ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
ઇબ્ન સીના
ઇબ્ન સીના (જ. 980, બુખારા, ઉઝબેકિસ્તાન; અ. 22 જૂન 1037, હમદાન, ઈરાન) : ‘જ્ઞાનીઓના શિરોમણિ’ અને ‘ઍરિસ્ટોટલ પછીના બીજા મહાન તત્વજ્ઞ’ જેવાં સર્વોચ્ચ બિરુદો પામેલા અને પશ્ચિમ જગતમાં અવિસેન્ના(Avicenna)ના નામે જાણીતા મશહૂર અરબ તત્ત્વજ્ઞ, વૈદકશાસ્ત્રી, ખગોળવિદ્ અને ગણિતવિજ્ઞાની. મૂળ નામ અબૂ અલી હુસૈન. પિતાનું નામ અબ્દુલ્લાહ. 10 વર્ષની વયે શાળાનું…
વધુ વાંચો >ઇબ્ન હઝમ
ઇબ્ન હઝમ (જ. 7 નવેમ્બર 994, કોર્ડોવા; અ. 15 ઑગસ્ટ 1064, મન્તા લિશામ) : મુસ્લિમ સાહિત્યકાર, ઇતિહાસકાર, કાયદાનો તજજ્ઞ, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબૂ મુહમ્મદ અલી. પિતાનું નામ અહમદ બિન સઈદ. ઇબ્ન હઝમના કુન્યહથી પ્રસિદ્ધ છે. તે આરબ-મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન વિચારક હતો. સ્પેનના મુસલમાનોમાં સૌથી મૌલિક અને મહાન…
વધુ વાંચો >ઇબ્નુલ અરબી
ઇબ્નુલ અરબી (જ. 28 જુલાઈ 1165, મુરસિયા (સ્પેન); અ. 16 નવેમ્બર 1240, દમાસ્કસ) : જાણીતા અરબી વિદ્વાન શેખ અબૂ બક્ર મુહયિઉદ્દીન મુહમ્મદ બિન અલી. તેઓ ‘ઇબ્નુલ અરબી’ના ઉપનામથી વધારે જાણીતા છે. એમને ‘અશ્-શયખુલ અકબર’ (સૌથી મહાન વિદ્વાન) પણ કહે છે. વતનમાંથી તેઓ ઇશ્બીલિયા આવતા રહ્યા અને 30 વર્ષ વિદ્યાપ્રાપ્તિમાં ગાળ્યાં.…
વધુ વાંચો >ઇબ્રાહીમનો રોજો
ઇબ્રાહીમનો રોજો : બીજાપુરના સુલતાન ઇબ્રાહીમ બીજાનો રોજો. તુર્ક અને ઈરાની મૂળ વંશના આદિલશાહી રાજવીઓએ આગવી સ્થાપત્યશૈલીની તેમના પાટનગર બીજાપુરની આજુબાજુ બંધાવેલ ઇમારતોમાં આ ઇમારત આગવી ભાત પાડે છે. એક બગીચાની અંદર બંધાવેલ ઇબ્રાહીમ બીજાની કબર અને મસ્જિદની ઇમારતો આ આગવી શૈલીનાં સુંદર ઉદાહરણો છે. નાના સ્તંભો પર કમાનો રચાયેલ…
વધુ વાંચો >ઇબ્રાહીમ પૂરેદાઊદ
ઇબ્રાહીમ પૂરેદાઊદ (જ. 9 ફેબ્રુઆરી 1886, રશ્ત, પર્શિયા; અ. 17 નવેમ્બર 1968 તહેરાન, ઈરાન) : ઈરાનના રાષ્ટ્રવાદી કવિ. તેઓ વિવિધ વિદ્યાઓના અભ્યાસી, સંશોધક તેમજ પ્રાચીન ઈરાની સંસ્કૃતિમાં ખૂબ રસ ધરાવતા હોવાથી જરથોસ્તી ધર્મપુસ્તકોની શોધમાં 1926માં મુંબઈ આવેલા. તેમણે ગાથા, ઝંદ અવસ્તા અને અવસ્તાના બીજા ભાગ ‘યસ્ના’નો અનુવાદ કર્યો છે. 1932માં…
વધુ વાંચો >ઇબ્રાહીમ બિન અદ્હમ
ઇબ્રાહીમ બિન અદ્હમ (જીવનકાળ : 767-815 લગભગ) : એક અફઘાન સંત. તે અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંત શાહી ખાનદાનમાં જન્મ્યા હોવાનું કહેવાય છે. તેઓ અત્યંત વૈભવશાળી રાજકુંવર હતા. એક દિવસે તે શિકાર કરવા ગયા ત્યારે તેમને એક ગેબી અવાજ સંભળાયો, ‘જાગ્રત થા, ઊઠ, શું તને આવી રમતો માટે પેદા કર્યો છે ?’…
વધુ વાંચો >ઇબ્સન, હેન્રિક જોહાન
ઇબ્સન, હેન્રિક જોહાન [જ. 20 માર્ચ 1828, સ્કિએન (skien), નૉર્વે; અ. 23 મે 1906, ક્રિસ્ટિયાના (ઑસ્લો)] : નૉર્વેનો કવિ અને નાટ્યકાર. બાલ્યાવસ્થામાં કુટુંબ પર આર્થિક વિપત્તિ આવી પડતાં કિશોરવયથી તેને નોકરી કરવી પડેલી. તબીબી વિદ્યાનો અભ્યાસ કરતાં કરતાં તેને રંગભૂમિ પર કામ કરવાનો મોકો મળી ગયેલો. 1851માં બર્જેનના રાષ્ટ્રીય થિયેટરમાં…
વધુ વાંચો >ઇમદાદખાં
ઇમદાદખાં (જ. 1848 આગ્રા; અ. 1920 ઇન્દોર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિચક્ષણ પ્રતિભા ધરાવતા સંગીતજ્ઞ. તેમના પરિવારમાં કેટલાક અગ્રણી સંગીતજ્ઞ થઈ ગયા છે, જેમનો વારસો ઇમદાદખાંને મળ્યો હતો. તેમના પૂર્વજો હિંદુ હતા, પરંતુ બાળપણમાં જ તેમના પિતા સાહબદાદે મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હોવાથી તેમને તે ધર્મના અનુયાયી ગણવામાં આવે…
વધુ વાંચો >ઇમરાનખાન
ઇમરાનખાન (જ. 25 નવેમ્બર 1952, લાહોર) : પાકિસ્તાનના તેમજ વિશ્વના એક મહાન સર્વાશ્ર્લેષી (all-rounder) ક્રિકેટર તથા પાકિસ્તાનના રાજકીય અગ્રણી, ક્રિકેટ સમીક્ષક અને કૅન્સર હૉસ્પિટલના દાતા તથા તહરીક-એ-ઇન્સાફ નામના રાજકીય પક્ષના ચૅરમૅન. તેમનું એવું મોહક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે તેઓ એકલે હાથે આખી ટીમને એકસૂત્રે જકડી રાખી શકે. છેક 1985માં…
વધુ વાંચો >ઇમલો
ઇમલો : માળ; બાંધકામમાં ભોંયતળિયાથી છત સુધીનો ભાગ. તેને મકાનના એક ભાગ રૂપે ગણી શકાય. બાંધકામના માળખાનું આયોજન આ ભાગને અનુલક્ષીને જ કરવામાં આવે છે. ઇમારતી માલસામાન અને બાંધકામની રીત(કારીગરી)નું ધોરણ ઇમલાને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >