ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >સંપ્રદાય
સંપ્રદાય : કોઈ એક વિચારધારાને અનુસરનારો વર્ગ. સામાન્ય રીતે કોઈ એક દાર્શનિક વિચારધારાને અનુસરનારા વર્ગ માટે ‘સંપ્રદાય’ શબ્દ પ્રયોજાય છે. સંપ્રદાય, મજહબ, પંથ વગેરે પર્યાયો છે. સંપ્રદાયો આચારભેદ, કર્મકાંડભેદ, માન્યતાભેદ અથવા વ્યક્તિ કે ગ્રંથના અનુસરણને કારણે અસ્તિત્વમાં આવે છે. सम्प्रदीयते यस्मिन् इति सम्प्रदाय: । જેમાં આચાર, વિચાર, વ્યક્તિ, ગ્રંથ આદિને…
વધુ વાંચો >સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power)
સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power) : વિદ્યુત ઉત્પન્ન કરતા પ્લાન્ટમાંથી વિદ્યુતનું વહન કરી તેને ઉપભોક્તા સુધી પહોંચાડવાની પદ્ધતિ. અનુકૂળ જગ્યા, જ્યાં ઊર્જાસ્રોત (જેવા કે કોલસા, ગૅસ, ઊંચાઈએ સંગ્રહાતું પાણી, સારા પ્રમાણમાં અને સતત વધુ ગતિએ મળતો પવન, વિશાળ ખુલ્લી જગ્યામાં વધુ તાપમાને મળી રહેતી સૌર ઊર્જા વગેરે) મળી…
વધુ વાંચો >સંબલપુર
સંબલપુર : ઓરિસા રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 00 ઉ. અ. અને 84° 20´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,702 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ જિલ્લો, પૂર્વમાં સુંદરગઢ, દેવગઢ અને અંગૂલ જિલ્લા, દક્ષિણે અંગૂલ અને સોનેપુર જિલ્લા તથા…
વધુ વાંચો >સંબંધ મુદલિયાર, પમ્મલ
સંબંધ મુદલિયાર, પમ્મલ (જ. 1873; અ. 1964) : તમિળ રંગભૂમિના પિતા. માત્ર 18 વર્ષની વયે તેમણે 1891માં ‘સગુણ વિલાસ સભા’ નામના અવેતન રંગભૂમિ જૂથની સ્થાપના કરી. તેની શરૂઆત ફક્ત 7 સભ્યોથી કરી, જે ક્રમશ: એક શક્તિશાળી અને અતિ પ્રભાવશાળી સંસ્થા બની. લોક-રંગભૂમિનાં જૂથો દ્વારા શેરીના નાકે કે ખુલ્લાં મેદાનોમાં તેમજ…
વધુ વાંચો >સંબંધો (નવ્યન્યાય)
સંબંધો (નવ્યન્યાય) : ભારતીય નવ્યન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો એક ખ્યાલ. નવ્યન્યાયમાં વિશિષ્ટ જ્ઞાનનું નિયમન કરનાર જે તત્ત્વ હોય તેનું નામ સંબંધ. નવ્યન્યાયમાં સંબંધો મુખ્યત્વે બે પ્રકારના બતાવ્યા છે : (1) મુખ્ય સંબંધો અને (2) ગૌણ સંબંધો. તેમાં મુખ્ય સંબંધો ચાર છે : (1) સંયોગ, (2) સમવાય, (3) સ્વરૂપ અને (4) તાદાત્મ્ય.…
વધુ વાંચો >સંબોધનકાવ્ય
સંબોધનકાવ્ય : (જુઓ ઓડ.) ગુજરાતી સાહિત્યમાં ‘ઓડ’ની સંજ્ઞા આપી શકાય એવાં ‘ઉદ્બોધન’કાવ્ય. તેનો પ્રયોગ છેક દલપત-નર્મદથી માંડીને રાજેન્દ્ર શાહ ને તે પછીના કવિઓએ કરેલો છે. બલવંતરાય ક. ઠાકોરે ‘લિરિક’ મહાનિબંધમાં ઓડનો ઉલ્લેખ ‘ભાવનિક’ કે ‘વિભાવિકા’ તરીકે પણ કરી શકાય એમ જણાવ્યું છે. ‘ઓડ’ એટલે ‘સંબોધનકાવ્ય’. આ પ્રકારનું કાવ્ય દીર્ઘ, ભારઝલ્લું…
વધુ વાંચો >સંભલ
સંભલ : ઉત્તરપ્રદેશ રાજ્યના મોરાદાબાદ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 35´ ઉ. અ. અને 78° 33´ પૂ. રે.. પ્રાચીન વસાહતમાંથી વિકસેલા આ નગરનું મુસ્લિમ શાસન દરમિયાન વિશેષ મહત્ત્વ હતું. પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સોળમી સદીના પૂર્વાર્ધ કાળ દરમિયાન સિકંદર લોદીના સમયમાં તે પ્રાંતીય પાટનગર હતું. પ્રાચીન કાળમાં આ…
વધુ વાંચો >સંભવનાથ તીર્થંકર
સંભવનાથ તીર્થંકર : જૈન ધર્મના ત્રીજા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર બીજા તીર્થંકર અજિતનાથ પછી લાખો વર્ષો પછી સંભવનાથ થઈ ગયા. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ધાતકીખંડ દ્વીપના ઐરાવત-ક્ષેત્રની ક્ષેમપરા નામે નગરીમાં વિપુલવાહન નામે પ્રતાપી રાજા હતા. આ રાજાના હૈયામાં દયાધર્મનો નિવાસ હતો. એક વખત નગરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજાજનો ભૂખ…
વધુ વાંચો >સંભાજી (શંભુજી)
સંભાજી (શંભુજી) (જ. 1657, મહારાષ્ટ્ર; અ. 11 માર્ચ 1689, કોરેગાંવ) : છત્રપતિ શિવાજીનો જ્યેષ્ઠ પુત્ર. શિવાજી સાથે ઔરંગઝેબના દરબારમાં તે આગ્રા ગયો હતો અને શિવાજી તેને લઈને નાસી આવ્યો હતો. ત્યારબાદ થયેલ સંધિ મુજબ ઔરંગાબાદમાં દખ્ખણની મુઘલ છાવણીમાં તેને મોકલવામાં આવ્યો હતો. મુઘલ સરકારમાં ઉત્કર્ષની લાલચનો ભોગ બની મુઘલ સેનાપતિ…
વધુ વાંચો >સંભાવના (probability)
સંભાવના (probability) કોઈ ઘટના બનશે કે કેમ તે જ્યારે પૂર્ણપણે નિશ્ચિત ન હોય ત્યારે તેનું નિશ્ચિતતાનું માપ. 1. માનવજીવન અનિશ્ચિતતાથી ભરપૂર છે. જીવનમાં ડગલે ને પગલે બનતી રોજબરોજની ઘટનાઓમાં પણ આવી બાબત જોવા મળે છે. રાતના 11-30 વાગ્યે રેલવેસ્ટેશને ગાડીની આવવાની રાહ જોતાં લોકો ઊભા હોય અને જાહેરાત થાય કે…
વધુ વાંચો >