આર્યક સ્તંભો : સ્તૂપની વર્તુલાકાર પીઠિકાની ચારે દિશાએ નિર્ગમિત ઊંચા મંચ કરીને દરેક મંચ ઉપર પાંચ પાંચ સ્તંભો મૂકવામાં આવતા. આ સ્તંભોને આયક કે આર્યક સ્તંભો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના સ્તૂપોની આ એક વિશેષતા છે. અમરાવતી અને નાગાર્જુનકોંડાના સ્તૂપમાં આ પ્રકારના આર્યક સ્તંભો આવેલા હતા.

રવીન્દ્ર વસાવડા