ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >ઉબૈદા અબૂ
ઉબૈદા, અબૂ (જ. 728 બસરા, અ. 825 બસરા) : અરબ ભાષાવિદ્. આખું નામ અબૂ ઉબૈદા મઅમ્મર બિન અલ્ મુસન્ના. જન્મે ઈરાનના યહૂદી વંશનો, ધર્મે મુસલમાન. તેણે અરબી વ્યાકરણ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિનું અધ્યયન કર્યું હતું. તેની અરબી ભાષાની લેખનશૈલી નોંધપાત્ર છે. તેણે એકઠી કરેલી લોકકથાઓ, દંતકથાઓને આધારે પ્રાચીન અરબ જીવન…
વધુ વાંચો >ઉભયધર્મિતા
ઉભયધર્મિતા (amphoterism) : ઉગ્ર બેઝને પ્રોટૉન પ્રદાન કરીને અથવા ઉગ્ર ઍસિડમાંથી પ્રોટૉન સ્વીકારીને અનુક્રમે ઍસિડ અને બેઝ તરીકે કાર્ય કરવાનો પદાર્થનો ગુણધર્મ. આથી ઉભયધર્મી પદાર્થ ઍસિડ સાથે બેઝની હાજરીમાં પ્રોટૉન પ્રદાન કરનાર અથવા ઇલેક્ટ્રૉનયુગ્મ સ્વીકારનાર અથવા બેઝ સાથે ઍસિડની હાજરીમાં પ્રોટૉન સ્વીકારનાર અને ઇલેક્ટ્રૉનયુગ્મ પ્રદાન કરનાર તરીકે કાર્ય કરે છે.…
વધુ વાંચો >ઉભયધર્મી વિદ્યુત-વિભાજ્યો (ampholytes)
ઉભયધર્મી વિદ્યુત-વિભાજ્યો (ampholytes) : ઍસિડનો અને બેઝનો એમ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવતા વિદ્યુત-વિભાજ્યો. પાણી અને આલ્કોહૉલ જેવા દ્રાવકો ઉભયધર્મી ગુણધર્મો ધરાવે છે, પણ તે સારા વિદ્યુત-વિભાજ્યો નથી. એક જ પદાર્થમાં ધન અને ઋણભાર ધરાવતા સમૂહો હોય તેવા વિદ્યુત-વિભાજ્યો પણ જાણીતા છે. તેમને દ્વિધ્રુવીય આયનો (dipolar ions) ઉભયાવિષ્ટ આયનો (zwitter ions)…
વધુ વાંચો >ઉભયલિંગિતા
ઉભયલિંગિતા (hermaphroditism) : શુક્રગ્રંથિ તથા અંડગ્રંથિ એમ બંને પ્રકારની જનનગ્રંથિઓની પેશીઓ એકસાથે એક જ વ્યક્તિમાં હોય તેવો વિકાર. ગ્રીક દંતકથાઓમાં આદિપુરુષ હર્મિસ (hermes) અને આદિસ્ત્રી એફ્રોડાઇટ(aphrodite)થી જન્મેલા દેવ હર્મૅફ્રોડિટસ(hermaphroditus)ના નામ પરથી આ વિકારને અંગ્રેજીમાં hermaphroditism કહે છે. આ ગ્રીક દેવનું માથું અને છાતી સ્ત્રી જેવાં હતાં. જ્યારે તેના શરીરનો નીચેનો…
વધુ વાંચો >ઉભયાવિષ્ટ આયનો
ઉભયાવિષ્ટ આયનો (zwitter ions) : મધ્યસ્થ સમૂહો વડે જોડાયેલ ધન અને ઋણવીજભારી સમૂહયુક્ત અણુ. ગ્લાયસીન (H2NCH2COOH) ઍસિડ માધ્યમમાં ધનભારવાહી આયન H3N+CH2COOH રૂપે, આલ્કલી માધ્યમમાં ઋણભારવાહી આયન H2NCH2COO– રૂપે અને મધ્યમ ઍસિડિકતાવાળા માધ્યમમાં ઉભયાવિષ્ટ આયન H3N+CH2COO– રૂપે અસ્તિત્વ ધરાવે છે. એમીનો ઍસિડ અને પ્રોટીન 99.9 % ઉભયાવિષ્ટ આયનો તરીકે અસ્તિત્વમાં હોય…
વધુ વાંચો >ઉભરાટ
ઉભરાટ : દક્ષિણ ગુજરાતના વિશાળ દરિયાકિનારે આવેલું રેતીપટ ધરાવતું વિહારધામ. સૌરાષ્ટ્રમાં ચોરવાડની જેમ દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ અને તીથલ મુખ્ય છે. ભૌગોલિક પરિભાષામાં સમુદ્રનાં મોજાંની નિક્ષેપણક્રિયા દ્વારા સમથળ અને રેતાળ દરિયાકિનારો બને તો તેને રેતીપટ કે ‘બીચ’ તરીકે ઓળખવામાં આવે છે. બીચ સહેલાણીઓ માટે ખાસ કરીને ઉનાળામાં વિહારધામ તરીકે ઉપયોગી બને…
વધુ વાંચો >ઉમદા વાયુઓ
ઉમદા વાયુઓ (noble gases) : આવર્તક કોષ્ટકના શૂન્ય (હવે 18મા) સમૂહમાં આવેલાં વાયુરૂપ રાસાયણિક તત્વો. અંગ્રેજ વૈજ્ઞાનિકો રેલે અને રામ્સેના પ્રયત્નોથી આ વાયુઓ [હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટૉન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn)] શોધાયા હતા. હીલિયમ પૃથ્વી પર શોધાયા પહેલાં તેની હાજરી સૂર્યમાં સાબિત થઈ હતી. પૃથ્વીના…
વધુ વાંચો >ઉમદા વાયુઓનાં સંયોજનો
ઉમદા વાયુઓનાં સંયોજનો : હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટોન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn) વાયુઓનાં રાસાયણિક સંયોજનો. રાસાયણિક ર્દષ્ટિએ આ છ વાયુઓ તદ્દન નિષ્ક્રિય છે તેમ માનવામાં આવતું, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહમાં મૂકવામાં આવ્યા છે. આ વાયુઓના…
વધુ વાંચો >