ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
એન્સાઇક્લોપીડિયા
એન્સાઇક્લોપીડિયા : જુઓ કોશસાહિત્ય
વધુ વાંચો >એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન)
એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન) (જ. 13 એપ્રિલ 1860, ઓસ્ટેન, બેલ્જિયમ; અ. 19 નવેમ્બર 1949 ઓસ્ટેન, બેલ્જિયમ) : આધુનિક ચિત્રકલાનો અગ્રયાયી બેલ્જિયન ચિત્રકાર. વીસ વર્ષની ઉંમરે તે કુશળ ચિત્રકાર ગણાતો હતો. તેણે ભયાનક, બિહામણા, હાસ્યજનક અને જુગુપ્સાપ્રેરક મુખવટા તેમજ કટાક્ષચિત્રો દોર્યાં હતાં. 1883માં બ્રસેલ્સની રૉયલ આર્ટ કમિટીએ તેનાં ચિત્રોને નાપાસ કર્યાં.…
વધુ વાંચો >ઍન્સ્ટેટાઇટ
ઍન્સ્ટેટાઇટ : ઑર્થોરૉમ્બિક પાઇરૉક્સિન/ પાઇરૉક્સિન વર્ગનું ખનિજ. રા. બં. – MgSiO3(15 % સુધી FeSiO3 સાથે); સ્ફ. વ. – ઑર્થોરૉહોમ્બિક; સ્વ. – મૅક્રો અને બ્રેકિપિનેકોઇડ સાથેના પ્રિઝમ સ્વરૂપ સ્ફટિકો, સામાન્યત: જથ્થામય અને પટ્ટાદાર; રં. – રંગવિહીન, રાખોડી, લીલો, કથ્થાઈ, પીળો; સં. – સુવિકસિત બે પ્રિઝમ સ્વરૂપને સમાંતર; ચ. – કાચમયથી મૌક્તિક;…
વધુ વાંચો >એપલ ઉપગ્રહ
એપલ ઉપગ્રહ : ભારતનો પ્રથમ સ્વદેશી સંચાર ઉપગ્રહ. ઇસરોનો એપલ (Ariane Passenger PayLoad Experiment) ઉપગ્રહ ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક સીમાચિહ્નરૂપ અભિયાન હતું. એપલ ઉપગ્રહે ભારતની ઉપગ્રહ ટેકનોલોજીમાં સ્વનિર્ભરતાનો પાયો નાખ્યો. ઇસરોનો આ સ્વદેશી ઉપગ્રહ ભારતનો પ્રથમ સંચાર ઉપગ્રહ હતો. તેને 19 જૂન 1981ના રોજ ભૂસ્થિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો. તેને…
વધુ વાંચો >ઍપલટન, એડ્વર્ડ વિક્ટર (સર)
ઍપલટન, એડ્વર્ડ વિક્ટર (સર) (જ. 6 સપ્ટેમ્બર 1892, બ્રેડફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1965, એડિનબર્ગ, સ્કોટલેન્ડ, યુ. કે.) : વિખ્યાત ભૌતિકશાસ્ત્રી. આયૉનોસ્ફિયરના ઍપલટન તરીકે જાણીતા સ્તરની શોધ માટે 1947માં તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ સ્તર રેડિયોતરંગોનું આધારભૂત પરાવર્તક છે અને તેથી સંદેશાવ્યવહારમાં ઉપયોગી છે. આયૉનૉસ્ફિયરના બીજા સ્તર રેડિયોતરંગોનું…
વધુ વાંચો >એપાર્કિયન અસંગતિ
એપાર્કિયન અસંગતિ (Eparchaean unconformity) : પુરાણા અને આર્કિયન ખડકરચનાઓ વચ્ચેનો સાતત્યભંગ. ભારતમાં અતિપ્રાચીન સમયના ખડકોથી માંડીને અર્વાચીન સમયના ખડકો મળી આવે છે, પરંતુ વિવિધ ભૂસ્તરીય કાળના ખડકોનો ઉત્પત્તિક્રમ અવિરત હોતો નથી. પરિણામે કેટલીક વખતે ખડકરચનાની ઉત્પત્તિના સાતત્યમાં ભંગ (વિક્ષેપ) જોવા મળે છે, જેનો નિર્દેશ ભૂસ્તરશાસ્ત્રની સ્તરવિદ્યાશાખામાં અસંગતિ પ્રકારના નિક્ષેપવિરામના લક્ષણ…
વધુ વાંચો >એપિક્યુરસ
એપિક્યુરસ (જ. ઈ. પૂ. 341, સેમોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 270 એથેન્સ, ગ્રીસ) : મહાન ગ્રીક તત્વજ્ઞ. ઍથેન્સની શાળાના શિક્ષકના પુત્ર. તેમના નામ ઉપરથી પ્રસિદ્ધ થયેલા સંપ્રદાય એપિક્યુરિયનવાદનું કાયમી મુખ્ય મથક ઈ. પૂ. 306માં ઍથેન્સમાં તેમણે પોતાના મકાન અને બાગમાં સ્થાપ્યું હતું. આથી આ સંસ્થા ‘ગાર્ડન્સ’ તરીકે અને અનુયાયીઓ ‘ધ…
વધુ વાંચો >એપિગ્રામ
એપિગ્રામ : ગદ્ય કે પદ્યમાં લખાયેલું સૂત્રાત્મક અર્થસભર વિધાન. મહદ્અંશે જે લેખકોએ અંગ્રેજીમાં એપિગ્રામ લખ્યાં છે તેમણે તેનો કાં તો પ્રશસ્તિ માટે અથવા કટાક્ષની રીતે ઉપયોગ કર્યો છે. પ્રાચીન ગ્રીસ તથા રોમમાં સમ્રાટો, તત્વચિંતકો અને સેનાધ્યક્ષોનાં પૂતળાં નીચે એપિગ્રામનું લખાણ મૂકવામાં આવતું. પ્રથમ ગ્રીક ઍન્થોલૉજી – આશરે 925માં પ્રસિદ્ધ થઈ…
વધુ વાંચો >એપિડોટ (પિસ્ટેસાઇટ)
એપિડોટ (પિસ્ટેસાઇટ) : એક ખનિજ. રા. બં. – Ca2Fe3+Al2O. H[Si2O7]; સ્ફ. વ. – મૉનોક્લિનિક; – ‘b’ અક્ષને સમાંતર, વિકસિત, સોયાકાર, તંતુમય, દાણાદાર, જથ્થામય; રં. – લીલો, કાળાશ પડતો લીલો, પિસ્તા જેવો લીલો; સં. બેઝલપિનકોઇડને સમાંતર; ચ. – કાચમય; ભં. સ. – ખરબચડી; ચૂ. – રંગવિહીન કે રાખોડી; ક. – 6.0…
વધુ વાંચો >એપિડોરસ થિયેટર
એપિડોરસ થિયેટર : ગ્રીસનું સૌથી મોટું થિયેટર. પ્રાચીન ગ્રીક શહેર એપિડોરસ પેલોપોનેસસના કિનારાના વાયવ્ય ખૂણે સારોનિક અખાત પર આર્ગોલિસ જિલ્લામાં આવેલું છે. નાના (the younger) પોલિટિકસ રાજાએ અહીં ઈ. પૂ. 350માં બંધાવેલા થિયેટરનો ઉપયોગ હાલ પણ વાર્ષિક નાટ્યોત્સવ વખતે થાય છે. તેની રંગભૂમિ બે માળ ઊંચી હતી. નાટ્યસ્થળ 20 મી.…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >