૨૪
સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક
સ્થાનિકીકરણ ઉદ્યોગોનું
સ્થાનિકીકરણ, ઉદ્યોગોનું : કોઈ એક પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ કરતા ધંધાકીય એકમોનો સમૂહ ઉદ્યોગથી ઓળખાય છે; દા. ત., પેપર ઉદ્યોગ. આવા અનેક ઉદ્યોગોનાં કારખાનાં જુદાં જુદાં સ્થળે સ્થાપવામાં આવે છે. કોઈ એક કારખાનાનું સ્થળ પસંદ કરવાની પ્રક્રિયા સ્થાનિકીકરણથી ઓળખાય છે. કારખાના માટે સ્થળ પસંદ કરીને ત્યાં તે સ્થાપ્યા બાદ સ્થળ બદલવાનું…
વધુ વાંચો >સ્થાનીય ચિકિત્સા (local or topical therapy)
સ્થાનીય ચિકિત્સા (local or topical therapy) : વિષમતા કે વિકારના સ્થળે અપાતી સારવાર. સામાન્ય રીતે ચામડી, આંખ, શ્લેષ્મકલા (mucosa), નાક, કાન વગેરેની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. તે મુખ્યત્વે 2 પ્રકારની છે : ભૌતિક (physical) અને રાસાયણિક. શેક કરવો, બરફ વડે ઠંડક આપવી, મર્દન (massage) કે કસરત કરવી/કરાવવી વગેરે. વ્યાયામાદિ…
વધુ વાંચો >સ્થાનીય ચિકિત્સા પ્રતિફૂગ (antifungal local therapy)
સ્થાનીય ચિકિત્સા, પ્રતિફૂગ (antifungal local therapy) : ચામડી અને શ્લેષ્મકલા પર ફૂગના ચેપની સ્થાનિક કાર્ય કરતાં ઔષધો વડે સારવાર કરવી તે. સપાટી પર સારવાર કરતાં ઔષધો વડે સ્થાનીય ચિકિત્સા થાય છે. તેઓ ક્યારેક ફૂગના ચેપને મટાડે છે અથવા ક્યારેક મોં કે ઇન્જેક્શન દ્વારા અપાતાં ઔષધોની અસર વધારવામાં ઉપયોગી રહે છે.…
વધુ વાંચો >સ્થાનીયતા
સ્થાનીયતા : કોઈ એક જાતિ કે વર્ગક-સમૂહ(taxonomic group)નો આવાસ નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ પૂરતો જ મર્યાદિત રહે તેવી પરિસ્થિતિ. આ પરિસ્થિતિના નિર્માણ માટે જવાબદાર પરિબળોમાં અલગીકરણ (isolation) અથવા મૃદા કે આબોહવાકીય પરિસ્થિતિઓ સામેની પ્રતિક્રિયા(response)નો સમાવેશ થાય છે. આવા વર્ગક(taxon)ને તે પ્રદેશનો સ્થાનિક (endemic) ગણવામાં આવે છે. સ્થાનીયતાનો વિસ્તાર વર્ગકની કક્ષા ઉપર…
વધુ વાંચો >સ્થાપત્યકલા
સ્થાપત્યકલા લલિતકલાઓના વર્ગમાંની એક રૂપપ્રદ કલા. ચિત્રકલા અને શિલ્પકલાની જેમ સ્થાપત્યકલા રૂપપ્રદ કલા છે. સ્થાપત્યની વ્યાખ્યા આપતાં સર સીડની કોલવીન જણાવે છે : ‘સ્થાપત્ય ઘાટ આપવાની કલા છે. એનું કાર્ય ક્રમબદ્ધ અને વિભૂષિત પિંડોના સંયોજનથી લાગણી વ્યક્ત અને ઉત્તેજિત કરવાનું છે.’ લાગણીનો સ્પર્શ ધરાવતી ઇમારતને સ્થાપત્ય કહી શકાય. સંસ્કૃતમાં સ્થાપત્ય…
વધુ વાંચો >સ્થાયી તુષારભૂમિ (permafrost)
સ્થાયી તુષારભૂમિ (permafrost) : હિમસંજોગની અસર હેઠળ કાયમી ઠરેલો રહેતો ભૂમિસ્તરવિભાગ. કેટલાંય વર્ષો સુધી જ્યાં તાપમાન 0° સે.થી નીચે રહેતું હોય એવો ભૂમિપ્રદેશ, પછી ભલે તે પ્રદેશ બરફથી જામેલો રહેતો હોય કે ન રહેતો હોય, ત્યાંના ખડકો કે જમીન-પ્રકાર ગમે તે હોય. તુષારભૂમિની ઉપલી તલસપાટી બરફ હોવા–ન હોવાને કારણે લગભગ…
વધુ વાંચો >સ્થાયી મૂડી (fixed capital)
સ્થાયી મૂડી (fixed capital) : જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રી વસાવવા માટે તથા જાળવવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની મૂડી. ઉદ્યોગપતિ નવી કંપની શરૂ કરતાં અગાઉ ઇજનેરો, સ્થપતિઓ અને તજ્જ્ઞોની મદદ વડે ધંધા અંગેની નાણાકીય જરૂરિયાતોનો અડસટ્ટો કઢાવે છે; કારણ કે જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રીમાં રોકાણ કરવા માટે સ્થાયી…
વધુ વાંચો >સ્થિત તરલની યાંત્રિકી (mechanics of static fluid)
સ્થિત તરલની યાંત્રિકી (mechanics of static fluid) : વિરામવાળા પ્રવાહી અને વાયુની યાંત્રિકી. પ્રવાહી અને વાયુ તરલ તરીકે ઓળખાય છે. તરલ એવો પદાર્થ છે જે વહી શકે છે. આથી ‘તરલ’ શબ્દમાં પ્રવાહીઓનો અને વાયુઓનો સમાવેશ થાય છે. આવાં વર્ગીકરણ હંમેશાં સ્પષ્ટ હોતાં નથી. કાચ અને ડામર જેવાં કેટલાંક તરલો એટલાં…
વધુ વાંચો >સ્થિતિજ ઊર્જા
સ્થિતિજ ઊર્જા : સ્થાન કે અવસ્થાને કારણે પદાર્થની ઊર્જા પદાર્થને પ્રમાણભૂત અવસ્થા(configuration)માંથી વર્તમાન સ્થિતિમાં લાવવા માટે તેના ઉપર કરવા પડતા કાર્યને પણ સ્થિતિજ (potential) ઊર્જા કહે છે. યંત્રશાસ્ત્રમાં ઊર્જાનું મહત્વ ઘણું છે. પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઊર્જાને ગતિ-ઊર્જા કહે છે. તેવી જ રીતે ઊર્જાનું બીજું અગત્યનું સ્વરૂપ ગતિ દરમિયાન પદાર્થના…
વધુ વાંચો >સ્થિતિશાસ્ત્ર (statics)
સ્થિતિશાસ્ત્ર (statics) : દૃઢ (rigid) પદાર્થ ઉપર બળોના સમતોલન(equillibrium)નો સિદ્ધાંત. તે યંત્રશાસ્ત્ર(mechanics)ની એક શાખા છે. બીજી રીતે સ્થિર કે અચળ ગતિ કરતા પદાર્થ ઉપર લાગતાં બળોની અસરનું વિજ્ઞાન છે. સ્થિર કે અચળ ગતિ અને એક જ દિશા ધરાવતા પદાર્થ સાથે સ્થિતિશાસ્ત્ર નિસબત ધરાવે છે. આવો પદાર્થ સમતોલનમાં હોય છે. સ્થિતિશાસ્ત્રનો,…
વધુ વાંચો >સોઇન્કા વોલ
સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…
વધુ વાંચો >સોકોટો (નદી)
સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…
વધુ વાંચો >સોકોત્રા (Socotra)
સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…
વધુ વાંચો >સૉક્રેટિસ
સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…
વધુ વાંચો >સોગંદનામું (affidavit)
સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…
વધુ વાંચો >સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)
સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…
વધુ વાંચો >સોચા જૂન સૂરતૂન (1990)
સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…
વધુ વાંચો >સોજિત્રા
સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…
વધુ વાંચો >સોઝ હીરાનંદ
સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…
વધુ વાંચો >સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >