ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો : સફરી વહાણોના ઉપયોગના તથા વહાણવટાયોગ્ય સંકલિત જળવિસ્તારને લગતા નિયમોનો બનેલો આંતરરાષ્ટ્રીય કાયદો. તે જળવિસ્તાર પર ઊડતાં વિમાનો તથા પાણીમાંની ડૂબક કિશ્તીઓ(submarines)ને પણ લાગુ પડે છે. તેને મધ્યયુગમાં પશ્ચિમ યુરોપનાં રાજ્યોએ વિકસાવ્યો. મધ્યયુગમાં પોર્ટુગલે આખા હિંદી મહાસાગર પર સાર્વભૌમત્વનો દાવો કરેલો. વિખ્યાત ડચ ન્યાયવિદ ગ્રોશિયસ(1583-1645)ના મતે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund) : આંતરરાષ્ટ્રીયક્ષેત્રે નાણાકીય સહકાર માટેની સંસ્થા. 1929થી શરૂ થયેલી વિશ્વમંદી દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષેત્રે જે અનવસ્થા સર્જાઈ હતી તેનું પુનરાવર્તન બીજા વિશ્વયુદ્ધ પછી ન થાય તે હેતુથી 1944ના જુલાઈમાં અમેરિકામાં બ્રેટનવૂડ્ઝ ખાતે 44 દેશોની ‘યુનાઇટેડ નેશન્સ મૉનિટરી ઍન્ડ ફાઇનાન્શિયલ કૉન્ફરન્સ’ મળી હતી. આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત (192૦) :  1919ના વર્સેલ્સ કરાર અન્વયે હેગમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલત. બીજા વિશ્વયુદ્ધ પછી (1945થી) સંયુક્ત રાષ્ટ્ર સંઘના હકનામાની કલમ 92થી 96 અન્વયે રાષ્ટ્ર સંઘના એક મુખ્ય અંગ તરીકે તેનો સમાવેશ થયેલો છે. આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટ માટેનું આ કાયમી સાધન છે. તે જાહેર સુનાવણી કરીને આંતરરાષ્ટ્રીય કાયદા…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization, 1919) : વિશ્વના શ્રમજીવી વર્ગની સ્થિતિ, કામની શરતો તથા જીવનધોરણમાં સુધારો લાવવાની દિશામાં પ્રયત્નશીલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી વર્સેલ્સની સંધિ હેઠળ લીગ ઑવ્ નૅશન્સ સાથે સંલગ્ન છતાં સ્વાયત્ત એવી આ સંસ્થાની સ્થાપના એપ્રિલ, 1919માં કરવામાં આવી હતી. 1946માં એક ખાસ કરાર દ્વારા…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : 2015થી દર વર્ષે 21 જૂને દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા યોગાસનો કરીને થતી ઉજવણી. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સંબોધન કરતી વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરવા માટે ભલામણ કરી હતી. શારીરિક-માનસિક સ્વાસ્થ્ય તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વના યોગાસનો અને પ્રાણાયામથી દુનિયાભરમાં સુખાકારી વધશે તેવા…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય રાજકારણ

આંતરરાષ્ટ્રીય રાજકારણ રાજ્યોનાં એકમેક સાથેનાં વ્યવહાર, વર્તન અને વિવિધ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ વ્યવહાર અને સંબંધોનું પ્રમાણ જેમ વિપુલ બનતું ગયું તેમ આ વિષયનો વ્યાપ પણ વિસ્તરતો રહ્યો છે. આ સંબંધો માત્ર રાજકીય ન રહેતાં માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા હોવાથી ઘણી વાર ઉચિત રીતે આ વિષયને આંતરરાષ્ટ્રીય સંબંધો કહેવામાં…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય રોકડતા

આંતરરાષ્ટ્રીય રોકડતા (International Liquidity) : આંતરરાષ્ટ્રીય ચુકવણી માટે સર્વસ્વીકાર્ય તરલતાઅસ્કામતો. ‘આંતરરાષ્ટ્રીય રોકડતા’નો સમાનાર્થી ‘આંતરરાષ્ટ્રીય અનામતો’ એવો શબ્દપ્રયોગ પણ કરવામાં આવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ ‘આંતરરાષ્ટ્રીય અનામતો’ની તુલનામાં ‘આંતરરાષ્ટ્રીય રોકડતા’ એ શબ્દપ્રયોગનો વધુ વ્યાપક અર્થ ઘટાવવાનું પસંદ કરે છે. અહીં બંનેને સમાનાર્થી ગણેલા છે. આંતરરાષ્ટ્રીય ધોરણે વ્યક્તિઓ, પેઢીઓ, સરકારો તથા મધ્યસ્થ (apex)…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય લવાદી

આંતરરાષ્ટ્રીય લવાદી : રાજ્યોના પરસ્પરના ઝઘડાઓના નિરાકરણ માટેના શાંતિમય અને મૈત્રીભર્યા ઉપાયો માટે રચવામાં આવેલું તંત્ર. તેમાં બંને પક્ષકારો પોતાના દાવાઓ કાયદેસર નિકાલ માટે પરસ્પરની સંમતિથી ત્રાહિત વ્યક્તિ કે વ્યક્તિઓના પંચને સોંપે છે, તેમની આગળ રજૂઆત કરે છે અને ચુકાદો માગે છે. ચુકાદાનો અમલ પક્ષકાર રાજ્યોનાં સૌજન્ય અને સદ્વ્યવહાર પર…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું

આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું (International Balance of Payments) : દેશના નાગરિકોએ સમયના ચોક્કસ ગાળા (એક વર્ષ) દરમિયાન વિદેશોના નાગરિકો સાથે કરેલી આર્થિક લેવડદેવડનો હિસાબ. આ વ્યાખ્યામાં કેટલાક શબ્દોનો ચોક્કસ અર્થ થતો હોઈ, તેમને સમજી લેવા જોઈએ. નાગરિકોમાં વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ, પેઢીઓ અને સરકારનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિનું હિત જે દેશમાં…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો

આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો (International Commodity Agreements) : આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વની વસ્તુઓની ભાવસપાટીમાં સ્થિરતા જાળવવા માટે વસ્તુઓની પેદાશ કરનારા તથા તેની ખરીદી કરનારા દેશો વચ્ચે થતા કરારો. આંતરરાષ્ટ્રીય વસ્તુકરારોમાં ઉત્પાદક અને ઉપભોક્તા રાષ્ટ્રો સહભાગીદાર હોય છે. ભૂતકાળમાં આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવ્યા હતા, જેમાં કૉફી, ઑલિવ તેલ, દ્રાક્ષ, ખાંડ, ઘઉં,…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >