૪.૦૮

કન્નડ ભાષા અને સાહિત્યથી કપ્પસુત્ત (કલ્પસૂત્ર)

કપૂર શાહિદ પંકજ

કપૂર શાહિદ પંકજ (જ. 25 ફેબ્રુઆરી 1981, ન્યૂ દિલ્હી) : ફિલ્મ અભિનેતા. શાહિદ કપૂર જાણીતા અભિનેતા પંકજ કપૂર અને કથક નૃત્યાંગના અને અભિનેત્રી નીલિમા અઝીઝનો પુત્ર છે. શાહિદનાં માતા-પિતા તેની ત્રણ વર્ષની ઉંમરે અલગ થઈ ગયાં હતાં. શાહિદનો ઉછેર તેની માતા પાસે થયો છે. શાહિદ દસ વર્ષનો હતો ત્યારે તેની…

વધુ વાંચો >

કપોલકલ્પિત વિકારો

કપોલકલ્પિત વિકારો (fictitious disorders) : જાણીજોઈને કોઈ એક શારીરિક કે માનસિક રોગનાં લક્ષણોની નકલ કરવાનો વિકાર. આવી વ્યક્તિ દર્દી તરીકે વર્તવાના ઇરાદાથી શારીરિક કે માનસિક માંદગીની નકલ કરે છે. ઘણી વખતે તેમનો પ્રાથમિક ઇરાદો હૉસ્પિટલમાં દાખલ થવાનો હોય છે. ક્યારેક આ જ તેમની જીવનપદ્ધતિ થયેલી હોય છે. આ પ્રકારનું વર્તન…

વધુ વાંચો >

કપ્તાનની રસીદ

કપ્તાનની રસીદ (mates’ receipt) : દરિયાઈ માર્ગે માલનું પરિવહન કરતી વખતે તેની યોગ્યતા અને સ્વીકૃતિ દર્શાવતી વહાણના કપ્તાને આપેલી રસીદ. કસ્ટમને લગતી તમામ પ્રકારની કાર્યવિધિમાંથી પસાર કર્યા પછી માલને વહાણમાં ચઢાવવા-ગોઠવવા અંગેની કાર્યવહી શરૂ થાય છે. વહાણના કપ્તાન સમક્ષ નિકાસકાર શિપિંગ ઑર્ડર અને શિપિંગ બિલ રજૂ કરે ત્યારે જ કપ્તાન…

વધુ વાંચો >

કપ્તાન વસંતરાવ

કપ્તાન, વસંતરાવ (જ. 5 ફેબ્રુઆરી 1905, વડોદરા; અ. 25 સપ્ટેમ્બર 1974, વડોદરા) : આજીવન વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ‘ગુજરાત ક્રીડામંડળ’ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભ વિદ્યાનગર)ના પૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક (1951-1963). જન્મ મહારાષ્ટ્રી કુટુંબમાં; પિતા બળવંતરાવ; માતા રાધિકાબાઈ. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તેઓ પારંગત હતા.…

વધુ વાંચો >

કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ)

કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ) : જૈન આગમ સાહિત્યમાં છેદસૂત્રો તરીકે ઓળખાતા છ ગ્રંથોમાંનો એક. તે કલ્પસૂત્ર કે દશાશ્રુતસ્કંધ તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય ભદ્રબાહુને એના કર્તા માનવામાં આવે છે. અર્ધમાગધી ભાષામાં ગદ્યબદ્ધ આ આગમ ગ્રંથ પર ‘નિર્યુક્તિ’ અને ‘ચૂર્ણી’ નામક ટીકાઓ પણ રચાયેલી છે. ગ્રંથમાં દસ પ્રકરણો છે. એમાં આઠમા અને દસમા…

વધુ વાંચો >

કન્નડ ભાષા અને સાહિત્ય

Jan 8, 1992

કન્નડ ભાષા અને સાહિત્ય દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની અને કન્નડ નામે ઓળખાતા પ્રદેશની ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. કર્ણાટકનો ઉલ્લેખ વ્યાસોક્ત મહાભારતમાં તથા તમિળ ભાષાના પ્રાચીન ગ્રંથ ‘શિલપ્પદિકારમ્’(ઈ.સ.ની બીજી સદી)માં થયેલો છે તેમજ આ જ ગાળામાં રચાયેલા એક ગ્રીક નાટકમાં કન્નડ ભાષાના કેટલાક શબ્દો મળ્યા હોવાનું કહેવાય છે. આ જોતાં…

વધુ વાંચો >

કન્નડ હસન

Jan 8, 1992

કન્નડ હસન (જ. 24 જૂન 1927, સિરુકુડલપટ્ટી, જિ. રામનાથપુર, તમિલનાડુ; અ. 17 ઑક્ટોબર 1981, શિકાગો, ઇલિનોઇસ, યુ.એસ.) : તમિળ ભાષાના અગ્રણી કવિ-નવલકથાકાર. તેમની નવલકથા ‘ચેરામન કદલી’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને કોઈ પ્રકારનું વિધિસર શિક્ષણ મળ્યું ન હતું. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કાવ્યની રચના કરી હતી.…

વધુ વાંચો >

કન્નુર

Jan 8, 1992

કન્નુર (Kannur) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેનું જૂનું નામ કાનાનોર (cannanore) હતું. ભૌગોલિક સ્થાન : તે 11o 40’થી 12o 48′ ઉ. અ. અને 74o 52’થી 75o 56′ પૂ. રે. વચ્ચેનો 2,966 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યની…

વધુ વાંચો >

કન્ફેશન

Jan 8, 1992

કન્ફેશન : પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અંગેનો ખ્રિસ્તી ધર્મનો એક સંસ્કાર. એમાં મનુષ્ય પોતે કરેલાં પાપને કબૂલી, પ્રાયશ્ચિત્ત કરીને ઈશ્વરની ક્ષમા યાચે છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રાયશ્ચિતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઈસુએ કહ્યું છે કે જે માનવી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે…

વધુ વાંચો >

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન

Jan 8, 1992

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન : અધર્મમાંથી ધર્મના માર્ગે વળવાની મહાયાત્રાની અંગ્રેજીમાં લખાયેલી સંત ઑગસ્ટિનની આત્મકથા (397-401). ખ્રિસ્તી ધર્મમાં સેક્રામેન્ટ અંતર્ગત માફી બક્ષવાની ધર્મક્રિયાને કન્ફેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં પોતાનાં સ્ખલનોનો એકરાર ધર્મગુરુ સમક્ષ કરવાનો હોય છે અને ધર્મગુરુ ઈશ્વરને નામે તેને પાપમુક્ત કરે છે. થઈ ગયેલાં પાપો વિશેનો…

વધુ વાંચો >

કન્યા

Jan 8, 1992

કન્યા : ન્યાયની દેવી વર્જિનનું આકાશી સ્થાન દર્શાવતું – કન્યા-રાશિનું – એક મોટું તારકમંડળ. એનો કેશમંડળ તરફનો ઉત્તર વિભાગ તારાવિશ્વોથી ભરપૂર છે. કલ્પનામાં પણ ન આવે તેવો એ તારાવિશ્વોનો જમાવ છે. ત્યાં તારાવિશ્વોનાં જૂથનાં પણ જૂથ છે. તારાવિશ્વોની સાંદ્રતા 2,500ની સંખ્યા દર્શાવે છે. કન્યાનો મુખ્ય તારો ચિત્રા સૂર્યની સરખામણીમાં 1,000…

વધુ વાંચો >

કન્યાકુમારી

Jan 8, 1992

કન્યાકુમારી : તમિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 8o 03’થી 8o 35′ ઉ. અ. અને 77o 05’થી 77o 36′ પૂ. રે. વચ્ચેનો 1,685 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતીય દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરના સંગમસ્થળે આવેલો છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

કન્યાશુલ્કમુ

Jan 8, 1992

કન્યાશુલ્કમુ (1897) : સામાજિક તેલુગુ નાટક. તેના લેખક ગુરજાડા અપ્પારાવ આધુનિક તેલુગુ સાહિત્યના પ્રવર્તક વીરેશલિંગમ્ જેવા સુધારક હતા. આ નાટકની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં, સમાજસુધારાના આંદોલનને શક્તિશાળી બનાવવા અને તેલુગુ ભાષાના નાટકની રચનાને સાર્થક ઠરાવવા, આ નાટકની રચના કરવામાં આવી છે એવું જણાવ્યું હતું. આ નાટકમાં વૃદ્ધ વર સાથે નાની વયની…

વધુ વાંચો >

કન્સ્ટ્રક્ટિવિઝમ

Jan 8, 1992

કન્સ્ટ્રક્ટિવિઝમ (શરૂઆત 1913, રશિયા, અંત 1937, જર્મની) : ઘનવાદ અને ફ્યુચરિઝમથી પ્રેરિત ભૌમિતિક આકારો વડે અમૂર્ત ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય રચનાઓ કરવાની કલાશૈલી. 1913માં રશિયામાં તેનો પ્રારંભ રશિયન ચિત્રકાર અને શિલ્પી વ્લાદિમીર ટાટ્લીને કર્યો. રશિયન શિલ્પીઓ નૌમ ગાબો અને ઍન્તૉની પેસ્નર પણ આ કળાશૈલીમાં જોડાયા. એ ત્રણેએ ભેગા મળીને 1920માં…

વધુ વાંચો >

કન્હેરીનાં શિલ્પો

Jan 8, 1992

કન્હેરીનાં શિલ્પો : મુંબઈ પાસે બોરીવલીની નજીક આવેલી કન્હેરી ગુફાઓમાંનાં શિલ્પો. તેમાં કંડારેલી સોએક જેટલી બૌદ્ધગુફાઓને લીધે પ્રસિદ્ધ છે. ગુફાની દીવાલો પર વરદ મુદ્રાવાળા ઊભેલા બુદ્ધ કે ધર્મચક્રપ્રવર્તનની મુદ્રાવાળા બેઠેલા બુદ્ધ તેમજ કરુણામૂર્તિ બોધિસત્વ અવલોકિતેશ્વર, ભક્તો વગેરેની મોટા કદની આકૃતિઓ કંડારેલી છે. ભારતીય સંસ્કૃતિ તથા પુરાતત્વની ર્દષ્ટિએ આ મહત્વનાં ગુફા…

વધુ વાંચો >