ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઇન્ટરનૅશનલ બોર્ડ ફૉર પ્લાન્ટ જિનેટિક રિસર્ચ

ઇન્ટરનૅશનલ બોર્ડ ફૉર પ્લાન્ટ જિનેટિક રિસર્ચ (IBPGR) : કન્સલ્ટેટિવ ગ્રૂપ ઑવ્ ઇન્ટરનૅશનલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (CGIAR) દ્વારા 1974માં રોમ(ઇટાલી)માં છોડની જનીન સંપત્તિના સંશોધન માટે સ્થાપવામાં આવેલું આંતરરાષ્ટ્રીય મંડળ. તેનું મુખ્ય ધ્યેય છોડની જનીન સંપત્તિ એકત્રિત કરી, સાચવી, આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો મુક્ત વિનિયોગ કરીને આ પ્રકારનું કાર્ય કરતાં અન્ય મંડળોને સહકાર, સહયોગ…

વધુ વાંચો >

ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર

ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર (CIMMYT) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનોના સહયોગથી 1966માં મકાઈ અને ઘઉંની સુધારણા માટેનું બેટોન(મેકિસકો)માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ માટેનું પાયાનું કામ મેક્સિકોમાં 1943માં શરૂ થયું હતું. મકાઈની જનીનિક વિવિધતાને આધારે ઉદભવતી 8,000થી વધુ જાતોનું એકત્રીકરણ તથા તેમની જાળવણી અને વહેંચણીનું કાર્ય આ સંસ્થા સંભાળે…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

ઇન્ટનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનો દ્વારા મનીલા(ફિલિપાઇન્સ)માં 1960માં ચોખાના સંશોધન માટે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય ચોખાના પાકની સુધારણા છે. અત્યાર સુધીમાં ચોખાની લગભગ 42,000 થી વધુ જાતોના જનનરસ(germ plasm)નો સંગ્રહ કરવામાં આવેલો છે. આ જાતોની જાળવણી અને વહેંચણી કરવામાં આવે છે. લાંબા…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા : ઉષ્ણકટિબંધના આફ્રિકન દેશોમાં પશુસંવર્ધન અને તેની પેદાશોના વેચાણક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી આમજનતાનું જીવનધોરણ સુધારવાના ઉદ્દેશથી એડિસ અબાબા(ઇથોપિયા)માં 1976માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ મથક આફ્રિકાના ઉષ્ણકટિબંધના ઊંચાણવાળા વિસ્તારોના પશુસંવર્ધનને લગતા પ્રશ્નો ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત સૂકા પ્રદેશો, ભેજવાળા પ્રદેશો અને વિશાળ ચરિયાણ ધરાવતા…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ લેબૉરેટરી ફૉર રિસર્ચ ઑન ઍનિમલ ડિઝીસિઝ

ઇન્ટરનેશનલ લેબૉરેટરી ફૉર રિસર્ચ ઑન ઍનિમલ ડિઝીસિઝ (ILRAD) : પૂર્વ આફ્રિકામાં નૈરોબી ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થા તથા કેન્યા સરકારની મદદથી 1973માં સ્થાપવામાં આવેલી પ્રયોગશાળા. આ પ્રયોગશાળા દરિયાની સપાટીથી 1544 મી. ઊંચાઈએ 79 હેક્ટર જમીનમાં પથરાયેલી છે અને આધુનિક સંશોધનનાં સાધનોથી સજ્જ છે. આ સંસ્થામાં 45 વૈજ્ઞાનિકો અને તાલીમ પામેલ…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન

ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (ICAO) : 52 દેશોના પ્રતિનિધિઓએ ભેગા મળીને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન અંગે 1940માં શિકાગોમાં સ્થાપેલી સંસ્થા. મૂળભૂત 96 કલમો ઘડવામાં આવી હતી. 26 દેશોએ તેના ઠરાવને માન્યતા આપીને 4 એપ્રિલ, 1947ના દિવસે આ સંસ્થાના અસ્તિત્વની વિધિસર જાહેરાત કરી હતી. આ સંસ્થાની મુખ્ય કચેરી મોન્ટ્રિયલ(કેનેડા)માં છે. આ સંસ્થાનું…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ (ICARDA) : સૂકા વિસ્તારના કૃષિસંશોધન અંગે એલેપો(બેરોન)માં CGIAR દ્વારા સ્થપાયેલ કેન્દ્ર. આ સંસ્થા જવ, ઘઉં અને મસૂરની જાતની સુધારણા માટે મુખ્યત્વે જવાબદાર છે. આ ઉપરાંત ખેતી-પદ્ધતિ, ઘેટાંની જાળવણી તથા સુધારણા માટે પણ ત્યાં સંશોધન હાથ ધરવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશ અને…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ટ્રૉપિકલ એગ્રિકલ્ચર

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ટ્રૉપિકલ એગ્રિકલ્ચર (CIAT) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનના સહિયારા પ્રયત્નોથી પાલમીરા, કોલંબિયામાં સ્થાપવામાં આવેલ ઉષ્ણકટિબંધની ખેતી માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર. સીઆટે કસાવા (Cassava tropica) અને કઠોળ(beans)ની સુધારણા માટેની પ્રાથમિક જવાબદારી સ્વીકારી છે. કસાવા આફ્રિકા, લૅટિન અમેરિકા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં મોટા પ્રમાણમાં વવાય છે. તેના મૂળ ખોરાક તરીકે સાબુદાણા…

વધુ વાંચો >

ઇન્ટરપૉલ

ઇન્ટરપૉલ : વિશ્વના જુદા જુદા સભ્ય દેશોના પરસ્પર સહકાર દ્વારા રચવામાં આવેલ પોલીસ-સંગઠન. તેનું આખું નામ ‘ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગનાઇઝેશન’ છે. આવું સંગઠન સ્થાપવાનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પહેલાં આવેલો, પરંતુ તેની વિધિસર સ્થાપના 1923માં કરવામાં આવી હતી. સ્થાપના-સમયે તેની સભ્ય સંખ્યા માત્ર વીસ હતી, પરંતુ હવે તે વધીને 140…

વધુ વાંચો >

ઇન્ટરફેરૉન

ઇન્ટરફેરૉન (interferon) : વિષાણુઓ સામે રક્ષણ આપવા માટે માનવી અને સસ્તન પ્રાણીઓના શરીરમાં તાત્કાલિક ઉત્પન્ન થતાં પ્રોટીનો. પ્રતિવિષાણુ(antiviral) પરિસ્થિતિના નિર્માણ માટે ઇન્ટરફેરૉન ત્રણ ઉત્સેચકોની ઑલિગોન્યુક્લિયોટાઇડ સિન્થેટેઝ (oligonucleotide synthetase), એન્ડોન્યૂક્લિયોઝ (endonuclease), અને કિનેઝ(Kinase)ની મદદ લે છે. જ્યાં સુધી સંવેદનશીલ કોષને વિષાણુનો ચેપ ન લાગે ત્યાં સુધી આ ઉત્સેચકો સુષુપ્ત રહે છે.…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >