૨૪

સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક

સોઇન્કા વોલ

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >

સોકોટો (નદી)

સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…

વધુ વાંચો >

સૉક્રેટિસ

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…

વધુ વાંચો >

સોચા જૂન સૂરતૂન (1990)

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…

વધુ વાંચો >

સોજિત્રા

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોઝ હીરાનંદ

સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…

વધુ વાંચો >

સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…

વધુ વાંચો >

સોડાલાઇટ

સોડાલાઇટ : સોડાલાઇટ સમૂહ(સોડાલાઇટ, હૉયનાઇટ, નોસેલાઇટ અને લેઝ્યુરાઇટ)નું મુખ્ય ખનિજ. રાસા. બં. : 3NaAlSiO4·NaCl (3Na2Al2Si2O8·2NaCl); સિલિકા : 37.2 %; ઍલ્યુમિના : 31.6 %; સોડા 25.6 % અને ક્લોરિન : 7.3 % – જે મળીને કુલ 101.7 % થાય, પરંતુ (θ = 2Cl)ના 1.7 % બાદ કરતાં 100 % થઈ જાય…

વધુ વાંચો >

સ્વાદ (taste)

Jan 19, 2009

સ્વાદ (taste) : પ્રાણીઓની એક મહત્વની સંવેદના. આ સંવેદના દ્વારા પ્રાણીઓમાં આહારના સેવનથી મળતો આનંદ એટલે કે સ્વાદની પરખ થાય છે. તે કેવો અને કેટલો ખોરાક ખાવો તે નક્કી કરવામાં મદદ કરે છે. સ્વાદની પરખ ઉપરથી માણસ ભાવતો અને અણગમતો ખોરાક નક્કી કરે છે. સ્વાદની પરખ સાથે આહારમાં સુવાસ (flavour)…

વધુ વાંચો >

સ્વાદુપિંડશોથ (pancreatitis)

Jan 19, 2009

સ્વાદુપિંડશોથ (pancreatitis) : સ્વાદુપિંડ(pancreas)નો પીડાકારક સોજો (શોથ, inflammation) થવો તે. તેના કારણ અનુસાર વિવિધ પ્રકારો છે; પરંતુ નિદાનચિકિત્સી (clinical) પ્રક્રિયામાં તેનાં મુખ્ય 2 સ્વરૂપો જોવા મળે છે  ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). ઉગ્ર સ્વાદુપિંડશોથ ટૂંકા ગાળામાં ઉદભવેલો વિકાર છે, જ્યારે દીર્ઘકાલીન વિકારનો ઉદભવ ધીમો, અલાક્ષણિક (insidious) અને લાંબા ગાળાનો હોય…

વધુ વાંચો >

સ્વાદુપિંડી આભાસી કોષ્ઠ (pancreatic pseudocyst)

Jan 19, 2009

સ્વાદુપિંડી આભાસી કોષ્ઠ (pancreatic pseudocyst) : સામાન્ય રીતે સ્વાદુપિંડના પીડાકારક સોજા (શોથ, inflammation) પછીની આનુષંગિક તકલીફ રૂપે જઠરની પાછળ લઘુપ્રકોશા (lesser sac) નામના પોલાણમાં સ્વાદુપિંડના ઉત્સેચકો (enzymes), લોહી તથા કોશનાશી પેશી(necrotic tissue)વાળું પ્રવાહી ભરાવું તે. આ પ્રવાહી ભરેલા પોલાણની દીવાલ અધિચ્છદ (epithelium) નામના પડ વડે થયેલી ન હોવાથી તેને આભાસી…

વધુ વાંચો >

સ્વાધ્યાય (સામયિક)

Jan 19, 2009

સ્વાધ્યાય (સામયિક) : વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ઈ. સ. 1964માં પ્રકાશિત કરવામાં આવેલું ત્રૈમાસિક. આ સામયિકનો મુદ્રાલેખ ‘સ્વાધ્યાય અને સંશોધન’ રાખવામાં આવેલો. આરંભના સમયગાળામાં સંશોધક ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે અને એ પછી અરુણોદય ન. જાનીના સંપાદકપદે પ્રતિષ્ઠા પામેલું સામયિક આજે પણ પ્રકાશિત થાય છે. આ ત્રૈમાસિકમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તથા અદ્યતન…

વધુ વાંચો >

સ્વામિનારાયણ જેઠાલાલ ચીમનલાલ

Jan 19, 2009

સ્વામિનારાયણ, જેઠાલાલ ચીમનલાલ (જ. 30 ઑગસ્ટ 1884, વડોદરા; અ. 24 જૂન 1941, અમદાવાદ) : સમાજસુધારક, રાષ્ટ્રવાદી, સંસ્કૃતવિદ પ્રખર ગણિતશાસ્ત્રી. જેઠાલાલ ચીમનલાલ સ્વામિનારાયણ મુંબઈ યુનિવર્સિટીમાંથી 1904માં બી.એ. (ઑનર્સ) અને 1908માં એમ.એ.ની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવીને મેળવી હતી. તેમનો પરિવાર વિદ્યાવ્યાસંગી હતો. સોળ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવતાં, ઘરની જવાબદારી…

વધુ વાંચો >

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય

Jan 19, 2009

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય : શ્રી સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા વિવિધ સ્થળોએ સ્થાપેલાં શાસ્ત્રીય સ્વરૂપનાં મહા મંદિરો અને તેનું સંપ્રદાયમાં આ જ દિન સુધીનું અનુસંધાન. ભક્તોની રક્ષા કરવા અને એકાંતિક ધર્મની સ્થાપના કરવા અવતાર ધારણ…

વધુ વાંચો >

સ્વામિનારાયણ સંપ્રદાય

Jan 19, 2009

સ્વામિનારાયણ સંપ્રદાય : હિન્દુ ધર્મની  વૈષ્ણવ ધર્મની એક શાખા. તે કરોડો ભારતવાસીઓની સંસ્કારસભર જીવનરીતિ છે. એકાધિક સંપ્રદાયોથી જમાને જમાને હિન્દુ ધર્મ અને એના સનાતનધર્મી જીવનના આચારવિચાર પરિષ્કૃત અને સંવર્ધિત થતા રહ્યા છે. હિન્દુ ધર્મ પ્રમાણે તો ધર્માચાર એ જ જીવનાચાર છે. સ્વામિનારાયણ જેવા સંપ્રદાયો પણ અભિનવ સ્વરૂપે આ જ વાત…

વધુ વાંચો >

સ્વામી

Jan 19, 2009

સ્વામી : મરાઠી નવલકથાના વિકાસમાં સીમાચિહન ગણાતી રણજિત દેસાઈ (જ. 1928) કૃત નવલકથા. તે 1962માં પુણેથી પ્રગટ કરવામાં આવેલી. તે એટલી બધી લોકપ્રિય બની કે તેની અનેક આવૃત્તિઓ થઈ. તેને રાજ્ય પુરસ્કાર તથા અનેક સન્માન ઉપરાંત 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ નવલકથા માધવરાવ પેશવાના જીવન અને…

વધુ વાંચો >

સ્વામી એચ. તિપ્પેરુદ્ર

Jan 19, 2009

સ્વામી, એચ. તિપ્પેરુદ્ર (જ. 1923, હોન્નાલી, જિ. શિમોગ, મૈસૂર) : કન્નડ લેખક અને વિદ્વાન. તેમને તેમની અદ્યતન કૃતિ ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’ (1968) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ મૈસૂર યુનિવર્સિટીમાં લીધું હતું. તેમની શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની કારકિર્દીમાં તેમને સંખ્યાબંધ ચંદ્રકો તથા ઇનામો…

વધુ વાંચો >

સ્વામીનાથન અમ્મુ

Jan 19, 2009

સ્વામીનાથન, અમ્મુ (જ. ? 1894, અનક્કારા, કુટ્ટીપુરમ્, ચેન્નાઈ; અ. ? 1978) : દક્ષિણ ભારતનાં જાણીતાં મહિલા નેત્રી. પિતા પી. ગોવિંદ મેનન ઉત્તર કેરળના નાયર હતા અને મુનસફ તરીકે કામગીરી બજાવેલી. 1908માં ચેન્નાઈના જાણીતા ઍડ્વોકેટ ડૉ. સ્વામીનાથન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમનાં ચારે સંતાનો પોતપોતાનાં ક્ષેત્રોમાં નામાંકિત બન્યાં. પુત્ર ગોવિંદ…

વધુ વાંચો >