ્કર મોકલ્યું હતું. તેમની સાથે એક જલાલુદ્દીન કાઝી માંગરોળમાં આવી વસેલો. આ પછી એમના વંશજોમાંથી…

વધુ વાંચો >

કાઝ્લાયેવ, મુરાદ

Jan 19, 1992

કાઝ્લાયેવ, મુરાદ (જ. 15 જાન્યુઆરી 1931, બાકુ; અ. 23 ડિસેમ્બર 2023 ડાઘેસ્તાન, રશિયા) : આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. વૈજ્ઞાનિક પિતાની અનિચ્છા છતાં બાકુ કૉન્ઝર્વેટરીમાં કાઝ્લાયેવ સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ડાઘેસ્તાની લોકસંગીતની ધૂનો અને સૂરાવલિઓ તેમજ લય પહેલેથી જ તેમના માનસનો કબજો જમાવી ચૂકેલાં. તેમણે આગળ જતાં આમાંથી પ્રેરણા લઈ…

વધુ વાંચો >

કાટ્ઝ, બર્નાર્ડ (સર)

Jan 19, 1992

કાટ્ઝ, બર્નાર્ડ (સર) (જ. 26 માર્ચ 1911, લિપઝિગ, જર્મની; અ. 20 એપ્રિલ 2003, લંડન, યુ. કે.) : પ્રસિદ્ધ જર્મન વિજ્ઞાની. સન 1970ના 2 ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા ક્ષેત્રનું આ પારિતોષિક તેમણે સ્વીડનના ઉલ્ફવૉન યુલર અને યુ.એસ.ના જુલિયસ ઍક્સેલ્રોડની સાથે સહભાગીદારીમાં મેળવ્યું હતું. તેમણે ચેતાતંતુના છેડાઓ પર…

વધુ વાંચો >

કાઠક ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પસૂત્ર

Jan 19, 1992

કાઠક ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.

વધુ વાંચો >

કાઠમાંડુ (કાષ્ઠમંડુ)

Jan 19, 1992

કાઠમાંડુ (કાષ્ઠમંડુ) : નેપાળની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 43′ ઉ. અ. અને 85° 19′ પૂ. રે.. આ શહેર સમુદ્રની સપાટીથી આશરે 1400મી.ની ઉંચાઇએ આવેલું છે. ઇન્દ્રચોકની પશ્ચિમ તરફના બજારના ભાગને કાષ્ઠમંડુ (કાષ્ઠમંડપ) કહે છે. તે મંડપ એક જ વૃક્ષના લાકડામાંથી તૈયાર કરેલો છે. આવા બે મંડપો છે. મોટા…

વધુ વાંચો >

કાઠિયાવાડ રાજકીય પરિષદ

Jan 19, 1992

કાઠિયાવાડ રાજકીય પરિષદ : પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારપછીના સમયમાં કાઠિયાવાડના પ્રદેશના લોકોમાં જાગેલી રાષ્ટ્રીય ભાવના, સ્વદેશપ્રીતિ અને અસ્મિતાના કારણે શરૂ કરવામાં આવેલું મંડળ. તેની સ્થાપનાનાં બીજ 1914 સુધીમાં ભારતની પ્રજામાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ અને કેળવાયેલી સ્વદેશી ભાવનામાં, બ્રિટિશ સરકારે ભારતના દેશી રાજાઓ પ્રત્યે અપનાવેલી કડક અને અંકુશોવાળી નીતિમાં તથા સ્વમાનભંગના…

વધુ વાંચો >

કાઠી

Jan 19, 1992

કાઠી : સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતી એક જાતિ. તેના ઉપરથી પ્રદેશનું નામાભિધાન ‘કાઠિયાવાડ’ એવું થયું. મુખ્યત્વે મધ્ય સૌરાષ્ટ્રમાં છેલ્લાં ચારસોક વર્ષથી વિકસેલી આ કાંટિયાવરણ પ્રજા ઘણું કરી મુસ્લિમોના આક્રમણને કારણે મધ્ય એશિયામાંથી નીકળી આવીને રાજસ્થાન અને કચ્છમાં આવી, ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવી એવું માનવામાં આવે છે. મૂળમાં આ ગૌરાંગ પ્રજા છે અને સૌરાષ્ટ્રમાં…

વધુ વાંચો >

કાણાં પાનનો રોગ

Jan 19, 1992

કાણાં પાનનો રોગ : Xanthomonas campeotris PV strains નામના જીવાણુથી થતો રોગ. જીવાણુઓનો રોગ લાગતાં, પાન ઉપર પાણીપોચો ભાગ પ્રસરે છે, જે સમય જતાં આછા બદામી રંગનો થઈ અન્ય તંદુરસ્ત વિસ્તારથી છૂટો પડી ખરી પડે છે અને પાન ઉપર માત્ર કાણું જુદું તરી આવે છે. ગોળથી લંબગોળ આકારનાં નાનાંમોટાં કાણાં…

વધુ વાંચો >

કાણે, અનિલ શ્રીધર

Jan 19, 1992

કાણે, અનિલ શ્રીધર (જ. 18 ઑક્ટોબર 1941, ભાવનગર) : તકનીકી ક્ષેત્રના નિષ્ણાત, વ્યવસ્થાપન-ક્ષેત્રના અગ્રણી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના પૂર્વ કુલપતિ. પિતા ભાવનગર રિયાસતના ઇજનેર હતા. માતાનું નામ ઇન્દિરાબાઈ, જેઓ અગ્રણી સમાજકાર્યકર્તા હતાં. તેઓ રાષ્ટ્રસેવા સમિતિના આજન્મ સેવિકા હતાં. અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક તથા ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ ભાવનગર ખાતે. ત્યારબાદ…

વધુ વાંચો >