ખંડ ૩

ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)

ઈલેટિનેસી

ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…

વધુ વાંચો >

ઈલેસ્ટોમર

ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…

વધુ વાંચો >

ઈલોરા

ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…

વધુ વાંચો >

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…

વધુ વાંચો >

ઈવાન્જેલિકલ ચર્ચ

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…

વધુ વાંચો >

ઈવાલ, યોહૅનિસ

ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…

વધુ વાંચો >

ઈવોલ્વુલસ

ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).

વધુ વાંચો >

ઈવ્ઝ્ (Eaves) – નેવાં

ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…

વધુ વાંચો >

ઈશાનવર્મા

ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…

વધુ વાંચો >

ઉદયશંકર

Jan 5, 1991

ઉદયશંકર (જ. 8 ડિસેમ્બર 1900, ઉદયપુર; અ. 26 સપ્ટેમ્બર 1977, કોલકાતા) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકાર. જન્મ ડૉ. શ્યામાશંકર ચૌધરીને ત્યાં. જન્મસ્થળને કારણે નામ ઉદયશંકર રાખ્યું હતું. તેમને ચિત્રકલા અને સંગીતમાં બાળપણથી જ રસ હતો. 1917માં મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં તે દાખલ થયા અને ચિત્રકલાના અભ્યાસ સાથે ગાંધર્વ મહાવિદ્યાલયમાં…

વધુ વાંચો >

ઉદરછેદન શસ્ત્રક્રિયા

Jan 5, 1991

ઉદરછેદન શસ્ત્રક્રિયા (laparotomy) : પેટની અંદરના રોગનાં નિદાન અને સારવાર માટે પેટની શસ્ત્રક્રિયા કરવી તે. થિયોડૉર બિલરૉથ(Theodore Billroth, 1829-94)ને પેટની આધુનિક શસ્ત્રક્રિયાના પિતા ગણવામાં આવે છે (આકૃતિ 1). યુરોપમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાનો ક્રાંતિકારી વિકાસ થયો હતો. પેટના વિવિધ રોગોમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. જેમ કે, (1) જઠર…

વધુ વાંચો >

ઉદરપીડ

Jan 5, 1991

ઉદરપીડ (abdominal pain) : પેટમાં દુખાવો થવો તે. ખૂબ સામાન્ય લાગતાં ચિહ્નો અને લક્ષણોવાળો પેટનો દુખાવો પણ ક્યારેક ઝડપથી જોખમી સંકટ ઊભું કરે છે. વળી ક્યારેક તીવ્ર પીડાવાળા દર્દીમાં ચયાપચયી કે અન્ય એવો વિકાર પણ હોઈ શકે, જેમાં શસ્ત્રક્રિયા કરવાની જરૂરિયાત ન હોય. આમ પેટમાં થતી પીડાના નિદાન અંગે ઝીણવટભરી…

વધુ વાંચો >

ઉદરરોગ (આયુર્વેદવિજ્ઞાન)

Jan 5, 1991

ઉદરરોગ (આયુર્વેદવિજ્ઞાન)  : મનુષ્યના પેટમાં આવેલ જુદાં જુદાં અંગોની રક્ષા કરનાર ઉદરાવરણના રોગો. ઉદરરોગના બે મુખ્ય પ્રકારો છે. દોષોદર અને દુષ્યોદર. દોષોદરમાં – વાતોદર, પિત્તોદર, કફોદર અને સન્નિપાતોદર, – એ ચાર રોગોનો સમાવેશ થાય છે. દુષ્યોદરમાં – પ્લીહોદર, બદ્ધ ગુદોદર, પરિસ્રાવ્યુદર અને જલોદર એ ચાર રોગોનો સમાવેશ થાય છે. શરીરના…

વધુ વાંચો >

ઉદર્દ

Jan 5, 1991

ઉદર્દ : ત્વચાના ક્ષુદ્ર રોગ શીળસ કે શીતપિત્તને મળતો એક રોગ. શીળસમાં ઠંડા પવનથી કફ અને પિત્તદોષ વિકૃત થઈ, ત્વચા ઉપર આછા ગુલાબી રંગનાં, ઊપસેલાં અને ખૂજલી તથા દાહનાં લક્ષણોવાળાં અનેક ઢીમચાં કે ગાંઠો થાય છે; પરંતુ ઉદર્દમાં ઠંડા પવનથી માત્ર કફદોષ વિકૃત થાય છે, જેમાં હાથ-પગ તથા છાતી-પીઠની ત્વચા…

વધુ વાંચો >

ઉદવાડા

Jan 5, 1991

ઉદવાડા : પારસીઓનું મુખ્ય તીર્થધામ. પશ્ચિમ રેલવેના મુંબઈ-વડોદરા મુખ્ય રેલમાર્ગ પર મુંબઈથી આશરે 178 કિમી. અને વલસાડથી આશરે 17 કિમી. અંતરે અરબી સાગરને કિનારે આવેલું છે. તે પારડી તાલુકામાં આવેલું ગામ છે. મૂળ ઈરાનના વતની-પારસીઓ આઠમી અને દસમી સદીના ગાળામાં દક્ષિણ ગુજરાત મારફત ભારતમાં આવ્યા. વલસાડની દક્ષિણે આવેલા સંજાણ બંદરે…

વધુ વાંચો >

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં)

Jan 5, 1991

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં) : અજ્ઞાત લેખકના અપૂર્ણ ગ્રંથ ‘ઑન ધ સબ્લાઇમ’માં રજૂ થયેલો સાહિત્યમાં ઉદાત્તતાનો ખ્યાલ. તે પહેલી સદીમાં લખાયેલો પણ તેની હસ્તપ્રત ત્રીજી સદીમાં ઉપલબ્ધ થઈ. તેનું પ્રથમ અંગ્રેજી ભાષાંતર 1652માં જૉન હૉલે કર્યું હતું. ફ્રેન્ચ અનુવાદ 1674માં બુવાલોએ કર્યો હતો. ઉદાત્ત તત્વનો ખ્યાલ વિશાળતા, પ્રાકૃતિક ભવ્યતા અને ધાર્મિક…

વધુ વાંચો >

ઉદારમતવાદ

Jan 5, 1991

ઉદારમતવાદ : રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ એક વિચારશ્રેણી. ઍરિસ્ટૉટલે જણાવ્યા પ્રમાણે મનુષ્યસ્વભાવથી જ સામાજિક તથા રાજકીય પ્રાણી છે. તેને સમાજ તથા રાજ્ય સિવાય ચાલતું નથી. પરિણામે પ્રાચીન ગ્રીસના સમયથી રાજ્યશાસ્ત્ર વિષયમાં બે પ્રશ્નો મોખરે રહ્યા છે : (1) રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? અને (2) રાજ્યનું કાર્યક્ષેત્ર કેવું…

વધુ વાંચો >

ઉદાવર્ત

Jan 5, 1991

ઉદાવર્ત : અધારણીય વેગો પરાણે રોકી રાખવાથી અવરોધેલો વાયુ, અવળો થઈ શરીરમાં અહીં તહીં ગમે ત્યાં (વિમાર્ગે) જાય તે. ઝાડો, પેશાબ, અપાનવાયુ, ભૂખ, તરસ, છીંક, ઊલટી, આંસુ અને બગાસાં જેવા ધારણ ન કરવા જેવા કુદરતી આવેગોને પરાણે રોકી રાખવાના કારણે નીચે ગુદા માર્ગેથી પ્રવર્તનારો પેટનો વાયુ અવળો થઈ, (ગુદા-આંતરડાથી) ઉપર…

વધુ વાંચો >

ઉદાસી સંપ્રદાય

Jan 5, 1991

ઉદાસી સંપ્રદાય : ગુરુ નાનકના ધર્મ પર ચાલતો એક ફિરકો. તે શીખધર્મની પાબંદીઓ(નિયમબદ્ધતાઓ)માં માનનારો છે. આ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનકના દીકરા શ્રીચંદ હતા. ‘ગ્રંથ-સાહેબ’ને તેઓ પોતાના ધર્મગ્રંથ તરીકે સ્વીકારે છે. ઉદાસી એટલે વિષયો તરફ અપ્રીતિવાળું, બેફિકર, નિરપેક્ષ, ઉદાસીન જીવન જીવનાર વિરક્ત પુરુષ. દુનિયાદારી તજનારો આ વર્ગ શીખ લોકોમાંથી જ ઉત્પન્ન…

વધુ વાંચો >