ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આરાકાન યોમા
આરાકાન યોમા : મ્યાનમારની પશ્ચિમ સરહદે ઉત્તરથી દક્ષિણ વિસ્તરેલી આશરે 1,100 પર્વતમાળા. એ ઉત્તરમાં પહોળી છે અને 3,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે; પરંતુ તે દક્ષિણમાં જતાં સાંકડી અને નીચી બનતી જાય છે. છેક દક્ષિણે આરાકાન યોમાની ઊંચાઈ ફક્ત 300 મીટર જ રહે છે. તે આગળ જતાં સાગરજળમાં મગ્ન…
વધુ વાંચો >આરા, કૃષ્ણ હવલાજી
આરા, કૃષ્ણ હવલાજી (જ. 16 એપ્રિલ 1914, બોલારુમ, સિકંદરાબાદ; અ. 30 જૂન 1985, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. જન્મ આંધ્ર રાજ્યના હૈદરાબાદ પાસે આવેલા બોલારમમાં. પિતા મોટર-ડ્રાઇવર હતા અને કૃષ્ણની દસ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. માતા તો કૃષ્ણની ત્રણ વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી. સહાનુભૂતિ ધરાવતા એક શિક્ષકે કૃષ્ણ…
વધુ વાંચો >આરાગોં, લુઈ
આરાગોં, લુઈ (જ.3ઑક્ટોબર 1896, પૅરિસ; અ. 24 ડિસેમ્બર 1982, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, પત્રકાર. સર્વસામાન્ય શિક્ષણ પછી તબીબી વિજ્ઞાનનો વિશેષ અભ્યાસ. આ સમયમાં આંદ્રે બ્રેતોં સાથે પરિચય. પ્રથમ વિશ્વયુદ્ધમાં તબીબી વિભાગમાં યુદ્ધસેવા. દાદાવાદ (Dadaism) અને પરાવાસ્તવવાદ(surrealism)નાં આંદોલનોમાં સક્રિય સભ્ય અને અગ્રેસર. 1919માં આંદ્રે બ્રેતોં અને ફિલિપ સુપો સાથે પરાવાસ્તવવાદના…
વધુ વાંચો >આરાફુરા સમુદ્ર
આરાફુરા સમુદ્ર : પ્રશાંત મહાસાગરમાં પશ્ચિમે ઑસ્ટ્રેલિયાના ઉત્તર કિનારા તથા કાર્પેન્ટરિયાના અખાત અને ન્યૂગિનીના દક્ષિણ કિનારા વચ્ચે આવેલો આશરે 6,50,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 90 00´ દ. અ. અને 1350 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમે તિમોર સમુદ્ર, વાયવ્યમાં બાંદા સમુદ્ર અને પૂર્વ તરફ કૉરલ સમુદ્ર…
વધુ વાંચો >આરાસુર
આરાસુર : ગુજરાતના ઈશાન ખૂણામાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી ડુંગરમાળા. અરવલ્લી પર્વતની હારમાળાનો તે એક ભાગ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર દાંતા તાલુકામાં તેની સૌથી ઊંચી જેસોરની ટેકરીઓ આવી છે, જે 1,067 મીટરની ઊંચાઈ ધરાવે છે. આરાસુરની ટેકરીઓ અંબાજીથી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી સુધી વિસ્તરેલી છે તેમજ ટેકરીઓનો એક ભાગ મહેસાણા…
વધુ વાંચો >આરિફ, કલ્હોડો
આરિફ, કલ્હોડો (અઢારમી સદી) : મધ્યકાલીન સિંધી લેખક. અઢારમી સદીમાં સિંધમાં કલ્હોડા વંશનું શાસન હતું. એ સમયે સૂફી કવિ આરિફ કલ્હોડાએ સિંધીની અત્યંત પ્રસિદ્ધ લોકકથા ‘સસઇપુન્હુ’ને કાવ્યબદ્ધ કરી હતી. એમણે એ લોકકથાને જીવાત્મા-પરમાત્માના સંબંધનો ઓપ આપ્યો છે. મૂળ લોકકથામાં કવિએ મૂળ ભાવાનુરૂપ ઉમેરણ કરીને કથાને અત્યંત રોચક બનાવી છે. આ…
વધુ વાંચો >આરિફ, કિશનસિંઘ
આરિફ, કિશનસિંઘ (જ. 1836, અમૃતસર, પંજાબ; અ. 1904, પંજાબ, ઇન્ડિયા) : પંજાબી કવિ. 28 કાવ્યગ્રંથોના લેખક. આમાં ધાર્મિક, ઉપદેશાત્મક તથા હીર, શીરીન-ફરહાદ, પૂરણ ભગત, ભરથરી-હરિ, રાજા-રસૂલા, દુલ્લા-ભટ્ટી અને અન્ય પ્રેમકિસ્સાઓની કાવ્યરચનાઓ છે. તેઓ મહદંશે હીર(કલિયનવાલી હીર)ના કાવ્યસ્વરૂપના કારણે જાણીતા છે. આરિફ 19મી સદીના ઉત્તરાર્ધના પ્રતિનિધિ કવિ છે. તેઓ ઊર્મિપ્રધાનતા અને…
વધુ વાંચો >આરુણિ ઉદ્દાલક
આરુણિ ઉદ્દાલક : ઉપનિષદોમાં ઉલ્લેખ પામેલ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા અરુણિ ઋષિનો પુત્ર અને ધૌમ્ય ઋષિનો શિષ્ય. અરુણિનો પુત્ર હોવાથી ‘આરુણિ’ તરીકે સંબોધાતો. આરુણિને સામાજિક વિધિ-નિષેધોના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મવિદ્યા પર એનો વિશેષ અધિકાર હતો. ગુરુને ત્યાં એ વિદ્યાર્થી અવસ્થામાં રહેતો હતો ત્યારે એક સમયે ગુરુએ આજ્ઞા કરી કે…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >