ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

આર્બર, અગ્નેસ

Jan 9, 1990

આર્બર, અગ્નેસ (જ. 23 ફેબ્રુ. 1879, લંડન : અ. 22 માર્ચ 1960 કેમ્બ્રિજશાયર) : અંગ્રેજ મહિલા વનસ્પતિશાસ્ત્રી. તેમણે એકદળી વનસ્પતિઓની તુલનાત્મક અન્ત:સ્થ સંરચના (anatomy) ઉપર મહત્વના મૌલિક વિચારોનું પ્રદાન કરેલું છે. લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી. (1899) તથા ડી.એસસી. (1905) અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.(1909)ની ઉપાધિ મેળવી હતી. આમ તેમના કાર્યમાં વિજ્ઞાન અને…

વધુ વાંચો >

આર્બર, વર્નર

Jan 9, 1990

આર્બર, વર્નર (જ. 3 જૂન 1929, ગ્રાનિકેમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના પ્રસિદ્ધ સૂક્ષ્મજીવશાસ્ત્રી. શરીરક્રિયાશાસ્ત્રમાં પ્રતિબંધક ઉત્સેચકો અને તેમના આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)માં ઉપયોગને લગતી શોધ માટે તેમને 1978નું નોબેલ પારિતોષિક નાથાન્સ અને હૅમિલ્ટન ઑર્થોનેલ સ્મિથની સાથે એનાયત થયેલું. પ્રતિબદ્ધ ઉત્સેચકો ડી.એન.એ.ના મોટા અણુઓને તોડીને તેમનું મહત્વની જનીનીય માહિતી દર્શાવતા નાના વિભાગોમાં વિભાજન…

વધુ વાંચો >

આર્બોવિષાણુ

Jan 9, 1990

આર્બોવિષાણુ (arbovirus) : સંધિપાદો(arthropods)માં વિકાસ પામતા અને તેમની મારફત વહન કરાતા (arthropod-borne – સંક્ષિપ્ત arbo છે) વિષાણુઓ. આ સમૂહમાં લગભગ 250 વિષાણુઓ છે. આ વિષાણુઓ એવા ચેપકારકો છે, જેમની વિશિષ્ટતા તેમનું અતિ સૂક્ષ્મ કદ અને રાસાયણિક સરળતા છે. આ વિષાણુઓનો ફેલાવો મચ્છર અને બીજી લોહી ચૂસનારી જિંગોડી (ticks) જેવી જીવાતો…

વધુ વાંચો >

આર્મસ્ટ્રૉંગ,એડવિન હાવર્ડ

Jan 9, 1990

આર્મસ્ટ્રૉંગ, એડવિન હાવર્ડ (જ. 18ડિસે.1890, ન્યૂયૉર્ક સિટી : અ. 11  ફેબ્રુ. 1954 ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન વિદ્યુત ઇજનેર અને વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ સમાવર્તન/અધિમિશ્રણ (Frequency Modulation-FM) પદ્ધતિના મૂળ શોધક. પિતા પ્રકાશક અને માતા શિક્ષિકા હતાં. આર્મસ્ટ્રૉંગને નાનપણથી યાંત્રિક રમકડાં અને સાધનોનો શોખ. ઍટલાન્ટિક મહાસાગરની પાર બિનતારી (wireless) સંદેશા મોકલવાના માર્કોનીના પરાક્રમથી…

વધુ વાંચો >

આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન

Jan 9, 1990

આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન :  (જ. 5 ઑગસ્ટ 1930, વાપાકોનેટા ઓહાયો, યુ. એસ.; અ. 25 ઑગસ્ટ 2012, સિનસિનાટી, ઓહાયો, યુ.એસ.) : ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ. 16 વર્ષની ઉંમરે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમનો પર્ડુ યુનિવર્સિટીનો વૈમાનિક ઇજનેરીનો અભ્યાસક્રમ કોરિયા યુદ્ધને કારણે 1950માં અટક્યો. આ…

વધુ વાંચો >

આર્મેનિયન ભાષા

Jan 9, 1990

આર્મેનિયન ભાષા : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળના એક પેટાકુળ થ્રાકો-ફીજિયન જૂથની ભાષા. પ્રાચીન કાળમાં આંતોલિયામાં આ ભાષાનું પૂર્વરૂપ અસ્તિત્વ ધરાવતું હતું. એમ પણ કહી શકાય કે ફીજિયન ભાષામાંથી જ સીધી આર્મેનિયન ઊતરી આવી છે. જૂની આર્મેનિયન ભાષા જૂની ઈરાની અને જૂની સંસ્કૃત ભાષાને ખૂબ મળતી આવે છે. ચાર લાખ કરતાં વધુ ભાષકો…

વધુ વાંચો >

આર્મેનિયા

Jan 9, 1990

આર્મેનિયા : સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર થયેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ આશરે 390 ઉ. અ.થી 410 ઉ. અ. અને 420 પૂ. રે.થી 470 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. પતંગ-આકારે આવેલા આ દેશની વાયવ્યથી અગ્નિ દિશાની લંબાઈ આશરે 300 કિમી., જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશાની પહોળાઈ આશરે 200 કિમી. જેટલી છે. તેનો…

વધુ વાંચો >

આર્મ્સ ઍન્ડ ધ મૅન

Jan 9, 1990

આર્મ્સ ઍન્ડ ધ મૅન : જ્યૉર્જ બર્નાર્ડ શૉની નાટ્યકૃતિ. ‘પ્લેઝ પ્લેઝન્ટ ઍન્ડ અન્પ્લેઝન્ટ’ની શ્રેણીમાં તે 1898માં પ્રગટ થઈ હતી. ‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’નો પરિવેશ 1885 ની સાલના બલ્ગેરિયાનો છે. યુદ્ધ અને લગ્ન એ આ નાટકનું કથાવસ્તુ છે. યુદ્ધ અનિષ્ટ અને મૂર્ખતાભર્યું છે, તો લગ્ન ઇચ્છવા જેવું અને સારું છે; પરંતુ…

વધુ વાંચો >

આર્ય

Jan 9, 1990

આર્ય : ભારતીય પરંપરામાં સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, નેતા વગેરે અર્થોમાં પ્રયોજાયેલો શબ્દ. આપણી સાંસ્કૃતિક પરંપરામાં आर्य શબ્દ ઋગ્વેદયુગથી પ્રચારમાં છે. ઋગ્વેદમાં આ શબ્દ 36 વખત પ્રયોજાયો છે. તેય કેવળ માણસના સંદર્ભે જ નહીં પણ વાદળ, વરસાદ, પ્રકાશ, સોમરસ વગેરેના સંદર્ભે પણ. આ બધી વખત આ શબ્દ સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, પૂજ્ય,…

વધુ વાંચો >

આર્યક સ્તંભો

Jan 9, 1990

આર્યક સ્તંભો : સ્તૂપની વર્તુલાકાર પીઠિકાની ચારે દિશાએ નિર્ગમિત ઊંચા મંચ કરીને દરેક મંચ ઉપર પાંચ પાંચ સ્તંભો મૂકવામાં આવતા. આ સ્તંભોને આયક કે આર્યક સ્તંભો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના સ્તૂપોની આ એક વિશેષતા છે. અમરાવતી અને નાગાર્જુનકોંડાના સ્તૂપમાં આ પ્રકારના આર્યક સ્તંભો આવેલા હતા. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >